Quantcast
Channel: Ashok Dave's Blog
Viewing all 894 articles
Browse latest View live

ઍનકાઉન્ટર 14-07-2013

$
0
0
* ઈશ્વરને રૂ. ૧/- ચઢાવીને રૂ. ૧૦૦/- પામવાની આશા રાખતા ભક્તોને શું કહેવું?
- આજકાલ સ્વયં ભગવાનો ય ખાખી થઇ ગયા છે... છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું ય એમની પાસે દસેક લાખ રૂપીયા માંગુ છું... ડિક્કો ડમ્મ...!

* મહાન માણસો ધનવાન કેમ નથી હોતા?
- આમાં તમે મને બેમાંથી એકે યમાં રહેવા ન દીધો!
(વિમલ ચંદારાણા, વડોદરા)

* કોઇ તમને પાગલ માને, તો શું કરો?
- એની સત્યપ્રિયતા માટે માન થાય!
(કરણ જોબનપુત્રા, જૂનાગઢ)

* ઝગડા પછી એક મહિના સુધી અબોલા રાખતા પતિ-પત્નીમાંથી ફાયદો કોને થયો કહેવાય?
- અફ કૉર્સ પત્નીને! વગર ઝગડે ય ગોરધનને વળી બોલવાની તક ક્યારે મળે છે?
(સંદીપ એચ. દવે, જૂનાગઢ)

* ગુસ્સો કરવાનો ઇજારો માત્ર ગોરધનોને જ કેમ? પત્નીઓને કેમ નહિ?
- પત્નીઓને તો બુધ્ધિવાળા ય કામો નિપટાવવાના હોય છે, બહેન!
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* મારો એક મિત્ર રૂ. ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ રાખવાના સપનાં જુએ છે. એને જમીન પર કેમ લાવવો?
- સપનામાં એને ૨૫ કરોડ પકડાઇ દઇને ભાગીદારી કરી નાંખો!
(જગદિશ રાવલ, રાજુલા સિટી)

* જેની મનાઇ કરવામાં આવી હોય, એ જ કામો કરવાનો અભરખો કેમ થતો હશે?
- કાંઇ ખોટું નથી. નાના નાના વિજયો એમ જ પ્રાપ્ત થાય!
(અખિલ બી. મેહતા, અમદાવાદ)

* વ્યસન નુકસાનકારક છે, એ જાણવા છતાં માણસ વ્યસન છોડી કેમ શકતો નથી?
- એમ આખી જીંદગીમાં કેટલી વાર છુટાછેડાઓ લેવા?

* કિસાનો માટે માટી સોના સમાન છે અને ઋષિમુનીઓ માટે સોનું માટી સમાન છે. આવું કેમ?
- હું બ્રાહ્મણ છું. મારા માટે સોનું સોના સમાન જ છે. આપના ઘેર માટી પડી હોય તો મોકલાવશો.

* સીબીઆઇ સરકારના સકંજામાંથી ક્યારે પણ છટકી નહિ શકે?
- એની તપાસ સરકારે સીબીઆઇને સોંપેલી છે.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* તમને વડાપ્રધાન બનાવવામાં આવે તો દેશ માટે શું કરો?
- બોલું. (આ જવાબ આ પહેલા પણ આપી ચૂક્યો છું, પણ તો ય... ઉપરવાળો હજી કાંઇ બોલતો નથી!)
(દેવાંશી મણિયાર, વડોદરા)

* જાહેરસભાઓમાં નેતાઓ ઢંગધડા વગરની પાઘડી ને ફેંટા પહેરે છે ને કેવા જોકરો લાગે છે, એની શરમ પણ નહિ આવતી હોય?
- વાંક પ્રેસ ફોટોગ્રાફરોનો છે... ફોટા પાઘડી પહેરતા નહિ, એકબીજાની પાઘડીઓ ઉછાળતા હોય, એવા પાડવાના હોય!

* મોટા ભાગના દેશોમાં 'મૅઇડ ઈન ચાયના'ની ચીજો કેમ વપરાય છે?
- ચાયનાની ચીજો યુવાનોના તાજા તાજા પ્રેમો જેવી હોય છે, 'ચાલે તો ચાંદ તક, નહિ તો શામ તક...!'
(જયદીપ વાજા, ભાવનગર)

* ગામમાં વસાહત વધતા સ્મશાન ગામની વચ્ચે આવી ગયું... તો શું હવે ભૂતપ્રેતની વચ્ચે રહેવાનું?
- અમે ગાંધીનગરની બાજુમાં રહીએ છીએ, તો ય કાંઇ બોલીએ છીએ???

* મનમોહન અને મોદી વચ્ચે તફાવત કેટલો?
- આજ અને આવતી કાલ જેટલો!
(બંસી રાવત, ભૂતીયા-ઈડર)

* જબ આપ કા દિલ ઉદાસ હોતા હૈ, તો આસપાસ કૌન હોતા હૈ?
- મારી બા.
(વી.કુમાર નાયી, હિંમતનગર)

* આજના જમાનામાં ગરીબો પાસે પહેરવાના કપડાં નથી ને અમીરોને પહેરવા નથી. એવું કેમ?
- બસ. તમારા ગામથી શરૂઆત કરો.
(કમલકુમારી રાવત, ભુતીયા-સાબરકાંઠા)

* તમામ દાનોમાં સર્વોત્તમ દાન કયું?
- ભીખુદાન.
(કવિતા કપિલ સોતા, મુંબઇ)

* અવાર નવાર પૅટ્રોલ-ડીઝલના ભાવ...!
- આપણા દેશમાં પૅટ્રોલને બદલે છીંક-ઉધરસથી ચાલતી ગાડીઓ બનશે, તો આ સરકાર છીંક-ઉધરસના ભાવો ય વધારી દેશે... એ ય મફતમાં ખાવા નહિ દે!
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

* કૂતરૂં હિંદુ છે કે મુસલમાન, તેની ખબર કેવી રીતે પડે?
- એક વાર એના મોંઢામાં હાથ નાંખી જોવાનો... કરડીને ઊભું રહે તો હિંદુ અને જતું રહે તો મુસલમાન!
(કનુ ભટ્ટ ધર્મજીયા, નડિયાદ)

* વિદેશીઓને ભારતમાં વેપાર કરવાની છુટ બાદશાહ જહાંગિરે આપી અને આપણે ગુલામ બની ગયા... હવે ડૉ. મનમોહન એ જ (FDI) ભૂલ કરી રહ્યા છે...!
- જહાંગિર તો ન્યાયી હતો.

