Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર : 01-01-2017

$
0
0
* રાહુલ બાબાના લગ્ન ક્યારે થશે?
– ભારતીય બંધારણ બાળલગ્નોને મંજૂરી નથી આપતું.
(સલૌની આર. શાહ, રાજકોટ)

* તમને જમવામાં સૌથી ઓછું શું ભાવે?
– ઘરનું બધું જ! ...કારણ કે, ત્યાં ‘જમવામાં’ ધ્યાન રાખવું પડે છે!
(જયેશ અંતાણી, ભાવનગર)

* અમને શ્રી નરેન્દ્ર મોદીની ક્ષમતા ઉપર પૂરો વિશ્વાસ છે. એમની લોકપ્રિયતા વધી છે, ઘટી નથી. સુઉં કિયો છો?
– ‘આપણું તો... કંઇક કહો...!’
(મયૂર એમ. વાળંદ, ભૂજ–કચ્છ)

* જન્માષ્ટમીમાં કેટલા જીત્યા...?
– અમે ભોળુંડાઓ એક રૂપીયે – પોઇન્ટ રમનારા... અમે જુગારીઓને ન પહોંચીએ !
(હર્ષદીપ મેહતા, રાજકોટ)

* ગુજરાતમાં ઉજવાતો ‘ગણેશ મહોત્સવ’ ખરેખર શું દિલથી ઉજવાય છે?
– દરેક તહેવારમાં કેવળ ભક્તિ જોવા જઇએ ને ઉલ્લાસ–મસ્તી ભૂલી જઈએ, તો ઊજવણીનો જુસ્સો નરમાઇ જાય...! ઇશ્વરનું નામ બોલાતું રહે, એ કાફી છે !
(જીત પટેલ, વડોદરા)

* કાશ્મિરની સમસ્યા માટે શું નેહરૂ ખરેખર જવાબદાર છે?
– ખોટેખોટાની જરૂર નથી, બાકી ખરેખર તો નેહરૂ જવાબદાર ખરા ! (એ પોતે જન્મે કાશ્મિરી પંડિત હતા... અને આજે જુઓ, એકે ય કાશ્મિરી પંડિત કાશ્મિરમાં રહી શકે છે ?)
(દેવવ્રત જોશી, વડોદરા)

* ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે વસતા હોવાથી, ગુજરાત હવે એક રાષ્ટ્ર બની જાય તો ?
– મને કોઇ વાંધો નથી.
(રાહુલ કણબી, ભાવનગર)

* અત્યારની લાઇફમાં લવ–મૅરેજમાં સાચો પ્રેમ હોય છે ખરો ?
– ટ્રાય કરવાનો ચાન્સ મળે તો કહું.
(જીગર પી. દોશી, વિરમગામ)

* તમારા લેખોમાં, તમારો તકીયા–કલામ ‘સુઉં કિયો છો? અવશ્ય વપરાય છે. શું આ તમારા મનગમતા શબ્દો છે?
– આમાં ‘હું’ નહિ, ‘તમે’ શું કહો છો, એ સંસ્કાર પર ભાર મૂકવામાં આવ્યો છે... (એ વાત જુદી છે કે, આપણા સહુમાં ‘હું’ શું કહું છું, એ જ મહત્વનું હોય છે... બીજા નહિ !)
(જીજ્ઞાસા માંકડ, મુંબઈ)

* વ્રતો કરવાની ટેવ સ્ત્રીઓને કેમ પડી હોય છે?
– પુરૂષોને ય પડી હોય છે ! ભરયુવાનીમાં મેં એક વ્રત રાખ્યું હતું કે, ‘આજીવન અન્ય કોઇ સ્ત્રી સામે નહિ જોઉં... !’ પણ અઅ લોકો એમ કાંઈ વ્રત પાળવા દે છે ?
(દિલીપ સુથાર, દેવકાપડી – ભાભર)

* તમારા ઘરે તમારા સાસુ કાયમ માટે રહેવા આવી જાય તો?
– ચોક્કસ આવે. આ એમનું ય ઘર છે... હું પછી ગમે ત્યાં મારું ગોતી લઇશ...!
(ચાંદની સરડવા, રવાપર–મોરબી)

* માનવીને મૃત્યુનો ડર શા માટે હોય છે?
– મર્યા પછી કોઇ ઝાડ ઉપર રહેવા જતા રહેવું પડે છે, માટે !
(દીપક પંડ્યા, બિલિમોરા)

* જેઠાલાલ બબિતા અને દયા સિવાય ગોકુલધામની બધી સ્ત્રીઓને ‘ભાભી’ કહીને બોલાવે છે. સુઉં કિયો છો?
– એમાં મારી ‘હા’ સમજવી.
(હેતાશી જે. સુથાર, પાલનપુર)

* હાસ્યલેખકોમાં પુરૂષો બહુમતિમાં કેમ?
– આ ફરિયાદ છે કે જીવ બાળો છો ?
(દિપક આશરા, ગાંધીનગર)

* આપે મોદી સાહેબને ખુલ્લો પત્ર લખ્યા પછી એમણે શું જવાબ આપ્યો ?
– ખાસ કાંઈ નહિ... બે જુદી જુદી સર્જીકલ–સ્ટ્રાઇકો કરી નાંખી.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* યોગથી સર્વ રોગો દૂર થાય છે, એવું કહેતા બાબા રામદેવ દવાઓ કેમ વેચે છે?
– એ એમ પણ કહે છે કે, આ યોગસાધના કરી શકો તો દવાઓ લેવાની જરૂર નહિ પડે !
(આસુતોષ સાંખલા, ડીસા)

* પોતાની પત્ની હોવા છતાં બીજાની પત્ની ઉપર નજર રાખનાર જેઠાજીની સીરિયલ કૉમેડી બની ગઇ. કોઇ સ્ત્રી આવું કરે તો સમાજ એને કોમેડી ગણશે?
– મને તો ‘આવું’ કરનારી કોઇ સ્ત્રી મળી નથી....!
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* તમારા જૂના મિત્રો જેન્તી જોખમ અને પરવીણ ચડ્ડી હવે દેખાતા કેમ નથી ?
– જેન્તી તો હું અમેરિકા હતો ત્યારે જ ગૂજરી ગયો હતો... અને પરવિણ નથી ગૂજર્યો !
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

* યુરોપ–અમેરિકાની સરખામણીમાં આપણા દેશનું અનાજનું ઉત્પાદન ઘણા નિમ્નસ્તરનું છે, છતાં ‘મેરે દેશ કી ધરતી, સોના ઊગલે, ઊગલે હીરે–મોતી’ કેમ ?
– ધ્યાનથી સાંભળીને કહો. એ ગીતમાં ક્યાંય ‘કઠોળ ઊગલે’ કે ‘ઘઉં–ચોખા ઊગલે’ લખ્યું છે ?
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* તમારે પણ દરેક કામ ઘરવાળીને પૂછીને કરવું પડે છે?
– એવું કાંઇ નહિ ! કામ એવું હોય તો કામવાળીને ય પૂછી લેવાનું !
(નરેશ વી. પટેલ, વડોદરા)

* રામ અને શ્યામમાં શું તફાવત છે?
– ઐ તો સીતા અને રાધાને પૂછવું પડે... આપણું વચમાં કામ નહિ !
(જસુ આહિર, સુરત)

* મારો ત્રણ વર્ષનો બાબો મને અત્યારથી ખખડાવે છે. તમને શું લાગે છે ?
– લગ્ન થયે ચાર જ વર્ષ થયા... ?
(બ્રિજેશ પારેખ, મુંબઈ)

* અમેરિકાના નવા પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે મોદીના સંબંધો કેવા રહેશે ?
– એ તો એક વાર દહીનું મેળવણ માંગવા જઈએ, પછી ખબર પડે !
(રાજ દેસાઇ, સુરત)

મેહમાન ઊભા ક્યારે થશે ?

$
0
0
ઉપર સ્વર્ગમાં નવરા બેઠા ક્યારેક ભગવાન શંકરને ફેમિલી સાથે શ્રીકૃષ્ણને ઘેર જવાનું મન નહિ થતું હોય ? કોક દહાડો ભગવાન મહાવીર સ્વામી અને શ્રીકૃષ્ણ એકબીજા સાથે બેઠા બેઠા શતરંજ રમતા હોય એ વખતે ભગવાન જીસસ અને શ્રીહનુમાનજી રીક્ષામાંથી ઉતરીને સીધા નાસ્તો લઇને આવતા નહિ હોય ?

અલ્લાહ મીયાં તો અલ્લાહના માણસ, એમને ત્યાં જે આવે એને અલ્લાહની કૅટેગરી મળે. મેહમાનો તો સહુને ઘેર આવે. અત્યારે નહેરૂ ચાચા અને સ્વયં ઈન્દિરાજી નવરાધૂપ બેઠા બેઠા લાલબહાદુર શાસ્ત્રીને ઘેર ધામા નાંખીને, 'હવે આ મોદીનું શું કરવું ?... અમારી સોનુ અને પપ્પુને બહુ હેરાન કરે છે..! કંઇક કરો, શાસ્ત્રીજી...!''એવી વિનવણીઓ કરતા હશે ને ?

આપણા ઘેર મેહમાનો તો આવવા જ જોઇએ... પણ આવ્યા પછી જવા ય જોઇએ. એ લોકોએ એટલી વાર બેસવું ન જોઇએ કે, આપણે ય ભૂલી જઇએ કે, એ લોકો આપણા ઘેર આવ્યા છે કે આપણે એમના ઘેર ગયા છીએ...?

કહે છે કે, મેહમાનો આવે પછી ૧૦-૧૫ મિનિટ સુધી જ ગમતા હોય છે.... પછી તો ઘરના કમ્પાઉન્ડમાં કૂવો કેમ ન ખોદાવ્યો, ખોળામાં બેસી જાય એવા કૂતરાં કેમ ન પાળ્યા, જમવાનું કહેવાની ક્યાં જરૂરત હતી, એની લવારીઓ એ લોકોના ગયા પછી ય ચાલે રાખે. આવેલા મેહમાનો કાંઇ વહાલમાં ઊભા થઇને આપણે બચ્ચીઓ ભરી આવીએ, એવા મીઠડાં ન હોય !

(
એ લેવલની તો એવાઓની વાઇફો ય ન હોય ! આ તો એક વાત થાય છે !) મેહમાનો સાથે થોડી વાર સુધી જ હાહા-હીહી મીઠી લાગે, પછી ધીમેધીમે આપણાં મૂડો તરડાતાં જાય, મોંઢા પરાણે હસતા રાખવા પડે, બોર થવા માંડીએ, કોક વીરાન જંગલમાં જઇને એકાદું ખૂન કરી આવવાના ધખારા ઉપડે, જેથી પાછા આવીએ ત્યારે એ લોકો આપણા ઘેર ન હોય !

એ લોકોના તો મનમાં ય ન હોય કે, હવે ઊભા થઇએ અને ઘેર પાછા જઇએ, પણ આપણને છેલ્લા અડધા કલાકથી ગુદગુદી થવા માંડે કે, આ લોકો દુનિયાથી નહિ, તો છેવટે આપણા ઘરમાંથી ટાઇમસર ઊભા થઇ જાય ને (એમના) ઘેર જાય તો બીજા કામ પતે ! કેટલાક તો અડ્ડો જમાવીને એવી રીતે બેઠા હોય કે, ફફડાટ આપણને રહે કે, ઘેર પાછા એ લોકોને જવાનું છે કે,

આપણે ! થોડી વારમાં તો ગાડી સ્પીડ પકડી લે છે અને મેહમાન પોતે કિચનમાંથી સીધું આપણને પૂછે, ''દાદુ, તમારી ગ્રીન-ટી કે સાદી...? સાથે કુકીઝ મૂકું ને...?''તારી ભલી થાય ચમના... થોડી કળ તો વળવા દે કે, અમે ભાનમાં આવીએ કે આ ચા-બિસ્કીટનું તું અમારા માટે પૂછે છે કે, એના ફેમિલી માટે ! ઘણા મેહમાનો તો આપણા નાસ્તાનો આગ્રહે ય આપણને કરે, ''લો ને... લો ને... ખવાશે હવે...!''

પણ કિટક-શાસ્ત્રોમાં કીધું છે કે, કિચનમાં ઘુસેલી ઉધઇ અને ડ્રોઇંગ-રૂમમાં જામેલા મેહમાનો કદી એમને એમ જતા નથી. બાપાનું રાજ તો આપણાથી ના બોલાય પણ આવી ગયા પછી આપણા ઘરમાં આ લોકોનું રાજ ચાલતું હોય છે.

એવું ય નથી કે, આવેલા બધા મેહમાનો ગમતા ન હોય અને 'આ ક્યાં ગુડાણા...?'વાળી નફરતું થાતી હોય ! એવું બધાના કેસમાં ન હોય, છતાં એક તબક્કો એવો આવે છે કે, મેહમાન તરીકે નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન કે કેટરિના કૈફ (ડિમ્પલ કાપડીયા સિવાય) ફેમિલી સાથે આવ્યા હોય તો ય અકળામણો થવા માંડે. હવે આપણે એમનાથી કંટાળ્યા હોઇએ અને ક્યારે ઊભા થાય, એની અકળામણો થવા માંડે. એમને મજા આવતી હોય ને આપણો જીવ જતો હોય. એક લિમિટ હોય મેહમાનોને રમાડે રાખવાની, પણ પછી તગડો કંટાળો આવવા માંડે. આ એ તબક્કો છે કે, આપણા ઘરવાળા એ લોકોની જોક ઉપર સાવ ખોટેખોટું હસવા માંડે છે,એમાં એ લોકો એવું સમજે કે, 'હવે આપણને હ્યુમરની સમજ પડવા માંડી છે...'એટલે બમણા ફૉર્સથી નવી ફાલતુ કટો મારવા માંડે ને આપણે એવા કડવા મોંઢે દાંત કાઢી કાઢીને (અમારા કાઠીયાવાડની ભાષામાં, 'દાંત કાઢવા'એટલે હસવું !) અધમૂવા થઇ ગયા હોઇએ ને પરાણે હળવું પડે છે, એની દાઝો પોતાના ઉપરે ય ચઢવા માંડે. હું તો આવા તબક્કે ટાઇમો પાસ કરવા ડ્રોઇંગ-રૂમની ટયુબલાઇટો ઉપર ચકરભમ-ચકરભમ ફરે રાખતા જીવડાંની સામે એકીટસે જોયે રાખું, એ લોકોની સ્પીડ કેટલી હશે, એક જીવડું એવરેજ કેટલા ચકરડાં મારે છેઊડતા ઊડતા એકબીજાને અથડાતા કેમ નથી, એ ગણવા બેસવું, એમાંનું એકાદું જીવડું અનામતની સીટ ઉપર ફરતું હશે અથવા ત્યાં ઊડતા તમામ જીવડાં નીચે આવીને આ મેહમાનોને કેમ નથી કરડતા, એવા કડવા વિચારો પણ આવે. વાઇફ આદર્શ હૉસ્ટેસ છે એટલે એ મોઢું બગાડયા વિના પેલા લોકોની પીસી ઉપર સાવ સાચું હસતી જાય, એમાં એ લોકોને વધારે મજો પડતો જાય કે, 'બેનમાં સૅન્સ ઑફ હ્યુમર ઘણી છે... બાકી ભ'ઇમાં ખાસ કાંઇ વેતાં નથી !'

કેટલાક લોકો મહેમાનો લાંબુ બેસે નહિં, એ માટે એમના પાળેલા કૂતરાંઓ કે સહેજ પણ 'નહિં પાળેલા'ઘરડા મા-બાપને બેસાડી રાખે છે. વધુ ક્રૂર લોકો તો એ બન્ને પાર્ટીઓને બેસાડી રાખે છે.... મેહમાનો સમજીને સમજીને લાંબુ ન ટકે !

આમ ને આમ તો હું બર્બાદ થઇ જઇશ, પણ મેહમાનોને ઊભા કરવાના સચોટ ઉપાયો શોધી નહિ શકું, એવા દુ : ખ સાથે અચાનક એક દિવસ મને એક ઉપાય મળી આવ્યો.

મેં ઈસ્તંબૂલથી કૂવૈચનો છોડ મંગાવ્યો છે, જેના પાંદડા આપણા સોફા ઉપર ઘસવાથી સોફા ઉપર જે બેસે, એના હાથે-પગે બરડે, છાતીમાં, ગાલ ઉપર, પેટ ઉપર... ઓહ ન જાને, શરીરના કયા કયા સ્થળોએ નૉન-સ્ટૉપ ખંજવાળો ઉપડે છે. ક્યાં, કેટલી અને ક્યારે ઉપડશે, એનું કોઇ ચોક્કસ સાયન્સ હોતું નથી, પણ આપણને જોવાનો જલસો પડી જાય. બશર્તે, આપણે એ લોકોને કે બે દહાડા સુધી સોફાને અડવાનું નહિ ! આ ખંજવાળો નૉનસ્ટૉપ અને મીઠડી હોય છે... સૅક્સી હોય છે.

'
હજી આવે... હાય રામ્મા... ભલે આવે..'એમ ખણતા જઇએ ને મનમાં મુસ્કુરાતા જઇએ. ખંજવાળતી વેળાએ મોઢું  હસુ-હસુ થતું રહે છે, એ કુવૈચની સફળતાની પ્રથમ નિશાની. માત્ર ખંજવાળનારાને જ નહિ, એમને જોનારાઓને ય મજો પડતો જાય છે. ગુજરાતના કેટલાક અવિકસિત પ્રદેશોમાં એને વલૂર કહેવાય છે ને એ વલૂરીયાઓ પોતાના ગામના ઘરની ડૅલીમાં એક ચોક્કસ ખાટલી રાખે છે.

જ્યારે આવી મનભાવન અને તનભાવન વલૂર ઊપડે, ત્યારે ભીંતે ખાટલી ટેકવીને કોરો બરડો મજા પડતી રહે, એમ એમ ઘસતા હોય છે. કહે છે કે, મોઢું હસુહસુ થયે રાખે છે, પણ ખંજવાળ બંધ થવાનું નામ નથી લેતી. જે ક્ષણથી એ તરડાવા માંડે છે, ત્યારે એનું શરીર કોઇ ચોક્કસ આકાર પકડી લે છે, પણ મૂળ આકારનું રહેતું નથી. પછી તો ખંજવાળ એટલી હદે ઉપડે છે કે, એ ફક્ત હાથના જ નહિ, પગના પંજાઓથી પણ બાકીનું શરીર ઘસવા માંડે છે. એને જે અડવા જાય એ ય મરવાનો થાય છે.

કૂવૈચનો છોડ ગુજરાતની લીલુડી ધરતી ઉપરે ય ક્યાંક થાય છે, પણ ક્યાં થાય છે એની મને ખબર ન હોવાથી ઈસ્તંબૂલથી મંગાવ્યો છે. આ આપણી નકરી માનસિકતા છે. ઈસ્તંબૂલને બદલે મેં કૂકરવાડા કે સિધ્ધપુર લખ્યું હોય તો વાચકોને મારી વાતમાં જ નહિ, કૂવૈચમાં જ વિશ્વાસ રહ્યો ન હોત ! આ તો માલ વેચવાના પૈસા છે. અલબત્ત, કૂવૈચના ઉપયોગ પછી ચોખ્ખાઇનું મહત્વ ઘણું છે. કૂવૈચની ખંજવાળોથી ચામડી તતડી ગઇ હોય, તો એના મારણ એટલે કે ઉપાય તરીકે ભીની કાળી માટી સ્કિન ઉપર ચોપડી દેવાની, જેથી ખંજવાળ મૅક્સિમમ બે-ત્રણ દિવસમાં મટી જાય...

દોસ્તો, યાદ રાખો. ચોખ્ખાઇનું ઘણું મહત્વ છે. કાળી ભીની માટી આવી ખંજવાળોનું મારણ છે. પણ એના કૂંડા કે ઢગલા આપણા ઘર પાસે ન રખાય. કાળી માટીના ગારા આપણા ઘરની આજુબાજુ દસ-વીસ કી.મી.ની ત્રિજ્યામાં હોવા ન જોઇએ. આ કાળી માટી જો એમને હાથ લાગી ગઇ, તો પહેલો ઘા તો એ લોકો બે-ચાર દહાડામાં ચૂકવી દઇ શકશે, અને પછી બીજી વાર હાથમાં કાળી માટીના પિંડલા લઇને જ આપણા ઘેર આવશે. પછી તો કૂવૈચે એમનું કાંઇ તોડી નહિ શકે !

યસ. એક આખરી સલાહ. મેહમાનો કૂવૈચને ય ચાવી જાય છતાં ઊભા ન થાય તો એમને હાંકી કાઢવાનો છેલ્લો એક રસ્તો છે. ડ્રોઇંગ-રૂમના ટેબલ ઉપર 'ટીક-૨૦'ની વીસ-પચીસ બૉટલો મૂકી રાખો અને તરત જ નરેન્દ્ર મોદીની નોટબંધીની ચર્ચા શરૂ કરો. એ લોકો જે બોલે, એનાથી વિરૂધ્ધ દલિલો કરતા રહેવાનું. ચોથી/પાંચમી દલિલે તો એવા કંટાળશે કે હવે એમનાથી નરેન્દ્ર મોદી કે નોટબંધી સહન નહિ થાય... મેદાન સાફ થઇ જશે. બીજે દિવસે છાપાવાળાઓ મોટા મથાળા સાથે છાપશે... ''નોટબંધીનો વધુ એક કરૂણ અંજામ... એક સાથે સાત લાશો''.

સિક્સર
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ સામેની ફૂટપાથો ઉપર મન ફાવે એટલા કલાકો સુધી તમારા વાહનો મન ફાવે એવા રોડ બ્લૉક કરીને જતા રહો.... કોઇ માઇના લાલની તાકાત છે, તમારૂં નામ લઇ શકે ? ત્યાંના દુકાનદારોની રક્ષા માટે પોલીસ આટલું ય ન કરી શકે ?

જામ થતો ટ્રાફિક જખ મારે છે...!  (હસવું આવે એવી વાત  :  આ રસ્તેથી ક્યારેક પોલીસ-કમિશ્નર લેવલના પોલીસ-અધિકારી ય પસાર થતા હોય તો એ ય કટાક્ષમાં મુસ્કુરાઇને જતા રહે છે... 'ઇસ દેશ કા યારોં ક્યા કહેના. યે દેશ હૈ દુનિયા કા ગહેના...!')

''નૌજવાન'' ('૫૧)

$
0
0
ફિલ્મ  :  ''નૌજવાન'' ('૫૧)
નિર્માતા  :  એ.આર. કારદાર
દિગ્દર્શક  :  મહેશ કૌલ
સંગીત  :  સચિનદેવ બર્મન
ગીતકાર  :  સાહિર લૂધિયાનવી
રનિંગ ટાઈમ  :  ૧૨, ૪૩૭-ફૂટ  :  (સર્ટિફિકેટમાં રીલ્સ લખ્યા નથી.)
કલાકારો  :  નલિની જયવંત, પ્રેમનાથ, કક્કુ, યશોધરા કાત્જુ, નવાબ કાશ્મિરી, કઠાના, મહેન્દ્ર, કમલ મેહરા, એસ.એન. બેનર્જી, ઝેબ કુરેશી, નંદિની, અનંત પ્રભુ, હારૂન અને અર્જુન.





ગીતો
૧. પનઘટ પે દેખો,  ... ગીતા રૉય-મુહમ્મદ રફી
૨. પી પી પિયા... હમ ઔર તુમ, .. શમશાદ-કિશોર કુમાર
૩. હો ઝુનક ઝુનક ઝન, ઝુમ લે જવાની કા... ગીતા રૉય-મુહમ્મદ રફી
૪. કહાં લે કે જઇયો રામ જુલ્મી નૈના ... લતા-કિશોર કુમાર
૫. દિલ કા દર્દ ના જાને દુનિયા, જાને બસ તડપાના... લતા મંગેશકર
૬. બોલોં કે બદલે દુશ્મન હુઆ જમાના...... ?
૭. કૈસે બુલાયેં, ઠંડી હવાયેં, લહેરા કે આયે ... લતા મંગેશકર

અત્યારે એ વાતના ભરચક આશ્ચર્યો થાય કે, લતા મંગેશકર-ઈશ્વર કરે બીજા ૨૦-વર્ષ જીવે, પણ વાસ્તવિકતા રોવડાવી નાંખે એવી છે કે, એ નહિ હોય ત્યારે એને શ્રધ્ધાંજલિ આપનારા કેટલા બચ્યા હશે, જેણે જેણે એની સાથે '૪૦-'૫૦ના દાયકાઓથી કામ કર્યું હશે! સજ્જાદ હુસેન એનો માનિતો સંગીતકાર હતો અને જીવ્યો ત્યાં સુધી લતાના પેડર રોડ પર  'પ્રભુ કુંજ'નિવાસસ્થાને નિયમિત જતો અને લતા અને તેના પરિવાર સાથે ફેમિલી-મેમ્બરની જેમ ભળી જતો.

શ્યામ સુંદર, હુસ્નલાલ-ભગતરામ, સી. રામચંદ્ર, નૌશાદ, શંકર-જયકિશન, રોશન કે મદન મોહન જેવા દિગ્ગજ સંગીતકારો કે મુહમ્મદ રફીથી માંડીને કિશોર, મૂકેશ કે હેમંત... આજે તો એની પાસે બેસવાવાળું કોઈ નહિ ને? આપણે કૉલેજમાં હતા, ત્યારે ફૂટપાથ પર ચાની લારીએ યારદોસ્તોને મળતા, એ આજે પાછા મળે તો કેવી નૉસ્ટેલ્જીક યાદોમાં ખોવાઈ જઈએ? લતા પાસે તો કોઈ જ બચ્યું નહિ ને? એને ખેમચંદ પ્રકાશ કે અનિલ વિશ્વાસ માસ્ટર ગુલામ હૈદર યાદ આવતા હશે, પણ એમાંનું કોઈ આજે બચ્યું છે, જેની સાથે પ્રભુ કુંજની બાલ્કનીમાં કૉફી પીતા પીતા લતા ખોવાઈ જઈ શકે?

મારાથી તો બર્મન દા નો વિયોગ પણ સહન નથી થતો કે, દાદાએ કેવા મસ્તમધુરા ગીતો ગવડાવ્યા છે? બીજા તો ફરી ક્યારેક યાદ કરીશું, પણ દાદાની ફિલ્મ 'નૌજવાન'માં ઠંડી હવાયેં, લહેરા કે આયે...'કે 'જીયા જાય, દિલ કા દર્દ ના જાને દુનિયા, જાને બસ તડપાના...'યાદ આવે છે તો ય મને ફરિયાદ ઉપડે છે કે, 'દાદા, આટલા જલદી જતા રહેવાતું હશે? લતાને આ ગીતો ગુનગુનાવવા હોય તો કોની સાથે બેસીને ગાય?''દિલ કા દર્દ ના જાને દુનિયા, જાને બસ તડપાના...'ગીત મૂળ તો દાદાએ લોકભજન પરથી બનાવ્યું હતું અને પછી ફિલ્મ 'દેવદાસ'માં ગોઠવ્યું, 'આન મિલો આન મિલો શ્યામ સાંવરે...'બન્ને વારાફરતી ગુનગુનાઓ એટલે બન્ને ગીતો વચ્ચેનું  સામ્ય ખબર પડશે.

લતા સાથે કામ કર્યું હોય, એવા તો આખી ઈન્ડસ્ટ્રીમાં માંડ બે-ચાર બચ્યા હશે!

ફિલ્મ 'નૌજવાન'તો સમજ્યા કે, એમાં કાંઈ હતું નહિ (પ્રેમનાથ હીરો હોય પછી આપણે ય સાલું કમાવવાનું શું?) નહિ તો મહેશ કૌલ એ જમાનામાં ભલે બહુ સફળ નહિ તો ય માન આપવું પડે, એવું નામ દિગ્દર્શક તરીકે તો નામ ખમતીધર હતું. શમ્મી કપૂરને ફિલ્મોમાં લાવનાર મહેશભ'ઈ હતા. (હવે જો કે, 'મહેશ'નામ યાદ આવે છે ને બેન્કમાં મારું સેવિંગ્સ ખાતુ ચેક કરી આવું છું કે, એમાં કોઈ ૧૩-૧૪ હજાર કરોડ તો કોઈ મુકી ગયું નથી ને?)

મહેશ કૌલ તો ખૈર, આ ફિલ્મમાં કશું ઉકાળી નહોતા શક્યા પણ ફિલ્મના નિર્માતા અબ્દુર રશિદ કારદાર એક નિર્માતા તરીકે ફિલ્મી દુનિયામાં બહુ વગોવાયેલું નામ કમાયા હતા, કાસ્ટિંગ-કાઉચમાં!

એ.આર. કારદાર આ ફિલ્મના નિર્માતા હતા. શક્તિ કપૂરને સ્ટિંગ-ઓપરેશન દ્વારા 'કાસ્ટિંગ-કાઉચ'માટે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો અને દેશભરમાં 'સ્ટિંગ-ઓપરેશન'જેવા અજાણ્યા શબ્દો ઘરઘરમાં બોલાતા થઈ ગયા હતા. આ શબ્દોનો સીધે સીધો મતલબ, એ થાય કે, તમારી જાણ બહાર તમારી પાસે એવું કાંઈ બોલાવી નંખાય અથવા કરાવી નંખાય, જેનાથી તમે ૧૦૦-ટકા અજાણ હો અને ટીવી કે ટેપ-રેકોર્ડરમાં તમારું બોલેલું બધું રેકોર્ડ થઈ જાય ને તમે ખુલાસા કરવાના કોઈ કામના ન રહો! એટલે કે, પકડાઈ જ જાઓ.

શક્તિ કપૂરે ફિલ્મોમાં કામ કરવા આવવા માંગતી સુંદર છોકરીઓને 'ફિલ્મમાં કામ અપાવવાની લાલચ'આપીને એનો સેક્સુઅલ ગેરલાભ લીધો, (જેને 'કાસ્ટિંગ-કાઉચ'કહેવાય છે!) એ બધું મૂવી-કેમેરામાં ઝડપાઈ ગયું અને ભ'ઈ પાકે પાયે બદનામ થઈ ગયા, એનો દેશ આખાને આઘાત લાગ્યો કારણ કે, દેશ માનતો હતો કે, એકલો શક્તિ કપૂર જ આવા કુટિર-ઉદ્યોગમાં સંડોવાયેલો હશે...

(
એ ટીવી-ચેનલે શક્તિ કપૂર પાસે ઘૂંટણીયે પડીને માફીઓ મંગાવી હતી અને બધું કેમેરામાં કૈદ કરી લીધું હતું) દેશને એ ખબર નહિ કે, રાજકારણથી માંડીને કોર્પોરેટ-હાઉસો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવા કાસ્ટિંગ-કાઉચ રોજના છે અને આજના ની... ૪૦-૫૦ વર્ષોથી ફિલ્મોમાં આવું જ ચાલે છે, એનો સૌથી મોટો દાખલોદિલીપ કુમારનો છે, જેણે 'મુગલ-એ-આઝમ'ના દિગ્દર્શક કે.આસીફ સાથે મળીને સુરૈયાને ફિલ્મ 'જાનવર'માં (જે ફિલ્મ કદી બની જ નહિ!) કામ કરાવવાને  બહાને દિલીપ કુમારે પણ શક્તિ કપૂરવેડાં કર્યા અને સુરૈયાની સમયસર બુધ્ધિ ચાલી જવાને કારણે દિલીપ-આસીફનો પૂરો ભાંડો ફૂટી ગયો અને સુરૈયાના મામાએ એ ફિલ્મના સેટ પર આવીને દિલીપને સારો એવો ઠમઠોર્યો હતો.

એ જ દિલીપ કુમારની ફિલ્મ 'દિલ દિયા દર્દ લિયા'ના નિર્માતા-દિગ્દર્શક અબ્દુલ રશિદ કારદારને આ ફિલ્મ બનાવવા બદલ છાતીનો કાયમી દુ:ખાવો આપી દેનાર દિલીપ કુમારને તો એ નિષ્ફળ ફિલ્મના પૂરા પૈસા મળી ગયા હતા, પણ 'બધું અહીંનું અહીં જ ભોગવવાનું હોય છે', એ ન્યાયે કારદારને એના કર્મોનો બદલો પાછો એ જ દિલીપ કુમારે આપી દીધો, કારદારને વગર પાણીએ નવડાવીને! આ ફિલ્મ બૉક્સ-ઓફિસ ઉપર સખ્ત રીતે પિટાઈ ગઈ અને સઘળો અપયશ દિલીપ કુમારને માથે નાંખવામાં આવ્યો, જેમાં ફિલ્મની તમામ બાબતોમાં દિલીપની ટાંગ અડાવવાની આદતને અબ્દુર રશિદ કારદારે અખબારો સમક્ષ ખુલ્લી પાડી હતી. અલબત્ત, એથી દિલીપને કોઈ નુકસાન ન થયું પણ કારદાર કાયમ માટે ફિલ્મોમાંથી ફેંકાઈ ગયા.