* 'ઍનકાઉન્ટર' બંધ થઇ જાય તો તમારી આજીવિકાનું શું?
- બ્રાહ્મણ છું... ઘેર વાડકો રાખી મૂક્યો છે!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* 'ઍનકાઉન્ટર'માં કોઇના સવાલો ઉપર પ્રતિબંધ મૂકાય છે ખરો?
- પોતાના ફેમિલીના અંગત કાવાદાવાઓને આડકતરી રીતે સવાલ રૂપે આ કૉલમમાં પૂછનાર બે-ત્રણ પાર્ટીઓ આ કૉલમમાંથી ઉઠી ગઇ, એ જોયું હશે!
(કલ્યાણી મૌલિક શાહ, અમદાવાદ)

* અશોકજી, સવાલ વિવાહમાં પૂછીએ છીએ ને જવાબ વરસીમાં મળે છે... એવું કેમ?
- અત્યારે કઇ અવસ્થામાં પૂછયો છે?

* ટીવીની બધી સીરિયલોમાં આવતા છળકપટોને લીધે ઘરસંસાર ઉપર અસર પડે ખરી?
- બુધ્ધિમાનોએ ક્યાં આ સીરિયલો જોવાની હોય છે?
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

પુસ્તકોની પ્રસ્તાવનાઓમાં ઊભા થતા કોમેડી મુદ્દા

$
0
0
હમણાં એક પ્રસ્તાવના વાંચતા વાંચતા હું ઊભો થઇ ગયો. ચોંકવાનું આવે ત્યારે ઊભા થઇ જવાની આપણી હૉબી! લગ્નના ફેરા મેં ઊભા ઊભા ફર્યા હતા. લેખકે એમાં લખ્યું હતું, ''આ પુસ્તક પ્રકાશિત કરવામાં મને અનન્ય સહકાર આપનાર વડીલ શ્રી ચીમન ગગનને તો કેમ ભૂલાય?''

સાલો ટેન્શનમાં હું આવી ગયો કે, આ ચીનીયો કોઇ એવી હસ્તિ છે જેને લેખક ભૂલવા માંગે છે પણ ભૂલવાનો રસ્તો મળતો નથી. શક્ય હોય તો એક ભલા વાચક તરીકે મારે એને રસ્તો બતાવવાનો છે. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને, એણે સીધું વાચકો પાસે જ માર્ગદર્શન માંગી લીધું છે કે, ''...ચીમન ગગનને તો કેમ ભૂલાય?''

લેખકે ચીનીયાનો આપણી પાસે બળાપો કાઢયો છે કે માર્ગદર્શન માંગ્યું છે, એની સમજ પડતી નહોતી. એના શબ્દો બહુ કરૂણ હતા કે, ''... શ્રી ચીમન ગગનને તો કેમ ભૂલાય?'' મને પ્રારંભિક આઇડિયો એવો આવ્યો કે, કરૂણ શબ્દોમાં લેખકને પત્ર લખું કે, 'આવા સંજોગોમાં નોર્મલી ફિલ્મની હીરોઇનો મકાનની ટેરેસ પર જઇ ચંદાને, તારાઓને, કાળમીંઢ રાતને કે હવાઓ પાસે માર્ગદર્શન માંગે છે કે, હું નથ્થુને કેમ ભૂલી શકતી નથી. તમે બધા માર્ગદર્શન આલો...'' તારા મકાનમાં ધાબું ન હોય તો ફ્લેટની બારીમાંથી ચંદ્રને જોઇને પૂછી લેવાનું, ''ચીમન ગગનને ભૂલવાનો કોઇ આઇડીયો પડયો હોય તો બતલાવો..''

લેખકની બીજી મજબુરી એ હોઇ શકે કે, એ ચીનીયાથી ઘણો દબાયેલો હોય ને સાચ્ચે જ આ પુસ્તક છપાવી આલવામા ચીનીયાએ પ્રકાશક સાથે ઘણા હાંધા-હલાડા કર્યા હોય. કયો પ્રકાશક કવિ- લેખકને સીધેસીધો ચા-પાણી માટે બોલાવે છે?  ચીનીયો વચમાં આયો હશે, એટલે આ ફફડયો છે કે, ચીમન ગગનને ભૂલવો જરૂરી છે, પણ શક્ય નથી, એટલે લાયને.. મેં 'કુ.. વાચકોને પૂછી જોઇએ!... હું નહિ ભૂલું ને ચીનીયો મને યાદ રાખશે તો મારૂં આગામી પુસ્તક મારી શ્રદ્ધાંજલિનું ય નહિ હોય! માટે પુસ્તક પ્રકાશનના આનંદ કરતા ચીનીયાને ભૂલવાનો રંજોગમ એને વધુ સતાવે છે! પહેલા ઘામાંથી હું બહાર નથી આવ્યો ત્યાં બીજો માર્યો. વાત એકલા ચીનીયાથી પતતી નથી. ઘરના રેશન-કાર્ડના નામો લખાવતો હોય એમ આભારના લિસ્ટમાં એણે બીજા ૧૭-૧૮ નામો લખાવ્યા છે. પહેલા આપણને થોડી રાહત રહે કે, એનું પુસ્તક વાંચીને મરી ગયેલાઓનું આ લિસ્ટ લાગે છે. એવી ય ગોઠવણ હોય કે, સાહિત્યમાંથી જેને જેને ઉડાડવા હોય, એ સહુના નામો લેખકના આગામી પુસ્તક પહેલાં મોકલી દેવા, પ્રસ્તાવનામાં લેખક એમની યાદી પ્રસ્તુત કરે, તો સમાચાર સારા ય આવે... આ તો એક વાત થાય છે!

એ તો ત્રીજી લિટીમાં ખબર પડે કે, પ્રસ્તુત યાદી મુજબના શખ્સોએ જ આવડા આને નિસરણી આલી'તી! પૉસિબલ છે, એમાંનો એક... આ લખવા બેઠો હોય ત્યારે એક બાજુથી કોરા કાગળીયા વીણવા ગયો હોય, જેથી સર્જકશ્રી લખી શકે. બહુ ઓછા વાચકોને ખબર હશે કે, ભલભલા લેખક માટે મોટો ખર્ચો કાગળનો હોય છે. તંત્રીઓ કાંઇ એટલો પુરસ્કાર નથી આપતા, જેમાંથી ફૂલ્સ કેપ કાગળોનું પેકેટ લઇ અવાય. સન્માન વખતે અનેક વાચકો લેખકોને પેન ભેટમાં આપે છે, શૉલ ઓઢાડે છે.. કોઇએ તેમને કાગળો ઓઢાડયા? એક બાજુથી કોરા કાગળો ભેટમાં આપ્યા? સર્જકોને લખ્યા કરતા ભૂસવાનું વધારે હોય, છપાયા કરતા પાછું વધારે આયું હોય ને વંચાયા કરતા ભેટમાં વધારે અપાયું હોય, એટલે કાગળ તો જથ્થામાં જોઇએ.

પેલા ૧૭-૧૮માંનો બીજો એક મિત્ર આખા એરીયામાં ફરીને ગાય શોધવા ગયો હોય. અનેક લેખકોને પ્રેરણા માટે એમની બારીમાંથી ગાય ઊભેલી દેખાવી જોઇએ, તો જ સૂઝે. એક કવિના પગ પાણીમાં બોળેલા હોય તો જ પેન ઉપડે, એટલે પગ નીચે પાણી ભરેલી થાળી મૂકવી પડે. મહાન થઉ-થઉ કરતા સહેજમાં ન થઇ શકેલા એક મહાકવિ લખતી વખતે ખોંખારા ઉપર ખોંખારા ખાવાના શરૂ કરી દે છે. તેઓશ્રીને પ્રેરણા ખોંખારે- ખોંખારે મળતી હોય છે. માણસ છે- બધા ખોંખારા જાતે ન ખાઇ શકે, તો વાઇફની મદદ લે ને લખવાનું આગળ ચાલે, એટલે તમને યાદ હોય તો ઘણા સર્જકોએ પોતાનું પુસ્તક એમની વાઇફને 'અર્પણ' કર્યું હોય છે... સર્વનામો કે વિશેષણો ઊંચા ગજાના લઇ આવવાના, ''અર્પણ.. મ્હારી જીવનસંગિની... ગોદાવરીને, જેણે આ પુસ્તકના શબ્દે- શબ્દે ખોંખારા ખઇ ખઇને મને પ્રોત્સાહિત કર્યો છે.''

મોટાભાગની પ્રસ્તાવનાઓની શરૂઆત લેખક ભારે નમ્રતાથી કરે છે કે, આ તો બે ચાર કવિ-લેખક મિત્રો પાછળ પડી ગયા કે, 'હવે પુસ્તક ક્યારે આપો છો?.. હવે નહિ ચાલે...'' એમણે મને ઉશ્કેરી ઉશ્કેરીને આ પુસ્તક લખવા પ્રેર્યો. આ બીજી આવૃત્તિ એની સાબિતી છે. તારી ભલી થાય ચમના.. એક એકને પકડી પકડીને તેં તારૂં પુસ્તક વળગાડયું છે, ન લે તો મફતમાં આલ્યું છે અને લે તો અનેક લાલચો આપી છે, કે ''આ છેલ્લું જ છે, બસ.... હવે બીજું વાંચવા નહિ આલું.. પ્લીઝ, આટલી વખત મારૂં પુસ્તક સ્વીકારી લો...!'' પછી બીજી શું, ૩૨-મી આવૃત્તિ ય શું કામ ન થાય?

રહી વાત મિત્રો શેના માટે તને પુસ્તક બહાર પડાવા ઉશ્કેરતા હતા, તેની છે, તો ચમન, તું આવા કોઇ ચોપડા-બોપડા બહાર પાડે ને થોડી ઘણી રૉયલ્ટી આવે, તો એમના લેણાં પૂરા થાય, એ લાલચે એ લોકો તારી પાછળ પડયા'તા, પણ ધન્ય છે તને ને ધન્ય છે તારી જનેતાને કે, કેવો રચનાત્મક અર્થ કાઢીને, તે આ સીઝેરિયન 'પ્રસૂતિ' એટલે કે 'પ્રસ્તાવના'નો યશ પેલા લોકોને આપ્યો છે!

દરેક લેખક પ્રસ્તાવનામાં પ્રકાશકોનો ગંજાવર આભાર માનવાનું ચૂકતા નથી. પણ ન માને તો જાયે ય ક્યાં? છુટકો જ નથી ને? જગતભરના પ્રકાશકો એ લેખકોના આભારોથી લથબથ થઇ ગયા હશે, પણ આજ સુધી એકે ય પ્રકાશકે લેખકનો આભાર માન્યો હોય, એવું વાંચવામાં તો નથી આવ્યું. જરૂરત તો બંનેને એકબીજાની હોય છે ને? પ્રકાશકો આવી ચાંપલાશપટ્ટીમાં પડતા નથી, પ્રકાશકો પ્રસ્તાવના લખતા નથી કે, ''મને મિત્રોએ ઉશ્કેર્યો કે, આનો ચોપડો છાપી માર ને, ભ'ઇ.. લોહીઓ પીતો અટકે!''