કર્મો એટલા માટે કે, જ્યારે કારદારનો જમાનો હતો ત્યારે એણે ય ભરચક શક્તિ કપૂરવેડાં કર્યા હતા. પોતાની ફિલ્મોમાં કામ અપાવવા માટે નવી નવી સુંદર છોકરીઓના કપડાં કઢાવીને કારદાર ફોટા પડાવતો અને પછી શું થાય, એ વાચકોને ક્યાં નથી ખબર?

કારદાર એની ફિલ્મોમાં કામ કરવા માંગતી છોકરીઓને મન ફાવે એમ કપડાં કઢાવીને પરેડ કરાવતો, જેના ઘણામાંથી એક ફોટો આ સાથે પ્રસિધ્ધ કર્યો છે, જે અમેરિકાના વિશ્વપ્રસિધ્ધ મેગેઝીન 'લાઈફ'ના ફોટોગ્રાફર જેમ્સ બર્કીએ પાડયા હતા. ફિલ્મોમાં હીરોઇન બનવાની લાલચુ છોકરીઓ ગરજની મારી તમે માંગો એ કરી આપે, એ લાચારીનો સઘળો ફાયદો કારદાર લેતા હતા, એ જોયા પછી કારદારની ફિલ્મોની તમામ હીરોઇનો સામે સવાલ ઊભો થાય કે, ''આ પણ નહિ હોય ને...???''

અક્ષરો ખૂબ સુંદર હોવાને કારણે કારદારે પોતાની કરિયર કેલિગ્રાફિસ્ટ તરીકે કરી હતી. (એક જમાનામાં હું પણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સને આપવાના સર્ટિફિકેટો ઉપર સુંદર અક્ષરે (કેલિગ્રાફિક) વિદ્યાર્થીના નામ લખવા જતો હતો. એક સર્ટિફીકેટ ઉપર નામ લખવાના અધધધ... રૂ. ૦.૨૫ પૈસા મળતા હતા...!

તમારામાંથી '૭૩ પછી ગ્રેજ્યુએટ થયેલા અનેકોના સર્ટિફિકેટો ઉપર મારા લખેલા અક્ષરો કામ કરી ગયા હશે! ...ભોગ તમારા!) પણ લક્ષણોના ધોરણે મારી કુંડળી પાછી કારદાર કે બીજા કોઈ ધારદાર સાથે મળતી નહોતી!

આજની ફિલ્મ 'નૌજવાન'ની હીરોઇન નલિની જયવંત હતી અને આ બહેને પડાવેલા (અને 'ગૂગલ'માં જોવા મળતા) અનેક ફોટાઓ જોયા પછી સવાલ એમની નિષ્ઠા માટે ય ઊભો થઈ શકે!) નલિનીબેન નૂતન-તનૂજાની માસી થાય, પણ આ બન્ને બહેનોએ પોતાના કેરેક્ટરો સતી સીતા જેવા પવિત્ર રાખ્યા છે (ભલે એ બન્નેને એકબીજા સાથે જીંદગીભર બન્યું નહોતું!) પણ નલ્લી એક જમાનામાં દાદામોની અશોક કુમારની સત્તાવાર પ્રેમિકા હતી એ ગુજરાતી નિર્માતા-દિગ્દર્શક વીરેન્દ્ર દેસાઈ (જે આજની ફિલ્મ 'નૌજવાન'ના ટેકનિકલ એડવાઇઝર પણ હતા) સાથે પરણ્યા પછી રોજની બે-ચારને હિસાબે પતિદેવ તરફથી ધોલધપાટ ખાધા પછી માંડ માંડ મેળવેલા છુટાછેડા પછી સાઇડ-એક્ટર પ્રભુ દયાલ સાથે પરણીને ત્યાંથી ય પાછી આવી અને મૃત્યુ બહુ ગુમનામી અને ગરીબીમાં આવ્યું.

આ એ જ નલિની જયવંત હતી, જે 'ફિલ્મફેર'આયોજીત ભારતની સૌથી વધુ સુંદર હીરોઇન કોણ?'સ્પર્ધામાં મધુબાલા, નરગીસ, વૈજ્યંતિમાલા, સુરૈયા અને અન્ય હીરોઇનોને બાજુમાં રાખીને પહેલો નંબર લઈ આવી હતી. ૮૦-વર્ષે ગુજરી જનાર આ અભિનેત્રીના અંતિમ દિવસો ભારે કરૂણામાં ગયા હતા. કહે છે કે, એના મૃતદેહને કોઇ સ્મશાને લઈ જનારે મળતું નહોતું.

પણ આ ફિલ્મ 'નૌજવાન'માં એની કઝિન બનનાર સાઇડ-એક્ટ્રેસ યશોદરા કાત્જુ હિંદી ફિલ્મોની સૌથી પહેલી સ્ત્રી-કૉમેડિયન હતી. બહુ બટકી હતી, પણ એક્ટિંગમાં સારા ગુલ ખુલાવતી. હેલનને પહેલીવાર ફિલ્મ 'શબિસ્તાન'માં કામ અપાવનાર ડાન્સર કક્કુ એક ગીત પૂરતી આવે છે. એ છોકરી કેમેરાની સામે ન હોય ને જાગતી હોય ત્યારે નોન-સ્ટોપ સિગારેટો ફૂંકે રાખતી. ઘર કે ઘરની બહાર માત્ર ઇંગ્લિશમાં કડકડાટ બોલતી કક્કુ એટલા બધા પૈસા કમાઈ કે, જૂતાંના એના શોખને કારણે એના બંગલાની બહારની ગોળ દિવાલો ફરતે પોતાના જૂતા-સેન્ડલના કબાટો ભરેલા રહેતા, પણ ગૂજરી ગઈ ઑલમોસ્ટ ભિખારણની અવસ્થામાં!

ફિલ્મની વાર્તામાં એમાં કામ કરનારાઓ ય પડયા નથી, એટલે આપણે ય ખોટા પેટ્રોલો બાળવા નથી. એટલું ખબર છે કે, એ જમાનામાં ફિલ્મ 'આગ', 'આન', 'બરસાત'કે 'ઔરત'જેવી ફિલ્મોમાં અત્યંત હેન્ડસમ લાગતો પ્રેમનાથ આ ફિલ્મમાં ઈંગ્લિશ ફ શેપના બૉડીમાં દેખાય છે એટલે જોવા ગમે એવો લાગે છે.

કરોડપતિ બાપ (નવાબ કાશ્મિરી)ની બેટી નલિની જયવંતને ૧૫-દિવસમાં એણે બાફી મારેલો બર્માથી આવેલો રાજકુમાર સક્સેના (પ્રેમનાથ) જોડે લગ્ન કરી લેવાનું હોય છે. આપણા તો ઠીક, આપણી સાથે બાજુમાં બેઠેલાના મગજમાં ય ન ઉતરે, એવી ઘટનાઓ પછી બન્ને પ્રેમીઓ ફિલ્મના અંતે ભેગા અને આપણો છુટકારો થાય છે.

ફિલ્મ 'મુગલ-એ-આઝમ'ના ત્રણ હપ્તા પોતાને ખૂબ ગમ્યા હતા, એનો આનંદ વ્યક્ત કરવા એક બહેને મને સૂચન કર્યું, ''...એ ત્રણ હપ્તા ખૂબ ગમ્યા... પણ બાકીની (આજના જેવી) ફિલ્મો બંડલ હોય છે, તો એના વિશે શું કામ લખો છો?''

મારે નમ્રતા સાથે કહેવું પડયું, ''બસ... 'મુગલ-એ-આઝમ'જેવી બીજી માત્ર એક ફિલ્મનું નામ આપો.''બહેને તરત સ્વીકારી પણ લીધું કે, આવી ફિલ્મો તો સદીમાં એકાદી જ થાય!

ઍનકાઉન્ટર : 08-01-2017

$
0
0
* આટલી ઉંમરે ધૂંઆધાર બૅટિંગ કરો છો... શું વાત છે ને કાંઇ ? 
- થૅન્ક ગૉડ, કયા ફીલ્ડમાં, એ તમે નથી પૂછ્યું...! 
(સુભાષ એમ. વાળા, કેશોદ) 


* અમારા પરિવારનો પ્રિય હીરો અક્ષય કુમાર તમારા સગામાં પણ થાય છે...! 

- ઓહ... ગૂગલમાં ય આઇ ગયું... ? 
(અસદઅલી મોમિન, વસો) 


* પાણીપૂરીને રાષ્ટ્રીય વાનગીનો મોભો કેમ ન મળવો જોઈએ ? 

- તમારા જેવા દેશપ્રેમીઓ જ અમારા જેવા લાખોની પસંદગીનું 'રાષ્ટ્રીય-પીણું'આવવા નહિ દે ! 
(વાહિદ સૈયદ, ધંધૂકા) 


* ભારતને મોદીસાહેબ અમેરિકા જેવું બનાવવા માંગે છે, ક્યારે બનશે ? 

- આ સોમવાર-મંગળવારે તપાસ કરો. 
(ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર) 


* આપણી રાષ્ટ્રીયકૃત બૅન્કોનું ભવિષ્ય શું ? 

- બૅન્કના સ્ટાફને ફૅમિલી સાથે રહેવા-જમવાનું, બાજુવાળા કૅશીયરની વાઇફના કિચનમાંથી દહીનું મેળવણ લઈ આવવાનું, દીકરીના લગ્ન અને ડોહાનું બેસણું... બધું બૅન્કમાં જ 'પતાવવાની'છૂટ મળશે ! બૅન્કની નોકરી કરતાં ક્યાંય મગજનું કાયમ માટે છટકી જાય તો તાત્કાલિક માનસિક સારવાર કેન્દ્રની પણ બૅન્ક તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. તમારે ફક્ત ગાંડા થઇ બતાવવાનું !... કોઇ પંખો ચાલુ કરો... બૅન્કનો નહિ ! 
(દિપક એમ. પંડ્યા - બિલિમોરા) 


* 'ઊલટા ચશ્મા'જોયા પછી તમને શું વિચારો આવે છે ? 

- ભારતના આ સૌથી વધુ વંચાતા (અને જોવાતા) એક માત્ર સાચા હાસ્યલેખક શ્રી તારક મેહતા હાલમાં ગંભીરપણે બીમાર છે. પરમેશ્વર એમને જલદી સ્વસ્થ કરી દે, એ જ પ્રાર્થના. 
(જીતેન્દ્ર કેલા, મોરબી) 


* ભારતના ફિક્સ પગારધારકો માટે શું સંદેશ છે ? 

- ક્ષમા કરો. હવે મેં વિના મૂલ્ય સંદેશાઓ પ્રસારિત કરવાનું બંધ કર્યું છે. 
(ભાવેશ કે. ચાવડા, ચલાલા-ધારી, અમરેલી) 


* મોદીજી તમને મળવા આવે તો દેશ માટે કંઈ માંગશો કે પોતાના માટે ? 

- અફકૉર્સ, પોતાના માટે..! સરહદ પર હજી સરેરાશ રોજના દસ જવાનોને પાકિસ્તાનીઓ મારી જાય છે.. એમના દસ અને આપણો એકે ય ન હોય, એવી તો કોઈ વ્યવસ્થા ગોઠવી આપો ! 
(ચેતન ત્રિવેદી, અમદાવાદ અને સિધ્ધાર્થ રઇદાસ, વડોદરા) 


* કાશ્મીર ગયેલા સર્વદલીય પ્રતિનિધિમંડળમાં તમે કેમ નહિ ? 

- મને તો દેશની ચિંતા છે. 
(જયેશ અંતાણી, ભાવનગર) 


* જ્ઞાતિવાદ કે જાતવાદમાં માનનારાને પોતાના પરિવારને બ્લડની જરૃર પડે, ત્યારે એ બ્લડ કઇ જાતિનું છે, તે તપાસે છે ખરા ? 

- કરૅક્ટ...! એમાં ય જો હવે યુધ્ધ શરૂ થાય ......... એકલા ફાંકા ઉપર જીવી નહિ શકાય... હાથ લંબાવવો જ પડશે. 
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 


* ભગવાને ચાનું સર્જન જ ન કર્યું હોત તો ? 

- ઊફ.. ડિસામાં હજી નથી મળતો...? 
(ભરત ડી. સાંખલા, ડિસા) 


* તમારાં પત્નીની ફરિયાદ છે કે, 'અસ્સોક'પંખો ચાલુ કયરા વિના બેશી જાય છે... ને પછી બીજાને ઇ ચાલુ કરવાનું કિયે છે...' 

- માત્ર એને એટલું બતાવી આપવા કે, તારા વગર બીજા ય આપણો પંખો ચાલુ કરવા તૈયાર છે ! 
(બકુલ એચ. વૈદ્ય, રાજકોટ) 


* લગ્નેતર સંબંધની જેમ 'લફરેતર'સંબંધ હોઈ શકે ? 

- સાયન્સ આટલું બધું આગળ વધી જશે, એની મને ખબર નહોતી ! 
(લીના વિજય પટેલ, સુરત) 


* અન્ના હજારે હજી એમ માને છે કે, હજી એ પ્રસ્તુત છે.. ! 

- તમારા જેવા કોઇ બે-ચાર વાચકોને આ કલમ માટે ગર્વ થશે કે, કેજરીવાલ, અન્ના કે અનામતવાળાઓને અહીંથી મફત પબ્લિસિટી કદી મળતી નથી. રવિવારે આ કૉલમ ૭૫-લાખ વાચકોના હાથમાં જાય છે. અહીં તો તમને ગાળ મળે તો ય પ્રસિધ્ધિ મળી જાય ! જેને ને તેને તો આપણી ગાળે ય નસીબમાં ન હોય ! 
(મૂકેશ ધકાણ, વસઇ-મહારાષ્ટ્ર) 


* ગુજરાત અત્યારે રાજકીય રંગમંચ જેવું લાગે છે ને ? 

- ગુજરાત કોંગ્રેસમાંથી કોઇ એક ફાલતુ કાર્યકર પણ મોદીને બાજુ પર મૂકીને દેશહિતની સાવ નાનકડી ય વાત કરે, તો હું તાબડતોબ કોંગ્રેસમાં જોડાઈ જવા તૈયાર છું.... (શરતોને આધીન) અલબત્ત, આવી દેશભક્તિ તો આવનારાં બસ્સ્સો વર્ષો સુધી કૉંગ્રેસ આપી શકવાનું નથી ! 
(તપન પી. પુરોહિત, કોડિનાર) 


* તમારે ધો. ૧૦ની પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા હતા ? 

- અમારા જમાનામાં છોકરાની હાઇટ જોઇને માર્ક્સ અપાતા... હું પહેલા નંબરે પાસ થયેલો ! 
(વૈશાલી મકવાણા, ભાવનગર) 


* ઇ-મૅઇલથી જ સવાલ પૂછવાના... કેમ વૉટ્સઍપ નથી ફાવતું ? 

- ઇન્જૅક્શનો જ મારવાના... ? કેમ સાણસી ઘોંચવાની નથી ફાવતી ? 
(ડૉ. હેમંત રાઠવા, વલ્લભવિદ્યાનગર) 


* 'બુધવારની બપોરે'હોઇ શકે, તો 'સોમવારની સવારે'કેમ નહિ ? 

- એ હવે પંચમહાભૂતોમાં વિલીન થઇ ચૂકી છે..!
(નીલેશ જી. વાળા, કોડિનાર) 


* નસીબને તમે શું માનો છો ? કર્મનું ફળ કે પુનર્જન્મ ? 

- છોકરું ચોથા ધોરણ જેટલું ય ભણ્યું ન હોય, છતાં આખી પાર્ટી ઉપર રાજ કરે, એને તમે શું માનો છો ? 
(ભૂપેન્દ્ર સી. શાહ, અમદાવાદ) 


* મોહે-જો-દડો ક્યાં છે ? 

- પાકિસ્તાનમાં. 
(બંટી ચૌહાણ, ભાવનગર) 


* રોજ તમે કેટલા જવાબો આપી શકો ? 

- કમાલ જવાબ આપવામાં નથી............. પૂછનારને ગોટે ચઢાવી દેવામાં છે ! 
(મધુલતા માંકડ, મુંબઇ) 


* તમે કેટલું ભણ્યા છો ? 

- મને ડાઉટ હતો જ કે, એક ને એક દિવસે.... જવાબ નહિ આપી શકું, એવો સવાલ કોઇ પૂછશે જ... ! ઓકે.. હાલ પૂરતું ........ જેટલું મારું ભણતર ગણી લો ને ! 
(અપર્ણા ભદ્રેશ દેસાઇ , નાલા સોપારા)

ગાડી ધૂએ કોણ...?

$
0
0
અમે લોકો પોતે નિયમિત નહાતા નથી અને ઘરની ગાડી ધોવાની અમારા માથે હોય, એ જરા વધુ પડતું છે. યાદ રહેતું નથી, એમાં ગાડી ઉપર 'લાઇફબૉય'ઘસી નાંખીએ છીએ અને નહાતી વખતે અમારા બદન ઉપર કમ્પાઉન્ડમાં ફૂલ સ્પીડના ફૂવારા મારીએ છીએ. આમને આમ જ અમે લોકો લાઇફોમાં આગળ આવતા નથી. ફિલ્મ 'મુગલ-એ-આઝમ'માં જિલ્લે ઇલાહી શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબર હાથી ઉપર બેસીને મેદાને-જંગમાં ઉતરે છે અને સલિમ સામે જીતીને આવે છે.

હું મૅકડૉનાલ્ડ્સમાં એક એક બર્ગરની શરત સાથે કહી શકું છું કે, યુદ્ધે જતા પહેલા કે આવ્યા પછી શહેનશાહને રોજ એ હાથીને નવડાવવા બેસવું પડતું હોત તો એ યુધ્ધ હારીને આવત ! હું પણ મારી વાઇફને બોઇંગ-વિમાન ગિફટમાં આપી દઉં એવો પ્રેમાળ હસબન્ડ છું, પણ રોજ પાર્કિંગમાં ઊભું રાખીને એ વિમાનને ધોવાનું કામ આપણું નહિ !

ખૈર, વિમાન-ફિમાન સુધી તો વાત ક્યાં લઇ જવી, અમે તો ઘરની ગાડી રોજ કોણે સાફ કરવી એ મુદ્દે ગૂગલ સુધી પૂછી આવ્યા, પણ ક્યાંય જવાબ સરખો મળતો નથી.
'
અસોક...આ હું આખો 'દિ તમારી ગાડીયું ધોવા નવરી નથ્થી કાંય...! રોજ હલાવવાની તમારે ને સાફ અમારે કરવાની ?''

આ બાજુ અમારા કૂંવર પણ ગાડી ચલાવતા જ શીખ્યા છે..ધોતા નહિ ! એની વાઇફ કૂંવરને અચ્છી પેઠે ધોઇ નાંખે છે, એટલે ગાડી ધોવાનો ટાઇમ તો એને ય ન હોય ને અમારામાંથી કોઇની એને કહેવાની હિંમતો ય નહિ ! હા.

ઉતાવળમાં હોય એટલે વહુને પોતાની ગાડી ધોવાનો ટાઇમ ન હોય ને આ બાજુ હું વળી નવરો, એટલે વ્યવહારમાં ના ય ન પડાય ! પછી તો બન્ને ગાડીઓ હું જ ધોતો હોવાથી આજુબાજુની સોસાયટીવાળા ય આવતા-જતા જુએ ને ઊભા રહે, '''ઇ...સુઉં લે છે એક ગાડી ધોવાનું ?''એવી વ્યાપારી પૂછપરછો થતી રહે. હું જરા અકળાઇને કહી દઉં, ''રોજના હજાર રૂપિયા...''

''
ધોવાનો ભાવ બોલ...ધોઇ નાંખવાનો નહિ !''આવે વખતે મારી વાઇફ મને બચાવવા ચોક્કસ આવે અને પેલાને ખખડાવી નાંખે, ''આ માણસ તમને ગાડી ધોનારો લાગે છે...? જરા પૂછો તો ખરા...સીધા જ હાલ્યા આવો છો ?''પછી પેલો આઠ-દસ પગલાં આઘો જાય એટલે ઝાંપે બન્ને હાથ ટેકવીને વાઇફ પેલાને બોલાવશે, ''આટલામાં રિયો છો...? ઠીક, તો તમને પાંચસોમાં ધોઇ નાંખશે...આઇ મીન, ધોઇ આપશે.''

''
બેન...અમારે ટ્રાવેલ્સનો ધંધો છે. અમારે આખેઆખી બસ ધોવડાવવાની હોય...પાંચસો તો આખું ગૅરેજ ધોવાના ય કોઇ ના આલે...આ તમારા માણસને પૂછી જુઓ, બસ્સો રૂપિયા લેખે રોજની બાવીસ ગાડીઓ ધોવાની હોય છે... ફાવતું હોય તો કાલે મોકલી દો.''

આમ પાછો, ડાબી બાજુથી મને જુઓ તો હું ગાડી ધોનારા જેવો લાગું ય ખરો. પણ હવે કાંઇ આપણી એવી ઉંમરો હોય ને એવા સ્ટેટસો હોય કે, ગામની ગાડીઓ ધોઇ આપવાના કૉન્ટ્રાક્ટો લઇએ....? રીટાયર થઇ ગયા પછી જે મળે તે મને ત્રણ સલાહો આપતું હોય છે. એક તો, રોજ બે કલાક ચાલવાનું રાખો. બીજું, હવે રંગીન ટી-શર્ટ્સ અને જીન્સો ન પહેરાય અને ત્રીજું, પેટ ઉતારો.

પેટ બાબતે મને બહુ સમજ પડતી નથી કે, એ મને ક્યાંથી પેટ ઉતારવાનું કહે છે. એક જમાનામાં રેલ્વેના ડબ્બામાં અપર-બન્ક પરથી કોકના છોકરાને ઉતારવાનું કામ ગમતું, જો એની મા...આઇ મીન, એની મા બહુ લાગણીશીલ હોય !

બે કલાક ચાલવા અને પેટ ઉતારવા માટે રોજેરોજ ગાડી ધોવાની ઍક્સરસાઇઝ બહુ ફાયદેમંદ, એમ જાણકારો કહે છે...જાણકારો એટલે આરોગ્યના નહિ, ગૅરેજોના ! કહે છે કે, ગાડીને ભીનાં પોતાં મારવા ઉપરાંત પાણીના ફૂવારા મારવાથી શરીરને અનેકગણું કષ્ટ પડે છે. વાંકા ય બહુ વળવું પડતું હોવાથી પેટની ચરબી તો ઘટે જ છે અને ખાસ તો રોજના બસ્સો રૂપિયા બચે છે...!

આટલો લેખ વાંચી લીધા પછી વાચકો મુદ્દો ઉઠાવશે કે, આમ ગાડાં લઇને ફરો છો ને એક નોકર રાખી લેતા ચૂંક આવે છે ? ગાડી આપણે ધોવાની જ શેની હોય...એને માટે બસ્સો-પાંચસોનો નોકર રાખી લેવાનો હોય !
ઓ ભાઈ, આટલી બધી દયા આવે છે તો એક નોકર લાવી આપો ને !

હું પર્સનલી ગાંધીનગર જઇને મિનિસ્ટર પાસે ચિઠ્ઠો લખાવી આવ્યો, જેમાં સદરહૂ નોકર ઉપર મારી ગાડી ધોવાની ભલામણ હતી અને મારૂંકૅરેક્ટર-સર્ટિફિકેટ પણ મિનિસ્ટરે લખી આપ્યું હતું. મારે બે ગૅરન્ટરો લાવી આપવાના હતા, જેથી વચમાં હું ક્યાંક ઢપ થઇ જઉં તો ગાડી ધોનાર નોકરને મારા બાકીના પૈસા પેલા જામિનો ચૂકવી દે.

હારેલો રાજવી જીતેલા રાજાને બધું લખી આપે, અમે મેં સહિ-સિક્કા કરી આપ્યા. એક સવારે હું નીચે પાર્કિંગમાં ગયો તો ત્યાં ગાડી કે નોકર-બેમાંથી એકે ય નહિ. હું ધાર્યા કરતા વધારે ડરી ગયો કે, ગાડી તો બીજી આવશે, પણ નોકર કાઢશું ક્યાંથી ?

વળી કરારપત્રમાં લખ્યા મુજબ, જો મારી ગાડી સાફ કરતા મજકુર નોકરને કોઇ નુકસાન થાય કે અવસાન થાય તો એની સઘળી જવાબદારી મારા શિરે રહેશે, એવું સ્પષ્ટ લખ્યું હતું. (અલબત્ત, ચાલુ કૉન્ટ્રાક્ટ દરમ્યાન હું ઉકલી જઉં, તો નોકરે સામે કાંઈ આપવાનું રહેશે નહિ, એ પહેલી અને મુખ્ય શરત હતી. મેં કાળજીપૂર્વક એ શરત કઢાવી નાંખી હતી કે, જો મને કાંઇ થઇ જાય, તો મારા ગયા પછી મારા કુટુંબની જવાબદારી સદરહૂ નોકરને શિરે રહેશે...એ બિચારો મરી જાય ને ! આ તો એક વાત થાય છે !)

હું ચિંતામાં કમર ઉપર હાથ મૂકીને આવતા-જતા રોડ ઉપર ભયભીત ચહેરે જોવા માંડયો. એ ન આવ્યો. ચિંતા વધી. તો ય એ ન આવ્યો. પછી સાંજ પડી. કન્ફર્મ થયું કે, મારી ગાડી અને નોકર બન્ને ગયા. પોલીસમાં ખબર આપવી કે નહિ, એ ફફડાટ હતો. ગાડી ધોવડાવવા માટે મને નોકર પોસાય છે, એવી બાતમી ઇન્કમટૅક્સને મળી જાય પછી એ લોકો મને કાંઇ છોડે ? બહુ કમાયો લાગે છે...(હું...મારો નોકર નહિ!)

વાઈફને સલાહો આપવી બહુ ગમે-જો એ મને આપવાની હોય તો ! આપી કે, આવેલું સંકટ ગળી જવું. 'એક નોકર સાચવી શકતા નથી ને મોટા ગાડા લઇને ફરે છે,'એવી બદનામીનો અમને સહુને ડર હતો.
મૂંગા મર્યા પછી ય, છેક ત્રીજે દિવસે એ આવ્યો, મારી ગાડી સહિસલામત લઇને !
''
જોરૂઅને બચ્ચાઓને લઇને રાજસ્થાન ગયો'તો, સા'બ...! આપ કો મોબાઇલ પે બો'ત મૅસેજ દિયે..ઉઠાતે હી નહિ....!''

આ ઘટના પછી ખબર પડી કે, એ મારે ત્યાં ડ્રાયવર તરીકે રહ્યો એ પછી એના યારદોસ્તોને લઇને રોજ સવારે રિવરફ્રન્ટ પર લટાર મારવા જતો. એને ખુલ્લી હવા અને નદીનું પાણી બહુ ગમે. સવારે છ થી આઠના એણે કલાસીસ પણ શરૂકર્યા હતા, ડ્રાઇવિંગ શીખવવાના ! એ પૂરતું એ પેટ્રોલ પણ ભરાવી લેતો. હું દસ વાગે ગાડી લઇ જઉં, ત્યારે ગાડી અપ-ટુ-ડેટ મળે !

એને સાલાને કાઢી મૂકવો એક જ કારણે પડયો કે, રોજ મને કોક ને કોક વૉટ્સઍપ મળે, ''બોલો આજે તમે ગાડીમાં ભાભીને લઇને ગાંધીનગર નીકળ્યા'તા ને ?''
એમાં દરેક વૉટ્સઍપૅ ફક્ત ગાંધીનગર બદલાય અને ભાભી બદલાય !

સિક્સર
રાજકોટના તદ્દન નવાનક્કોર કવિ પારસ એસ.હેમાણીએ કોઇ ઉશ્કેરાટમાં અદ્ભુત શબ્દો લખી નાંખ્યા,
''
રૂખામાં હીંચકે ઝૂલતી નિવૃત્તિ.''

Article 0

$
0
0
ફિલ્મ  : 'હાય મેરા દિલ' ('૬૮)
નિર્માતા  : મનોહર ખન્ના
દિગ્દર્શક  : વેદ-મદન
સંગીત  : ઉષા ખન્ના
ગીતકારો  : આનંદ બક્ષી, એસ.એચ. બિહારી, પી.એલ. સંતોષી
રનિંગ ટાઈમ  : ૧૫-રીલ્સ
કલાકારો  : કિશોર કુમાર, કુમકુમ (ડબલ રોલ), આઈ.એસ. જોહર, મજનૂ, મદન પુરી, રાજ મેહરા, પ્રેમ ચોપરા, લક્ષ્મી છાયા, પરવિન પૉલ



ગીતો
૧. જાનેમન જાનેમન તુમ દિનરાત મેરે સાથ ઈ.... મન્ના ડે - ઉષા ખન્ના
૨. દુનિયા કહેતી મુઝ કો પાગલ... બસ કયામત ... કિશોર કુમાર
૩. મચલ ગયામચલ ગયાહાય મેરા દિલ, .... લતા મંગેશકર
૪. ઈજાઝત હો તો મૈં કુછ આપ સે ગુસ્તાખીયાં કર લૂં... કિશોર કુમાર
૫. જબ સે મૈં હો ગઈ યંગદિલ કરને લગા હૈ તંગ.... રફી-ઉષા ખન્ના
૬. અલખ નિરંજન બમબમ ભોલેનાથકાહે જીયા કી બાત.. મન્ના ડે

ઈન ફેક્ટ, '૬૮-ની સાલનો તબક્કો અત્યંત ફાલતુ ફિલ્મોના નિર્માણ માટે વગોવાયો હતો. એક બાજુ, શંકર-જયકિશન, નૌશાદ, મદન મોહન, રોશન, રવિ, કલ્યાણજી-આણંદજી, સલિલ ચૌધરી કે ખય્યામ જેવા દિગ્ગજો પડી ભાંગ્યા હતા - સિવાય કે દાદા બર્મને પોતાનું શહૂર મરતા સુધી ગુમાવ્યું નહોતું. તો બીજી બાજાુ લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રાહુલદેવ બર્મનનો સૂરજ દોમદોમ તપવા માંડયો હતો.

'
૬૯-માં રાજેશ ખન્નાની 'આરાધના'આવી એમાં ખન્ના, રાહુલદેવ અને કિશોર... ત્રણે ત્સુનામીની જેમ હિંદી ફિલ્મનગર ઉપર ફરી વળ્યા, એમાં સૌથી મોટો ભોગ પેલા સંગીતકારો ઉપરાંત મુહમ્મદ રફીનો લેવાયો. સંગીતકારો જ નહિ, હીરોલોગ પણ હવે રફીને બદલે કિશોર માંગવા માંડયા. આવા વાવાઝોડાંમાં ટકી ગઈ પેડર રોડના પ્રભુકુંજની બે બહેનો, લતા મંગેશકર અને આશા ભોંસલે. સુમન કલ્યાણપુરે ય ફેંકાવા બરોબર જ હતી. તમે જોઈ શકો છો નીચેની યાદીમાં કે, ફિલ્મોની કે સંગીતની ગુણવત્તા માપવા જઈએ તો આમાંની કઈ અને કેટલી ફિલ્મો આવે એમ છે?

'
હાય મેરા દિલ'મોટા ભાગે તો અશોક ટૉકીઝમાં પડયું હતું, છતાં હું શ્યોર નથી, પણ અશોકની પાછળ રૂપમમાં ધર્મેન્દ્ર-તનૂજાનું 'ઇજ્જત', બાજુની રીગલ ટૉકીઝમાં શમ્મી કપૂર-રાજશ્રીનું 'બ્રહ્મચારી', લક્ષ્મીમાં શશી કપૂર-બબિતાનું 'હસિના માન જાયેગી', સ્ટેશન સામેની અલંકાર ટોકીઝમાં સુનિલ દત્ત-નૂતન-સંજીવ કુમારનું 'ગૌરી', લાઇટ હાઉસમાં જોય મુકર્જી-મીરા જોગલેકરનું 'એક કલી મુસ્કાઇ', નૉવૅલ્ટીમાં દેવ આનંદ-વૈજ્યંતિમાલાનું 'દુનિયા', રૂપાલીમાં કિશોર કુમાર-તનૂજાનું 'દો દૂની ચાર', રીલિફમાં માલા સિન્હા-વિશ્વજીતનું 'દો કલીયાં', એલ.એન.માં વહિદા રહેમાન-ધર્મેન્દ્રનું 'બાઝી', પ્રકાશ ટોકીઝમાં શશી કપૂર-નંદાનું 'જુઆરી', કૃષ્ણમાં સુનિલ દત્તે પોતાના ભાઈ સોમ દત્તને હીરો બનાવવા ઉતારેલું 'મન કા મીત', જે વિનોદ ખન્ના અને લીના ચંદાવરકરની પહેલી ફિલ્મ હતી. આ સમયગાળો એવો હતો કે, દેવ આનંદની જેમ આશા પારેખ જ નહિ, ખુદ શંકર-જયકિશને ય પતી ગયેલા અને માટે જ એ લોકોની ફિલ્મ 'કહીં ઓર ચલ'અમદાવાદમાં ક્યારે આવી અને કયા સિનેમામાં આવી, એનીય કોઈને ખબર રહી નથી.

કૉમેડી સાચું પૂછો તો હિંદી ફિલ્મોમાં હતીજ નહિ. કિશોર કુમાર પાસે રીતસરનાં વાંદરાવેડાં કરાવીને દિગ્દર્શકો એમ માનતા કે, પોતે અદ્ભુત કોમેડી ફિલ્મ બનાવી છે. 'હાય મેરા દિલ'માં તો ઈન્દ્રસેન (આઈ.એસ.) જોહર અને મજનૂની પુરાણી જોડીને બફૂનરી કરવા ઉપાડી લાવ્યા છે. આજે કપિલ શર્મા જેવા અદ્ભુત શોમાં પણ લેવાદેવા વગરના પુરૂષોને સ્ત્રી-પાત્રો આપી જુગુપ્સા ઊભી કરાવે છે.

એને બદલે સાચી સ્ત્રીઓ જ લઈ આવો ને? ત્યારે આઈ.એસ. જોહરને ય દરેક ફિલ્મમાં સ્ત્રી-પાત્ર ભજવવાનું વળગણ હતું. હૉલીવૂડના કોમેડિયન બૉબ હોપની 'એ રોડ ટુ...'સીરિઝની કૉપી કરીને જોહર પણ પોતાની સાથે મજનૂ, મેહમુદ, રાજીન્દરનાથ કે કિશોર કુમારને લઈને જ ફિલ્મો બનાવતો. બસ, એમાં ખૂટતું તત્ત્વ એક જ હતું, કૉમેડી.

પ્રસ્તુત ફિલ્મ 'હાય મેરા દિલ'જેવું છીછરૂં નામ વાંચીને જ જોવાનું મન ન થાય. નહિ તો ભારતની એક માત્ર સ્ત્રી-સંગીતકાર જેણે આટલા દસકાઓ સુધી ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ વચમાં ગણીગાંઠી ફિલ્મોને બાદ કરતા બહેને પણ જમાનાની ડીમાન્ડ પ્રમાણે વેઠ જ ઉતારી છે. મારા મતે, ઉષાનું સર્વોત્તમ સંગીત સાયરા બાનુ-જૉય મુકર્જીની ફિલ્મ 'આઓ પ્યાર કરે'માં હતું.

'
મેરી દાસ્તાં મુઝે હી, મેરા દિલ સુના કે રોયે...''તમન્નાઓં કો ખીલને દો', 'તુમ અકેલે તો કભી બાગ મેં જાયા ન કરો...'જેવા કર્ણપ્રિય ગીતો એણે બનાવ્યા હતા. અમદાવાદમાં મારી સાથેની મુલાકાતમાં ઉષા ખન્નાએ ગર્વભેર જણાવ્યું હતું કે, હિંદી ફિલ્મોમાં શંકર-જયકિશનથી ઉત્તમ બીજા કોઈ સંગીતકાર નથી. ખુદ એના સંગીતમાં ય એસ.જે.ની ભરપુર છાયા હતી. એ બન્ને જેટલી જ વૉયલીનનો ઉપયોગ ઉષાએ પોતાની ફિલ્મોમાં કર્યો હતો, પણ એવી ધૂનો ક્યાંથી લાવવી? યસ. મૂકેશને અનેક ગીતોમાં ઉષાએ ઉજળો કરી બતાવ્યો છે.

મોટે ભાગે તો આ ફિલ્મ 'હાય મેરા દિલ'ઉષાએ જ નિર્માણ કરી હતી. પ્રોડયુસર તરીકે એના પિતા મનોહર ખન્ના છે. એ જમાનામાં કોઈની પાસે ૫૦-૬૦ લાખ રૂપિયા આવ્યા હોય, એટલે સીધો ફિલ્મ બનાવવા મંડી પડે અને મોટા ભાગે તો કાંઈ ગૂમાવે ય નહિ. આપણા પ્રેક્ષકો કમ-સે-કમ પેલાનો ખર્ચો કાઢી આપતા.

ખર્ચો કાઢવાની બદદાનત ફિલ્મના વિલન રાજ મેહરાને ઉપડે છે. એના સહાયક મદન પુરીનો સાથ લઈને... હિંદી ફિલ્મોમાં બીજું તો શું લૂટવાનું હોય... કરોડોં કી જાયદાદ...! એ જાયદાદ લૂંટવા માટે મદન પુરી હીરોઇન કુમકુમને પરણવા માંગે છે, પણ કુમ્મી તો ઘનચક્કર કિશોરને દિલ દઈ બેઠી છે (એટલે તો ફિલ્મનું નામ, 'હાય મેરા દિલ'રાખ્યું છે!) સવાલ એ થાય કે, કિશોર જેવા પરફેક્ટ કૉમેડીયન પાસેથી કામ લેવાનું કોઈનું ગજું નહોતું? બધાએ એની પાસે વાંદરાવેડાં જ કરાવ્યા? નહિ તો બિમલ રૉયે ફિલ્મ 'દો દૂની ચાર'માં કે મહેમૂદે 'પડોસન'માં કેવું ઢાંસુ કામ લીધું છે?

કામ આપવામાં કુમકુમ પણ કમ નહોતી. એનો સેક્સી દેખાવ અને એને ફિટ થતું શરીર જોવા ખાસ સિનેમા જનારો વર્ગ હતો. એ બેમિસાલ ડાન્સર હતી અને કોઈ પણ પ્રકારના નૃત્યમાં તેના લચકદાર શરીરને કારણે માત્ર ફ્રન્ટ-બેન્ચર્સ જ નહિ, બાલ્કનીના પ્રેક્ષકો ય મૂંગા મૂંગા વાઇફની હાજરી સહન કરીને આંખોના છાના ખૂણે કુમકુમને જોયે રાખતા. લતાએ ગાવા છતાં તદ્દન નિમ્ન કક્ષાનું બનેલું ગીત 'મચલ ગયા હાય મેરા દિલ...'ઉપર કુમકુમે જે ડાન્સ કર્યો છે, તે માની ન શકાય એવો કઠિન અને ખૂબસુરત છે. આવા અઘરા નૃત્યમાં પણ તેણે એકે ય સ્ટેપ રીપિટ નથી કર્યો. કુમ્મીની આ જ માસ્ટરી હતી કે, વાહિયાત લાગતા ફૂટપાથીયા ગીતોને એના ડાન્સમાં 'ક્લાસિક'ટચ આપતી.

બદનસીબી ખરી કે, હેલન અને વૈજ્યંતિમાલાની ઉપસ્થિતિમાં કુમ્મીને એટલી કદરદાની ન મળી જેની એ હક્કદાર હતી. એ સમયના બે મશહૂર ડાન્સ-ડાયરેક્ટરો પી.એલ. રાજ અને બદ્રીપ્રસાદે કુમકુમ પાસે આજ સુધીની હિંદી ફિલ્મોમાં આવેલા કોઈ પણ ડાન્સની બરોબરી કરી શકે, એવા નૃત્યો કરાવ્યા છે.

ફિલ્મ તો ધારણા મુજબ ફાલતુ છે જ, પણ ઘરમાં દીકરીને ડાન્સનો શોખ હોય તો આ ફિલ્મના કુમકુમના ડાન્સ બતાવવા જેવા છે, જે કોઈ હેલન કે વૈજ્યંતિથી ઉતરતા નથી. મૂળ બનારસના મુસ્લિમ પરિવારની દીકરી ઝેબુન્નિસા હિંદી ફિલ્મોમાં આવતા વ્હેંત છવાઈ ગઈ. એ એની (કે પેલા બાલ્કનીવાળા પ્રેક્ષકોની) કમનસીબી કે જેટલી અને જ્યાં ચાલવી જોઈતી હતી, ત્યાં ન ચાલી. પણ કિશોર કુમારનો શૂટ બધી ફિલ્મોમાં ચાલ્યો.

આ કદીય ન સમજાય એવી પઝલ છે. કિશોર કઇ કમાણી ઉપર લગભગ બધી ફિલ્મોમાં કાળો શૂટ પહેરીને ફરતો હતો?... અને એ ય ઘરમાં પણ! કાં તો પછી ફૂલોવાળી મોટી ડીઝાઈનના બુશકોટ પહેરે. હીરોઇનને બાગમાં મળવા પણ એ શૂટ પહેરીને જાય. આ ફિલ્મના એના એક સોલો ગીત, 'બસ કયામત હો ગઇ...'માં કુમકુમ સાથે બગીચામાં એ હાથમાં તલવાર અને રાજશાહી પોષાક પહેરીને શેને માટે આવે છે, એ સમજવું કઠિન છે. એને લોકો પાગલ માનતા અથવા એ એવું મનાવવા દેતો. 'બાપ રે બાપ'ની એની હીરોઇન ચાંદ ઉસ્માની કિશોરની ગેરહાજરીમાં એલફેલ બોલતી હશે. 

કિશોરને ખબર પડી, પછી શું કર્યું, જાણો છો? એણે જાહેરમાં કહી દીધું કે, ચાંદ ઉસ્માનીના માથામાં તો ઢગલા ભરીને જૂઓ પડી છે...''પિયા પિયા પિયા મેરા જીયા પુકારે...'ગીતના ચિત્રાંકન વખતે ઘોડાગાડીમાં કિશોર પોતાની ટોપી ઉસ્માનીને પહેરાવી પાછી પણ લઈ લે છે. કહે છે કે, એ ટોપી પાછી લીધી, ત્યારે ખબર પડી કે, ટૉપીમાં હજારો જૂઓ પડી હતી.'બસ, ચાંદ ઉસ્માનીની કરિયર ત્યાં જ ખતમ.

કોઈ હીરો એની સાથે કામ કરવા એ પછી તૈયાર ન થયો. કિશોરની મૂછો ય હેરત પમાડે એવી હતી. દિલ્હીની પાર્લામેન્ટ-કટ એની મૂછો કાયમ ચીતરેલી રહેતી. દરેક ફિલ્મમાં મૂછો તો એ જ કટની હોય છતાં અસલી રાખવાને બદલે ચીતરેલી મૂછો કેમ રાખતો હશે? એટલે સુધી કે, એના સ્ટેજ શૉમાં પણ મૂછો તો ચીતરેલી જ હોય! એ જમાનાની ફિલ્મોમાં હીરો માટે કોરિયોગ્રાફરો નહોતા, એટલે હીરોને આવડે એવા હાથ-પગ હલાવીને ડાન્સ કરતા.

અશોક કુમાર ચાલતી વખતે બન્ને હાથની આંટી મારતા ચાલે, એમ કિશોર એ જ અદાથી ગાતા ગાતા દોડે. કિશોરને તમે કોઈ પણ એક ગીતમાં બાગમાં ગાતો જોયો હોય તો સમજી લો કે, બધી ફિલ્મોમાં જોયો છે. જાતે જ હાથ-પગ હલાવવાના હોવાથી બધા હીરો બેવકૂફ લાગતા, સિવાય કે શમ્મી કપૂર, જે ડાન્સ-ડાયરેક્ટર વગર જ પોતાની મરજી મુજબના, છતાં પરફેક્ટ સ્ટેપ્સ લેતો.

પ્રેમ ચોપરા હજી નવોનવો ફિલ્મોમાં આવ્યો હતો. મુંબઇના 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'માં એ નોકરી ય કરતો અને ત્યાંથી ગાવલી મારીને શૂટિંગ પણ કરી આવતો. એ અહીં કિશોરનો જીગરી દોસ્ત બને છે. વિલન રાજ મેહરા 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં પુલીસ-સુપ્રીન્ટેન્ડેન્ટ બને છે.

અવાજ મધુરો અને ચોખ્ખો હતો. ટાલ પૂરેપૂરી છતાં દેખાવડો પણ ખરો. એને ભાગ્યે જ મુખ્ય વિલનના રોલ મળતા. મદન પુરીનો તો એ જમાનો હતો કે, જે નિર્માતાઓને પ્રાણ પોસાતો નહતો, એે બધા મદન પુરીને બૂક કરે અને એમાં અગણિત ફિલ્મો આવી ગઇ. એક્ટર બેશક ખૂબ સારો.

કદરૂપો હોવાને કારણે ખલનાયક તરીકે ઘણો જામ્યો. લક્ષ્મી છાયા દેખાવડી તો ઘણી હતી, પણ હીરોઇનની સાઇડ-કીકના રોલમાં એ કાયમ માટે સાઇડમાં જ રહી. એ વધારે જાણિતી થઈ, 'મેરા ગાંવ, મેરા દેશ'ના 'માર દિયા જાય, કે છોડ દિયા જાય'ગીતથી. પણ એ પછી આ ગુજરાતી નાગરની છોકરીનું રહસ્યમય મૃત્યુ થયું અને લોકો ધારણા કરતા વહેલા ભૂલી ગયા.

મારી ધારણા ખોટી હોઈ શકે છે, પણ આ ફિલ્મના દિગ્દર્શકો વેદ અને મદન સંગીતકારો પણ હતા (આ ફિલ્મના નહિ!). જો કે, જે ઢબની આ ફિલ્મ બનાવી છે, એ જોતા એમની પાસેથી કોઈ ઊજળી ફિલ્મની અપેક્ષા રખાય એવું ય નથી.

મુહમ્મદ રફીને વેડફવા માટે જ આ ફિલ્મના એક ગીત માટે લાવવામાં આવ્યા હશે. બાકી મન્ના ડે ના બે ગીતો છતાં ઉષાના પ્રિય ગાયક મૂકેશની ગૈરહાજરી કઠે છે.

એ તો ચામાં બિસ્કીટ બોળીને ખાય છે...!

$
0
0
એમ ખાનારને કોઇ વાંધો હોતો નથી, પણ એવું જોનારના મોંઢા બગડે છે કે, 'હજી નાના છોકરાંની માફક ચામાં બિસ્કીટ બોળીને ખાય છે...! એની માએ ખાતા-પીતા ય શીખવાડયું નથી...!' (સૉરી, હરએક બાળકને 'ખાતા'એની મા શીખવે છે, પણ 'પીતા'શીખવા માટે દરેક બાળકે મોટા થઇને સ્વાવલંબી બનવાનું હોય છે. અહીં માતાનું કામ મિત્રો કરે છે. વ્હિસ્કી-વોડકાનો પહેલો ઘૂંટડો પીવાનું દોસ્તોએ શીખવ્યું હોય છે...'આખિર, દોસ્ત હી દોસ્ત કે કામ આતા હૈ, ના....?') દેશની ચાની લારીએ-લારીએ કે ફલૅટોની બાલ્કની-બાલ્કનીએ ચામાં બિસ્કીટો બોળીને ખવાય છે, જે જોનારાઓની દ્રષ્ટિએ અસભ્યતા કહેવાય છે.

બોળવા માટે આમ જુઓ તો ચા સિવાય અન્ય કોઈ પ્રવાહીમાં બિસ્કીટો બોળીને ખવાય એવું પણ નથી. વ્હિસ્કી, કોકા કોલા, છાશ, શેરડીનો રસ કે રાત્રે સૂતા પહેલા દિવેલ લેવું જ પડે એમ હોય, તો ય કોઇ દુ:ખી દિવેલમાં બિસ્કીટ બોળીને ખાતો જાણ્યો નથી. એ જ રીતે, ચામાં બિસ્કીટને બદલે બીજું કાંઇ બોળીને ખવાય કે કેમ, એ મુદ્દે ચાના વેપારીઓ ટેન્શનમાં છે. સીધી સાદી ચા ટેબલ પર પડી હોય, એમાં બિસ્કીટને બદલે બીજું શું બોળીને ખવાય તો વેપારીઓનો ધંધો અને ગ્રાહકનો ટેસ્ટ વધે, એ કામ સંશોધકો કરી રહ્યા છે. ચા ગમે તેવી સ્વાદિષ્ટ બની હોય, પણ એમાં મકાઇનો ડોડો બોળી બોળીને પીવાતી નથી. સિદ્ધપુર-ઊંઝા બાજુના કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે, ચામાં ઇસબગુલ હલાવીને પી જવાથી સવારે પેટ ચોખ્ખું આવે છે, પણ આવા તારણો બરોબર નથી.

લોકો પેટો ચોખ્ખા લાવવા માટે ચાઓ નથી પીતા. એ માટે અન્ય સાધનો ઉપલબ્ધ છે...જેમ કે, પત્નીએ બનાવી આપેલો બ્રૅકફાસ્ટ ! કાફી છે, પેટના ધાંધણીયા ધૂણાવી નાંખવા માટે....! આ તો એક વાત થાય છે ! વળી ચામાં ઇસબગુલ નાંખવાથી ચાના મૂળભૂત સ્વાદનો પેલું હિંદીવાળા શું બોલે છે, હા....'જાયકો'રહેતો નથી...એટલે કે, સ્વાદ રહેતો નથી. એ રીતે ચા બહુ જીદ્દી સ્ત્રી છે કે, એમાં ઈસબગુલ નાંખવાથી ઈસબગુલના સ્વાદની હમણાં કહું એ થઇ જાય છે, પણ ચાના પોતાના ટેસ્ટને કોઇ અસર થતી નથી. એ એવી જ રહે છે. સ્ત્રીના સંપર્કમાં આવેલા હરએક પુરૂષની શું આ જ દાસ્તાન નથી ? (''આ જ છે...આ જ છે...''ના ગગનભેદી પોકારો !) એ એવી ને એવી જ રહે ને આપણે છોલાઇ જઇએ ?

એ તો ઠીક, ચામાં અન્ય પણ કોઇ ખાદ્યપદાર્થ બોળાતો નથી...એમાં તો બા ખીજાય છે. જેમ કે, ચામાં પપૈયું કે જામફળ બોળીને ખવાતું નથી. થેપલાં, ભાખરી કે પુરી ચામાં બોળીને ચોક્કસ ખવાય, પણ સારેવડાં કે પાપડ બોળાતા નથી. અરે, પૂછી જુઓ પાણી-પુરી (પુરી-પકોડી)ની શોખિન ગુજરાતણોને....એમણે કદી પૂરીમાં ગરમાગરમ ચા નંખાવીને ચા-પુરીઓ ખાધી છે ? આમાં તો જે ખવાતું હોય એ જ ખવાય. ''ભૈયાજી, મેરી પકોડી મેં આદુ ઔર ગરમ મસાલા થોડા વધારે નાંખના...!''પાણી-પુરીને બદલે ચા-પુરી ખવાતી હોત તો ગુજરાતણો આવું ય મંડી હોત ! સુઉં કિયો છો ?

હા. હજી પટેલો ચાની સાથે ઢેબરાં ને જૈનો ખાખરા ખાઈને આયખું પૂરૂંકરે છે (...ખાખરાનું!). રોજની પ્રૅક્ટિસનો સવાલ છે કે, કાંઇ પણ બોળ્યા વગર તો પટેલ-વાઇફો લોહીઓ ય નથી પીતી ને આ બાજુ, જૈનો ચામાં ખાખરા બોળે નહિ, ત્યાં સુધી બીજું કાંઇ બોળતા નથી. એ લોકોમાં બોળાબોળીનો બહુ શોખ ! પણ જે કાંઇ બોળવું હોય તે બધું 'જય જીનેન્દ્ર'બોલીને બોળવાનું ! બા'મણ ભ'ઇઓ (એટલે કે, બ્રાહ્મણો) ચામાં ઉઘાડેછોગ ખારી બિસ્કીટ બોળીને ખાતા જોવામાં આવ્યા છે, પણ એ લોકો ખારી બિસ્કીટને પિત્ઝા સમજતા હોવાથી આવું ખવાય છે. ખરેખર ખારી બિસ્કીટ મંગાવે ત્યારે એની ઉપર સોયા સોસ, ચીલી સોસ કે વિનેગર (ત્રણે સરખે ભાગે) ચોપડીને ખાય છે. વર્ષે અબજો રૂપિયાના અન્નકૂટો શામળીયાને ધરાવતા વૈષ્ણવો 'જે શી ક્રસ્ણ'બોલીને ભગવાનને ડાયાબીટીસ થવાનો ડર રાખ્યા વિના લાખો ટન મીઠાઇઓ ધરાવે છે, પણ ભારતના એકે ય મંદિરમાં મહાપ્રભુજીને ચાની સાથે ચાનકી (ઢેબરાં જેવું કંઇક) ધરાવેલી જોઇ ?

ચા અને વ્હિસ્કીમાં આટલું સામ્ય. બન્નેની સાથે શું લેવાય, એ સદીઓથી નક્કી જ છે. એમાં આજ સુધી ફેરફારો થયા નથી. ચાની સાથે બિસ્કીટ એમ વ્હિસ્કી, વોડકા કે બિયર સાથે બાઇટિંગ (મન્ચિંગ)માં બહુ બહુ તો પાપડ, ખારી સિંગ, ચણા, સૅલડ અને ચણાની દાળ લેવાતા હોય છે, પણ ગુજરાતીઓ દારૂપીવા બેઠા હોવા છતાં વ્હિસ્કી સાથે ખમણ-ઢોકળાં નથી લેતા. આ તો એક વાત થાય છે. ગુજરાતના વાચકોને સંદેશો એટલો જ આપવાનો કે, ચાય કો ચાય હી રહેને દો, કોઇ જામ ન દો....!

અલબત્ત, મને કહેતા દુ:ખ થાય છે કે, ચામાં બિસ્કીટ બોળીને ખાતા ગુજરાતીઓને ઘૃણાની નજરથી શા માટે જોવામાં આવે છે, એમને 'મૅનરલૅસ'કેમ ગણવામાં આવે છે, કન્યાના આણાંમાં ચાની સાથે ખારી બિસ્કીટના કરંડીયા મન મૂકીને મૂકવામાં આવે છે, છતાં કડક સાસુ નવી વહુને સંભળાવ્યા વિના કેમ રહેતી નથી કે, 'તારા ઘરનાઓમાં એટલી ય અક્કલ નથી કે, ચામાં ખારી બોળીને હવે તો ગામડીયા ય નથી ખાતા.....કમસેકમ, તારી મમ્મીને તો ખબર હોવી જોઇએ ને કે, આવી બોળાબોળી બૅડ-મૅનર્સ કહેવાય ! ખારીના જ થેલાં મોકલવા'તા, તો ચા ને બદલે ચીઝ, બટર કે મૅયોનીઝના પૅકેટો મોકલવા જોઇએ ને ?...હંહ!'

યસ. જોનારાઓ આવી બોળાબોળીને બૅડ-મૅનર્સ ગણે છે. તમારા ઘરમાં તમે ગમે તે કરતા હો, પણ બહાર હૉટલ-રેસ્ટરાંઓમાં હખણા રહેવું જોઇએ ને ચામાં ખારી બિસ્કીટ જ નહિ, કાંઇ પણ બોળીને ખાવું ન જોઇએ. આનો સૌથી મોટો પ્રોબ્લેમ વિમાનમાં થાય છે. ઍર-હૉસ્ટેસ ચા-નાસ્તો લઈને આવે, ત્યારે બાજુવાળો ચામાં ખારી તો ત્યાં હોય નહિ, એટલે બ્રેડ-બટર ડૂબાડીને ખાય છે, એનાં જીંદગીથી કંટાળીને છુટાં પડેલાં ટીપાં આપણા શર્ટની ઉપર પડે છે અને ફરજના ભાનો ભૂલેલી ઍર-હૉસ્ટેસો ભીનો નૅપકીન લઈ આવીને આપણા શર્ટો ય સાફ કરતી નથી, જેથી બાજુવાળાને થોડી વારમાં બીજી વાર ચા મંગાવવાનું કહી શકાય ! મને તો કોઇ પણ ઍરલાઇન્સની કોઇ પણ ઍરહૉસ્ટેસ મારા શર્ટ પરનો ચા-કૉફીનો ડાઘો સાફ કરવા સ્માઈલ સાથે મારી તરફ અડધી વાંકી વળીને ડાઘો સાફ કરી આપે, એની કદર કરતો હોઉં છું. મેં તો આવા કારણોસર વિમાનમાં પહેરવા (અને કાઢવા) માટે ખાસ ૮-૧૦ શર્ટો જુદાં જ રાખ્યા છે. મોદીના સ્વચ્છતા-અભિયાનને મારો પૂરો ટેકો ગણવો. માનવીના ચરીત્ર અને શર્ટ ઉપર કદી ડાઘો હોવો ન જોઇએ. સારૂંશર્ટ અને સારા ચરીત્રવાળો ગોરધન કિસ્મતવાળી પત્નીઓને મળે છે.

મારા જામનગરમાં તો આ બોળાબોળીથી ય વાત ઘણી આગળ નીકળી ગઇ છે. ત્યાં ચાને કપમાંથી રકાબીમાં કાઢી ફૂંકો મારી મારીને પીવાય છે. પણ કદી કોઇ જામનગરી રકાબીની ચામાં બિસ્કીટ બોળતો નથી. એ એના સ્વભાવમાં જ નહિ. કપ-રકાબીના એ વ્યવસ્થિત બે ભાગ પાડે છે. કપ ખારી બિસ્કીટ બોળવા માટે અને રકાબીમાં કાઢેલી ચા ફૂંકો મારીને પીવા માટે. ચા અને ખારી, બેમાંથી જે વહેલું ખલાસ થઇ જાય એ મંગાવી લેવાનું.

ઘણા ઓછું ભણેલાઓ સવાલ પૂછે છે કે, બિસ્કીટને ચામાં બોળીને ખાવાથી બૅડ-મૅનર્સ ભલે ગણાતી હોય છતાં, અમેરિકાના નવા પ્રૅસિડૅન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ, અભિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર, કૅટરીના કૈફ તેમજ કાજોલ પણ આવા બિસ્કીટો બોળે છે, તો એમને તો કોઇ કશું કહેતું નથી....આપણે કરીએ તો ગૂન્હો....? તારી ભલી થાય ચમના....આ બધા પોતાની ચામાં પોતાની ખારી બિસ્કીટ બોળે છે...આપણી માફક બિસ્કીટ આપણું અને ચા બાજુવાળાની નહિ !

સિક્સર
-
માઉન્ટ આબુમાં ગયા સપ્તાહે માઇનસ બે ડીગ્રી ઠંડી હતી, ત્યારે આ લખનાર ત્યાં હતો....
-
શું વાત કરો છો ? તમને કાંઇ થયું નહિ ?
-
મને નહિ....મૂળ તો આ લેખ ઓગણીસ પાનાનો હતો...ઠંડીમાં ઠૂંઠવાઇને દોઢ પાનાનો થઈ ગયો !
-
તો તો આવી કાતિલ ઠંડી દર બુધવારે પડવી જોઇએ ! હવે તમે, 'સુઉં કિયો છો' ?

'બહુરાની' ('૬૩)

$
0
0
ફિલ્મ : 'બહુરાની' ('૬૩)
નિર્માતા : મીના પિક્ચર્સ-મદ્રાસ
દિગ્દર્શક : ટી.પ્રકાશરાવ
સંગીત : સી. રામચંદ્ર
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ : ૧૩૨-મિનિટ્સ  :  ૧૫ - રીલ્સ
થીયેટર : નૉવેલ્ટી (અમદાવાદ)
કલાકારો : માલા સિન્હા, ગુરૂદત્ત, ફિરોઝ ખાન, નઝીર હુસેન, લલિતા પવાર, પ્રોતિમાદેવી, આગા, મનોરમા, રણધીર, શિવરાજ, નઝીર કાશ્મિરી, મુકરી, રાધેશ્યામ ગોપીકૃષ્ણ, બદ્રીપ્રસાદ અને શ્યામા.
ગીતો
૧....ઈતલ કે ઘર મેં તીતલ, બાહલ અચ્છા કે ભીતલ....હેમંત કુમાર
૨....મૈં જાગું સારી રૈન, સજન તુમ સો જાઓ....લતા મંગેશકર
૩....બલમા અનાડી મનભાયે, કા કરૂંસમઝ ન આયે....લતા મંગેશકર
૪....ઉમ્ર હુઇ તુમસે પહેલી બાર મિલે હમ, લતા-હેમંત કુમાર
૫....યે હુસ્ન મેરા, યે ઇશ્ક તેરા, રંગીન તો હૈ  આશા ભોંસલે
૬....બને ઐસા સમાજ, મિલે સબ કો અનાજ, લતા, આશા, મન્ના ડે
૭....કામક્રોધ ઔર લોભ કા મારા જગત ન આયા રાસ...મહેન્દ્ર કપૂર

આપણને જવાબ ન આવડે, એવા ૫-૬ પ્રશ્નો ઊભા થાય છે, ફિલ્મ 'બહુરાની'જોઇને...! એક તો, સંગીતકાર સી. રામચંદ્ર અને લતા મંગેશકર વચ્ચે 'કોઇ પણ પ્રકારના'સંબંધો પૂરા તો ઇ.સ. ૧૯૫૯માં ફિલ્મ 'પૈગામ'ના મરાઠા મંદિર (મુંબઈ)માં યોજાયેલા પ્રીમિયર વખતે જ, જ્યારે સી.રામચંદ્રની પત્નીએ બધા મહેમાનોની વચ્ચે પતિદેવનો ઉગ્ર ઉધડો લઇ લીધો હતો. કોઇ સાક્ષી ન મળે, એટલે અન્નાના પત્નીએ લતા સાથે કેવો વ્યવહાર કર્યો હતો, એ અહીં કહી શકાતું નથી. પ્રોબ્લેમ એ વાતે ઊભો થાય છે કે, આ ઘટના તો '૫૯માં બની અને લતા-અન્ના વચ્ચે બોલવાના ય સંબંધો નહોતા, તો પછી આજની આ ફિલ્મ તો ૧૯૬૩માં બની હતી, એમાં લતાના ગીતો ક્યાંથી આવ્યા?

યે પૉઇન્ટ ભી નૉટ કિયા જાય, મી લૉર્ડ કે, કવિ પ્રદીપજીએ લખેલા અને સી. રામચંદ્ર સ્વરાંકન કરેલા દેશભક્તિના લતાએ ગાયેલા ગીત 'અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...'અન્નાએ મૂળ તો આશા ભોંસલેને સોંપેલું હતું, પણ આ ગીત નેહરૂની હાજરીમાં ગવાવાનું છે અને ધૂન જ કહી આપે છે કે, મૂલ્કમશહૂર થવાનું છે, એટલે લતાએ ગમેતેવા કાવાદાવા કરીને આશાનો કાંટો કઢાવી નાંખ્યો. એક તબક્કે તો સોલ્યુશન એવું ય નીકળ્યું કે યુગલગીત તરીકે બન્ને બહેનો આ ગીત ગાય, પણ એમાં ય લતાનો વેપારધંધો કામે લાગી ગયો... લતાની સાથે આશાની મુંબઈથી દિલ્હી ફ્લાઇટની કઢાવેલી ટિકીટ આશાએ સ્વમાન ખાતર કૅન્સલ કરાવવી પડી !

ઊંચો થઇ જવાય એવો બીજો મુદ્દો એ ય નીકળ્યો કે, સી.રામચંદ્ર સાથે ગીતકારમાં બહુ બહુ તો રાજીન્દર કિશન હોય કે બીજો કોઇ પણ રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ હોય...સાહિર લુધિયાનવી ક્યાંથી આવ્યો ?

એક કારણ ચોક્કસ મળે છે કે, સી.રામચંદ્ર કદી લખેલા ગીત વગર ધૂનો બનાવતા નહોતા (હાથમાં લખેલું તૈયાર ગીત જોઇએ જ!) ને સામે સાહિર સંગીતકાર બનાવીને આપે, એ ધૂન પર કદી ગીત નહોતા લખતા !

ત્રીજું, '૪૦ના જમાનામાં શાંતા આપ્ટે અને સ્નેહપ્રભા પ્રધાન જેવી હીરોઇનો ઉપર એવી ફિલ્મો બનતી, જેમાં સંસ્કારી ઘરની 'બહુએના નાલાયક દિયરને સીધો કરીને પોતાના અર્ધપાગલ પતિને બુદ્ધિમાન કરીને એના હક્કો પાછા અપાવે છે. આ અને આવી થીમ-લાઇનો ઉપર હિંદીમાં અઢ્ળક ફિલ્મો બની, એમાંની એક આ 'બહુરાની'.