કેટલાક વાચકોના મતે, પ્રસ્તાવનાઓ લેખકની આત્મશ્લાઘા હોય છે. નમ્રતા અને વિવેક અહીં તમને ફાટફાટ થતા દેખાશે. ૯૮ ટકા કવિ-લેખકોએ તો ભ'ઇ સા'બ.. કેવી ગરીબીમાં દિવસો કાઢ્યા હતા ને પગમાં સ્લીપરની પટ્ટી સંધાવવાના પૈસા નહોતા, '૬૪ની સાલમાં એ મુંબઇ ગયા અને '૭૮માં પાછા આવ્યા ને મકાન ભાડે લીધું, ફાધર બિમાર, મધરને આંખે હરખું દેખાય નહિ, છોકરી ભાગી ગયેલી ને છોકરો કહ્યામાં નહિ... કેવી કેવી મુસિબતોનો સામનો કર્યા પછી તેઓ લેખક બન્યા...! ઓહ.. તારી બીજી વાર ભલી થાય ચમના... તું આ બધું અમને સુઉં કામ કે'સ...? તારા ફાધર અમારા ઘેર બટાકા-પૌંવા ખાઇ ગયા નહોતા ને તારી બા ને ફક્ત ડોહા જ દેખાતા નહોતા.. બાકીનું તો બધું જોઇ લેતા'તા!

પ્રસ્તાવના કેવળ લેખક-કવિઓના ધંધામાં જ હોય છે, બાકીના ધંધાઓ ગ્રાહકોને આટલા નડે એવા હોતા નથી. ડૉકટર, વકીલ, વાળંદ, કુશ્તીબાજ, શેર-બજારીયો કે અન્ડરવર્લ્ડના 'ભાઇલોગ' કેમ કદી પ્રસ્તાવના લખતા નથી? માલ તો એ લોકોને ય વેચવાનો હોય છે!

એક જ કારણ હોય.. જગતના કોઇ ધંધાદારીઓ કે શોખિનો કવિ-લેખકો જેટલા નિઃસહાય નથી હોતા. શૂન્યમાંથી સૃષ્ટિ ઊભી કરવા છતાં સર્જક હંમેશા અન્યો ઉપર આધારિત હોય છે, લાચાર હોય છે. 

ઓરિજીનલ શોલે કેવું હતું?

$
0
0
અસલી શોલેમાં ગબ્બરસિંઘ મરી જાય છે

ફિલ્મ : 'શોલે'('૭૫) ૭૦ MM
નિર્માતા : જી. પી. સિપ્પી
દિગ્દર્શક : રમેશ સિપ્પી
સંગીત : રાહુલદેવ બર્મન
ગીતકાર : આનંદ બક્ષી
રનિંગ ટાઈમ : મૂળ લંબાઈ ૨૦૪
મિનીટ્સ સુધારેલી લંબાઈ ૧૮૮ મિનીટ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)

કલાકારો : અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, હેમા માલિની, જયા ભાદુરી, અમજદ ખાન, એ. કે. હંગલ, અસરાની, જગદીપ, સત્યેન કપ્પૂ, અરવિંદ જોશી, શરદ કુમાર, ઈફ્તિખાર, પી. જયરાજ, મેકમોહન, વિજુ ખોટે, ગીતા સિદ્ધાર્થ, માસ્ટર અલંકાર જોશી, લીલા મિશ્રા, વિકાસ આનંદ, બિરબલ, કેશ્ટો મુકર્જી, સચિન, મેજર આનંદ, બિહારી, ભગવાન સિન્હા, જેરી, ભાનુમતિ, મુસ્તાક મર્ચન્ટ, મામાજી, રાજકિશોર, હબીબ, જલાલ આગા, રાજન કપૂર, કેદાર સહગલ, ઓમ શિવપુરી અને હેલન.





***
ગીતો :
૧. કોઈ હસિના જબ રૂઠ જાતી હૈ તો એક, દો, તીન હો જાતી હૈ કિશોર-હેમા માલિની
૨. હોલી કે રંગ જબ ખીલ જાતે હૈ, રંગો મે લતા-કિશોર કુમાર
૩. યે દોસ્તી હમ નહિ છોડેંગે, છોડેંગે દમ અગર તેરા સાથ મન્ના ડે, કિશોર
૪. મેહબૂબા મેહબૂબા, ગુલશન મેં ફૂલ ખીલતે હૈં પંચમ (આર.ડી.)
૫. આ જબ તક હૈ જાન, જાને જહાં મૈં નાચૂંગી લતા મંગેશકર
૬. આ શરૂ હોતા હૈ ફિર બાતોં કા મૌસમ મન્ના ડે, કિશોર, ભૂપેન્દ્ર, આનંદ બક્ષી
૭. તૂને યે ક્યા કિયા, બેવફા બન ગયા, વાદા તોડ કે કિશોર કુમાર
(ગીત નં. ૬ ઓરિજીનલ પ્રિન્ટમાં ય લેવાયું નહોતું. ફક્ત તેની રેકોર્ડ બની હતી.)
***
ફિલ્મ 'શોલે'ની અસલી પ્રિન્ટ જોવા મળી, એ પહેલા યૂ-ટયૂબ પર અસલી 'શોલે'માં હતા, એ દ્રષ્યો જોઈ લીધા હતા, જેમ કે મૂળ ફિલ્મમાં ઠાકૂર (સંજીવકુમાર) ગબ્બરસિંઘ (અમજદ ખાન)ને મારી નાંખે છે. ઈમામ સાહેબના પુત્ર આહમદ (સચિન)ની હત્યા ગબ્બર બહુ ક્રૂર રીતે કરે છે કે ગબ્બરને મારવાના પ્લાનરૂપે ઠાકૂર એના બુઢ્ઢા નોકર (સત્યેન કપ્પૂ) પાસે જૂતાંની નીચે ખીલ્લા નંખાવે છે... વગેરે વગેરે. એટલે એવી અસલી આખી ફિલ્મની ડીવીડી જોવા મળી, એટલે ૩૭ વર્ષો પહેલાનું રૂપાલી થીયેટર યાદ આવ્યું, જ્યારે પહેલા આખા વીકમાં થીયેટર ઉપર કાગડા ઊડતા હતા. ત્યાં સુધી અમદાવાદ જ નહિ, આખા દેશમાં મોટા ભાગના પ્રેક્ષકોને પહેલા સપ્તાહમાં રામ જાણે કેમ, પણ આ ફિલ્મ ખાસ ગમી નહોતી. હવા ધીરે ધીરે જામવા માંડી અને પછી એવી જામી કે ભારતમાં બનેલી કોઈપણ ફિલ્મ કરતા આ ફિલ્મ સર્વોત્તમ સોપાને પહોંચી ગઈ. આજ સુધી આટલી સફળ એકે ય ફિલ્મ ભારતમાં બની નથી.