છેલ્લો સવાલ ઊભો કરવો હોય તો એ પણ થાય કે, આટલો ડૅશિંગ-હીરો હોવા છતાં ફિરોઝ ખાન કાયમ કેમ ઍન્ટી-હીરો અથવા વિલન જેવા જ રોલ કરતો હતો ? ચેક શર્મીલા-રાજેશ ખન્નાની ફિલ્મ 'સફર'સુધી એ સિલસીલો ચાલુ રહ્યો. કારણ કદાચ એ હોય કે, વચ્ચેના ગાળામાં એને જે ફિલ્મો મળતી, એ હોમી વાડિયાની મારધાડ અને જાદુનગરીની સ્ટન્ટ ફિલ્મો જ હતી. સોશિયલમાં એ કદી જામ્યો જ નહિ. અણધાર્યું, એણે બનાવેલું 'અપરાધ'સૉલ્લિડ હિટ ગયું અને એના ચાળે ચઢીને કુરબાની'બનાવ્યું તો એ તો આખા વર્ષની સર્વોત્તમ ફિલ્મ સાબિત થઇ. પછી તો સુલેમાન કોઇને છોડે ? છેલ્લે એ ધરખમ-ધરખમ ફૅઇલ ગયો ને લગભગ બર્બાદ થઇ ગયો ત્યાં સુધી ફિલ્મો બનાવી., એના હૅન્ડસમ છોકરા ફરદીનને હીરો બનાવવાની ભૂલ કરીને !

માલા સિન્હા માટે આવી ફિલ્મનો આવો ભાવનાત્મક રોલ નવો હતો નહતો. આ એક માત્ર ખૂબસુરત અભિનેત્રી છે જે હજી સુધી (જાન્યુઆરી, ૨૦૧૭ સુધી) ઘણી સુંદર દેખાય છે - કરમાઇ ગઇ નથી, જેમ વહિદા રહેમાન, સાધના, આશા પારેખ, વૈજ્યંતિમાલા કે નિમ્મીઓ કરમાઇને બેઠી રહી. એક માત્ર આપણી વહાલી-વહાલી નંદાએ મૃત્યુ સુધી પોતાના ચહેરાનું લસ્ટર કે લાલિમા ગુમાવી નહોતી. માલાને ય તાજી તાજી 'યૂ-ટયૂબ'માં જુઓ તો શરીર માટેની એની કાળજી ઉપર આપણને માન થાય એવું છે કે, આપણા ઘેરે ય આમાંનું થોડું ધ્યાન રખાયું હોત, તો આજે રોજ ચોક્કસ સમયે મંદિરે જતા હોઇએ છીએ, એ ન જતા હોત...! સુઉં કિયો છો ?

બંગાળી નવલકથાકાર મણીલાલ બૅનર્જી લિખિત 'સ્વયંસિદ્ધા'ઉપરથી હિંદીમાં ય ઘણી બની, એમાંની બીજી તો મીના કુમારીવાળી 'અર્ધાંગિની'ય ખરી ! એક સાવ ગરીબ ઘરની વિધૂર વૈદ્ય પિતાની દીકરી માલા સિન્હા ગામમાં માતેલા સાંઢને પોતાના વ્યક્તિત્વના જોરે કાબૂમાં લઇ લે છે, એ જોઇને ગામના જમીનદાર બારે માસ રોતડા નઝીર હુસેનની નજર ઠરે છે અને પોતાની પહેલી પત્ની (લલિતા પવાર)ના પુત્ર ફિરોઝ ખાન સાથે લગ્નનું નક્કી કરી આવે છે, પણ લલિતાબાઇ ગુસ્સે થઇને વરને ખખડાવી નાંખે છે અને મોટાને બદલે નાનો પણ અર્ધપાગલ દીકરો (ગુરૂદત્ત) સાથે પરણાવી દે છે. ફિરોજ અને લલિતા જમીનદારી પડાવી લેવા કાવાદાવા કરે છે, જેમાં ફિરોઝની તવાયફ પ્રેમિકા શ્યામા, તેનો ભાઇ આગા અને મા મનોરમાનો સાથ મળે છે.

કાયમ હાથમાં હન્ટર લઇને ફરતા ફિરોઝને એક દિવસ હન્ટરનો ઉપયોગ કરવાની તક મળે ચે અને ગુરૂદત્તને પિટે છે, એ જોઇને ઉકળી ઉઠેલી માલા સિન્હા ફિરોઝને સોટીએ ફટકારે છે. રોતડ બાપ નઝીર હુસેન ખુશ થાય છે પણ એના અવસાન પછી સઘળી મિલકત ગુરૂદત્તને નામ કરી દેવા છતાં ગુરૂબધી મિલ્કત ફિરોઝને નામે કરીને પત્ની સાથે ઝૂંપડીમાં રહેવા જતો રહે છે. ત્યાં પણ એને મારવા આવેલા ફિરોઝનો સામનો કરવા છતાં હારી ગયેલા ફિરોઝને માફ કરી ગુરૂદત્ત ફિલ્મનો સુખદ અંત લાવે છે.

ગામ આખું જાણે છે કે, સાહિર લુધિયાનવી મારા માટે નંબર વન ગીતકાર છે. બીજા નંબરે શકીલ બદાયુની પછી ત્રીજા નંબર માટે લડવાડો બહુ થાય એમ છે, માટે આપણે એમાં પડવું નહિ. સાહિર-શકીલ માટે એમના શબ્દવૈભવ ઉપરાંત શાયર તરીકે એમની સજ્જતા અને મૅચ્યોરિટી માટે પણ ગૌરવ થાય એમ છે. સાવ સીધો હિસાબ છે.

એક ગીતકાર કે શાયર તરીકે તમે ન હિંદુ છો, ન મુસલમાન. તમે કેવળ ભારતીય છો. સાહિરને આ વાત સોલહ આને સચ પડતી હતી. આ ફિલ્મમાં મહેન્દ્ર કપૂર પાસે ગવડાવેલું, 'જબ જબ રામ ને જન્મ લિયા, તબ તબ પાયા બનવાસ...'કોઇ મઝહબના પાયા વિના લખાયેલું ગીત છે ને ? સાહિરે (મોટો દાખલો ફિલ્મ 'નીલકમલ') આવા તો સેંકડો ગીતો લખ્યા છે. 'જો ધ્યાયે ફલ પાવે, સુખ લાવે તેરો નામ...'

અને હવે બીજા શાયરોને યાદ કરો... ઈવન હિંદુ ગીતકાર રાજીન્દર કિશનને ! ફિલ્મ આખી હિંદુ બૅકગ્રાઉન્ડની હોય, ફિલ્મમાં હીરો-હીરોઇન ક્યાંય ઉર્દૂ-માધ્યમની શાળામાં ભણી આવ્યા હોય એવું બતાવ્યું ન હોય, છતાં, 'ખુદા ભી આસમાં સે જબ ઝમીં પર દેખતા હોગા...'ક્યાંથી આવ્યું ''સુભાન અલ્લાહ હો, હંસિ ચેહરા હો...'આખી ફિલ્મમાં શમ્મી કપૂરે મુસ્લિમ-ધર્મ અંગીકાર કર્યો હોય કે ઉર્દુ-સ્કૂલમાં ભણવા ગયો હોય, એવું બતાવ્યું નથી, તો 'સુભાન અલ્લાહ'ને બદલે 'જયશ્રી કૃષ્ણ'કેમ નહિ ?

ભારતના તમામ મુસલમાનોએ તો મુસ્લિમ શાયરોનો આભાર માનવો જોઇએ કે, ન છુટકે જ્યાં ઇશ્વરનો ઉલ્લેખ કરવાની નૌબત આવી ત્યાં, 'ઉપરવાલે'કે 'ઓ આસમાંવાલે'લખી દીધું. 'તારિફ કરૂંક્યા ઉસકી જીસને તુમ્હેં બનાયા...'વાહ. આમાં કોઇને ખોટું જ ન લાગે. બધા ધર્મો આવી ગયા... હીરો સર્વધર્મસમાનાર્થી હતો, તે...!

શકીલ બદાયૂની ચોક્કસપણે મઝહબી પાક મુસલમાન ફરિશ્તો હતો, પણ ગીતોમાં વાત જ્યાં હિંદુ કલ્ચરની આવે, ત્યારે 'જયશિવશંકર જય કરતાર, લીલા તેરી અપરંપાર'શબ્દો જ લખ્યા છે.

ધૂન બનાવતા પહેલા શબ્દો લખાવી લેવાના ઝીદ્દી અન્ના (સંગીતકાર શંકરના મતે, અનિલ બિશ્વાસની જેમ એક માત્ર ઓરિજીનલ સંગીતકાર હતા... આને માટે પરમેશ્વર શંકરને માફ કરે!) જો ખરેખર આટલા સર્જક સંગીતકાર હતા તો પછી તદ્દન ધૂળ ભેગા થઇ ગયા, ત્યાં સુધીની હદે ફૅઇલ કેમ ગયા ? કોઇ નહિ ને 'રૂઠા ના કરો'ના સંગીતમાં મુહમ્મદ રફી પાસે તદ્દન કચરાછાપ ઉઠાંતરીવાળું, 'આપકા ચેહરા, માશાઅલ્લાહ, ઝૂલ્ફ કા પહેરા, સુભાનઅલ્લાહ...'કેમ ગવડાવ્યું ? મોટો સવાલ તો અન્નાની ઈન્ટેગ્રિટી ઉપર થાય છે કે, એક લતા મંગેશકરને બાદ કરતા આખા જગતમાં બીજું કોઇ ગાયક જ નહોતું ? પુરૂષ-ગાયકોને તો અન્ના ભાજીમૂળા જ સમજતા હતા ને ન છુટકે તલદ મેહમુદ પાસે ક્યારેક ગવડાવી લેતા અને એ ય વળી પોતાનું ગળું ઠીક ન લાગે ત્યારે !

ચીતલકર રામચંદ્રની સરિયામ નિષ્ફળતાનું એકમાત્ર કારણ એમની લતાપરસ્તી હતી. આશાને ન છુટકે જ બોલાવવી અને રફી, મુકેશ કે કિશોરને તો ન છુટકે જ બોલાવવાના ! એમને બદલે પોતે ગાઇ નાંખેલા ગાયનો એવા ક્યાં જામ્યા હતા ? કબુલ કે, લતા પાસે અન્નાએ કર્ણમધુરૂંકામ લીધું હતું, પણ એ તો એમના જમાનાના તમામ સંગીતકારોએ લતા પાસેથી તો સુંદરકાંડ ગવડાવવા સરીખું મધુરૂંકામ જ લીધું હતું. લતાએ કોઇને માટે ક્યાં બે આની ઓછું ગાયું હતું ? એમને એટલો અણસાર ન આવ્યો કે, હું આટલો લતાપરસ્ત છું તો કોક 'દિ લતા મને પાછળના ભાગ ઉપર લાત મારીને કાઢી મૂકશે તો હું ક્યાંયનો નહિ રહું!
...
અને એવું તો થયું !

આનંદ બસ, એક વાતનો થયો કે, એ જમાનાની બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો જોવી, એટલે પુખ્તી મર્દાનગી જોઇએ, નહિ તો અધવચ્ચે થાકી જાઓ. એ હિસાબે લાગણીશીલ વાર્તા, મનોહર દિગ્દર્શન અને માલા સિન્હાના કારણે ફિલ્મ જોવાનો આનંદ આવ્યો... એમ મૅચ્યૉર ફિલ્મ જોવાનો આનંદ !

ઍનકાઉન્ટર : 22-01-2017

$
0
0
* આપણા દેશનો ઉત્તમ નાગરિક કોણ બની શકે ?
–   
ભારતીય તિરંગાને જોતા જ જે પ્રણામ કરે છે, એ !
(
દીપક એમ.પંડયા, બિલિમોરા)

* હવે કેટલા વર્ષો પછી મોદીજી અનામત બંધ કરાવશે ?
–   
વૉટબૅન્ક યાદ આવશે પછી.
(
ડૉ. દીપા પંડયા, અમદાવાદ)

* જે રીતે કેજરીવાલ ગુજરાતમાં પણ જાતિવાદ ઉશ્કેરે છે, એ જોયા પછી મારે એને જોરદાર લાફો મારવો છે. શું કરૂં ?
–   
એવા લાફા ય શું મારવાના, જે માર્યા પછી હાથ બગડે ? એવો હાથ પછી કોઇ મિલાવે ય નહિ !
(
અંકુર મિસ્ત્રી, અજરાઇ-ગણદેવી)

* તમે મજાકીયા છો. કપિલ શર્માના શો માં આવો તો ચાર ચાંદ લાગી જાય !
–   
કપિલ બેસ્ટ છે. પણ પુરૂષો સ્ત્રીનો વેશ પહેરીને આવે, એની મને સૂગ ચઢે છે.
(
રિયા પટેલ, હિમ્મતનગર)

* તમારે જીયો કાર્ડનું કાંઇ સૅટિંગ થયું ?
–   
મૂકેશભાઈ સાથે વાત ચાલે છે... મેં કહ્યું, ''પહેલે આપ...!''
(
હાર્દ શાહ, ભરૂચ)

* 'અબ કી બાર મોદી સરકાર'એ સૂત્ર ક્યાં ગાયબ થઈ ગયું ?
–   
હજી બે જ વર્ષ થયા છે. બીજા બે-અઢી જવા દો.
(
હેમલ માંકડ, જામનગર)

* મારા પાકિસ્તાની મિત્રની પુત્રી તમારાથી ખૂબ પ્રભાવિત છે. તમારી વાત ચલાવું ? મને જાનમાં લઇ જશો ?
–   
બાય ઑલ મીન્સ... બશર્તે, દહેજમાં એ લોકોએ કાશ્મિર ભૂલી જવું પડે !
(
કિશોર વૈષ્ણવ, મુંબઈ)

* અશોક દવે, જામનગર ક્યારે આવશો હવે...?
–   
સીધી ફલાઇટ અથવા જળમાર્ગ શરૂ થાય ત્યારે.
(
રોહિત ભણસાલી, જામનગર)

* તમને સવાલ પૂછવા માટે ઇ-મૅઇલ જ શા માટે ?
–   
ઘેર આવીને પૂછી જાઓ.
(
ડૉ. મનિષ પંડયા, ઉપલેટા)

* 'ઍનકાઉન્ટર'માં કેટલાને ઢાળી દીધા.... અબ તક છપ્પન (હજાર) ?
–   
હજારો-લાખોની વાત આવે ત્યારે, તમારૂં નામ વાંચીને બીક લાગે છે.
(
મહેશ શાહ, વડોદરા) અને (ધર્મિલ દેસાઈ, જૂનાગઢ)

* હાસ્યમાં કઇ સુગંધ ભેળવવાથી એ નિર્દોષ બને ?
–   
હાસ્યનું નિર્દોષ હોવું ખાસ જરૂરી નથી.
(
મુકુંદ શાહ, વડોદરા)

* શું તમારા ખાતામાં રૂ. ૧૫-લાખ જમા થઇ ગયા ?
–   
એટલા તો હું કમાઈ લઉં છું.
(
કિશોર યાજ્ઞિક, અમદાવાદ)

* 'ભાભીજી ઘર પે હૈ ?'સીરિયલ તમે જુઓ છો ? શું લાગે છે ?
–   
મેં જોઇ નથી. વખાણ સાંભળ્યા છે.
(
વિનાયક ચિંતામણ દાંડેકર, વડોદરા)

* ઘરસંસાર સુખેથી ચાલે, એ માટે દરેક દંપતિએ શું ન કરવું જોઈએ ?
–   
બહુ સવાલો ન પૂછવા જોઇએ.
(
ધ્રૂવી કાચા, અમદાવાદ)

* નરસિંહ મહેતા કે તુલસીદાસ... સ્ત્રીના મહેણાં સાંભળીને ભગત બની ગયા. આજ સુધી કોઇ સ્ત્રી પુરૂષના મહેણાં સાંભળીને ભક્તાણી બની હોવાનું સાંભળ્યું નથી.
–   
સ્ત્રીઓનું કામ ભકતો ઊભા કરવાનું છે... કોઇની ભકત બનવાનું નહિં !
(
અર્થવ ભાવસાર, બડોલી-ઈડર)

* નરેન્દ્ર મોદી બીજા ૨૦-વર્ષ ભારતના વડાપ્રધાનપદે રહે, એ માટે એમણે શું કરવું જોઈએ ?
–  
રાજયોગ.
(
ઉમેશ એન. દોશી, થાણા)

* ભમરા સરીખા પુરૂષના મનને અંકુશમાં રાખવા સ્ત્રી જીવનભર પ્રયાસ કરતી હોય છે?
–   
સ્ત્રી પુરૂષને ક્યારેય સુખે જીવવા પણ નહિ દે....?
(
મધુકર માંકડ, જામનગર)

* તમે કર્મને પ્રાધાન્ય આપો છો કે ધર્મને ?
–   
હું કામચોર છું. ધર્મને શ્રદ્ધા પૂરતો સ્વીકારૂં છું.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* જૉક્સ બનાવવાની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ ?
-
સદીઓ પહેલા કોક વળી ગોધરાનું નામ દેતું હતું !
(
અ.રહેમાન આઇ.બોગલ, ગોધરા)

* આજના સમયમાં 'સત્યમેવ જયતે'પ્રસ્તુત છે ?
–   
હા. ન્યાયની દેવીના આઇ-કાર્ડ તરીકે હજી ય કામમાં આવે છે.
(
વિમલેશ એમ. જાની, ડાભલા-વિજાપુર)

* ભારતના રાજકારણ અંગે તમારો શું મત છે ?
–   
આપવા જેવો નહિ....!
(
કંજ પટેલ, પાટણ)

* આપણા દેશમાં એકતા ક્યારે જોવા મળશે ?
–   
જરૂરત એકતાની નહિ, શાંતિની છે.
(
દધિચી ગોહિલ, ઉમરેઠ)

* તમને મુમતાઝ મળે તો તાજમહલ બનાવો ખરા ?
-
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર એક બાંકડો બનાવું.... પ્રેમીઓને બેસવા માટે !
(
જગજીવન મેતલીયા, ભાવનગર)

* તમે ટીવી શો કેમ શરૂ નથી કરતા ?
–   
જે લોકો કરે છે, તેનાથી સંતોષ છે !
(
મિતલ વિ. પરમાર, વડોદ-આણંદ)

* હવામાનના આગાહીકારો વિશે તમારૂં શું માનવું છે ?
- એમને ય પાપી પેટને ખાતર આગાહીઓ કરે રાખવી પડે છે.
(
ગોપાલ આશર, ધ્રોલ)

'હોવાપણું'એટલે શું ?

$
0
0
છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતી કવિઓના હાથમાં મહામેહનતે બીજાએ શોધેલો અથવા બનાવી કાઢેલો શબ્દ 'હોવાપણું'હાથમાં આવ્યો છે. કવિઓએ આ શબ્દના વાપરી વાપરીને છોડાં ફાડી નાંખ્યા છે ! 'હોવાપણું'શબ્દ આ સદીની કોઇ મહાન શોધ હોય અને પોતાને હવે સદરહૂ 'હોવાપણું'વાપરતા બરોબર આવડી ગયું હોય, એમ કવિઓ ભૂલ્યા વિના 'હોવાપણાંને'સાબુના લાટાની માફક કવિતાના કાપડ ઉપર ઘસે છે. કપડું ફાટી જાય પણ...'હોવાપણું'ફાટતું નથી !

હવે તો જો કે, હું ય મર્યો કે, તમે મને પૂછવાના કે, 'હોવાપણું'એટલે શું ? અમે તો કોઇએ આ શબ્દ સાંભળ્યો નથી. એ શું કોઇ નામ છે ? ક્રિયાવિશેષણ છે ? ઉપનામ છે ? એમાં જોવાપણું શું છે ?

જુઓ ભાઇઓ. આજ સુધી મારી ગમે તે છાપ મારા લખાણોથી પડી હોય, પણ હું સાચ્ચું બોલી જઉં છું કે, હું કવિ તો નથી જ. 'હોવાપણું', 'ધોવાપણું'કે ઈવન 'રોવાપણું'શું ચીજો છે, તેની મને ખબર નથી. પણ છેલ્લા કેટલાય વખતથી કવિઓ વિફર્યા છે ને પોતાની ગઝલ, કવિતા, અછાંદસ કે નઝમમાં ગમે ત્યાંથી આ 'હોવાપણું'ઉપાડી લાવે છે.

મને સમજ ન પડે, એટલે મેં એક આદ્યકવિ જેવા લાગતા તાજા કવિને ફોન કરીને પૂછ્યું, '''ઇ...આ 'હોવાપણું'એટલે શું ?''એમણે તાત્કાલિક મારો ઉધડો લેતા મને સુધાર્યો, ''દવે સાહેબ, '''નહિ, ''ભાઇ''બોલો....આપણે જ ગુજરાતી ભાષાને બગાડીએ છીએ અને--''
''
અચ્છા તો ભાઇ....અપૂન કો યે 'હોવાપણે'કા મતલબ માલૂમ નંઇ, ભાઇ....!''

''
અરે બાપા...એ દુબાઇવાળો 'ભાઇ'ય અહીં ન ચાલે...'ભાઇ'એટલે આપણી માતૃભાષામાં વ્યાકરણની દ્રષ્ટિએ શુધ્ધ લખાતો 'ભાઇ'.... બેનનો ભાઇ...!''

''
તો તો આપ મારા 'ભાઇ'નહિ...મારી 'બેન થયા, બેન !'''
''
હવે ક્ષમા કરશો...અને 'બજાવવાનું'બંધ કરશો ? ઊફ્ફ્ફ...આ 'બજાવવાનું'છેકી નાંખશો...તમને ખાડીયાવાળાઓને તો પાછા 'બજાવવાના'ય અર્થો સમજાવવા પડે ! બોલો, સવાલ શું છે ?''

''....
અઅઅઅ, મને લાગે છે કે, 'સવાલ'તો ઉર્દુ શબ્દ છે...અહીં શું આપણે 'પ્રશ્ન'વાપરી ન શકીએ ?... અને, ક્ષમા કરજો...પણ મારા માટે 'બાપા'શબ્દ વાપરીને તમે તમારા કુટુંબને અન્યાય કરી રહ્યા છો. વળી તમે મને 'ભાઇ'બનાવ્યો, એમાં લેવાદેવા વિનાનું મારા કુટુંબના ઇતિહાસને ચૅક કરી જોવાનું (આઇ મીન, ફંફોસવાનું) આવી પડયું છે...''પોતાના કપાળ ઉપર હાથ પછાડીને એ જતો રહ્યો !

વર્ષો પહેલા કાઠીયાવાડી તળપદા શબ્દોના સ્વ. આદ્યકવિ રમેશ પારેખ જે કોઇ નવો શબ્દ લઇ આવે, એ પછી સદા ય ને માટે બાકીના કવિઓ માટે આધારસ્તંભ બની જતો. જેમ કે, ''કૂંપળ,''લીલા કાચ જેવો...ટેરવાં''બાકીના ઘણા કવિઓ માટે આજે પણ ઑક્સિજન બની ગયા છે.

કવિઓ પણ તડકાને હવે સીધોસાદો રહેવા દેતા નથી....'લીલા કાચ જેવો તડકો !'આ લોકોની આંગળીઓમાંથી પાછા ટહૂકા ફૂટે, એ કોઇ કાળે ય ગળે ઉતરે એવું નથી. સ્ટેજ પર બેઠેલા કોઇ તબલચીની આંગળીના ટેરવાઓમાંથી ટહૂકા ફૂટે...ભલે 'ઍક્ચ્યૂઅલ ટહૂકા ન ફૂટતા હોય, પણ એવી સીમિલી વાપરો તો વાંધો ન આવે, પણ ઝનૂને ચઢેલા હજારેક કવિઓ ગમે તેના આંગળે ટહૂકા ભરાવી દે છે, એમાં અસલી મોર-લોકો ઇવન બાજુમાં ઢેલો ઊભી હોવા છતાં, ગળામાંથી ટહૂકા કાઢવા જાય છે, તો એમાંથી અછાંદસ ટહૂકા, અછાંદસ ગઝલો કે એટલે સુધી કે મોરલોકો ગળામાંથી અછાંદસ ખોંખારા કહેવા માંડયા છે.'

ભાવનગરના કવિ વિનોદ જોશીએ એમની કૂંચી (ચાવી) ઘરમાં વાપરવાને બદલે કવિતામાં વાપરી નાંખી એમાં અન્ય કવિઓ માટે તો કૂંચીઓનો ઝૂડો બની ગયો. કવિએ બાઇને બદલે જરા માનભેર 'બાઇજી'શબ્દ વાપર્યો...અને લો લો લો, કવિઓએ પોતાની તમામ બાઇઓને 'બાઇજી'બનાવી દીધી ! વાત જસ્ટિફાઇડ છે કે, 'બાઇજી'શબ્દ બોલાતો હોય કે નહિ, બાકી સાંભળવામાં (અને ખાસ તો કવિતાકર્મમાં) લાગે છે મીઠો ! 'કૂંચી આપો બાઈજી...'

તળપદાં શબ્દોનો ઝાઝો સ્ટૉક રહ્યો નહિ, એટલે કવિઓ અત્યંત કઠિન ગુજરાતી શબ્દો તરફ વળ્યા. સાયન્સ કે મારી જેમ કૉમર્સ ગ્રૅજ્યુઍટ થયેલાને 'રિક્તતા, તિતિક્ષા, ઘેઘુર લીલાશ કે આંતરકૃતિત્વ, વિનિયોગ...'શબ્દોના અર્થો શું થાય, એ જાણવા જે તે કવિઓના ઘેર ફોનો કરવા પડે...અથવા થોડા વર્ષો રાહ જોઇને, એમનું વસીયતનામું વંચાવાનું હોય ત્યાં પહોંચી જઇને પ્રતિક્ષા કરવી કે, એમાં ક્યાંય તિતિક્ષા, રિક્તતા વગેરે-ફગેરે લખ્યું છે કે નહિ. ફૂટપાથ પર ચાની લારીએ બે અડધીનો ઓર્ડર આપતા આમાંનો એકે ય શબ્દ વપરાય કે નહિ, એ હિમ્મત કરવા જેવી નહિ. (મારે તો આમાંની એકલી 'તિતિક્ષા'કામમાં આવી હતી, બોલો!)

વર્ષો પહેલાં કોઇ કવિના ભેજાંમાં આવા ક્રિયાપદનું નખ્ખોદ વાળવાના ધખારા ઊપડયા હશે, એટલે 'તમે ત્યાં જમુના કિનારે હશો ખરા ?'એવા કોઇ પ્રશ્નના જવાબમાં કવિએ કીધું હશે, ''શક્ય છે, મારૂંત્યાં 'હોવું'અને 'હોવાપણું'બન્ને અલગ અલગ ઘટનાઓ બની જાય ! મારૂંહોવું એટલે 'નિશ્ચિતતા'બને છે, જ્યારે 'હોવાપણું'મારો સ્વભાવ દર્શાવે છે...''

તારી ભલી થાય ચમના...આમાં અમારે શું સમજવું ? વાચકો ધ્યાન આપે. અમદાવાદ કે જામનગરમાં 'જમુના કિનારો'ક્યાંથી લાવવો ?

પણ અહીં વાતમાં વજન લાવવા, 'તમે ત્યાં રાયપુર દરવાજે હશો ખરા ?'કહેવાને બદલે 'જમુના કિનારે'વધુ કલાત્મક અને કાવ્યાત્મક લાગે છે. પેલામાં ભાવક ભજીયા લેવા ગયો હોય એવું લાગે ને આમાં જમુનાતટ પર બંસી સાંભળવા પહોંચ્યો હશે, એવું મીઠડું લાગે ! બંસરી સાંભળવામાં અને ભજીયા ખાવામાં મીઠા લાગે, એટલું કાફી છે. સુઉં કિયો છો ?

વળી કવિશ્રી જવાબમાં, કડીયો લેલું પકડીને ભીંત પર સીમૅન્ટનો લબ્દો મારતો હોય, એમ અહીં  'હોવાપણું'ચોંટાડે છે, એ આપણને મૂંઝવે જરૂ, પણ આખો સંવાદ કેવો સાહિત્યિક અને ભાવનાત્મક થઇ જાય છે, એ તમે જોયું ? (આમાં વળી 'ભાવનાત્મક'ક્યાંથી આવ્યું, શું કરવા આવ્યું અને એટલે શું વળી...એ સઘળા પ્રશ્નો અસ્થાને છે...સાહિત્યકારો વાત કરતા હોય ત્યારે આવા રચનાત્મક શબ્દોનું હોવાપણું શોભનીય છે.

કવિકર્મથી એકાદ ગાઉ (સાહિત્યમાં 'કીલોમીટર'કે 'માઇલ'જેવા આંગ્લભાષી શબ્દો ન વાપરો તો સારૂં !) આગળ જવું હોય તો તમારી રચનાઓમાં 'મૅટાફર'અને 'મેટામોર્ફોસિસ'જેવા અઘરા શબ્દો વાપરો. યુલિસીસને પકડી લાવો. ભાવકો અંજાશે કે, કવિ ક્યા લૅવલનું ઊંચું ઇંગ્લિશ જાણે છે ! વળી તમારી રચનાઓમાં રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ કે દવે અશોક ચંદુભાઇ જેવા દેસી નામો ધરાવતા લોકોના ય ઉલ્લેખો નહિ કરવાના. એને બદલે, 'મૉલિયર, કાફકા, યેહૂદા આમિચાઈ અને હારૂકિ મુરકમિની જેવા 'આયાતી'સર્જકોના નામો લખવાથી (વાચકો નહિ...), વિવેચકોના હૃદયમાં ઊંચું સ્થાન મળે છે.'

મોટી વાત એ છે કે, કવિતાને જીવંત રાખવા ઉપરાંત એને દીર્ઘાયુ બનાવવા 'દસે દિશાની કવિતા'ને વધુ તંદુરસ્ત બનાવવા દર મહિનાના પહેલા રવિવારે આશ્રમ રોડના 'આત્મા હૉલ'માં કવિતા-ગઝલનો સદ્યસ્નાતો (નાહીને તાજો બહાર નીકળેલો) કાર્યક્રમ ગોઠવાય છે, એ જોયા પછી ગુજરાતને પેલા કઠિન શબ્દોના અર્થો જાણવા કવિના વસીયતનામા સુધી રાહ જોવી નહિ પડે !

મને અંગત રીતે ગઝલ-નઝમ વધારે ગમે છે ને આજકાલ સોશિયલ મીડિયા ઉપર 'કવિ કહે છે...'ના આશ્રયે કવિતાની મજાકો ઊડવા માંડી છે, એમાં જે તે લખનારના સાહિત્યિક સ્તરને ચકાસવા જેવું હોતું નથી, છતાં કવિઓએ લાગણીશીલ બનવાને બદલે સ્માઈલ સાથે સ્વીકારવામાં કોઇ નુકસાન નથી. 'કવિ કહે છે'ના સર્જકો (!) સાહિત્યમાં કાચા હશે પણ એ કોઇને વ્યક્તિગત નિશાને મૂકતા નથી. અને કેટલીક પૅરડી તો ખરેખર મજાની હોય છે. ખેલદિલીપૂર્વક આ નવી મજાકોને ય માણવી જોઇએ.

કવિતાને નામે છીછરી મજાકો કરનારાઓને તો અમથું  કોઇ ગણતું નથી, માટે એની ચિંતા ન હોય !

ગુજરાતીઓ નોટબંધીના અર્થઘટનો શીખે, એના કરતા કવિતા શીખે એ વધુ તંદુરસ્ત ક્રાંતિ કહેવાશે. જૂનાગઢના તરવરાટીયા સર્જક કવિ મિલિંદ ગઢવી લખે છે,
'
તમે આવશો સાંજે - અમે એમ ધારીને
દિવસને વળાવ્યો છે ઉતાવળ કરાવીને'

સિક્સર
-
શહેરને આખેઆખું ખાઇ જતા આ રાક્ષસી ટ્રાફિક-જામને પહોંચી વળવાનો કોઇ ઉપાય ?
-
ઉપાય એક જ. આવા દરેક સ્થળે ટ્રાફિક-પોલીસનો પૂરતો ફૉર્સ હોય અને ઘટનાસ્થળે જ આકરો દંડ ફટકારે !