મુંબઈના એકલા મિનર્વા થીયેટરમાં જ આ ફિલ્મ સળંગ પાંચ વર્ષ ચાલી. ભારતના સેન્સર બોર્ડને વાંધો હતો ગબ્બરસિંઘ મરી જાય એમાં. નીતિમત્તાના ધોરણો જાળવવા ઠાકૂર કાયદો હાથમાં લઈને ગબ્બરને ખતમ કરી નાંખે, એ મંજુર નહોતું. સચિનને મારી ભલે નાંખો, પણ કેવી રીતે માર્યો, એ ન બતાવો. સિપ્પીઓને એ દ્રશ્યો નવેસરથી શૂટ કરીને વાર્તામાં થોડો બદલાવ લાવવો પડયો, જે આપણે '૭૫ની સાલમાં જોયો હતો. આમ તો અસલી ફિલ્મને મરોડવામાં આવી, તેથી પ્રેક્ષકોના રસને ખાસ કોઈ અસર થઈ નહોતી. એક જીવ બળી જાય, મૂળ ફિલ્મની વાર્તા મુજબ, સંજીવ કુમાર, અમજદ ખાનને મારી નાંખે છે (પોતાના પગોથી કૂચલીને) એ પછી સંજીવનો સાયલન્ટ અભિનય કોઈ મોટા કલાસનો હતો. પોતાના પરિવારને ક્રૂરતાથી રહેંસી નાંખનાર ગબ્બરને ફક્ત પોતાના હાથે (હાથ તો ગબ્બરે કાપી નાંખ્યા હતા, એટલે પોતાના પગે) કૂચલી કૂચલીને મારી નાંખવાનો મનસૂબો પોતાના અને રામગઢના જાનના જોખમે રાખનાર સંજીવના હાથમાં એટલે કે પગમાં છેવટે અમજદ આવે છે, ત્યારે એ જ મનસૂબો પાર પાડવાની તો ખુશી થવી જોઈતી હતી ઠાકૂરને... થઈ હશે, પણ એ મકસદ પૂરો થઈ ગયા પછી એમના જીવનમાં કાંઈ બાકી જ ન રહ્યું, એનો વિષાદ કે પૂર્ણ સંતોષ આવી ગયા પછી સંજીવનો વગર સંવાદે કેવળ હાવભાવથી જે અભિનય કર્યો છે, તે થોડી ક્ષણોને કારણે જ કદાચ જાણકારો સંજીવને ભારતના પ્રથમ પાંચ ટોપ એક્ટરોમાં મૂક્તા હશે.

અભિનયને સમજતા વિદ્વાનોના મતે ફિલ્મમાં ટુંકો પણ સર્વોત્તમ અભિનય બુઝુર્ગ સ્વ. અવતાર કિશન હંગલે આપ્યો છે. 'યે ઈતના સન્નાટા ક્યું હૈ, ભાઈ?' આ એક નાનકડા સંવાદે હંગલને દેશભરમાં ખ્યાતિ અપાવી. તો બીજી બાજુ, ફિલ્મમાં જેમના ચેહરા પણ ભાગ્યે જ દેખાય છે, તેવા મેકમોહન (સામ્ભા) અને વિજુ ખોટે (કાલીયા) એમના પાત્રોને કારણે જગમશહૂર થઈ ગયા. માહૌલ મુજબ, હવે જેમને 'થ્રી ઈડિયટ્સ' વાળા શર્મન જોશીના ફાધર તરીકે ઓળખવા પડે, તે અરવિંદ જોશીથી ઊંચું નામ ગુજરાતી તખ્તા ઉપર બસ, કોઈ બે-ચાર કલાકારોનું માંડ હશે, એવા ઊંચા ગજાના આ કલાકારે જસ્ટ બીકોઝ... હિંદી ફિલ્મમાં ચમકવા મળે છે, માટે તો આવો સ્તર વગરનો રોલ નહિ સ્વીકાર્યો હોય. સાલું ભારતીય લશ્કરમાં તમે સરસેનાપતિ હો અને અમેરિકન લશ્કરમાં તમને ખૂણામાં ભાલો પકડાવીને ઊભા કરી દે, એમાં પ્રતિષ્ઠા આપણી જાય... કારણ ગમે તે આપો!

આજે તો ભારતની આજ સુધીની તમામ ફિલ્મોના એક માત્ર સર્વશ્રેષ્ઠ હીરો તરીકે જેની ગણના થાય છે, એ અમિતાભ બચ્ચને પણ આ ફિલ્મમાં 'જય'નો રોલ મેળવવા કાવાદાવા અને રાજકારણ ખેલવું પડયું હતું, કારણ કે, જયનો એ રોલ મૂળ તો શત્રુધ્ન સિન્હાને મળવાનો હતો, પણ અમિતાભે રમેશ સિપ્પીને ખૂબ સમજાવ્યા કે, કઈ કઈ રીતે આ રોલ કરવા માટે હું પરફેક્ટ છું, એ પછી શત્રુભ'ઈ ખામોશ થઈ ગયા.

આવી રમુજ 'કિસ ગાંવ કા હૈ ટાંગા, બસન્તી...'વાળા વીરૂ ઉર્ફે ધર્મેન્દ્રને પણ થઈ હતી. ફિલ્મની વાર્તા સાંભળ્યા પછી ઠાકૂર બલદેવસિંહવાળો રોલ કોઈપણ હિસાબે એને જોઈતો હતો, પણ સિપ્પીએ સમજાવ્યો કે, '... તો પછી વીરૂવાળો રોલ સંજીવ કુમારને આપવો પડશે ને હીરોઈન હેમા માલિની સંજીવ લઈ જશે.' ધરમો તાબડતોબ સમજી ગયો કારણ કે ખતરો હતો. સંજીવ કુમારે ઉઘાડે છોગ હેમા માલિની માં જયા ચક્રવર્તિ પાસે હેમાનો હાથ માંગ્યો હતો અને ભાઈ લટ્ટુ પણ ઘણા હતા. ધરમાએ તાત્કાલિક પ્રવાહ બદલી નાંખ્યો અને ડાહ્યો થઈને ચૂપચાપ વીરૂ બની ગયો. ફિલ્મના અંતે નાળા ઉપરના બ્રીજ પાસેના શૂટિંગ વખતે એક ગમખ્વાર ઘટના બનતા બનતા સહેજમાં રહી ગઈ. ધર્મેન્દ્રની પિસ્તોલમાંથી અચાનક છુટેલી ગોળી અમિતાભને સહેજમાં વાગતી રહી ગઈ.

સંજીવ બદનામ પણ ખૂબ થયો, 'શોલે'ના નિર્માણ દરમ્યાન. ફિલ્મનું શૂટિંગ બેંગાલૂરૂ પાસેના 'રામનગરમ' ખાતે ચાલતું હતું, જ્યાં સિપ્પીએ આખા ગામનો તોતિંગ ખર્ચે સેટ ઊભો કર્યો હતો. સહુ જાણે છે કે, અમિતાભ ઘડિયાળના કાંટે શૂટિંગ પર પહોંચી જાય ને સહુ એ પણ જાણે છે કે, શૂટિંગના સમયને સંજીવ સાથે કોઈ લેવાદેવા નહિ. એ મોડો જ આવે. અને મોડો એટલે ઘણો મોડો. આખું યુનિટ સવારે ૭ વાગે તૈયાર હોય ત્યારે હરિભાઈ ૧૨ વાગે તો હોટેલ પરથી નીકળે. વિવાદ ટાળવા સિપ્પીએ સંજીવનો રોજનો સમય જ ૧૨ પછીનો કરી નાંખ્યો. વિખ્યાત પત્રકાર શોભા ડે દેખાવમાં તો આજે ય સેક્સી લાગે છે. હરિભાઈ ચિક્કાર પીને એની ઉપર વધુ પડતા આસક્ત થઈ ગયા અને હોટેલમાં પોતાની રૂમમાં બોલાવીને જબરદસ્તી શરૂ કરી દીધી. આ વાત શોભાએ પોતે માન્ય મેગેઝિનમાં લખી છે કે, 'હૂ મારં રક્ષણ કરવા પૂરતી સશક્ત અને સંજીવ ચિક્કાર પીધેલો ન હોત તો... પછી શું થયું હોત, તે ધારણાનો વિષય છે.' આખી ફિલ્મમાં હેમા માલિની સાથે સંજીવ કુમારનું એક પણ દ્રશ્ય નથી. હેમા પાછળ આદુ ખાઈને પડેલા સંજીવનું મોઢું પણ જોવા એ માંગતી ન હોવાથી ફિલ્મની વાર્તામાં એ બન્નેને એક દ્રષ્યમાં ભેગા જ કરવામાં આવ્યા નહિ.