ઍનકાઉન્ટર : 29-01-2017

$
0
0
* 'ગુજરાત સમાચાર'ની આ રવિ પૂર્તિનો સર્વોત્તમ લેખક કોણ ?
-
કોઇ પણ અખબારની કોઇ પણ પૂર્તિનો સર્વોત્તમ લેખક પોતે જ છે, એવું દરેક ભોળુડો કૉલમિસ્ટ માનતો હોય છે.
(
શ્રીમતી મનસ્વી પી. શેઠ, સુરત)

*
ગુજરાતમાં રહેતા કેજરીવાલ સમર્થકોને તમારો કોઇ સંદેશ ?
-
કેજરીની છાપ જ મારો સંદેશ છે.
(
અંકુર મિસ્ત્રી, અજરાઇ-નવસારી)

*
વિજય રૂપાણી પ્રજાને શું કહેવા માંગે છે ?
-
ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા છે, એ સમજ હજી પ્રજા સુધી પહોંચાડવાની બાકી છે. હજી એ બહુમાનોમાં બહુ વ્યસ્ત છે.
(
યાસિન વાજા, ચાવજ-ભરૂચ)

*
આતંકવાદ નરેન્દ્ર મોદી માટે પડકાર બની ગયો છે ?
-
હાલનો પડકાર  ઉ.પ્ર.ની ચૂંટણીઓ છે...! આંતંકવાદ... એ વળી શું છે.
(
ધવલ જે. સોની, ગોધરા)

*
ફિલ્મોની નકલી સીડીઓને કારણે ફિલ્મ ઉદ્યોગને વર્ષે રૂ. ૧૯ હજાર કરોડની ખોટ જાય છે. એમાં આપણા હીરો-હીરોઇનો બેકાર નહિ બની જાય ને ?
-
મહેશ શાહને રૂ. સાડા તેર હજાર કરોડની ખોટ ગઇ... એ બેકાર બન્યો ?
(
વિદુર પંડયા, ગાંધીનગર)

*
કેજરીવાલની લાંબી જીભ માટે શું કહેવું ?
-
એ માણસ આમ જ નૉન-સૅન્સ બોલીને પબ્લિસિટી ભેગી કરે છે... ને આપણે રીઍક્ટ કરીને એને સફળ બનાવીએ છીએ.
(
ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઇ-બાયડ)

*
શું બૉસ... પેલી ગોટીની શેરીવાળીનું કબાટ પછી ખસેડયું કે નહિ ?
-
એ જમાનામાં અમારે ખાડીયામાં આવી ઘણી બધી ખસમખસી કરવાની હતી. અમે વાંકા વળી ગયા !
(
વિજય ખાચરીયા, જેતપુર)

*
મુંબઇના મરાઠીઓ 'જયહિંદ'ને બદલે કાયમ 'જય મહારાષ્ટ્ર'બોલતા હોય છે. દેશ મોટો કે રાજ્ય... ?
-
એક ગુજરાતી બતાવો, જેને ગુજરાતી હોવાનું ગૌરવ હોય... !
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* પાકિસ્તાનને છપ્પનની છાતીવાળો જવાબ મળી ગયો ?
-
છપ્પન ઈંચનું પેટ પણ હોઇ શકે ને ?
(
રેખા પટ્ટણી, અમદાવાદ)

*
મારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા સાયન્ટિસ્ટ બનવું છે. કોઇ ઉપાય ?
- '
જેવા'શું કામ...? એમનાથી 'મોટા'કેમ નહિ ?
(
મુનિર વ્હોરા, આણંદ)

*
ટૉલનાકા ઉપર આપણી સાઇડમાં જ વાર કેમ લાગે છે ?
-
આપણી સાઇડમાં આપણે બેઠા હોઇએ છીએ માટે.
(
મેધાવી હેમંત મેહતા, સુરત)

*
કાગડાઓ ખીર-પૂરી ખાઇ ગયા...હવે ?
-
કાળાં નાણાંને બદલે હવે કાળી ખીર અને કાળી પુરીઓ બહાર આવશે.
(
કૃપા સેવક, વડોદરા)

*
પાકિસ્તાન  હવે તો સુધરી જશે ને ?
-
એક યુધ્ધ ભારત જેવા સમૃધ્ધ દેશને ય ગરીબ બનાવી શકે છે, તો પાકિસ્તાનનું તો અસ્તિત્વ પણ નહિ રહે. માટે એ યુધ્ધ કરતાં આતંકવાદને વધુ મહત્ત્વ આપે છે.
(
રાજેન્દ્ર ધનવાણી, જામનગર) અને (હાર્દિક એસ. બલર, સુરત)

*
ઘણા સાહિત્યકારોમાં અંગ્રેજી ભાષા માટે રોષ કેમ જોવા મળે છે ?
-
વાચકો એમના માટે રોષ રાખે છે.
(
હર્ષ ઓઝા, અમદાવાદ)

*
મારે તમને વર્લ્ડ-ટુર પર સાથે લઇ જવા છે...
-
ઓહો... ! બાબો આટલો મોટો થઇ ગયો ?
(
ધર્મેન્દ્ર જોષી, સાવરકુંડલા)

*
કહે છે કે, લેખકોની હાલત બહુ ખરાબ  છે. તમારે કેમનું છે ?
-
બસ... હજી તો રૂ. ૨૦૦૦/-ની નોટોનો દરોડો પડયો નથી !
(
પી.કે. ચાવડા, મેંદરડા-જૂનાગઢ)

*
તમને નવરાત્રીના ગરબાનો શોખ છે કે નહિ ?
-
મને શોખો રાખવાનો કોઇ શોખ નથી.
(
રહીમ મલકાણી, ભાવનગર)

*
વરસાદ વગર વાઇફ દાળવડાં બનાવે એ શું કામનાં ?
-
અડોસપડોસમાં સંબંધો રાખતા જાઓ, ભાઈ !
(
દીપક એસ. કાળે, અમદાવાદ)

*
અબ્રાહમ લિન્કન એમના પત્નીથી ડરતા હતા. એ વાત સાચી છે ?
-
એની તો બહુ ખબર નથી, પણ હું એમની પત્નીથી આજે ય ડરૂં છું.
(
જગદિશ રસિકલાલ શાહ, રાજકોટ)

*
ગાર્ડનમાં ચાલવાનો ક્રેઝ વધતો જાય છે. તમે ય હાથ ઊંચાનીચા કરતા ચાલવા જાઓ છો ?
-
હું તો પગ પણ ઊંચાનીચા કરીને ચાલું છું.
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

*
યુધ્ધ થાય તો કેજરીવાલ અને સંજય નિરૂપમને યુધ્ધ મોરચે મોકલી દેવા જોઈએ કે નહિ ?
-
યુધ્ધ થતું હોય એ ભૂમિ પવિત્ર હોય... એને ગંદી ન કરાય !
(
સુનિલ નાણાવટી, રાજકોટ)

*
ગોરી હંમેશા ગામડાની જ કેમ હોય ?
-
શહેરમાં તો પતંજલી બાબા હોય !
(
દેવાંગી દેત્રોજા, જામનગર)

*
મંદિરોમાં સ્ત્રી-પુરુષ માટે ડ્રેસ-કોડ હોવો જોઇએ કે નહિ ?
-
એમ ને એમે ય ખબર પડી જાય કે, આ સ્ત્રી છે કે પુરુષ... !
(
જયેશ અંતાણી, ભાવનગર)

*
આજકાલ શું ચાલે છે ?
-
પહેલાં ચાલતું'તું એ જ !
(
અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલા સોપારા)

*
તમારા જવાબ અને અમારા સવાલ... કદી ધારી શકાતા નથી.. ખરું ને ?
-
ત્યાં સુધી જ આ કૉલમ ચાલુ રહેશે.
(
મધુલતા માંકડ, મુંબઇ)

બાલ કૈસા હૈ, જનાબ કા...?

$
0
0
સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વતની ધાર ઉપર બેઠો બેઠો વારાફરતી પગ હલાવતો હું વિશ્વનો નજારો જોતો હોઉં, એમ શ્રી ગણેશ હેર કટિંગ સલૂનમાં બાંકડાની ધાર પર મારો વારો આવે એની રાહ જોતો બેઠો હતો. ત્યાં બર્ફીલા પહાડો દેખાય ને અહીં સલૂનમાં કાળા વાળના ઢગલા દેખાય એટલો જ ફરક!

રાહ જોતો માણસ બહુ અકળાયેલો હોય, એમ નવરો બેઠો હું મારી આગળના ગ્રાહકના ગાલ પર ફરતા અસ્ત્રાનો છોલાવાનો ધ્વનિ સાંભળીને ગણત્રી મૂકતો હતો કે, હવેના ૩૪-લસરકા પછી આપણો વારો! 'કભી તો લહેર આયેગી...'ના જોર ઉપર મને ય શ્રધ્ધા હતી કે, સાતમા નંબરનો ગ્રાહક પતે પછી મારો જ વારો છે. સલૂનદારો આપણા વાળ ઝડપથી કાપવા શૉર્ટ 'કટ'અપનાવે છે, એટલે ઉતાવળ કરવાનો કોઈ ફાયદો હોતો નથી.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ અને મારો આ પ્લસ પોઈન્ટ છે. અમે બન્ને વિચારીએ ખૂબ ઊંચું! આમે ય, લાઇફ-ટાઇમમાં વિચારીને કરવાના કામો જવલ્લે જ આવ્યા છે, તો પછી શા માટે જેટલા આવ્યા છે, એ ઊંચા થઈ થઈને ન વિચારું? ઊંચુ વિચારવા જેવા અઘરા કામો આવે ત્યારે હું હંમેશા અમારા ફ્લેટની ટેરેસ ઉપર જતો રહું છું. (હું ખોટો હોઉં તો મને ટોકવો!) અર્થાત, મારે ટેરેસ પર જવાનું થતું જ નથી.

સલૂનમાં વાળ કપાવવા જઉં, ત્યારે ગભરામણ એક વાતથી છૂટે... વખત છે ને, અમદાવાદના હેર-કટિંગ સલૂન માલિકો વચ્ચે કોઈ કારણે અંદરોઅંદર યુધ્ધ ફાટી નીકળ્યું તો આપણી ફફડે તો ખરીને કે, તમામ ઝનૂની સલૂનીયાઓ ખુલ્લી દેખાય એ હેર કટિંગ સલૂનમાં અસ્ત્રા અને કાતરો લઈને ઘસી જવાના. આ લોકો રીવૉલ્વરો કે ચપ્પા ન વાપરે. કોઈને મારી નહિ નાંખવાના... ફક્ત ઘસરકા પાડવાના... પછી એ દાનો દુશ્મન હોય કે ગઈ વખતની બાલ-દાઢીના પચ્ચા રૂપીયા આલ્યા વિના હેંડતો થયેલો 'ઘરાક'હોય! પણ એક લિસોટો પાડે એમાં આપણી તો દેવાઈ જાય ને? કેમ કોઈ બોલતું નથી? મારી વાત નબળી પડી રહી છે.

આ લોકો સામાન્ય મારામારીઓમાં અસ્ત્રા નથી કાઢતા અમથો કોઇને ફટકારવો હોય તો અસ્ત્રો ઘસવા દુકાનની ભીંત પર લટકતા ચામડાના કાળા લટપટીયાઓ કાઢી કાઢીને હન્ટરની માફક ફટકારે. લટપટીયું તલવારની જેમ વીંઝે. આપણા બધાની દુનિયામાં એકબીજાની આંખોમાં ધૂળ નાંખવાની અથવા ન નાંખવાની હોય, જ્યારે આ લોકો ગુસ્સે થાય ત્યારે એકબીજાના મોઢા ઉપર ગ્રાહકની દાઢી કરેલું પાણી રેડી દે. સલૂનદારોની કોઈપણ લડાઈમાં સાથે અરીસો હોય, હોય ને હોય જ! દુશ્મનને ફટકાર્યા પછી, પાછળથી બરોબર ફટકારાયો છે કે નહિ, એ બતાવવા એની બોચી પાછળ અરીસો ધરે. એમાં પછી કયો ગ્રાહક અને કયો માલિક, એ ન જોવાય! આમાં તો જે પહેલો દેખાય, એ મર્યો.

હું સ્વામી રામતીર્થ જેવા સંયમથી વારો આવે એની રાહ જોતો બેઠો છું. મને બાબા રામદેવ એટલે જ ગમે છે કે, એમને જગતભરના સલૂનદારોની કોઈ સાડા બારી તો નહિ! 'પતંજલી'એ દુનિયાભરની દવાઓ કાઢી... દાઢી ઘસવાનો સાબુ કાઢ્યો? વાળંદ-વ્યવસાયથી બાબા રામદેવ બિલકુલ ઊંધા ચાલે છે. આ લોકો હોય એટલા વાળ સાફ કરી આપવાના વ્યવસાયમાં પડેલા છે, જ્યારે બાબા રામદેવવાળાઓ વાળ લાંબા અને ચમકદાર બનાવવાની વેતરણમાં હોય છે.

આ લોકો ઉપરથી જ યાદ આવ્યું કે, હાલમાં છોકરીઓ કેવી કેવી જાતની હેરસ્ટાઈલો કરાવે છે! પૉમ્પેડૂર હેર-કટ, અલ્ટ્રા-ક્લીન લાઈન-અપ, આઈ-વી લીગ હેરકટ કે હિપસ્ટર... ઓહ, આપણને તો બોલતા ય આવડે નહિ. એમાં લાંબા વાળ સાથે એક ગ્રાહક દુકાનમાં સ્વસ્થ ચિત્તે આવી ચઢ્યો અને વાળંદને પૂછ્યું, ''મારે શ્રીરામ-કટ નહિ... લક્ષ્મણ-કટ હેર સ્ટાઈલ કરાવવી છે.''પહેલા તો અમે કોઈ ન સમજ્યા, પછી સલૂન-માસ્ટરે ફોડ પાડયો કે, '''ઈને બન્ને લમણાંમાં રિબન ભરાવેલી અને પાછળ હેરબેન્ડ બાંધી દેવાય એવી અંબોડીવાળી હેરસ્ટાઈલ કરાવવી છે! ...ધેટ ઈઝ... લક્ષ્મણ-કટ યૂ નો!''

ફ્રેન્કલી, હું અકળાતો જતો હતો. વારો આવે ત્યાં સુધી રાહો જોવી ઈઝી હોતું નથી. મને તો વાળંદ ટેબલ પર પડેલા હજામતના તમામ સાધનોને એક વાર અડી જોવાનું બહુ મન થાય. વાળંદ જોતો ન હોય ત્યારે હવામાં કટકટકટકટકટ કાતર ઘુમાવી જોઉં, એ લોકો દાઢી કરી લીધા પછી પોમરેનિયન કૂતરાના વાળ જેવું ફૂમતું પાવડરમાં ઝબોળીને આપણા ચીરાયેલા ગાલ ઉપર ફેરવે છે, તેમ હું પણ સફેદ રંગનું એ મનલુભાવન ફૂમતું ગાલને અડાડી જોઉં અને છાનોમાનો એક વાર મારા ફેસ પર ફૂવારો ય મારી લઉં. શીખ્યા હોઇએ, તો કોક વખત કામ આવે!

સલૂનોમાં મને ત્યાં પડેલા છાપાં અને મેગેઝીનો વાંચવા ગમતા નથી... જેને ઉપાડો, એમાંથી વાળ નીકળે. (એ ય પુરુષોના!) આપણે સ્ત્રીઓ નથી કે, ચાર મહિના પછી આવનારી બેબીના પગના ઊનના મોજાં ગૂંથીએ. એક સલૂનમાં તો મેં 'રાસાયણિક ખાતર બનાવવાના સરળ ઉપાયો'નામનું પુસ્તક પડેલું જોયું. આ પુસ્તકની આ વ્યવસાયમાં શી જરૂર પડે, એની મને ચિંતા તો થઈ.

હું કદી સલૂનમાં મારા વારાની રાહ જોતા બેઠા પછી જે પાટ ઉપર બેઠો હોઉં, ત્યાં મારા હાથ અડાડતો નથી. મને ખબર છે કે, લોકો કાનમાં દિવાસળી ફેરવીને ત્યાં લૂછે છે. યસ. હું બેસું એવી રીતે જ્યાં સામેના અરીસામાં મારો ચહેરો દેખાતો હોય. મેં જોયું છે કે, વાળ ન કપાવતો હોઉં, ત્યારે હું બહુ હેન્ડસમ લાગતો હોઉં છું. નવરો બેઠો મને ને મને સ્માઈલો ય આપું. હસતા ચહેરા મને બહુ ગમે.

નાઇ મિત્રનો મોબાઈલ રણક્યો એટલે એ ઇંગ્લિશમાં 'એક્સક્યૂઝ મી'કહીને દુકાનની બહાર ગયો, એ તકનો લાભ લઇને મેં હાથમાં અસ્ત્રો લીધો અને હવામાં કટકટકટ ફેરવતો હતો, એ જ વખતે કોઈ ગ્રાહક આવ્યો. મારા હાથમાં અસ્ત્રો જોઈને રોફથી સીટ પર બેસતા મને પૂછ્યું, ''કેટલી વાર લાગે એમ છે...? મારે બાલ-દાઢી બન્ને કરાવવાના છે... એન્ડ યૂ... અસ્ત્રામાં બ્લેડ નવી નાંખજે.'''''ઇ... હું... કોઇ... હેરકટિંગવાળો...''

''
અરે ભ', જલ્દી સાબુ ચોપડ ને... તું જે હોય તે... ને આ અસ્ત્રો આઘો મૂક..!''
એ તો ભલો સલૂન માલિક પાછો આવ્યો અને ચોખવટ કરી કે, એ ભાઈ અમારા કારીગર નથી... કારીગર જેવા લાગે છે, પણ ઘરાક છે. શાંતિ રાખો, હવે તમને જ લઈ લઉં છું.''
મારી પર્સનાલિટીની એ ખૂબી છે કે, દેખાવમાં હું હેરકટિંગ સલૂનના કારીગર જેવો ય લાગતો હોવાથી મને કદી નોકરીની તકલીફ નહિ રહેવાની. પણ એમ તો હું સાઇડમાંથી અમોલ પાલેકર જેવો ય લાગું છું, તેથી બી.આર.ટી.એસ.ની બસમાં મારી ટિકીટ બીજો કોઇ લઈ આપે, એવું બન્યું નથી. આ તો એક વાત થાય છે. જ્યારે હું સ્વામી વિવેકાનંદને વાંચતો ત્યારે સ્વાવલંબનના અનેક નિર્ણયો મેં લીધા હતા, એમાં વળી રવીન્દ્રનાથ ટાગોરની પંક્તિ ઉમેરાઈ કે, 'તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે... હોઓઓઓ, એકલો જાને રે...!'આ સ્વાવલંબન હું જાતહજામત માટે સમજ્યો હતો. કૉલેજકાળમાં અનેક વર્ષો સુધી મારા વાળ પણ હું જાતે કાપતો. હાથ તો એવો સરસ બેસી ગયેલો કે, બે-ચાર વર્ષોમાં તો બહારના ઓર્ડરો પણ આવવા માંડયા, પણ એ તરફ હું ધ્યાન આપતો નહતો. ભારતદેશમાં પોતાના વાળ પોતે કાપે, એવા આજ સુધી બે જ મહામાનવીઓ થયા છે, એમાંના પહેલા મહાત્મા ગાંધી. એ વાત જુદી છે કે, મેં મારા હાસ્યલેખો કરતા મારી સ્વહજામત થકી વાચકોને... સૉરી, ગ્રાહકોને વધુ હસાવ્યા છે.

કહેવાય છે કે, સૌથી વધુ એકાગ્ર મન લશ્કરમાં સૈનિકનું અને સલૂનમાં નાઇનું હોય છે. એ બન્નેનું શરસંધાન કદી ખાલી જતું નથી અને જાય ત્યારે કોઈ નવાણીયો કૂટાઈ જાય છે. ગ્રાહકની બોચી પર અસ્ત્રો ફેરવવાથી માંડીને એની જીવપ્યારી મૂછોને કાપતી વખતે ખેડુત ખેતરમાં દાતરડા વડે કાટમકાટી કરે, એવી નાઇ કરી શકતો નથી. અહીં તો કોઈ કુશળ સોની ગળાની ચેઇન બનાવતો હોય એવું ઝીણકું કામ ઉપાડવાનું હોય છે. આ તોઠીક છે, વાંકડી મૂછોના જમાના ગયા અને ઊપલો હોઠ ઢાંકે, એવી બંધ ગેરેજના દરવાજા સમી મૂછો આવી, પણ એને ય નીચેથી ધારદાર કાપવી પડે છે. જાતકના મ્હોમાં એકે ય વાળ ઘુસવો ન જોઈએ. કેટલાક સલૂનદારો દાઢી બનાવતી વેળાએ ઘરાકની હડપચી ચીપટી ભરાવીને પકડે છે, તો કેટલાક રોમશત્રુઓ ગ્રાહકના નાકમાં કાતર ભરાવીને કટકટ કરતી ઉત્તમ કળાનું પ્રદર્શન કરે છે, જેમાં વિરાટ કૌશલ્યની જરૂરત પડે છે. આ તબક્કે છીંક કેવળ ગ્રાહકને જ નહિ, નાઇને પણ ન આવવી જોઈએ...

રોમશત્રુ એટલે નાઇ માટેનો બીજો શબ્દ. આપણે નથી કહેતા, ''એ સાંભળીને એના રોમેરોમ ઊભા થઈ ગયા... એટલે કે માથાના વાળ ઊભા થઈ ગયા... એ રોમનો શત્રૂ  એટલે ઇંગ્લેન્ડ નહિ...!''

સિક્સર
-
ક્યાં રહો છો?
-
ગૂફામાં.
-
સુઉં કિયો છો?
-
જી. અમારી સોસાયટીનું નામ ઍલિફન્ટા છે.

'મૈં ભી લડકી હૂં' ('૬૪)

$
0
0
ફિલ્મ     :     'મૈં ભી લડકી હૂં' ('૬૪)
નિર્માતા     :     એવીએમ-સ્ટુડિયો, મદ્રાસ
દિગ્દર્શક     :     એ.સી.ત્રિલોકચંદર
સંગીત     :     ચિત્રગુપ્ત
ગીતકાર     :     રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ     :     ૧૭-રીલ્સ
થીયેટર     :     નૉવૅલ્ટી (અમદાવાદ)
કલાકારો     :     મીના કુમારી, ધર્મેન્દ્ર, બલરાજ સાહની, એસ.વી. રંગારાવ, ઓમપ્રકાશ, એવીએમ રાજન, પુષ્પલતા, મા. ભગવાન, મોહન ચોટી, મનોરમા અને કમ્મો.


ગીતો
૧....આયે થે હુજુર બડે તન કે, ઝૂલ્ફેં સંવારે....મુહમ્મદ રફી
૨....આયે થે હુજુર બડે તન કે, ઝૂલ્ફેં સંવારે....આશા ભોંસલે
૩....ક્રિશ્ના ઓ કાલે ક્રિશ્ના, તૂને યે ક્યા કિયા...લતા મંગેશકર
૪....ચંદા સે હોગા વો પ્યારા, ફૂલોં સે....પીબી શ્રીનિવાસ-લતા
૫....યે હી તો દિન હૈ બહારોં કે, દુપટ્ટોં કે....આશા-રફી

હિંદી ફિલ્મો કે એના કલાકારો વિશે તમે હિંદી, ઈંગ્લિશ કે ગુજરાતીમાં જે કાંઈ વાંચતા હો, બધે કેવળ વખાણો હોવાના, સાચી હોય તો ય ટીકા નહિ ! આવું લખનારા પોતાની એક નૈતિક ફરજ ચૂકી જાય છે કે, તમારૂં લખેલું બધું 'છાપેલું'છે, એટલે વાચકો એને 'સાચું'માની લેવાના અને ભારતમાં હંમેશ બનતું આવ્યું છે તેમ, એ ફિલ્મ કલાકારોને સામાન્ય વાચક ભગવાનસરીખો દરજ્જો  આપી દે છે... સાઉથના કિસ્સામાં તો ભગવાનથી ય મોટો, જ્યાં મોટા ભાગના ફિલ્મસ્ટાર્સનાં રીતસરના મંદિરો છે, જ્યાં આપણા મહાદેવજી, ભગવાન મહાવીર, શ્રીકૃષ્ણ કે શ્રીઅંબાજી માતા જેવી પૂજા થાય છે.

આ એક જ કૉલમ એવી છે, જ્યાં કાણાને કાણો કહેતા શરમ આવતી નથી. એ જ કાણો જેના પેટ ભરીને સાચા વખાણો પણ અમે જ કર્યા હોય. મારા માટે આજે પણ રાજ કપૂર, મુહમ્મદ રફી, લતા મંગેશકર, અશોક કુમાર અને અમિતાભ બચ્ચન એમની કલાને લાગેવળગે છે ત્યાં સુધી ઈશ્વરસરીખા છે, પણ એ જ લોકોની લાઇફની જે કાંઈ નબળી બાજુ છે, તે દર્શાવતા મેં સંકોચ રાખ્યો નથી. રાજ કપૂરે એના લાડકા ગાયક મૂકેશની એક અજાણતા થયેલી ભૂલની કેવી આકરી સજા આપી, એનો બૉયકોટ એવો કરી દીધો હતો કે, મૂકેશની પાસે ગીતો આવતા બંધ થઇ ગયા અને છોકરાઓને સ્કૂલે ભણાવવાની ફી પણ મૂકેશ ભરી શકે એમ નહોતા.

લતા મંગેશકર પૂજનીય માતાસરીખી ગાયિકા ખરી, પણ આખરે તો એ ય વેપારી છે ને ? એણે જે છીછરા કાવાદાવાઓ પોતાની હરિફોને હટાવવા માટે કર્યા, એની વિગતો લખતા આપણે શરમાયા નથી. મુહમ્મદ રફીએ પણ જીવનમાં ખોટું કર્યું હતું-જાણી જોઇને કે, લતા મંગેશકરે ૨૫ હજાર ગીતો ગાવાનો વર્લ્ડ રૅકૉર્ડ કર્યો, જેને જૂઠ્ઠો ગણાવી મુહમ્મદ રફીએ નૌશાદની મદદ લઇ, ગીનેસ બૂક ઑફ રૅકોર્ડ્સમાં પોતે ૨૯ હજાર ગીતો ગાવાનો રૅકૉર્ડ કર્યો છે, એવો પત્ર લખ્યો. અશોક કુમારે નલિની જયવંત સાથેના લફરાં ઉપરાંત પણ સ્ત્રીસંગ મનભરીને કરી લીધો હોવાના અહેવાલો આ કૉલમમાં છપાયા છે અને અમિતાભ બચ્ચન માટે એટલે સુધી વાતો ચગી હતી કે, એની સાથે કામ કરનારી કોઇ પણ સ્ત્રીએ એને તાબે થવું પડે !

પણ આ નબળાઇઓ છતાં એ લોકો મારા માટે સર્વોત્તમ કલાકારો રહ્યા છે. આ કૉલમના આવા બિનધાસ્તપણાને કારણે જ સડસડાટ આટલા વર્ષોથી ચાલી આવે છે, નહિ તો બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ જમાનાની ફિલ્મો એવી તે કોઇ મહાન નહોતી કે, સર્વને એમના વિશે વાંચવું આટલા ઉમળકાથી ગમે!

મીના કુમારી મારા માટે એટલી જ મહાન અભિનેત્રી અને ખાસ તો ધાંયધાંય સુંદરતાવાળી ગ્લૅમરસ ઍક્ટ્રેસ, જેને જોઇને મોહી ન પડો, તો ખામી આપણામાં ક્યાંક હોવાનું કળાય ! ઇશ્વર શ્રાપ આપે અને મને મીના કુમારી સાથે કોઇ નિર્જન-વેરાન ટાપુ ઉપર બાકીની જીંદગી આ મીના કુમારી સાથે વિતાવવાનો હૂકમ થાય તો-ભલે એ સજા આમ તો મીના કુમારીને મળી કહેવાય, પણ હું પરમેશ્વરને ફરિયાદ કરવા ન જાઉં કે, 'ઓ બંસીવાલે, તૂને યે ક્યા કિયા...? એક બેસહારા ઔરત કો મેરે સહારે ઐસે વીરાન જગેહ છોડ દિયા..?'મીનાની સ્કીન તો મારા જેવી હતી, પણ સુંદરતા અને ગ્લેમરમાં તો એના જેવું કોઇ નહિ ! બાકીની બધી હીરોઇનો ભાભી સમાન... (એક તમારા મધુભાભીને બાદ કરતા... અને બીજી નંદા, જેની સુંદરતા પવિત્ર અને વિકારો ન ઉપજાવે એવી હતી.)

આજની ફિલ્મના બન્ને હીરો-હીરોઇનો કન્ટ્રોવર્સી એટલે કે વિવાદોથી ભરેલા હતા અને એ બધું આપણે અહીં લખ્યું છે.

સાઉથની મોટા ભાગની ફિલ્મો વાસુ મૅનન, એવીએમ, એલવી પ્રસાદ અને જેમિની સ્ટુડિયોમાં બનીને આવતી અને મોટા ભાગની ફિલ્મો કેવળ સામાજીક હતી. એ લોકોની ફિલ્મો મુંબઇની ફિલ્મો કરતા બેશક વધુ સારી, વધુ ખર્ચાળ અને પ્રોડક્શનમાં નિર્માતા જંગી ખર્ચા કરતા અચકાતો નહિ. મુંબઇના કલાકારોને મુંબઇ કરતા અહીં લગભગ બમણી અને રૅગ્યુલર ચૂકવણીઓ થતી હોવાથી સાઉથની ફિલ્મોમાં કામ કરવા મળે, એના માટે મુંબઈના કલાકારો પરમેશ્વરને રીતસર પ્રાર્થનાઓ કરતા...!

સાઉથ હોય કે મુંબઈ, એ સમયની તમામ સામાજીક ફિલ્મોમાં વાર્તા એક મોટા કુટુંબની હોય, જેમાં મોટો ભાઈ ચોક્કસપણે ભગવાન શ્રીરામનો અવતાર હોય ને નાનો લક્ષ્મણ. સતી સીતા અને ઊર્મીલા જેવી બન્નેની વાઇફો હોય, પણ મંથરા જેવી કોઇ ફોઇ કે નોકરડી ફિલ્મને અને ઑડિયન્સને ત્રણ કલાક સુધી ખેંચાવી રાખે !

આજની ફિલ્મોમાં મોટો ભાઈ પોલીસ ઇન્સપૅક્ટર હોય ને નાનો  અન્ડરવર્લ્ડનો ડોન... એટલો જ ફેરફાર જૂની અને નવી ફિલ્મો વચ્ચે થયો છે. જૂની હીરોઇનોના કપડાં ઓછા થયા છે ને જો સાડી પહેરતી હોય તો દૂંટી દેખાય એટલી નીચી અને છાતીના ભાગની સાડી વારંવાર સરકી જાય, એવી પહેરવી પડે છે ને પછી હીરોના બાપ સામે કહેવાનું, 'મેરા પ્યાર ગંગા કી તરહા પવિત્ર હૈ...!'એની વાત સાચી, કારણ કે ગંગાથી વધુ ગંદી બીજી તો કોઇ નદી પણ નથી...!

અહીં કરોડપતિ અને વિધૂર શેઠ (એસ.વી. રંગારાવ)નો મોટો પુત્ર ધર્મેન્દ્ર કૉલેજમાં એવા ભ્રમમાં છે કે, પત્ની તરીકે કોઇ સર્વાંગસુંદર સ્ત્રી જ જોઇએ. કમનસીબે, છોકરી જોવા ગયા પછી એના ઘરમાં જ રહેતા મામા-મામી (ઓમપ્રકાશ અને મનોરમા) રમત રમીને કાલીકલૂટી મીના કુમારીને પરણાવી દે છે. અલબત્ત, ધર્મેન્દ્ર એનો સ્વીકાર કરે છે, પણ મીના તો નિરક્ષર પણ છે, એ જાણ્યા પછી ઘરમાં ગરબડો ઊભી થાય છે. ધરમ તેના નાના ભાઇ (એવીએમ રાજન) સાથે રહે છે, પણ ઓમપ્રકાશની ચાલબાજીથી મીના એના આ દિયર સાથે આડાસંબંધો રાખે છે, એવા આક્ષેપસર મીનાને ઘરમાંથી કઢાવે છે, પણ ધરમ પાછો આવતા મીનાને સ્વીકારી લે છે, છતાં નિરક્ષર હોવાને કારણે મીના ધરમના દોસ્તો જમવા આવવાના છે, એની ધરમે લખેલી ચિઠ્ઠી મીના વાંચી શકતી નથી. ફરી એકવાર ગરબડ થાય છે, પણ નાનો ભાઇ રાજન મીનાને ઘેર બેઠા રાત્રે ભણાવે છે અને પાકું અક્ષરજ્ઞાન આપ્યું હોય છે. રાજન અને તેની પ્રેમિકા (પુષ્પલતા-જેને કન્યા જોવા ગયા પછી ધર્મેન્દ્રને બતાવવામાં આવી હતી) બગીચામાં ફેરફુદરડીઓ ફરતા ફરતા ગીતો ગાય છે, જેથી ફિલ્મનો 'ધી ઍન્ડ'આવતા સુધીમાં પરણી શકાય, પણ આ બન્ને તો ફિલ્મની બહાર પણ પ્રેમ કરતા હોવાથી અસલી જીવનમાં ય બન્ને પરણી ગયા. બન્નેના પ્રેમ માટે કારણભૂત આ જ ફિલ્મનું સાઉથ ઇન્ડિયન વર્ઝન હતું. છેવટે અનેક કાવાદાવાઓ પછી બધું સમુસુતરૂં પાર ઉતરે છે.