ગબ્બરસિંઘનો રોલ પહેલો ડેની ડેન્ઝોંગ્પાને સોંપાયો હતો, પણ ડેની ફીરોઝખાનની ફિલ્મ 'ધર્માત્મા'ના શૂટિંગ માટે અફઘાનિસ્તાનમાં બિઝી હતો, એટલે ફિલ્મ સ્વીકારી ન શકયો ને રોલ અમજદ ખાનને મળ્યો. જોકે, ફિલ્મના જોડીયા વાર્તા લેખકો પૈકીના (સલીમ) જાવેદને અમજદનો અવાજ ગબ્બર માટે ફિટ નહિ પણ પાતળો લાગતો હતો ને એમણે સિપ્પીને, અમજદને બદલી નાંખવાની ભલામણ કરી, જે સ્વીકારાઈ નહિ. ઠાકૂરની હવેલી પાસે ખડક પર ઊભા ઊભા બંદૂક ફોડતો યુવાન શરદકુમાર છે, જે તનૂજાની સામે ફિલ્મ 'પૈસા યા પ્યાર'માં સેકન્ડ હીરો હતો. 'દો લબ્ઝો કી હૈ, દિલ કી કહાની'ના અમિતાભવાળા ગીતમાં ફ્રેન્ચ ભાષામાં ''આ મોરે મીયો...'' પણ શરદે ગાયું છે. આ પાનાં ઉપર 'શોલે'ના ગીતોની યાદીમાં છઠ્ઠું ગીત કવ્વાલી હતી, પણ ફિલ્મની લંબાઈ વધી જતા, કાઢી નાંખવામાં આવ્યું. સુરમા ભોપાલીનો રોલ વાસ્તવિક્તામાં લેખક સલિમે તેના એક ઓળખીતા વેપારી ઉપરથી ઘડયો હતો. કોમેડિયન જગદીપને એ વ્યક્તિની બોલચાલ અને હાવભાવનો છાનોમાનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું, તે કર્યું તો ખરું, પણ ફિલ્મ રીલિઝ થયા પછી પેલો અસલી વેપારી બગડયો હતો, કારણ કે મૂળ તો એ ફોરેસ્ટ ઓફિસર હતો પણ ફિલ્મમાં સુરમા ભોપાલીને લાકડાકાપુ ઠેકેદાર જેવો બનાવાયો હતો, એમાં પેલો ગીન્નાયો હતો. લેખક સલિમ આમ તો સલમાન ખાનના ફાધર તરીકે વધુ ઓળખાય છે, પણ 'શોલે'ના જય અને વીરૂ સલિમના કોલેજકાળના બે દોસ્તોના વાસ્તવિક નામો છે, 'જયસિંઘરાવ કાલેવર' જે ખેતરમાં શાકભાજી ઉગાડતો ખેડૂત હતો અને બીજો ઈન્દોરની ખજરાણા કોઠીના જાગીરદારનો છોકરો વિરેન્દ્રસિંઘ બિયાસ હતો. એ બન્ને આજે તો મૃત્યુ પામ્યા છે. આમ તો બધાને ખબર છે કે, સલમાન ખાનની માતા સલમા મૂળ હિંદુ છે. તેના પિતા ઠાકૂર બલદેવસિંઘના અસલી નામ પરથી સંજીવકુમારનું નામ ઠાકુર બલદેવસિંઘ રાખવામાં આવ્યું છે. આજે પણ સલિમ ખાનના આ સસુરજીનું દાંતનું દવાખાનું મુંબઈના માહિમમાં છે.

હેમા માલિનીની 'મૌસી' બનતી લીલા મિશ્રા સાથે, 'અરે, મૌસી, અબ આપકો કૈસે સમઝાઉં...' વાળી આખી સીચ્યૂએશન વાસ્તવમાં બનેલી છે અને તે પણ સલિમ-જાવેદ સાથે જ. જાવેદ હની ઈરાનીના પ્રેમમાં હતો, જે પારસી છે. તેની મમ્મીને વાત કરવા જાવેદે સલીમને મોકલ્યો હતો ને સલીમે પૂરો ભાંગડો વાટી નાંખ્યો... જેમ અમિતાભ ધરમના વખાણ કરવાને બદલે મજાક-મજાકમાં બદનામ કરી નાંખે છે.

એવી જ રીતે, ફિલ્મમાં ટ્રેનની જે સીકવન્સ છે તે મુંબઈ-પૂણે લાઈન પર પનવેલ જતા શૂટ કરવામાં આવી હતી, જેના શૂટિંગમાં ૨૦ દિવસ ગયા હતા.

ક્યાંક દિગ્દર્શકનું બેધ્યાન પણ તરત નજરે ચઢે એવું છે. સંજીવ કુમાર વેકેશનમાં ઘેર પાછો આવે છે, ત્યારે પરિવારની પાંચ લાશો પડી હોય છે, એમાં સૌથી નાના બાળક (માસ્ટર અલંકાર)ના શબ ઢાંકેલા શબ પરથી કપડું ખસેડે છે, જે પવનમાં દૂર ફંગોળાઈ જાય છે. તરતના દ્રષ્યમાં એ કપડું બાળકના મોંઢે સલામત ગોઠવાઈ જાય છે. એવી જ રીતે, બસંતી ભગવાન શંકરના મંદિરે ચાલતી આવે છે, પણ પાછી પોતાના ટાંગામાં જાય છે. જલ્દી માનવામાં નહિ આવે, પણ આવી ઉત્તમ ફિલ્મ બનવા છતાં 'શોલે'ને ફક્ત એક જ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો અને તે પણ એડિટીંગ માટેનો. મોટા ભાગના એવોડર્સ યશ ચોપરાની ફિલ્મ 'દીવાર' લઈ ગઈ હતી, જે અમદાવાદના અલંકાર સિનેમામાં આવ્યું હતું. નટરાજમાં સંજીવ-સુચિત્રા સેનનું 'આંધી', શ્રી કે શિવમાં ઉત્તમ કુમારનું 'અમાનુષ', નોવેલ્ટીમા આ જ અમિતાભ ધર્મેન્દ્રનું 'ચુપકે ચુપકે', મોડેલમાં રાજ કપૂરનું 'ધરમ-કરમ', એલ.એન.માં ફિરોઝ ખાનનું 'કાલા સોના', કૃષ્ણમાં અમિતાભ-જયાનુ 'મિલી', અશોકમાં મૌસમી ચેટર્જીનું 'નાટક', પ્રકાશમાં વિનોદ ખન્ના, લીના ચંદાવરકરનું 'કૈદ', રૂપમમાં મનોજકુમારનું 'સન્યાસી', રીગલમાં અમિતાભ-સાયરા બાનુનું 'ઝમીર' અને દેવ આનંદનું 'વોરન્ટ' લાઈટ હાઉલમાં ચાલતું હતું.