પણ વાસ્તવિક જીવનમાં બધું નહિ, થોડું ય સમુસુતરૂં પાર ઉતર્યું નહોતું. મીના કુમારી આ જ ફિલ્મથી ધર્મેન્દ્ર તરફ (પણ) આકર્ષાઇ અને બન્ને વચ્ચેનું લફરૂં જગજાહેર થયું, એ પહેલા ધરમની એકાદ અંગત વાત જાણી લેવી જરૂરી છે. સાચા અર્થમાં ગામડીયા તરીકે પંજાબથી મુંબઇ ફિલ્મોમાં હીરો બનવા આવેલા ધર્મેન્દ્ર પાસે રાત ગુજારવા ય કોઇ વિસામો નહતો અને મુંબઇમાં આવા કોઇ ફિલ્મના હીરો બનવા માગે, એ બધા નવલોહીયાઓ માટે એક મૌસીનું ગૅસ્ટ-હાઉસ બહુ જાણિતું બન્યું હતું, જ્યાં એ જમાનાના ભવિષ્યના અનેક હીરોલોગ ઓછા ભાડાં અને વધારે કડકી સાથે રહી ચૂક્યા છે. ધર્મેન્દ્ર સાથે આવો બીજો ય એક કડકો રહેતો હતો, જેને ય હીરો બનવું હતું, તે હતો મનોજ કુમાર. બન્ને સાચા અર્થમાં ભૂખ્યા ભૂખ્યા ફિલ્મ સ્ટુડિયોના ચક્કરો મારતા કે કોઇ નિર્માતા એકાદો ચાન્સ આપે, પણ સાંજે પાછા ફરે ત્યારે બન્ને વચ્ચે એક વડાપાઉંની પ્લેટ મંગાવીને દિવસો કાઢ્યા હોય, એ દોસ્તી તો કેવી પ્રચંડ હોય !

...
એ વખતે હતી પણ બન્નેને એક વખત ફિલ્મમાં ચાન્સ મળી ગયો અને બન્ને ખૂબ ઝડપથી મોટા સ્ટાર્સ બની ગયા, પછી રામ જાણે શું થયું કે, ઈવન આજની તારીખ સુધી બન્ને વચ્ચે કોઇ સમાધાન થયું નહિ. તમે પણ મનોજ-ધર્મેન્દ્રનો કોઇ ફોટો સાથે નહિ જોયો હોય !

ફોટા તો મીના-ધરમના સાથે બહુ જોવા મળતા. પેલા ગૅસ્ટ હાઉસથી મોટા મહેલોમાં ધરમો ગયો હોય તો અફકોર્સ, પોતાના બલબૂતા ઉપર ગયો હતો, પણ એમાં એની ઉપર દિલોજાનથી મોહી પડેલી મીના કુમારીએ નિર્માતાઓને કરેલી ભલામણો (સૉરી, હઠ) પણ ઘણું કામ કરી ગઇ છે.

મીના કદાચ એ વાત જાણતી હતી કે, ધરમો આગળ આવવા માટે કેવળ એનો ઉપયોગ કરી રહ્યો છે. એ પરણેલો હતો અને ઘેર બે છોકરા ય હતા, છતાં મીના સાથેનું પ્રેમપ્રકરણ ગૅસના ફૂગ્ગાની માફક ફિલ્મી આકાશમાં ઘુમે રાખતું હતું. મીનાને ધરમાની આવી બેવફાઇની કોઇ પડી ય નહોતી એટલા માટે કે, ધરમના ગયા પછી તરત જ કોઇ રાહુલ નામનો ઍક્ટર આવ્યો. ધાર્યા મુજબ બન્ને પ્રેમમાં પડી ગયા અને રાહુલ તો ઉંમરમાં ઘણો નાનો હોવા છતાં, મીના કુમારીએ આર્યસમાજ વિધિથી હિંદુ ધર્મ અંગીકાર કરીને બન્નેએ કોઇ મંદિરમાં લગ્ન કરી લીધા. એકાદ-બે એવું કહેનારા નીકળ્યા કે, લગ્ન મંદિરમાં નહિ, ચર્ચમાં થયા છે.

સાથે ફરતા ત્યારે પ્રાયવસીની કોઇ પરવાહ મીનાએ કરી નહોતી, પણ બન્નેના લગ્નની વાતો નીકળી, એટલે મીનાએ ખુલાસો કર્યો કે, રાહુલ તો મારા પુત્ર સમાન છે. એ મને ચોક્કસ ગમે છે, પણ હું એના પ્રેમમાં નથી. બીજી બાજુ, રાહુલે ખુલ્લેઆમ કીધું કે, ભલે અમે ટૅકનિકલી લગ્ન ન કર્યા હોય પણ એ મારી પ્રેમિકા છે અને અમે એકબીજાની હરદમ સાથે છીએ. ટુંકમાં, મીનાએ ધર્મ -પરિવર્તન કરાવ્યાની વાતને સમર્થન મળતું નથી.

આ પછી રાહુલ તો ઊડયો, પણ ફિલ્મ 'દિલ અપના ઔર પ્રિત પરાઇ'વખતે મનમાં વસી ગયેલો 'જાની'રાજકુમાર કેમે ય કરીને હાથમાં નહોતો આવતો. રાજકુમાર ચરિત્રનો પર્મેનૅન્ટ શુધ્ધ રહ્યો. મીના જ નહિ, બીજી કોઇ હીરોઇન સાથે એનું લફરૂં નહિ. કહે છે કે, મીનાની જ હઠને કારણે 'જાની'ને ફિલ્મે 'કાજલ'કે 'પાકીઝા'જેવી ફિલ્મો મળી હતી, પણ મોટા ભાગના એને બકવાસ ગણે છે. રાજકુમારની પર્સનાલિટી અને અભિનયક્ષમતા જ એવી હતી કે, એ ફિલ્મોમાં રાજકુમાર સિવાય અન્ય કોઇને તમે હીરો તરીકે સ્વીકારી પણ ન શકો.

સ્વીકારી શકવામાં આમ તો ફિલ્મોનો કવિ અને લેખક ગુલઝાર મીના કુમારી માટે ઘણો બદનામ થઇ ચૂક્યો હતો, પણ એ બદનામી મીના કુમારીથી મળતી હોય તો મંજૂર છે, એમ સમજીને એ છેક સુધી મીનાનો હમસફર રહ્યો. વચમાં હવાફેર માટે ઉષા ખન્નાનો માજી પતિ સાવન કુમાર ટાંક ('તેરી ગલીયોં મેં ના રખ્ખેંગે કદમ, આજ કે બાદ....') પણ આવી ગયો.

પણ આ બધો લૉટ તો સર્કસના તંબૂ ઉખડી ગયા પછીનો હતો. પ્રારંભ જોરદાર હતો મીના કુમારીનો ! હજી તો ફિલ્મોમાં એ આવું-આવું કરી રહી હતી, ત્યારે 'મગરૂર'નામની ફિલ્મ મળી, એના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નસિમ સાથે એને લફરૂં થઇ ગયું. શરૂઆત જ ખોટી થઇ. મીનાને સોનાની મુર્ગી સમજતા એના પિતા અલી બક્ષ છંછેડાઇ ગયા કે, 'હજી તો પૈસા આવવાની શરૂઆત થઇ છે ને દીકરી આવા કોઇ લફરામાં પડીને પરણી જશે તો હું તો લટકી જઇશ !'એણે સખ્ત પ્રતિબંધો મૂકવા ઉપરાંત, નસિમને ફિલ્મમાંથી કઢાવી નાંખ્યો.

થોડા દિવસો પછી અલી બક્ષ પોતાની બે દીકરીઓ મીના અને મધુ (જે પછીથી મેહમુદની પત્ની બની અને મેહમુદને છોડીને એક કિશોર શર્મા સાથે પરણી ગઇ !) સાથે ગાડીમાં પૂનાથી પાછા આવી રહ્યા હતા, ત્યારે ગાડી બગડી ને મદદ કરવા બીજી મોટી ગાડી ઊભી રહી, તેમાંથી ખૂબ મોંઘા દાટ કપડાં પહેરેલો નસિમ ઉતર્યો, પણ આ નસિમ પેલો નસિમ નહિ...આ તો કોઇ કરોડપતિ બાપનો દીકરો હતો. એની મદદ કરતા એના પૈસાથી અંજાયેલા અલી બક્ષે મુંબઇ પહોંચતા સુધીમાં પોતાનો કરી લીધો. મીના કુમારીનો તો અગાઉ પણ લફરા ઉપર સારો હાથ બેસી ગયો હતો, એટલે એ બન્ને પ્રેમમાં પડી ગયા, નસિમના ફાધરને ખબર પડી, એમાં એ સખ્ત બગડયા ને બન્નેને છુટા પાડી દીધા.

મીના કુમારીએ તાજું તાજું જ 'બૈજુ બાવરા'પતાવ્યું હતું અને એનો હીરો ભારત ભૂષણ મન, કર્મ અને વચનથી ખૂબ ગમી ગયો હતો. એક તો બહુશ્રુત વિદ્વાન અને સૉફ્ટ બોલનારો હોવાથી મીનાને વધુ પસંદ પડી ગયો...(ડફોળ અને તોતડો હોત તો ય મીનાને ક્યાં વાંધો આવે એમ હતો !) પણ ભા.ભૂ. એવો કોઇ સ્વતંત્ર નહતો. પરણેલો હતો અને અત્યંત રૂઢિચુસ્ત પરિવારનો નબીરો હોવાથી, 'ખાનદાન કી ઇજ્જત બચાને કે લિયે'એણે મીના કુમારીને છોડી દીધી... અલબત્ત, નમ્રતાપૂર્વક !

ત્યાં કોઇ મૅગેઝીનમાં કમાલ અમરોહીની શાનદાર પર્સનાલિટી સાથેનો ફોટો જોતા જ મીના ઘટનાસ્થળે જ પાગલ થઇ ગઇ કે, 'પરણું તો આને જ!'

કમાલ સા'બ પણ જોરદાર પરણેલા હતા. 'જોરદાર'એટલા માટે કે એક-બે નહિ, પૂરા ચાર દીકરાઓના એ પિતા હતા... પણ મીના સાથે મૅરેજ થાય તો બીજા ચાર દીકરાઓ ય થાય એ તો-વાળી ભાવનાથી બન્ને પ્રેમમાં પડી ગયા. કે.આસીફ 'મુગલ-એ-આઝમ'બનાવી રહ્યા હતા, પણ ગામ આખું જાણતું હતું કે ફિલ્મ આસિફ બનાવી રહ્યા છે, મતલબ ૨૫-૫૦ વર્ષે ય એ ફિલ્મ પૂરી થશે કે કેમ, એ કૉમિકનો વિષય છે, માટે કમાલ અમરોહીએ એક નિર્માતાને (સૅન્ટ્રલ સ્ટુડિયોના માલિક) પકડીને ફિલ્મ 'અનારકલી'બનાવવાની જાહેરાત કરી. હીરોઇન તો મીના જ હોય ! એમ કહેવાય છે કે, શારીરિક પર્સનાલિટી કે શુદ્ધ ઉર્દુ બોલવામાં કમાલ સાહેબની તોલે તો દિલીપ કુમાર પણ ન આવે ને એમાં ય એમની તેહઝીબ અનોખી હતી. કોઇ પણ પ્રભાવિત થઇ જાય !

પણ દરમ્યાનમાં, ક્રિકેટ મૅચમાં ચાલુ બૅટિંગે ઇજાગ્રસ્ત થઇને કોઇ બેટ્સમૅન પૅવેલિયનમાં પાછો જાય ને સાજો થઇને ફરી પાછો દાવ લેવા આવી જાય, એમ આપણો ભા.ભૂ. પાછો આવી ગયો. કમાલ આઉટ-ભા.ભૂ.ઇન! પણ ભા.ભૂ.ને એકલી મીના કુમારીનું આધાર-કાર્ડ સાચવવાનું નહોતું... મધુબાલા ય એના પ્રેમમાં હતી અને સખ્ત પ્રેમમાં હતી. ફરી પાછો ભા.ભૂ. આઉટ અને કમાલ ઈન ! તારી ભલી થાય ચમના... સૉરી, ચમની ! આખા ભારતમાં તને અમારા કોઇના કાકા, મામા, ફૂઆ, કે માસા-ફાસા કોઇ ન દેખાયા કે એકના એક બૅટ્સમૅનોને ટીમમાં લીધે રાખ્યા...?

ઍનકાઉન્ટર : 06-02-2017

$
0
0
* શું આપણું ફ્યૂચર ખરેખર બ્રાઇટ છે ?
-
પગાર તારીખે ખબર પડે !
(
વેદાંત દિવેચા, વડોદરા)

* તમે આમ આડાઅવળા જવાબો આપવાનું બંધ કરીને સીધા અને સાચા જવાબો આપવાનું ક્યારે શરૂ કરવાના છો ?
-
એને માટે મોટા થઇને તમે અમારી બાળસાપ્તાહિક પૂર્તિમાં સવાલો પૂછો.
(
હિતેન્દ્ર કાકડીયા, સુરત)

* સચિન તેન્ડુલકર વિશે બાયોપિક બનાવો તો હીરો તરીકે કોને લેશો ?
-
હિંદી ફિલ્મોવાળા પાસે વિષયો ખૂટી ગયા છે.. હવે તો ગમે તેવા, ઐરા, ગૈરા, નથ્થુ ખેરાની બાયોપિક બનવા માંડી છે.. એ હિસાબે મારી ય બનશે...
(
આસિફ મનસુરી, ગાંધીનગર)

* સારા માણસો રાજકારણમાં કેમ નથી આવતા ?
-
એમની પાસે બીજા કોઇ કામધંધા હોય કે નહિ ?
(
ધવલ જે. સોની, ગોધરા)

* રાહુલ ગાંધી કહે છે, 'મોદી જવાનોના ખૂનની દલાલી કરે છે.'આવા માણસો વિશે તમે શું કહેશો ?
-
રાહુલજી જવાન છે. કદાચ, આ નિવેદન એમની આત્મકથાનો ભાગ હોય !
(
હસમુખ એન. વોરા, ધોરાજી)

* કેજરીવાલને ઊંધો કરવાથી 'લવારી જ કે ?'થાય ને ?
-
આવા માણસો પાછળ શું કામ આપણી વર્લ્ડ-ફૅમસ કૉલમની જગ્યા બગાડવી ?
(
સુરેશ કાકલોતર, સુરત)

* માત્ર કૉપી-પૅસ્ટ વૉટ્સઍપ મૅસેજોથી બચવા શું કરવું ?
-
આવો કચરો નહિ મોકલવા માટે પહેલા રીકવૅસ્ટ કરો. છતાં ય ન માને તો, કોઇનો ય ડર રાખ્યા વિના સામે 'આવડી ને આવડી'મોકલો.
(
ડૉ. હેમંત રાઠવા, વલ્લભ વિદ્યાનગર)

* ડૉ. મનમોહનસિંઘનું મૌન ક્યારે તૂટે એમ લાગે છે ?
-
એ બોલે, એમાં ય દેશને કદી ફાયદો થયો નથી.
(
નીલ કુંભાણી, સુરત)

* અર્બન ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરવાને બદલે વખોડવાનો ટ્રેન્ડ કેમ ચાલી રહ્યો છે ?
-
અભિષેક જૈન, જિતેન્દ્ર ઠક્કર કે આશિષ કક્કડ જેવી સારી ફિલ્મો બનાવો તો પ્રશંસા થાય છે જ... હવે 'પ્ર.જા.'ની એક સુંદર ગુજરાતી ફિલ્મ આવી રહી છે...
(
હાર્દિક જી. રાવલ, સુરેન્દ્રનગર)

* લેખકો જુદાં જુદાં ઉપનામોથી ઘણી જગ્યાએ લખતા હોય છે... તમે ક્યાં ક્યાં લખો છો?
-
હું જગતના સર્વોત્તમ નામે-એટલે કે, ફક્ત 'અશોક દવે'ના નામે જ લખું છું અને તે પણ વિશ્વના સર્વશ્રેષ્ઠ અખબારમાં જ !
(
દિનેશ પંચાલ, અમદાવાદ)

* સો થપ્પડ ખાધી ને એક મારી... એમાં તો જાણે વિશ્વયુદ્ધ જીત્યા જેવી ઉજવણી ?
-
ડૉન્ટ પૅનિક ! આપણા જવાનોને મારવા માટે હવે પાકિસ્તાની આતંકવાદીઓની જરૂર પડે એમ નથી... જવાનોને અપાતું જમવાનું કાફી છે !
(
મૂકેશ પી. મહેતા, સુરત)

* તમે ક્યારેય સર્જિકલ સ્ટ્રાઇક કરી છે ?
-
હજી આ શબ્દોનું ગુજરાતી કરવાનું ય બાકી છે !
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* કાશ્મીરમાં ત્રણ મહિનાથી હિંસા ચાલુ છે. ઉપાય શું ?
-
ન્યૂસ જોવા/વાંચવાના બંધ કરો.
(
મધુકર મેહતા, વિસનગર)

* શરદ પવાર કહે છે, એ રક્ષામંત્રી હતા ત્યારે આવી તો બહુ સર્જિકલ-સ્ટ્રાઇકો કરી હતી... !
-
રમકડાંની દુકાને આવી સર્જિકલ-સ્ટ્રાઇકની ગૅમ્સ બહુ મળે છે. બાબો રમતો હશે !
(
નીરત ઊનડકટ, રાજકોટ)

* ચાયનીઝ ચીજોના બહિષ્કારનો વાયરો ચાલ્યો છે, પણ મને હોટેલમાં 'મન્ચૂરિયન'બહુ ભાવે છે.. શું કરવું ?
-
હું ચીનમાં જેટલું ફર્યો છું, એમાં એકે ય હોટેલમાં આપણા ઇન્ડિયાની હોટેલોમાં ચાયનીઝ ડિશ મળે છે, એવી એકે ય જોઈ નથી... અહીં માત્ર ચાયનીઝ નામો આપી દીધાં છે. તમે ત્યારે દાબે રાખો.
(
નીતા ગાંધી, જૂનાગઢ)

* 'ઍનકાઉન્ટર'ચા સાથે વાંચવું જોઈએ કે કૉફી સાથે ? જવાબ આપો, તો ખબર પડે... બંને ઠંડાં થાય છે.
-
તમે અમદાવાદના નથી લાગતા. ચા હોય કે કૉફી, કોને ત્યાં પીવા બેઠા છો, એ ઉપરથી જવાબ નક્કી થાય !
(
જયમિન પટેલ, બાર્ટલૅટ-શિકાગો, અમેરિકા)

* આપણો દેશ દુનિયાની સૌથી મોટી તાકાતવાળો દેશ ક્યારે બનશે ?
-
હજી દિલ્હીથી નવી કોઇ સિક્સર નથી આવી.... ! આવે પછી કહું.
(
અફરોઝબેન મીરાણી, મહુવા)

* આ દુનિયામાં કોના ઉપર વિશ્વાસ કરવા જેવો છે ?
-
આપણું કાંઇ ઠેકાણું નહિ, બૉસ... હમણાં મને આઘો રાખજો.
(
ઘનશ્યામ વરીયા, સુરત)

સંતાન માટે હંમેશાં છત્ર બની રહેતાં મા-બાપ માટે સંતાનો આધાર-કાર્ડ કેમ બની શકતા નથી ?
-
તમે તમારાં મા-બાપને જેવી દશામાં રાખ્યાં હશે, એ બધું તમારાં સંતાનો અત્યારે જુએ છે.. એ લોકો નકલ તમારી જ કરશે !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* મને ૬૭-વર્ષ થયાં. મારી ઇચ્છા તમારી ૨૫-મી વર્ષગાંઠ ઊજવવાની છે. મુંબઇ તો આવશો ને ?
-
ડોસીનું તો તમે કાંઇ બોલ્યા જ નહિ ! એને લેતો આવું કે ઘરમાં જમા કરાવી ને ?
(
કાંતિલાલ વી. ખંડોર, મુંબઈ)

* શીરડી મંદિરમાં રૂ. ૫-કરોડનું દાન... ! અંબાજીમાં ૨૫-તોલા સોનું... કોના માટે?
-
હું તો અમદાવાદમાં જ હતો... !
(
પિયુષ સોની, અમદાવાદ)

* હવે પંખો ચાલુ કરતાં ટાઢ વાય છે... હવે સુઉં કિયો છો ?
-
બાને પૂછીને બધું કરવું... ખિજાય નહિ !
(
ભાર્ગવ ગોપાણી, ભાવનગર)

* બીજી એક સર્જિકલ સ્ટ્રાઇક કરીને મોદીજી ઇ.સ. ૨૦૧૯-નું ઇલૅકશન જીતી શકશે ?
-
એમને ઈલેકશન નથી જીતવાનું.... પાકિસ્તાન જીતવાનું છે !
(
જતિન દેસાઈ, મુંબઇ)

પધારો મ્હારે દેસ રે... (હોસ્પિટલમાં)

$
0
0
હૉસ્પિટલમાં ત્રણ કારણે જવાનું થાય છે. એક તો આપણે પોતે દાખલ થવાનું હોય. બીજું ઘરમાં કે સગાસંબંધીમાંથી કોઇને દાખલ કર્યા હોય ને ત્રીજું, કોઈ મૅડિકલ તપાસ કરાવવા આપણે જવાનું હોય. આજ સુધી જગતનો એકેય મુલાકાતી એવો નથી પાક્યો કે, ''આ તો જસ્ટ... આ બાજુથી નીકળ્યા'તા, તે મેં 'કુ... હાલો, એક આંટો મારતા જાંઇ...''એવા ભાવથી અંદર જઇ આવે. અંદર ગયા પછી પણ પૅઇન્ટિંગ્સના ઍક્ઝિબિશનમાં લટાર મારવા નીકળ્યા હો એમાં કમરની પાછળ બન્ને હાથોની આંટી ભરાવીને હળવે હળવે એક એક ચિત્ર પાસેથી પસાર થતા હો, એવું અહીં દરેક દર્દીને ખાટલેથી પસાર થતા ઈમ્પ્રેસ થવાતું નથી.

અહીં તો જરા દુ:ખી થવાનું હોય છે. પૅઇન્ટિંગ્સના પ્રદર્શનમાં મુલાકાતી તરીકે તમને એ પ્રદર્શન કેવું લાગ્યું, એની નોંધ વિઝિટર્સ-બૂકમાં લખવાની હોય એમ અહીં, 'ઓહ વાઉ... આઠ નંબરના પલંગ પર સુવડાવેલા દર્દીને જોઇને ખૂબ ઇમ્પ્રેસ થઇ જવાયું... બન્ને પગ ઉંચા અને ઊંધા લટકાવ્યા હોવા છતાં એના ચેહરા ઉપર કાંઈક ઉપાડવાનો લેશમાત્ર ભાર કે વેદના નહોતી. ઈશ્વર કરે, દરેક હૉસ્પિટલના ખાટલે-ખાટલે આવા દર્દીઓ હોય !'

દુનિયાની આ એક જ જગ્યા એવી છે, જ્યાં આવનાર મેહમાનોનું કોઈ સ્વાગત થતું નથી. આપણે સારા ઘરના હોવા છતાં, નર્સો પૂજાની થાળી લઇને હૉસ્પિટલના દરવાજે આપણને આવકારવા મીઠા મોંઢે ઊભીઓ હોતી નથી. અમારા કાઠીયાવાડમાં તો હરખો આવકાર નો દિયો, તો બીજી વાર કોઈ તમારી હૉસ્પિટલમાં આવે ય નંઇ ! એના સગાઓની સાથે દર્દીને એક કપ ચામાં ચાર ચમચી ખાંડવાળી ચા ધરો, ત્યારે એમનું માન સચવાય. ત્યાંના ડૉક્ટરો કે નર્સો આપણને જોઇને, ''ઓહોહો... તમે અહીં ક્યાંથી ? આવો, આવો આવો...''એમ ત્રણ વાર બોલતા નથી. ઑન ધ કોન્ટ્રારી, આવ્યા છો તો હવે મરવાના થયા છો, એવા હાવભાવ એ લોકોના મોંઢા ઉપર જોવા મળે છે. અલબત્ત, કેટલીકવાર તો મહીં ગયા પછી જીવતા ય બહાર અવાય છે.

બીજી બાજુ, આવકાર-આવકારોમાં ય ફેર હોય છે.કોઈ ફાઇવ-સ્ટાર હૉટેલના ઇવન ગૅટ ઉપર તો ઊભા રહી જુઓ... ગૅટ પર ઊભેલો સીક્યોરિટીવાળો સલામ મારીને હસતે મોંઢે આવકાર આપશે. આપણે માની બેસીએ કે, સગાઈ પછી પહેલીવાર આપણા સાસરે આવ્યા છીએ. આખી ફાઈવ-સ્ટાર હૉટેલ આપણા પૂજ્ય પિતાશ્રીના નામે બનાવી હોય એવા માનપાન મળે. જો કે અંદર ગયા પછી, જે કાંઈ બિલ ચૂકવવાનું આવે, ત્યારે ખબર પડે કે પિતાશ્રી આટલા વહેલા કેમ ગૂજરી ગયેલા ?

સ્ત્રીઓના વસ્ત્રો વેચતી શૉપ્સવાળા તો તમને રસ્તાની સામે પાર જુએ, તો ય આવકાર, લાગણી અને લાલચથી અડધા અડધા થઇ જાય. જતાની સાથે (તમે માલ લો કે ન લો) તમારા માટે કૉલ્ડ-ડ્રિન્ક્સ તો પહેલું આવી જાય ! (આ નવાઇની વાત છે. આખા રાજકોટ-જામનગરમાં કૉલ્ડ-ડ્રિન્ક્સ વેચતી બધી દુકાન કે લારીએ 'કોલડ્રિન્ક્સ'લખ્યું હોય, 'કોલ્ડ-ડ્રિન્ક્સ'નહિ !... તારી ભલી થાય ચમના... એ બાજુ 'કોલ-ગર્લ્સ'ને 'કોલ્ડ-ગર્લ્સ'કહે છે!) છ-સાત સ્ત્રીઓ સાથે ગઇ હોય એટલે ભોળીઓ હિસાબ લગાવે કે, આપણી સાત જણીઓ માટે આખા આખા ગ્લાસ માઝા કે સ્પ્રાઇટ મંગાવ્યું... હવે તો ડ્રેસ અહીંથી જ લેવાના... ના લઈએ તો એવું ખરાબ લાગે કે, 'અમારી માઝા પી ગયા ને ચોળી તો ઠીક... એક ચણીયો ય ના લીધો !'બિચારીઓને એ ગણત્રી ન હોય કે, બધો ભાર કન્યાના બાપને એટલે કે તમારા માથે જ હોય !

આજકાલ તો કોઇની ખબર કાઢવા ય જવા જેવું નથી. હૉસ્પિટલ હોય આટલી મોટી, પણ પાર્કિંગ તો આપણા ઘેર કરતા આવવું પડે. અને જો ત્યાં પાર્કિંગ હોય તો પણ આપણી ગાડી નડિયાદ પાર્ક કરવાની હોય ને હૉસ્પિટલ ભૂજમાં હોય, એટલો ચલાવી-ચલાવીને આપણો દમ કાઢી નાંખે. ખુદ હૉસ્પિટલમાં ય એક વોર્ડમાંથી બીજામાં જવા માટે એ લોકો રીક્ષાની ફૅસિલિટી નથી આપતા. ખરેખર તો વૉર્ડબોય સ્ટ્રેચર ખાલી લઇને જતો હોય તો એ વિઝિટર્સને ભાડે આપી દેવું જોઇએ. આપણે એની ઉપર લાંબા થઇને સુઇ જવાનું ને આપણો વોર્ડ આવે ત્યારે મીટર મુજબ, સ્ટ્રેચરનું ભાડું ચૂકવી દેવાનું !

હોસ્પિટલમાં આવો, એટલે ખર્ચો તો છે જ. વ્યવહાર સાચવવા પૂરતો ય, હૉસ્પિટલવાળા આપણને આવવા-જવાનું ઓલા કે ઉબેર-ભાડું આપતા નથી. વાત સંસ્કારોની તો કરશો જ નહિ... આટલે દૂરથી આટલો ટ્રાફિક વીંધતા વીંધતા આપણે હોસ્પિટલે પહોંચ્યા હોઇએ છતાં, ત્યાં ચા કે નાસ્તા-પાણીનો ય આપણો કોઈ ભાવ પૂછતું નથી. ભારતીય સંસ્કૃતિ મેહમાનોના આવકાર માટે પ્રસિધ્ધ છે, પણ એ વાત અહીં લાગુ પડતી નથી. હજી તો તમે પહોંચ્યા હો અને રીસેપ્શન-કાઉન્ટર પર પર્મેનૅન્ટ મોંઢા ચઢાવીને બેઠેલી કાળીભઠ્ઠ નર્સને સંપૂર્ણ વિવેક-વિનયથી પૂછો, 'બેન (આવીઓને તો પહેલેથી 'બેન'જ કહી દેવી સારી !)'... મંગળાફોઇને કયા રૂમમાં દાખલ કર્યા છે ?

કબુલ કે આપણી ફોઈ એની ય ફોઈ ભલે ન થતી હોય, છતાં કાળુડીએ સ્માઇલ સાથે જવાબ તો આપવો જોઇએ ને ? એને બદલે, આપણે એની પાછળ ચીટીયો ભર્યો હોય એવી તોછડાઈથી જવાબ આપશે, 'ક્યાઆઆ રે...? યાં કોઈ મંગલા-ફંગલા ફોઇ નંઇ હે... રૂમ નંબર બતાઓ.'

વૅકેશનમાં લોકો હિલ-સ્ટેશન્સ જાય છે ને કેટલાક હૉસ્પિટલમાં દાખલ થાય છે ને વૅકેશન ઊભું કરે છે. હિલ-સ્ટેશનમાં વાઈફ સાથે જવાનું હોય છે, જ્યારે હોસ્પિટલમાં ઘણું સમજાવીએ તો ય એ સાથે દાખલ થતી નથી. ભ', સુખમાં સહુ સાથ આપે...! આ તો એક વાત થાય છે !!

પ્રાઈવેટ હોસ્પિટલોમાં વિઝિટર્સ માટે વૅઇટિંગ-રૂમમાં જુદા જુદા મૅગેઝિનો રાખ્યા હોય છે, પણ જનરલ હોસ્પિટલોમાં તો બિલ સિવાય બીજું કાંઈ વાંચવાનું મળતું નથી. એ વાત જુદી છે કે, પ્રાયવેટ ડૉક્ટરોના કન્સલ્ટિંગ-રૂમ્સમાં પડેલા મૅગેઝિનોની જન્મ તારીખ સાથે આજની તારીખ મળતી નથી. એ તો સદીઓ પુરાણા પણ હોય ! હું પોતે એક વાર ચમકેલો. નીચે પડેલું મૅગેઝિન ઉઠાવ્યું તો મુખપૃષ્ઠ ઉપર જ માઠા સમાચાર, 'ભારતના વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા.'આપણે તો ચોંકી જઇએ ને કે, એકના એક વડાપ્રધાનની બબ્બે વાર હત્યા કેવી રીતે થાય ? ખિસ્સું કાપતા પકડાયેલા કાતરૂને લોકોએ પકડીને ધોઈ નાંખ્યો હોય, એવી હાલતમાં મૅગેઝિનો ડોક્ટરોને ત્યાં પડેલા હોય !

હૉસ્પિટલોમાં સૌથી વધુ કોમેડી આઈસીયૂ-માં થતી હોય છે. બહાર ઊભેલાઓના મોંઢા જોવા જેવા હોય છે, કેમ જાણે અંદર સૂતેલો પતી ગયો હોય, એવા હાવભાવ સાથે બહાર દર્દીઓ અદબ વાળીને ઊભા હોય. બોલવાનું પણ ધીમા છપછપ અવાજે, ''... અંદર કોઈને જવા દેતા નથી... એક એક જઇ આવવાનું ને એક મિનિટમાં પાછા આવી જવાનું !''

એક મિનિટમાં પાછા આવી જવામાં ય આપણા લોકોના મોંઢા ચડે. બાજુના પલંગમાં એને હુવડાવી દીધો હોય તો મોંઢા ન ચઢે ! આમે ય, 'ઇન્ટેન્સિવ કૅર યુનિટ'બધી રીતે મોંઘુ પડતું હોય છે. રિબાયેલા સગાઓ એને 'ઍક્સપૅન્સિવ કૅર યુનિટ'પણ કહે છે. આ યુનિટની બહાર ખબર કાઢવા આવનારા બધાને ખબર કાઢતા આવડે, એ જરૂરી નથી. મોટા ભાગનાનો સવાલ કોમન હોય છે, 'ક્યારે કાઢવાના છે ?'એમનો મતલબ, આઈસી-યૂમાંથી ક્યારે કાઢવાના છે, એવો હોય, પણ... આવો સવાલ સાંભળીને અંદર સૂતેલાનો બાપ તો બહાર જ ડચકું ખાઈ લે કે નહિ ?

હોસ્પિટલ એક જ એવી જગ્યા છે, જ્યાં 'પોઝિટીવ'નો અર્થ 'ખરાબ'થાય છે ! 'તમારો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે...'એ સમાચાર પોઝિટીવ ન કહેવાય !

સિક્સર
- '
યારા, તુઝમેં રબ દિખતા હૈ, મૈં ક્યા કરૂં?'
-
તારે બીજું કાંઈ કરવાની જરૂર નથી... મારો મોબાઈલ મળતો નથી... રબની આજુબાજુમાં ક્યાંક મારો મોબાઈલ દેખાય તો જણાવજે.

'કિસ્મત કા ખેલ' ('૫૬)

$
0
0
ફિલ્મ  :  'કિસ્મત કા ખેલ' ('૫૬)
નિર્માતા  :  સાહુ ફિલ્મ્સ લિ.,
દિગ્દર્શક  :  કિશોર સાહુ
સંગીત  :  શંકર-જયકિશન
ગીતકારો  :  શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ  :  ૧૫-રીલ્સ  :  ૯૬-મિનિટ્સ
કલાકારો  :  વૈજ્યંતિમાલા, સુનિલ દત્ત, બેગમ પારા, કમલજીત, યશોધરા કાત્જુ, શ્રીનાથ, ભૂડો અડવાણી, ઉમાદેવી (ટુનટુન), કંચનમાલા, મોની ચેટર્જી, જગદીપ, જગદિશ કંવલ.

ગીતો
૧.    કિસ્મત કા ખેલ હૈ જનાબેઆલી...    લતા મંગેશકર
૨.    ન બૂરે, ન ભલે, હમ ગરીબ ગમ કે પલે...    લતા મંગેશકર
૩.    અર્જ હૈ આપસે ઔર આપસે ભી...    લતા મંગેશકર
૪.    તૂ માને યા ન માને, બલમ અન્જાને...    લતા મંગેશકર
૫.    ચલો લે ચલું મૈં તારોં મેં રંગ રંગીલે...    આશા ભોંસલે
૬.    અય ઝમી અય આસમાં, ઇતના બતા...    લતા મંગેશકર
૭.    કહે દો જી કહે દો છુપાઓ ન પ્યાર...    લતા-મન્ના ડે
છેલ્લા બે ગીતો હસરતના, બાકી બધા શૈલેન્દ્રએ લખ્યા હતા.
(
ફિલ્મના ટાઇટલ્સમાં આશા ભોંસલેનું નામ નથી.)

થોડું ય માનવામાં આવે ખરૂંકે, ફિલ્મ શંકર-જયકિશનની હોવા છતાં એક પણ-આઈ રીપિટ, એક પણ ગીત કોઈએ સાંભળેલું ન હોય? આઈ મીન, નવરા પડીએ ત્યારે કેવળ શંકર-જયકિશનના ગીતો આરામ ખુરશીમાં બેઠા બેઠા ગુનગુનાવતા હોય, એવા એસ.જે.ના પાગલતાની હદે પહોંચી ચૂકેલા ચાહકોએ પણ એસજેની આ ફિલ્મનું એક પણ ગીત સાંભળ્યું ન હોય, એ તો કેવી અજબ જેવી વાત છે! તેલુગુ ફિલ્મ 'પ્રેમાલેખલુ' ('૫૩)માં સંગીત એ બન્નેનું હતું, અને આપણે એનું એકેય તેલગુ ગીત સાંભળ્યું ન હોય તો આપણને માફ કરી દેવા જોઈએ, પણ આ કેવું લાગે કે, ભારતના આ બન્ને સર્વોત્તમ સંગીતકારોની પ્રારંભની ફિલ્મો પૈકી જેના ગીતો ખાસ ઉપડયા નહિ, એવી ફિલ્મો પર્બત, કાલી ઘટા, ઔરત, મયૂરપંખ, નગીના, પૂનમ, આસ કે નયા ઘરના ય એકાદ-બે એકાદ-બે ગીતો તો કાને પડયા હોય...! આ એક જ ફિલ્મ 'કિસ્મત કા ખેલ'એવી નીકળે કે, કોઈ પિચ ન પડી કે એનું એકે ય ગીત આપણામાંથી કોઈએ કેમ સાંભળ્યું પણ નથી... ગમવાની વાત તો જાવા દિયો!

એ દિવસો શંકર-જયકિશનના દોમદોમ સાહ્યબીના હતા. કોઈ ફિલ્મના કોઈ ગીતમાં એ બન્નેએ ક્યાંય વેઠ ઉતારી જાણ્યું નથી. આજની ફિલ્મ 'કિસ્મત કા ખેલ'માં પણ નહિ! તો પછી '૭૦-પહેલાની એમની એકોએક ફિલ્મમાંથી એક આ જ કેમ એવી નીકળી, જે સંગીતમાં સદંતર ફ્લૉપ ગઈ?

હું નતમસ્તક શંકર-જયકિશનનો ચાહક છું, તે એટલે સુધી કે બાકીના બધા સંગીતકારો મારા લિસ્ટમાં નંબર-બેથી શરૂથાય... પહેલા તો શંકર-જયકિશન જ! અને એટલે ગીત તો મને ય એક પણ ગમ્યું ન હોવા છતાં વારાફરતી એક એક ગીત ધ્યાનથી સાંભળી જોયું, 'ક્યાંય આ બન્નેની મેહનતમાં કચાશ છે? એસ.જે.નો ટચ ન દેખાય એવા ગીતો છે? એ બન્નેની યૂઝવલ સ્ટાઇલથી બન્નેનું સંગીત દૂર જતું રહ્યું હતું? જવાબો 'ના'માં આવ્યા. એમની મેહનત અને દરેક ફિલ્મના સંગીત જેવું સમર્પણ આ ફિલ્મના ગીતોમાં ય હતું જ. વેઠ ઉતારી હોત તો આવી એકાદ ફિલ્મ પછી છેક સુધી ધબડકો ય નોંધાયો હોત...! એમની મહેનત પર કોઇ શંકા થઇ શકે એમ નથી.

છતાં ય, ફિયાસ્કો આવો કેમ થયો?

મારા શોધી કાઢેલા કારણો સાથે વાચકોએ સહમત થવું જરૂરી નથી... પણ થવું તો પડશે કારણ કે, આટલા મોટા સ્ટ્રાઈક-રેટ સાથેની એમની એકોએક ફિલ્મોમાંથી એક આ બાળક થોડું કદરૂપું નીકળ્યું, એમાં મા-બાપનો વાંક શું? દરેક ગીતમાં એસ.જે.નો એ જ વર્લ્ડ-ફેમસ ટચ દેખાય અને સંભળાય પણ છે. એમની મેહનતને અભેરાઈ પર મૂકીને નીચે બેઠા અવલોકનો કરાય એમ નથી. જો એ જમાનામાં કે એ પછી આ જ બધા ગીતો આપણને સાંભળવા મળ્યા હોત તો પૉસિબલ છે, ભલે 'આવારા'કે 'શ્રી. ૪૨૦'જેવા નહિ, તો 'દાગ'કે 'પતિતા'જેવા ગુણીયલ ગીતો તો આ 'કિસ્મત કા ખેલ'ના ય છે! એ જમાનામાં કોઈ પણ ફિલ્મોના ગીતોને હિટ બનાવવાનો 'પરવાનો' (!) કેવળ રેડિયો પાસે હતો. ગ્રામોફોનની રેકર્ડ્સ માત્ર રૂ. ૨/- કે અઢીમાં મળતી, પણ એ અઢી રૂપિયા ૯૦-ટકા સંગીત શોખિનોને પોસાય એટલી કોઈ નાની રકમ નહોતી. (આ તો બહુ દાયકાઓ પહેલાની વાત છે પણ અંગત રીતે હું '૭૦-ના દાયકામાં રોજના રૂ. ૩.૫૦ લેખે હિમાભાઈ મિલમાં મજૂર તરીકે કમાતો, એ ય મને યાદ છે, કોઈ સાવ નાની રકમ નહોતી. રોજ તો બદલી મળે નહિ, એટલે મહિનાના વીસેક દિવસોને હિસાબે ૭૦-૮૦ રૂપિયા કમાતો, એ મસ્તક ઊંચું રાખવાની નહિ, તો પણ શરમથી માથું ઝૂકાવી દેવા જેટલી ફાલતુ રકમે ય નહોતી.

પરિણામે, એ સમયની બધી ફિલ્મોને પૈસા ખવડાવવાથી માંડીને રેડિયોવાળાઓની ચમચાગીરી કરવા સુધીના લેવલે પણ જવું પડતું. નામ ક્યાં કોઈના લખાય, પણ પોતાના પ્રોગ્રામ કે રેડિયો સ્ટેશનમાં એક ગીત વગાડવાના તગડા રૂપીયા ચૂકવવા પડતા. અત્યારે હસવું આવે કે, 'રાજાનંદગાંવ, ઝૂમરીતલૈયા કે ખામગાંવ સે બ્રીજબિહારી ઔર મંગતરામજી કી ફર્માઇશ પર આઈયે સુનતે હૈં ફિલ્મ...'એ મંગતરામો કે ઝૂમરીતલૈયા જેવા કોઈ અસ્તિત્વો જ આ દેશમાં નહોતા. નવાઈ લાગતી કે, આવા ન સાંભળેલા ગામોના સંગીતચાહકો રેડિયો પર પોતાની ફર્માઇશ મોકલાવે છે તો એ ૨૦-૩૦ વર્ષોમાં એક પણ ફર્માઇશ મુંબઈ, દિલ્હી કે એહમદાવાદ સે... કેમ નહિ? શું આ શહેરમાં કોઈ સંગીત સાંભળનારાઓ જ નહોતા? બિનાકા ગીતમાલાની આખરી પાયદાન પર પોતાની ફિલ્મનું ગીત આવે, એ માટે સંગીતકારો ફિલ્મના નિર્માતા, દિગ્દર્શકો કે ગાયકો જ નહિ, જે તે ફિલ્મના વિતરકો (ડિસ્ટ્રીબ્યુટર્સ) પણ રમાય એટલા કાવાદાવા કરતા.

બધું જ, આપણે માનીએ છીએ એટલું નૈતિક નહોતું. પરિણામે, 'કિસ્મત કા ખેલ'ના ગીતો મધુરા હોવા છતાં કેમ જામ્યા નહિ, એના જવાબો કેવળ ધારણાઓ ઉપર જ છોડવા પડે, નહિ તો જુઓ ને... બિચારી આશા ભોંસલેનો શું વાંક હશે કે આ જ ફિલ્મમાં એણે ગાયેલું, 'ચલો લે ચલું મૈં તારોં મેં રંગ રંગીલે...'સુંદર ગીત હોવા છતાં ખુદ ફિલ્મના નિર્માતા કિશોર સાહુએ જ ફિલ્મના ટાઈટલ્સમાંથી આશાનું નામ ઉડાડી દીધું છે! બહુ પછીના વર્ષોમાં સાહુને પોતાની નિર્માણ કરેલી ફિલ્મ 'હરે કાંચ કી ચૂડીયાં'માં એ જ શંકર-જયકિશન પાસે એ જ આશા પાસે કેવા સદાબહાર ગીતો ગવડાવ્યા છે? 'ધાની ચૂંદડી પહેન, સજ કે બન કે દુલ્હન, જાઉંગી ઉનકે ઘર...'અને મુહમ્મદ રફી સાથે 'પંછી રે ઓ પંછી, ઊડ જા રે ઓ પંછી...'જેવા મીઠાં ગીતો ગવડાવ્યા જ છે ને!

યસ. શંકર-જયકિશનને આજપર્યંત જીવિત રાખવાનું દુષ્કર કામ અમદાવાદનું 'શંકર-જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન'કરે છે. કોઈ પણ પૈસો લીધા વગર, શંકર-જયકિશનનું સર્જન બની શકે એટલી સીમાઓ સુધી ફેલાવવાનું કામ કરીને 'એસજેએમએફ'નિયમિતપણે આ સંગીતકાર બેલડીના સંગીતનો પ્રસાર કરવા માટે ગાંઠના ગોપીચંદન કરીને પણ એ મહાન સંગીતકારોને વધુ મહાન બનાવ્યા છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'સાંવરીયા'માં સોનમ કપૂરની દાદીનો રોલ કરી ચૂકેલ અભિનેત્રી બેગમ પારા આ ફિલ્મમાં ફાલતુ છતાં વાર્તામાં ગણવો પડે, એવો કિરદાર નિભાવે છે. એ જમાનામાં સેક્સ-સિમ્બોલ ગણાતી બેગમ પારા દિલીપ કુમારના નાના ભાઈ નાસિર ખાનને પરણી હતી અને ફિલ્મોમાં છુટમમુટક રોલ કરતી, છતાં એ જમાનાના 'ફિલ્મફેર'કે 'માધુરી'જેવા મેગેઝીનોના સેન્ટ્રલ-સ્પ્રેડ (બરોબર વચ્ચેના બે પાના) ઉપર એ સ્વિમ-સ્યૂટ પહેરેલા સેક્સી ફોટા બિન્ધાસ્ત છપાવતી. એ વાત જુદી છે કે, દિલીપ કુમારને ભાઈઓ સાથે કદી બન્યું નથી, એટલે બેગમ પારા-નાસિર ખાન સાથે પણ પ્રોપર્ટીના ઝગડામાં આ બન્ને ખલાસ થઈ ગયા... બીજા ભાઈઓ એહસાન ખાન અને અયુબ ખાનની માફક!

ભારતને પેટ ભરીને ગાળો દીધા પછી પાકિસ્તાન જતા રહેલા મુસલમાન ફિલ્મ કલાકારો વીલે મોંઢે પસ્તાઈને પાછા આવતા રહ્યા, એમાં આ બેગમ પારાનો ય નંબર ખરો! આમિર, સૈફ અને અક્ષય ખન્નાની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'માં પ્રીતિ ઝિન્ટાના જેલસ પ્રેમીનો રોલ કરનાર અયુબ ખાન બેગમ પારાનો દીકરો થાય.

સરપ્રાઈઝ પેકેટ તરીકે આ ફિલ્મમાં વહિદા રહેમાનનો હસબન્ડ કમલજીત આ બેગમ પારાને ફસાવીને લગ્ન કરવા માંગતા પ્રેમીનો રોલ કરે છે. કબિર બેદીનો બિલકુલ હમશકલ લાગતો આ કમલજીત (અસલી નામ, શશી રેખી) ફિલ્મ 'સન ઑફ ઈન્ડિયા'માં હીરો બની કુમકુમની સાથે 'દિલ તોડનેવાલે, તુઝે દિલ ઢુંઢ રહા હૈ...'ગાય છે. વહિદાને તેના અગાઉના બન્ને હિંદુ પ્રેમીઓ ગુરુ દત્ત અને વિજય આનંદે ઈસ્લામ કબુલ કરવાની ચોખ્ખી ના પાડી દીધા પછી એણે કમલજીતને ચાન્સ આપ્યો હતો, જે તેણે સ્વીકારી તો લીધો હતો, પણ નિકાહ કરી લીધા પછી પાછો કમલજીત હિંદુ બની જતા, બન્ને વચ્ચે કાયમી ખટરાગ ઊભો થઈ ગયો હતો. કમલજીત લાંબી બિમારી પછી ગૂજરી ગયો.

મુહમ્મદ ઉમર મુકરીનું ૭૮-વર્ષે મુંબઈમાં હાર્ટ-ફેઈલથી અવસાન થયું. મુકરી અને દિલીપ કુમાર સ્કૂલમાં એક સાથે ભણ્યા હતા, એ હિસાબે બન્નેની દોસ્તી એટલી હદે કાયમ હતી કે, દિલીપે પોતાની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં મુકરીને લેવડાવ્યો છે.

રાજ કપૂરની ફિલ્મ 'બુટ પોલીસ'માં 'લપક ઝપક તુ આ રે બદરવા...' (રાગ  :  અડાણા) ગાતો બોખો અને ટાલ-સમ્રાટ દોલતરામ અડવાણી ઉર્ફે ભૂડો અડવાણી આપણા લાલકૃષ્ણ અડવાણીનો કોઈ સગો થતો હતો કે નહિ, એ થતો હોય તો ય આપણે જાણીને શું કામ છે, પણ આ ભૂડોએ સિંધી હોવાને નાતે, ધ્વસ્ત થઈ રહેલા સિંધી થીયેટરને બેઠું કરવા માટે '૬૧ની સાલમાં મોતીપ્રકાશ અને મેંઘાણી સાથે અથાગ પ્રયાસો કર્યા હતા.

ફિલ્મ 'ગાઈડ'માં વહિદા રહેમાનના પતિ બનનાર કિશોર સાહુએ આ ફિલ્મનું નિર્માણકર્યું હતું. '૪૦ના દશકનો એ સફળ નિર્માતા-દિગ્દર્શક કહેવાતો. આ ફિલ્મ દ્વારા એણે એક અનોખું કામ પણ કર્યું હતું. મોટા ભાગે નિર્માતાઓ ફાઈનાન્સરો પાસેથી મોટા વ્યાજે ઉધારે પૈસા માંગીને ફિલ્મ બનાવતા હોય છે. કિશોરે બહુ રેર કહી શકાય, એવી પોતાની ફિલ્મ કંપનીને 'લિમિટેડ'બનાવીને આ ફિલ્મ ઉતારી હતી. અર્થાત્, ફિલ્મ બનાવવાના પૈસા શેરહોલ્ડરો પાસેથી ઉઘરાવ્યા હતા. કલાકાર તો પોતે હતો જ અને એ જમાનાની કદાચ સૌથી વધુ ખૂબસુરત, અત્યંત બુધ્ધિશાળી, જન્મજાત અમીર અને તેજસ્વી હીરોઈન સ્નેહપ્રભા પ્રધાન સાથે લગ્ન અને થોડા વખતમાં ડાયવોર્સ લઈ લીધા હતા. સ્નેહપ્રભા કોઈનાથી સચવાય એવી સ્ત્રી હતી પણ નહિ. કિશોર નપૂંસક પતિ છે, એવા આક્ષેપસર એણે છુટાછેડા માંગ્યા હતા, જેની સામે કિશોરે બહુ હિમ્મતભેર પોતાના અખંડ પુરૂષાતનનો ભરી અદાલતમાં ટેસ્ટ લઈ જોવાની નામદાર કોર્ટને વિનંતી કરીને કેસ જીતી ગયો હતો.

આ ફિલ્મમાં સુનિલ દત્ત એક ગ્રેજ્યુએટ યુવાન તરીકે સેઠ મેહતા (મોની ચેટર્જી) પાસે નોકરી માંગવા જાય છે, જ્યાં સેઠનો મેનેજર છુપાઈને સેઠનું ખૂન કરી દે છે, જેનો આક્ષેપ સુનિલ ઉપર આવે છે. સેઠની દીકરી બેગમ પારા અને ધંધાનો ભાગીદાર રતનલાલ કપૂર (કમલજીત)ને પણ સુનિલ ઉપર શક નહિ, યકીન છે. દરમ્યાનમાં ભાગતો-ફરતો સુનિલને બસ્તીવાલોં કે પાસ આવી જાય છે, જ્યાંની 'બૉસ'વૈજ્યંતિમાલા અને એનો ચમચો મુકરી આશરો આપે છે. જગદીપ, ભૂડો આડવાણી અને યશોધરા કાત્જુ બધા બસ્તીવાલે છે અને નાનીઅમથી બેઈમાનીથી ગરીબી પસાર કરે છે, જેને સુનિલ સુધારવાના પ્રયાસમાં ગુસ્સે થઈને પચ્ચી વાર બસ્તી છોડવાની ધમકી આપે ખરો, પણ જતો નથી. છેવટે વૈજ્યંતિમાલા અસલી ખૂનીને પકડાવી ફિલ્મનો અંત લાવે છે.

સુનિલ દત્ત એ રીતે જોવા જઈએ તો અનોખો કલાકાર હતો. આખી કરિયરમાં કોઈ હીરોઈન કે સ્ત્રી સાથે લફરૂનહિ. એ સમયની ઑલમોસ્ટ તમામ અભિનેત્રીઓ સાથે અનેક ફિલ્મો કરનારો એ એક માત્ર હીરો હતો. વહિદા રહેમાન, મીના કુમારી, નંદા, આશા પારેખ, વૈજ્યંતિમાલા, નિમ્મી, સાધના, નૂતન, રેખા, રાખી, માલા સિન્હા, સાયરા બાનુ અને હવાફેર ખાતર પોતાના પત્ની નરગીસ સાથે (ફિલ્મ 'યાદેં') પણ કરી હતી.

આ ફિલ્મ એ જમાનાની હતી, જ્યારે ફિલ્મોમાં ટેકનિક વિકસી નહોતી, પરિણામે કેમેરાથી માંડીને સઘળું બીબાંઢાળ દેખાય જેમ કે, ફાઇટિંગમાં હીરો અને વિલન બન્ને ઉખડયા વિના ચોંટેલા રહીને મારમારી કરે રાખે. '૬૦-ના જમાના પછી એ લોકો છુટ્ટા હાથની મારામારીઓ કરતા શીખ્યા. એક ફેંટ મારીને વિલનને પચાસ ફૂટ દૂર ફંગોળી દેવાની શરૂઆત '૫૦-ની ફિલ્મોમાં જવલ્લે જ દેખાતી.

કમનસીબે, એકે ય કોર્નરથી આ ફિલ્મ જોવાની ભલામણ તમને કરી શકાય એમ નથી.

ઍનકાઉન્ટર : 12-02-2017

$
0
0
* ઉંમર વધે પણ અક્કલ ના વધે તો ?
- કૉંગ્રેસમાં જોડાઇ શકાય !
(પી.એમ. જોશી, નેત્રામલી-ઈડર)

* કૉંગ્રેસને કોણ તારશે ? રાહુલ કે પ્રિયંકા ?
- મોદી સિવાય પણ દેશ માટે બોલવા માટેનો એકે મુદ્દો પણ કોંગ્રેસને તારશે !
(કૌશિક શાંતિલાલ શાહ, ભાવનગર)

* રામસે બ્રધર્સે હૉરર ફિલ્મો બનાવવાનું બંધ કેમ કર્યું હશે ?
- આપણી ઘણી નવી હીરોઇનો જોયા પછી પ્રેક્ષકોને બિવડાવવા માટે બનાવટી ભૂત-ડાકણોની જરૂર પડે એમ નથી !
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)

* હવે 'ઍનકાઉન્ટર'ને બદલે 'સર્જિકલ સ્ટ્રાઇક'નામ રાખો તો ?
- ઍનકાઉન્ટરમાં કોઇ પૂછશે તો નહિંને...?... કે સાબિતી લાવો !
(ઠાકોરભાઈ વી. બારીયા, વડોદરા)

* અમદાવાદ આવ્યા ત્યારે તમે અરવિંદ કેજરીવાલને મળવા ગયા હતા ?
- કોણ છે એ ભ'?... દૂધની કૅબિને કામ કરતા કોઈ કામદાર છે ?
(હર્ષિત દવે, સુરત)

* સીએ-ની પરીક્ષા કઇ રીતે પાસ કરી શકાય ?
- પરીક્ષા આપીને.
(અપૂર્વ પટેલ, અમદાવાદ)

* સમગ્ર વિશ્વમાં સૌથી વધુ સફળ ગુજરાતીઓ જ કેમ છે ?
- એ લોકો ગુજરાત ઉપરાંત અન્ય ભારતીયોનો પણ એટલો જ આદર કરે છે, માટે !
(મેહૂલ વોરા, જામનગર)

* પાકિસ્તાન શાંતિથી જીવવા કેમ નથી માંગતું ?
- શાંતિથી મરવું નથી માટે !
(હિના પાનસૂરીયા, જૂનાગઢ)

* 'વૉટ્સઍપીયા'સુવિચારોથી શું સમાજ બદલાઈ જશે ?
- મોટા ભાગના લોકોને બીજા ઉપર કોગળા કરવાની હવે આદત પડી ગઈ છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* ઘણા વખતથી તમે પંખો ચાલુ કરવાનું નથી કીધું.. !
- પંદર દહાડા ખમી જાઓ....
(જગજીવન મેતલીયા, ભાવનગર)

* પૈસાના અભાવે જ ઘરમાં ઝગડા થતા હોય તો શાંતિ કેવી રીતે આવે ?
- મને નક્કી કરીને કહો... વધારે જરૂર પૈસાની છે કે શાંતિની ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* 'ઊલટા ચશ્મા'માં ઐયરભાઈને ત્યાં પારણું ક્યારે બંધાશે ?
- તમારે બાળાગોળીનો બિઝનૅસ છે ?
(નિશા દિવ્યેશ પટેલ, સુરત)

* મેં MCAકર્યું છે. મારે ઇન્ડિયન આર્મીમાં જોડાવું છે. સલાહ આપશો ?
- તમને દેશનો વિચાર પહેલો આવ્યો... આર્મીમાં જોડાતા પહેલાં તમને સલામ.
(નિતેષ વાઘેલા, આણંદ)

* મીસકૉલ કરનારાને સીધા કેવી રીતે કરવા ?
- ફોન ઉપાડતાં જ બોલો, 'ડીવાયઍસપી રાઠોડ સ્પીકિંગ...!!'
(દીપક આશરા, ગાંધીનગર)

* તમે 'અશોક દવે'ને ઓળખો છો ?
- સવારે દાઢી ચાલુ હોય ત્યાં સુધી ઓળખું. (મારી પોતાની દાઢી સમજવી)
(દર્શિલ આર. જેઠવા, ભાવનગર)

* 'કાગડો દહીંથરું લઈ ગયો.'આમાં કાગડો તો ઓળખાયો, પણ આ 'દહીંથરું'એટલે શું ?
- ઓહ... ! હવે તો તમારે દહીંથરાને જાણવાની જરૂર જ ક્યાં રહી ?
(વિકાસ ડી. વ્યાસ, અમદાવાદ)

* 'આં'તકવાદ કે આ'તં'કવાદ... સાચું શું ?
- કેટલું ય શિખવાડીએ, તો ય ગુજરાતીઓ આન્તક-વાદ જ બોલે છે, આ-તંકવાદને બદલે ! બર્થ-ડે પાર્ટીઓમાં પણ એક શબ્દ ઇંગ્લિશમાં બોલવાનો હોય, એ પણ ધરાહાર ખોટો બોલાય છે, 'મોમૅન્ટો'. આ નામનો કોઇ શબ્દ જ નથી. સાચો શબ્દ 'મૅમેન્ટો'છે. જો કે, ઑક્સફર્ડ ડિક્શનૅરી અને વૅબસ્ટર્સની ત્રીજી ઇન્ટરનૅશનલ આવૃત્તિમાં 'મૉમેન્ટો'ઉચ્ચાર ખોટાઉચ્ચારની મજબૂરી સાથે સ્વીકારાયો છે. આપણે તો 'મૅમેન્ટો'જ બોલાય !
(કલ્પના સંજય અંધારીયા, ભાવનગર)

* ભગવાન માણસને બનાવી લીધા પછી શું વિચારતા હશે ?
- ભગવાન પણ કાંઇ વિચારતા હશે, એવું આજની સ્થિતિ જોઇને માનવામાં આવે છે ?
(પુલિન સી. વ્યાસ, સુરેન્દ્રનગર)

* બધા વૈજ્ઞાનિકોના વાળ ઊંચા કેમ હોય છે ?
- એ તો ખબર નથી, પણ જેના વાળ ઊંચા થઈ ગયા હોય, એને વૈજ્ઞાનિક માની બેસતા નહિ. સલૂનમાં બાલદાઢીનો ચાર્જ સાંભળ્યા પછી ઘણા ગ્રાહકોના વાળ ઊંચા થઇ જાય છે.
(લલિત દોશી, કરજણ-વડોદરા)

* પહેલું સુખ તે જાતે નર્યા. તો પહેલું દુ:ખ એ ?
- દરવાજામાં આંગળી ભરાઇ જાય એ !
(ધવલ જે. સોની, ગોધરા)

* ચૂંટણી ટાણે નેતાઓ ખેડૂતોના હિતની મોટી મોટી વાતો કરે છે, પણ ચૂંટાયા પછી એમને ઉદ્યોગપતિઓ જ દેખાય છે...!
- ઉદ્યોગપતિઓથી તો સરકારો ચાલે છે, પણ બાકીની પ્રજા તો દેશ ચલાવે છે.... પ્રજા જો ચાલી, તો આ લોકો નહિ ચાલે... સુઉં કિયો છો ?
(રાજભા લાધાભા વાઢેર, બાંટવા-માણાવદર)

* લેખકે ભેટ આપેલા પુસ્તકનો કોઇ પ્રતિભાવ ન આપતા મિત્રો પાસેથી તમે શું અપેક્ષા રાખો છો ?
- ખેલદિલીપૂર્વક મિત્રોએ પુસ્તક લેખકને પાછું મોકલાવી દેવું જોઇએ. એમાં બંને પક્ષે કોઇ નાનમ નથી.
(દિવ્યા સુરતી, અમદાવાદ)

* મારી મમ્મી તો તમારી કૉલમો વાંચીને ખૂબ હસે છે, પણ મને હસવું નથી આવતું.... કેમ ?
- મને ય બીજું કોઇ હસતું હોય, એ જોઇને હસવું ન આવે !
(નિધિ સંજય પટેલ, અમદાવાદ)

* પ્રેમમાં પડવા માટે કયાં સાધનોની જરૂર પડે ?
- ભાગવા માટેના સારા સ્પોર્ટ્સ-શૂઝ, શરીરે બહુ નબળો સાળો, ઉપર કબુતરાં ન બેઠા હોય એવું ઝાડ, એક પ્રેમિકા અને ઘેર ખીજાય નહિ એવી બા.
(બનવાસ હી. મેહતા, વડોદરા)

મેહમાં જો હમારા હોતા હૈ...

$
0
0
હવે અગાઉના કાઠીયાવાડ જેવું નથી રહ્યું કે, બહારગામ જઇએ એટલે કોઇ સગાસંબંધીને ત્યાં જ ઉતરવાનું હોય. હોટલો તો હતી નહિ. બહુ બહુ તો ધર્મશાળા, વીશી અને લૉજ હોય. લૉજમાં તમને અલાયદો રૂમ ન મળે. બધાની ભેગો રૂમ શૅર કરવાનો. સુતા પછી ઓઢવાના ગોદડાંની ખેંચમખેંચી થતી હોય... જમવાનું ય બધા ગ્રાહકો બપોરે ટાઇમસર આવી જાય પછી જમીન પર થાળી–વાટકા પાથરીને બેસવાનું. મહારાજ એટલે કે રસોઇયો ઉઘાડા ડીલે આપણી નજર સામે રોટલીઓ ઉતારતો જાય. વાડકો ખખડાવો એટલે બીજી વાર દાળ આવે. ધર્મશાળાઓ વધુ લોકપ્રિય હતી, પણ કાયદા કડક, એટલે બધાને ન ફાવે ! અલબત્ત, બ્રાહ્મણો અને વૈષ્ણવો લૉજ કે વીશીમાં કદી ન ઉતરતા.

એ સિવાયનો બીજો રસ્તો હતો, કોક સગાને ઘેર ઉતરવાનો. આમંત્રણ હોય કે ના હોય... એના ગામમાં હાજરાહુજુર થયા એટલે અઠવાડિયું રોકાઈને જ અવાય ! એમાં એ લોકોનો ખાસ કોઈ ફૉસ ન હોય... આપણે જ સમજીને બે–ચાર દહાડા વધારે રોકાઈને આવવાનું હોય ! વળતા હુમલા તરીકે એ લોકો આવીને આપણા ઘેર તંબુ તાણતા હોય એટલે આઈધર સાઇડ કોઇ ઉપકાર–બૂપકાર જેવું ન લાગે !

પૈસેટકે હું હજી તો ખમતીધર થયો નથી કે, હોટલમાં ઉતરવું પોસાય અને બહારગામ જઇએ ત્યારે એવું કોઇ ઉમળકાથી બોલાવતું ય નથી કે, ‘અરે હોય કાંઈ...? તમારે તો આપણા ઘેર જ ઉતરવાનું છે...!’ પછી આપણું મોઢું જોઇને સ્માઇલ સાથે કહે, ‘હવે નૅક્સ્ટ ટાઇમ આવો ત્યારે આપણા ઘેર જ ઉતરજો... બીજી વાર કે’વું નો પડે ! ચંપકે પહેલીવારનું ય કીધું ન હોય ને બીજી વાર એને ત્યાં જ ઉતરવાનો ધોખો કરે.

હોટલમાં ઉતરવું પોસાય નહિ અને કોઇ પોતાના ઘેર આગ્રહ કરીને લઇ જાય નહિ, એટલે કાંઈ રેલવે સ્ટેશનના બાંકડે રાતો ખેંચી કાઢવાની ન હોય !

પણ એ વાત તમને ય એટલી જ લાગુ પડે છે કે, હવે આપણને ‘કોઇને ત્યાં’ ઉતરવું ગમતું નથી. આપણે પોતાને ઘેર ન રહેતા હોઈએ, એટલું સાચવી સાચવીને બીજાના ઘેર ઉતરવું પડે. રાત્રે ઊભા થઇને ‘ત્યાં’ જવું પડતું હોય તો જાણે ચોરી કરવા ઉઠ્યા હોઈએ એવા ગીલ્ટી ફીલ કરતા કરતા છાને–પગલે જઇ આવીએ. (ડાકા તો નહિ ડાલા, ચોરી તો નહિ કી હૈ...!) આવીને કોઇને ખબર ન પડે એમ છાનામાના ઓઢીને માંડ સુતા હોઈએ, ત્યાં યાદ આવે કે, બાથરૂમનો નળ ખુલ્લો રહી ગયો છે. અંધારામાં ફરી વાર જવામાં કોઈ ‘આધાર–કાર્ડ’ નથી માંગતું પણ અમથું ય થોડી વારમાં ત્રીજી વાર તો જવા ઉઠવાનું જ હોય, ત્યાં આ બીજી વાર વગર ‘લાગે’ જવું પડે એમાં સાલી છાપ ખોટી પડે કે ‘ભ’ઈને બાથરૂમની કાયમી તકલીફ લાગે છે.’ રાત્રે ઉઠીને જગતનો કોઇ પ્રવાસી જાહેર બગીચામાં હીંચકા ખાવા નથી જતો, છતાં સમાજ હંમેશા એનો ગલત અર્થ કાઢતો હોય છે, કે ભ’ઇને રોજ રાતની તકલીફ લાગે છે ! સવારે ચા પીતા પીતા પાછા બિનધાસ્ત પૂછી લે, ‘તમારે આ ઉંમરે મોટી તકલીફ આવી ગઇ, નહિ...? રાત્રે ૮–૧૦ વાર જવું પડે ખરૂં?’

તારી ભલી થાય ચમના... કામકાજ અમારૂં છે... અમે ૮–૧૦ વાર નહિ, ૮૦ વારે ય જઇએ... ‘વિના સહકાર નહિ ઉધ્ધાર’ના ધોરણે, તને સાથે આવવાનો ફોર્સ કરીએ છીએ? કરીએ તો તું હાથ પકડીને આવે ય ખરો? અને એવું તને કોને કીધું કે, રાત્રે ૮–૧૦ વાર ઊભા થતા હોઈએ એટલે મનના અધૂરાં ઓરતા પૂરા કરવા જ જતા હોઈશું ? (હાસ્તો જો કે... નહિ તો બીજે ક્યાં જવાનું હોય ?... કોઈ પંખો ચાલુ કરો હવે !)

શાસ્ત્રોમાં કહ્યું છે કે, ઉપર સ્વર્ગ–નર્ક જેવું કાંઈ નથી... બધું અહીંને અહીં જ ભોગવવાનું છે ! આપણને તો એમ કે, હવે એકબીજાના ઘરે રહેવા–ઉતરવાની સીસ્ટમ પૂરી થઇ ગઇ હશે ને હવે તો આપો એ ભાડાંની હોટલો ફૂટી નીકળી છે, પછી કોઈ આપણે ઘેર શું કામ ઉતરે ? ઠીક છે, આપણે કોકવાર એ બાજુ ગયા હોઈએ ને એના ગામમાં આપણું માન ન રહે, એવી હોટલ–બૉટલ ન હોય તો એના ઘરે અઠવાડિયું દસ દહાડા રહેતા આવીએ, પણ અમદાવાદ જેવા મોટા શહેરમાં આર.કે.ને (આર.કે. એટલે ‘રાજકપૂર’ નહિ... રમેશભ’ઇ ખોડા ભ’ઇ પટેલ) એક નાનકડી હોટલે ય ન મળે? ‘‘અરે, મારૂં નામ દીધું હોત તો કોઇ હોટલવાળો ના ન પાડત... આપણે ઘણાને પૈસા આપવાના બાકી છે !’’

આર.કે., આમ અચ્છો. રાત સિવાય આપણને નડે નહિ. એ એના ધંધાના કામે આવ્યો હોય ને પૂરો દિવસ બહાર હોય, એટલે એની બીજી કોઇ માથાકૂટ નહિ. સાંજના આપણે ત્યાં જમવા માટે ક્યારે ય એ ૮–૯થી વધારે મહેમાનો લાવ્યો નથી, પણ એ તો ધંધામાં વેપારીઓને સાચવવા પડે ! આપણે તો પહેલેથી ચોખ્ખી જ વાત કે, ગુજરાતમાં પીવાય નહિ. તમારે મહેમાનોને પીવડાવવા બેસવું હોય તો આપણા ઘેર કાંઈ નહિ ! આપણે બે જણાએ પીવા બેસવું હોય તો વાત અલગ છે. પણ મન્ચિંગ–બન્ચિંગ અને સોડા–બોડા બધું તમારે બહારથી લઇ આવવાનું ! વાઈફને ઘરમાં સોડા બનાવતા ન આવડે !

એટલે, આમ કોઇ બીજો પ્રોબ્લેમ આખા દિવસનો નહિ, પણ રાત પડે એમાં તમને જુદો જ આર.કે. જોવા મળે. બીજા કોઇના નસકોરાં બોલતા હોય તો તમે નિરાંતે ઊંઘી ન શકો, એ તો તમે જાણો છો. મને એટલા માટે પ્રોબ્લેમ નથી કે, હું મારા નસકોરાં સાંભળીને યુવાન થયો છું. મારૂં કયા પછી કયું નસકોરૂં બોલશે, એની મને ખબર હોય, એટલે મારા મને નડે નહિ ! આ તો એક વાત થાય છે.

આર.કે.ના તોતિંગ નસકોરાંને તો હું જુલાબની ગોળીઓની માફક પચાવી ગયો પણ સુતા પછી દર દસમી મિનિટે પથારીમાં બેઠો થાય. મોટેથી બગાસું ખાય. રામ જાણે કેમ પણ બેઠો બેઠો બે–ત્રણ વાર હાથ ઊંચા કરીને યોગ કરે. જમણા અંગૂઠા વડે નાકનું એક નસકોરૂં દાબી રાખીને ઊંડો શ્વાસ લે, એમાં એની પથારીની ચાદર ઉપર ખેંચાતી મેં જોઇ છે. પાછો સૂઇ જાય. આપણને એમ કે, હવે પત્યું હશે, ત્યાં ફરી બેઠો થાય. એના કહેવા મુજબ, દિવસે એને સરખો ટાઈમ ન મળે, એટલે બધી કસરતો રાત્રે કરે. ૧૪૧–ઉઠક બેઠક તો મેં ગણી. મારા પલંગની બાજુના પલંગમાં  જ એને હુવડાવ્યો હોય, એટલે ‘હરિ ઉમ’ બોલતો એ શીર્ષાસન કરવા ઊંધે માથે ઊભો થાય. વ્યાકરણવાળા ક્ષમા કરે કે, શીર્ષાસનવાળાને ઊભો થયો કહેવાય કે ઊંધે માથે પડ્યો કહેવાય, એની મને ખબર નથી. સાલું રાત્રે ત્રણ વાગે એનું શીર્ષાસન બીતા બીતા જોવાનું કે, કદાચ ડોકું ખસશે ને પેલી બાજુને બદલે મારી બાજુ પડશે તો કદી ન પૂરાય એવો ખાડો મારી છાતીમાં પડી જશે. (પેટનો વાંધો નહિ... પેટ તો અમથું ય ઉતારવાનું છે !)

આપણે શીર્ષાસન કરતા હોઇએ એનો વાંધો નથી કે આપણે જાણતા હોઈએ કે, જમીન પર પાછા ક્યારે આવવાનું છે, પણ બાજુમાં બીજો કોઇ કરતો હોય તો એ હેઠો આવે નહિ ત્યાં સુધી આપણે તો ટૅન્શનમાં ને ? પેટ ઉપર પડે તો ફોદાં કાઢી નાંખે. આમ તો મને કોઇ મારા મોંઢા પર પડે, એ ન ગમે. એક વાર તો રચનાત્મક વિચાર આવી પણ ગયો કે, મારી બાજુ નહિ, પણ એની પેલી બાજુ બારી પડે છે, એ ખોલી નાંખું એના શીર્ષાસનો આમ ને આમ ચાલતા રહે તો, વખત છે ને કોઇ સારૂં પરિણામ આવે ય ખરૂં !

અડધું આવ્યું...! એ ગોથું ખાઈ ગયો અને ભીંતે અથડાતો–કૂટાતો જમીન પર ચત્તોપાટ પડ્યો, એમાં મારૂં મોટું ટીવી લઇને પડ્યો. એની નીચે ક્રોકરીથી માંડીને કમ્પ્યૂટર બધું નીચે લેતો ગયો. પગના બે નળા ભાંગી ગયા. દુ:ખતા લબકારે એણે જ સૂચન કર્યું કે ર્થોપીડિક ડૉક્ટર તમારા મિત્ર છે, એમની પાસે જ લઇ જાઓ.

ડૉક્ટરને મારી સાથે રામ જાણે શું દુશ્મની હશે કે, પેલો પોણા બે લાખનું બિલ ચૂકવવાનો માત્ર વિવેક જ કરતો હતો, છતાં એ માન્ય રાખવાને બદલે ડૉક્ટરકહે, ‘તમે દાદુના મેહમાન છો... તમારી પાસેથી પૈસા લેવાતા હશે...? તમે ડૉન્ટ વરી... એ તો હું દાદુ પાસેથી લઇ લઇશ...’

સિક્સર
– અરે યાર, ગાડી BRTSના રૂટ ઉપર ચલાવું છું ત્યાં બહુ ટ્રાફિક હોય છે... બધા એમાં જ ચલાવે છે....
– ઓહ... તમે મૅઈન રોડ ઉપર ચલાવો... એ ખાલી હોય છે !

'આશિક' ('૬૨)

$
0
0
ફિલ્મ  : 'આશિક' ('૬૨)
નિર્માતા : બની રૂબેન- વી. કે. દુબે
દિગ્દર્શક :ઋષિકેશ મુકર્જી
સંગીત : શંકર- જયકિશન
ગીતકારો : હસરત- શૈલેન્દ્ર
રનિંગ ટાઇમ : ૧૫૦ મિનિટ  :  ૧૬ રીલ્સ
થિયેટર : લાઇટ હાઉસ
કલાકારો : રાજકપૂર, નંદા, પદ્મિની, અભિ ભટ્ટાચાર્ય, રાજ મેહરા, લીલા ચીટણીસ, નાના પળશીકર, મુકરી, કેષ્ટો મુકર્જી, અચલા સચદેવ, મધુમતિ, પરશુરામ, વિશ્વા મેહરા અને હની ઇરાની.
ગીતો
૧.    મૈ આશિક હું બહારો કા, નઝારો કા.....     મૂકેશ
૨.    યે તો કહો કૌન હો તુમ, મુઝ સે પૂછે.....     મૂકેશ
૩.    તુમ જો હમારે મીત ન હોતે, ગીત યે મેરે.....    મૂકેશ
૪.    ઝન ઝન ઝન ઝનાકે અપની પાયલ.....    લતા મંગેશકર
૫.    લો આઇ મિલન કી રાત સુહાની.....    લતા મંગેશકર
૬.    મેહતાબ તેરા ચેહરા, કિસ ખ્વાબ મૈં.....    લતા- મૂકેશ
૭.    ઓ શમા મૂઝે ફૂંક દે, મૈ ન મૈ  રહું.....    લતા- મૂકેશ
૮.    તુમ આજ મેરે સંગ હસ લો.....    મૂકેશ- મુકરી
ગીત નં. ૫ અને ૮ હસરત જયપુરી, બાકીના શૈલેન્દ્રના.
ગીત નં.-૮નો ધીમા લયમાં બીજો પાર્ટ પણ છે.

પરણેલા પુરુષનો અન્ય સ્ત્રી સાથેનો પ્રેમસંબંધ સમાજની સૌથી બેવકૂફીભરી સ્વીકૃતિ છે. એ ચલાવી જ ન લેવાય. કારણ સીધું છે. કોઈ કાળે ય એને માન્યતા ન મળે. એ બન્ને હઇડ- હઇડ થતું જીવન જીવે છે. લોકો ચારે બાજુથી એમને બન્નેને હડધૂત કરે છે અને સૌથી મોટી વાત એ છે કે, આ સંબંધનો કોઈ અંજામ નથી... જે કોઈ અંજામ છે તે કેવળ કરુણ અને યાતનાભરી બદનામીવાળો છે.

સાહિર લુધિયાનવી પોતે પાળી નહોતો શક્યો પણ એણે લખેલું આજે ય માનવામાં આવે તે ઘણું પ્રસ્તુત છે, 'વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મૂમકીન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા...'

સમજમાં નથી આવતું કે ઋષિકેષ મુખર્જી જેવા સંસ્કારી દિગ્દર્શકે આવા વિષય પરની ફિલ્મ સ્વીકારી જ કેમ ? એમને તે કેવળ સ્વચ્છ ફિલ્મો બનાવી છે. મજબૂરી કોઈ પણ ક્લાસની હોય, આવા પરણેતર સંબંધને કદી જસ્ટિફાય કરી શકાય નહિ.

ફિલ્મો સિવાય ઇવન આપણા સમાજમાં માની લો, કોઈ પતિ એની પત્નીને મારઝૂડ કરતો હોય, નપૂંસક હોય કે કમાતો-ધમાતો ન હોય ને પત્નીના પૈસા ઉડાવતો હોય એટલે પત્ની બીજા કોઈ પુરુષના પ્રેમમાં હોય, એ વાત પત્નીની ગમે તેટલી ફેવરમાં જતી હોય (કે એથી ઉલટા કિસ્સામાં પતિ માટે) તેથી સમાજ એ બન્નેને માફ કરી ન શકે... ન કરવા જોઈએ... આખરે આવનારા કે હયાત બાળકોની અધિકૃતતાનો ય વિચાર કરવો પડે ! હા. આવા કિસ્સામાં ડિવોર્સ મળી શકતા હોય ને બન્ને પ્રેમીઓ પરણી શકતા હોય તો એનાથી વધુ પવિત્ર સંબંધ બીજો ન હોઈ શકે.

ઋષિકેશ મુકર્જીએ પરણેલા નંદા સાથે કાયદેસરના રાજ કપૂરને નાચનારી- ગાનારી પદ્મિનીના અનધિકૃત પ્રેમમાં દર્શાવી પોતાની રીતે એવા પ્રેમને જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કર્યો છે, તો એનાથી મોટી બેવકૂફી કઈ ? અલબત્ત, દરેક હિન્દી ફિલ્મના અંતની જેમ અહીં પણ 'વૉ'નો સર્વનાશ બતાવાયો છે અને પત્નીનો ભવ્ય વિજય દર્શાવાયો છે. ભારતના પ્રેક્ષકો તો એ વખતે ય અક્કલવાળા હતા અને આવા બેહૂદા સબ્જેક્ટની હાંસી ઉડાવીને ફિલ્મને ટિકિટબારી ઉપરથી ફેંકી દીધી હતી, પછી ભલે તેનો હીરો રાજ કપૂર હોય, એ દિવસ સુધી આવેલી તમામ સેક્સી અભિનેત્રીઓમાં સર્વોત્તમ પદ્મિની હીરોઇન હોય, સૌમ્યતાની મૂર્તિ નંદા વેડફાઈ ગઈ હોય કે ફિલ્મ ઋષિકેષ મુખર્જીએ કેમ ઉતારી ન હોય.. પ્રેક્ષકોએ બહુ બૂરી ઢબે આ ફિલ્મ 'આશિક'ને ફટકારી મૂકી હતી...

સિવાય કે, ધી ગ્રેટ શંકર- જયકિશનનું દિલડોલ સંગીત ! લતા મંગેશકર અને મૂકેશ, બે જ ગાયકો છતાં આઠે આઠ ગીતો આજની તારીખે હરકોઈની જબાન પર કંઠસ્થ છે. આ સંગીતકારોનો તો સ્ટ્રાઇક રેટ જ એવો હતો કે ફિલ્મમાં જેટલા ગીતો હોય તે ઇક્વલી સુપરહિટ હોય. જુઓ, ઉપરની યાદીમાં એવું એકે ય ગીત છે જે તમે સાભળ્યું ન હોય ? ને એમાં ય, ફિલ્મે ફિલ્મે શંકર- જયકિશન કાંઈક નવું લઈ આવતાએ મુજબ આ ફિલ્મના તમામ ગીતોમાં ઇન્ટ્રોડક્ટરી (એટલે કે પ્રી-લ્યૂડ) મ્યુઝિક ખાસ્સું લાંબુ બનાવાયું છે, એટલે કે પ્રત્યેક ગીતના મેરિટ પ્રમાણે એને જામવાની તક આપવામાં આવી છે. સીધેસીધું શરુ થઈ જાય એવું નહિ.

શ્રોતાને ખબર પડે કે રેડિયો ઉપર હવે મૂકેશનું ફિલ્મ 'આશિક'નું 'યે તો કહો, કૌન હો તુમ કૌન હો તુમ...'આવી રહ્યું છે, એટલે એ ય જાણતો હોય કે, એસજે ગીત શરૂકરતા પહેલા ગીતનો સમો બાંધશે. શ્રોતાને જાણ કરશે કે એમનું ફેવરિટ ગીત આવી રહ્યું છે એટલે ભલે ઢીંચણ ઉપર આંગળીઓની થપાટો આપવા તૈયાર રહે. એ પ્રીલ્યૂડ પણ ભરચક વાદ્યોથી ભરેલું હોય કે પછી વાદ્યો ભલે પર્કશન્સ (રિધમ) ઉપરાંત એકોર્ડિયન, વૉયલિન, ટ્રમ્પેટ અને સ્પેનિશ ગિટાર જેવા ૪- ૫ વાદ્યો જ હોય છતાં જેવું લતાબાઈ 'આજા આઇ બહાર દિલ હૈ, બેકરાર ઓ મેરે રાજકુમાર, તેરે બિન રહા ન જાય...'શરુ કરવાના છે, એ પહેલાં શ્રોતા સખણો બેસી જાય ને આજુબાજુ વાળાને ચૂપ પણ કરવા માંડે !

અને ઍઝ યુઝવલ... દરેક ફિલ્મના ટાઇટલની જેમ આ ફિલ્મમાં પણ જયકિશનનું બેનમૂન ટાઇટલ - મ્યુઝિક રેકોર્ડ કરી લેવા જેવું છે. એમ કહેવાય છે કે, આજ સુધીની કોઈ પણ ફિલ્મમાં જયકિશનની બરાબરીનો અન્ય કોઈ સંગીતકાર ફિલ્મનું ટાઇટલ મ્યુઝિક બનાવી શક્યો નથી.

ફિલ્મ તો ૧૯૬૨માં આવી હતી અને એ દરમ્યાન રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'નું ય શૂટિંગ હારોહાર ચાલી રહ્યું હતું. અહીં વાંચવી ગમે એવી બે-ત્રણ વાતો એકસામટી ફૂટી નીકળી છે. ખોટો સમય વેડફવામાં સહેજ પણ ન માનતો રાજ કપૂર ૧૯૬૦માં પોતાની ફિલ્મ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'ની સાઉથ- ઇન્ડિયન બક્સમ-બ્યુટી પદ્મિનીના ભરપૂર પ્રેમમાં પડયો હતો. તો આપણો ઘેંસીયો બાજુના ધાબાવાળાઓ ઝોલ મારીને લપટાઈ ન જાય એ માટે રાજે ૧૯૬૧-માં આવેલી ફિલ્મ 'નઝરાના'ની હીરોઇન વૈજયંતિમાલાને પહેલીવાર મળ્યો ત્યારે ખબર પડી કે, હું પદ્મિનીમાં લેવાદેવા વગરનું મૂડીરોકાણ કરે રાખતો હતો.. ખરો શૅર તો આ ખરીદવા જેવો છે... એટલે બેન વૈજયંતિમાલાને પણ ૧૦- ૧૫ વર્ષ ચાલે એવી પ્રેમિકા બનાવી દીધી, પણ જે સરોવરમાં વૈજ્ય નહાતી હતી, ત્યાં સામે કિનારે ભાઈ દિલીપકુમાર પણ ઝોલ નાખીને બેઠો હતો, જેની ફિલ્મ 'લીડર'માં વૈજુ હીરોઇન હતી.

રાજની તરફેણમાં વૈજુ ઉઘાડેછોગ દિલીપને નિગ્લેક્ટ કરતી હોવાથી 'સંગમ'ના શુટિંગમાં ટાઇમસર પહોંચવા માટે ટાઇમ પૂરો થાય એટલે 'લીડર'ને બિન્ધાસ્ત છોડીને જતી રહેતી, એ દિલીપને ગમતુ નહિ. આમ તો રાજ- દિલીપ દોસ્તો ખરા પણ વાત પ્રિયતમાની આવે ત્યારે કોણ દોસ્ત રહ્યું છે ? માટે જ, ખાસ દિલીપને સંભળાવવા રાજ કપૂરે 'ઓ મેહબૂબા...'ગીતમાં 'સબ દેખતે રહ જાયેંગે, લે જાઉંગા એક દિન...'કહીને ટોણો માર્યો હતો. એ વાત જુદી છે કે, વચ્ચેવચ્ચે હવાફેર માટે વૈજુ રાજેન્દ્રકુમારની અગાસીએ પણ શિયાળાનો પોંક ખાવા જતી એ તો ! આપણામાં એવી આવડતો ન હોય પણ નવાઈ સાથે જીવો ચોક્કસ બળે કે, એક સાથે બબ્બે પ્રેમિકાઓ વૈજયંતિ અને પદ્મિનીને રાજ કેવી રીતે હેન્ડલ કરી શકતો હશે ? (વચમાં 'પોપકોર્નની સાથે પેપર-નેપકીન ફ્રી'ની જેમ વિજયલક્ષ્મી કે સિમી જેવી પ્રેમિકાઓ તો જુદી...! બોલો, જય અંબે...!) પછી ઘેર બેઠેલી પત્ની કૃષ્ણા રાજકપૂર છોકરા છૈયાને લઈને હોટલ નટરાજમાં રહેવા જતા જ રહે ને ?

પદ્મિની ય મૃત્યુ વખતે ભારત હતી, પણ પાછલી જિંદગીનો મોટો ભાગ એણે અમેરિકામાં કાઢ્યો હતો. એના પતિદેવ ડો. રામચંદ્રન અમેરિકામાં ફિઝિશિયન હતા. ત્યાં નવરા બેઠા કરવું શું, એટલે પદ્મિનીએ ૧૯૭૭માં ન્યુજર્સીમાં 'પદ્મિની સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ'નામથી ક્લાસીસ શરૂકર્યા હતા. આજે એના અવસાન પછી પણ આ સંસ્થા અમેરિકામાં શાસ્ત્રીય નૃત્ય શીખવતી ટોપમોસ્ટ સંસ્થા કહેવાય છે.

દયા, આઘાત અને આશ્ચર્ય નંદા માટે ચોક્કસ થાય કે, જાણવા છતાં કે આવી ફિલ્મમાં કોઈ પોતાનો કેવળ રોલ જ નહિ, મૂલ્ય પણ સેકન્ડ હીરોઇનનું છે અને એ પણ રોના-ધોના સિવાય કુચ્છ નહિ... છતાં શા માટે આવો કિરદાર સ્વીકાર્યો હશે ? આ કૉલમ લખનારની દ્રષ્ટિએ હિંદી ફિલ્મોની આજ સુધીની સૌથી પવિત્ર હીરોઇનો બે જ થઈ, એક નૂતન અને બીજી નંદા. કબુલ કે નૂતન નંદા જેટલી સુંદર નહિ, પણ બેમાંથી એકે યના નામ ઉપર પેલી હિંદી ફિલ્મોની ભાષા મુજબ, કોઈ બદનૂમા દાગ નહિ. કેવું અઘરું પડયું હશે નંદાને આવું ધગધગતું રૂપ હોવા છતાં પૂરી કરિયરમાં કોઈ પ્રેમસંબંધ નહિ, કોઈ વિવાદાસ્પદ સંબંધ નહિ કે કોઈ જાહેર અફસોસ નહિ. નસીબ ઘણું વાંકુ પડયું કે જીવનમાં કેવળ એક પ્રેમીને ચાહ્યો, (સ્વ. મનમોહન દેસાઈ) એણે ય કોઈ અજ્ઞાત કારણોસર આપઘાત કર્યો.

આ ફિલ્મમાં બારે માસ રોતડ- ક્લબના બે મુખ્ય સભ્યો અભિ ભટ્ટાચાર્ય અને નાના પળશીકરની સાથે રોતડ ક્લબના મહિલા પ્રમુખ શ્રીમતી લીલાબાઈ ચીટણીસ ભારતની સર્વપ્રથમ સુંદરી હતા, જે 'લક્સ સાબુ'ની સૌંદર્યાજ્ઞી તરીકે છાપા- મેગેઝિનોમાં ચમકતા. અત્યારે લાગે છે એટલી નાની એ સિદ્ધિ નહોતી. 'લક્સ'ની જા.ખ.માં કેવળ ધોળી એટલે ગોરી એક્ટ્રેસો જ ચમકી શકતી.

લીલા ચીટણીસ પહેલી ભારતીય અભિનેત્રી હતી. એ પછી તો આજ સુધીની સમજો ને, તમામ સફળ એક્ટ્રેસો લક્સમાં નહાઇને બીજાને નવડાવ્યા છે. અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના ડેનબરી શહેરમાં પાછલું જીવન ગુજારનાર લીલા ચીટણીસ અને અશોક કુમારની એક જમાનામાં જોડી હતી.

ફિલ્મ કે એની સ્ટારકાસ્ટ ઘણી  મૂલ્યવાન હોવા છતાં આખેઆખી ફિલ્મ ફ્લોપ ગઈ હોય પણ તેના ગીતો ચીરંજીવ રહી ગયા હોય, એવી શંકર- જયકિશનની આ ફિલ્મ ન જુઓ તો કાંઈ ગુમાવાનું નથી... એના કરતા બીજી દસ વખત 'જાગતે રહો'જોવું સારું.

ઍનકાઉન્ટર : 19-02-12017

$
0
0
* કેજરીવાલને સજા આપવાની છુટ મળે તો એને કઈ સજા આપો ?
-
મોદી સાથે ફોટો પડાવવાની !
(
હેમલ મનોજ પટેલ, આણંદ)

* મને દિવસ કરતા રાત અને પ્રકાશ કરતા અંધકાર વધુ ગમે છે, પણ મારા ઘરવાળાઓને મારી આ વાત ગમતી નથી. શું કરૂં ?
-
આખા ફેમિલીની માનસિક ચિકીત્સા કરાવો.
(
રવિન્દ્ર સોલંકી, અમદાવાદ)

* આપણું નામકરણ ફોઈ જ કેમ કરે છે ?
-
બીજાઓને તો ઘરમાં કોઈ કામબામ હોય કે નહિ ?
(
ઈન્ઝમામ ઈકબાલ પટેલ, કોંધ-ભરૃચ)

* તમારૂં વર્તન ભાઈઓ તરફ બદલાયું છે ? બહેનોના જવાબ વધુ આપો છો.
-
હા, બેન... !
(
કિરીટ ગોસાઈ, ખેરવા-મેહસાણા)

* મમ્મી-પાપાનું કહેવું સાચું લાગે છે, પણ એપ્લાય કરી શકતો નથી. શું કરવું ?
-
તમે પપ્પા બનો ત્યાં સુધી રાહ જુઓ.
(
મેહૂલ મેર, સિહોર-ભાવનગર)

* ટયુબલાઇટનું ગુજરાતી શું થાય ?
-
પ્રકાશનળી.
(
બ્રીજ જતિનભાઈ પટેલ, પાટણ)

* મારી પત્ની વિદેશની ટૂરમાં ય થેપલાં, છુંદો અને ખાખરા ઉપાડે છે. શું કરવું ?
-
એની સાથે સેન્ડવિચ અને પિત્ઝાવાળી બીજી એક મોકલો.
(
મધુકર એન. મહેતા, વિસનગર)

* આતંકવાદીઓ અને તકવાદી નેતાઓમાંથી વધુ ભયજનક કોણ ?
-
દેશને વફાદાર કોણ, એવું પૂછો તો મારી પાસે ય જવાબ નહિ હોય !
(
વૈભવ અંધારીયા, ભાવનગર)

* મારી પડોસણ મારા સવાલોને બદલે તમારા જવાબોના વખાણ વધુ કેમ કરે છે ?
-
ભાવનગરમાં બે-ચાર બુદ્ધિશાળી તો હોય ને !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* 'વોટ્સએપ'ના મેસેજો ડીલિટ કરવાનું મુહૂર્ત ક્યારે આવે ?
-
એટલે હવે... તમારી પાસે ય કોઈ કામધંધો નથી !
(
લલિત ઈન્દ્રવદન દોશી, કરજણ)

* 'રફી ગાતે કમ થે, રોતે જ્યાદા થે...'આવું પોતાની ફિલ્મમાં મૂકનાર કરણ જોહરને શું કહેશો ?
-
રફી સાહેબના ખોંખારાને ય આ લોકો લાયક નથી.
(
દિલીપ સોની, રાજકોટ)

* બહારથી દુનિયાને હસાવતા અંદરથી દુઃખી હોય છે. તમારે કેમનું છે ?
-
હું તો અંદરથી હસાવું છું, એટલે બહારથી મોજમાં છું.
(
સંદીપ પુરાણી, હથિથાના-દેવગઢબારીયા)

* મોબાઈલની રિંગ વાગે એટલે ઉપાડીને લોકો ચાલવા જ માંડે છે. આવું કેમ ?
-
હું તો બીજાની રિંગ વાગે તો એમનો મોબાઈલ ઉપાડીને ય ચાલવા માંડુ છું.
(
મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* દવાની દુકાનવાળા બાકીનું વધેલું પરચૂરણ પાછું આપવાને બદલે ચોકલેટો આપે તો શું કરવું ?
-
હવે જાઓ ત્યારે દવાના પૈસાને બદલે છાપાની પસ્તી આપજો... કહેજો, ''આના બદલે દવા આપો''
(
શિલ્પા સુ. જોશી, વડોદરા)

* સોનિયા ગાંધી કદી ય પોતાના પિયર ગયા હોય, એવું જાણમાં નથી. શું કારણ ?
-
ઇટલીની સરકાર ગભરાય છે. મા-દીકરો અહીં ય લોચા મારશે.
(
સુનિલ નાણાવટી, રાજકોટ)

* ઠંડીમાં સવારે વહેલા ઉઠવાનું મન નથી થતું. મારા બા ખીજાય છે. શું કરવું ?
-
બા ખીજાઈ લે, પછી પાછા સુઈ જવું.
(
નાઝનીન કૌકાવાલા, સુરત)

* ૫૦૦ કે ૧૦૦૦ની નોટો બંધ કરવાથી કાળું નાણું બંધ થશે ખરૂં ?
-
એ બંધ કરાવવાની જાહેરાતો કરનારા પોતે ય બંધ થઈ ગયા છે.
(
ધવલ સોની, ગોધરા)

* મોદીના એક જ સ્ટ્રોકથી કાળાબજારીયાઓ પર પાણી ફરી વળ્યું... !
-
બહુ ભલા અને ભોળા છો તમે !
(
તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* નોટ બદલાવવાની લાઇનમાં રાહુલ ગાંધી સિવાય બીજો કોઈ નેતા જોવા મળ્યો નહિ... !
-
એમની પાસે એકે ય નોટ ક્યાં હતી ? એ તો ફાટેલા ઝભ્ભા પહેરે છે.
(
જયેશ સુથાર, કણજરી)

* ૫૦૦-૧૦૦૦ની નોટો બંધ થવાથી ખેતીનો જમાનો આવશે, એવું તમને લાગે છે ?
-
ફોટોકોપી (ઝેરોક્સ)નો જમાનો આવી ગયો છે.
(
દિલીપ પટેલ, મુંબઈ)

* મારે તમારો ઓટોગ્રાફ અને સેલ્ફી જોઈએ છે. આપશો.
-
એ બન્ને મને કોઈ પાડી આપે તો આપું.
(
અ.રહેમાન બોગલ, ગોધરા)

* ગુજરાતીમાં જ સવાલ પૂછવાનો આગ્રહ કેમ રાખો છો ?
-
બ્રેઇલમાં પૂછી શકો છો.
(
નીરા સરાડવા, હિમતનગર)

* અમેરિકાના પ્રેસિડેન્ટ પહેલા કાળા હતા, હવે કેસરી આવ્યા. મતલબ ?
-
ત્યાંય ભગવાની અસર શરૃ થઈ છે.
(
પ્રતિક ડોંડા, સુરત)

* આઝાદી પહેલા દેશનું ધન બ્રિટન જતું હતું, હવે સ્વિત્ઝરલેન્ડ જાય છે. આઝાદી પછી કોઈ ફરક પડયો ?
-
આપણા નાણાંની વિદેશોમાં બહુ ડીમાન્ડ છે.
(
માધવ જે. ધ્રૂવ, જામનગર)

* કડકડતી ઠંડીનો સામનો કરવાની કોઈ ટીપ્સ... ?
-
નાના દીકરાને બાથ ભીડીને બેસી રહો.
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* મેં અનેક સેલિબ્રિટીઝના ઓટોગ્રાફ્સ લીધા છે... તમારો સ્ટાયલિશ અને બેસ્ટ છે...
-
કાશ... ફોટોગ્રાફ માટે એવું કહેવાતું હોત !
(
ઝંકૃતિ પી. શાહ, અમદાવાદ)
Viewing all 894 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>