આનંદ બક્ષીને આટલી મોટી ફિલ્મ મળી હોવા છતાં આજ સુધી ન લખ્યા હોય એવા એક પછી એક ઘટીયા ગીતો 'શોલે'માં લખ્યા. કમનસીબે આજ ફિલ્મ 'શોલે'થી રાહુલદેવ બર્મનના વળતા પાણી શરૂ થયા. આખી ફિલ્મમાંથી એના ગીતો સિવાય અન્ય ભાગ્યે જ કોઈ ટીકા કરી શકાય એવું હતું. સિપ્પીની એ પછીની 'શાન'માં ય પંચમ નિષ્ફળ ગયો. 'સાગર'નું એકાદું ગીત લોકોને ગમ્યું. આ જ ફિલ્મમાં ધર્મેન્દ્ર હેમા માલિનીને બાહુપાશમાં વારંવાર લેવા મળે, એટલે ઝાડ પરથી ફળ તોડવા બંદૂક ફોડવાના દ્રષ્યો વખતે ધરમે યુનિટના કોઈ માણસને ફોડીને વારંવાર એ શોટ લેવડાવ્યો, જેમાં બન્ને પડી જાય છે, એકબીજાની ઉપર! આ જ ફિલ્મ બનતી હતી તે વખતે બચ્ચનપુત્રી શ્વેતા જયાના પેટમાં હતી, એટલે એવા પેટે જયા શોટ ન આપી શકે એ માટે પણ વાર્તામાં ઝીણકા ઝીણકા ફેરફારો કરવામાં આવ્યા હતા. 

ઍનકાઉન્ટર 26-05-2012

$
0
0
* હાથે મૂકેલી મેંહદીનો કલર સારો આવે તો એવું મનાય છે કે, એ સ્ત્રીને એનો પતિ ખૂબ પ્રેમ કરે છે... તમે માનો છો ?

- એ મેંહદી સ્ત્રીના વાળમાં મૂકાઈ હોય છતાં ગોરધન એનો એ જ ટકી રહ્યો હોય તો માનું કે, પતિ પ્રેમીલો છે.
(રાજેશ વી. શુકલ, ભરૂચ)

* શ્રેષ્ઠ પત્રલેખક મહાત્મા ગાંધી હયાત હોત તો 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછત ખરા ?
- તેઓ હિંસાથી સદા ય દૂર હતા.
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* બ્રશ કરતી વખતે અરીસામાં દાંતને બદલે ચેહરો કેમ જોવાય છે?
- પેલું એકમાં પતે... ને દાંત માટે ૩૨-રાઉન્ડ મારવા પડે !
(સિધ્ધાર્થ એન. શેઠ, જામનગર)

* દર વખતે તમે, 'તારી ભલી થાય ચમના...' કહો છો... તો 'ચમની'એ તમારૂં કાંઈ બગાડયું છે ?
- ચમનીનું સુધરે તો ચમનાનું ભલું ક્યાંથી થવાનું છે?
(પ્રમોદ સિંઘલ, આબુરોડ-રાજસ્થાન)

* રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારોમાં નેહરૂ, ઈંદિરા, મોતીલાલ કે પાપા રાજીવ ગાંધીના બલિદાનોના થાળીવાજાં વગાડે છે... પણ રાહુલનું પોતાનું શું ?
- આપણે ઇચ્છીએ કે, રાહુલ બાબાને ક્યારે ય બલિદાન ન આપવું પડે... એમને તો બલિદાનો માંગવાના હોય!
(જીતેન્દ્ર રામભાઈ પટેલ, ઊંઝા)

* તમે એક મહિના માટે દિલ્હીના પોલીસ-કમિશ્નર બનો તો?
- બીજા મહિનાથી ટીવી-ન્યૂઝમાં ચમકવાનું ચાલુ !
(જયેશ અંતાણી, ભાવનગર)

* હું ૧૭-વર્ષની છું, પણ દુષ્ટ લોકોને જોઈને એમ થાય છે કે, સંસાર છોડીને વૈરાગ્ય લઈ લઉં... સુઉં કિયો છો ?
- એક વખત આવી જાહેરાત મેં પણ કરી હતી... પણ એ સાંભળીને, અગાઉ વૈરાગ્ય લઈ ચૂકેલા દૂષ્ટો ડઘાઈને સંસારમાં પાછા આવી ગયેલા... !
(વૃત્તિ અધ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

* સમાજમાં માણસાઈ ઓછી થતી જાય છે ને બીજી બાજુ Being Human ના ટી-શર્ટો પહેરવાનો મહિમા કેમ જાગ્યો છે ?
- આવા ટી-શર્ટો પહેરનારાઓ સ્ત્રીને જુએ ત્યારે ''Hu '' ઉપર હાથ મૂકી દે છે... !
(મિલિન્દ એમ. કેળકર, વાસદ)

* લગ્નમંડપમાં કન્યાને પાનેતર પહેરવું ફરજીયાત હોય છે, વર માટે કેમ નહિ ?
- વરથી એવું એવું ના પહેરાય... બા ખીજાય !
(નલિન ત્રિવેદી, જામનગર)

* સાંભળ્યું છે કે, તમે અને શાહરૂખ ખાન લંગોટીયા મિત્રો હતા... !
- હશે, પણ હું તો લંગોટ પહેરતો હતો... !
(ઉત્સવ, રાજકોટ)

* ભારતીય નારીની સાચી ઓળખાણ કઈ ?
- 'ભારતીય' હોવું, એ જ વિશ્વની સર્વોત્તમ ઓળખાણ છે.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી)

* કેટલાક લોકો કહે છે, મોબાઈલથી પકડાઈ જવાય પણ જુઠ્ઠું બોલીને છુટી જવાય છે. શું કરવું ?
- મોબાઈલ પકડીને જુઠ્ઠું બોલવું.
(ઓમ/ફાલ્ગુની/હરિણી/કેદાર/હૅરિક દવે, જૂનાગઢ)

* શ્રી ગણપતિની પૂજા કરીએ તો ભગવાન શંકર પ્રસન્ન થાય, પણ શંકરની પૂજા કરવાથી ગણેશજી પ્રસન્ન થાય ખરા ?
- તમામ દેવોમાં બાપ-દીકરાનો આ એક જ સૅટ આપણી પાસે પડયો છે... ગમે તેની પૂજા કરો, બન્ને પ્રસન્ન !
(દીપા કતીરા, ભૂજ)

* નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી સાથ આપે એવી ચીજ કઈ ?
- નગરપાલિકા.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* આજે માનવ પોતે સુખી હોવા છતાં, પોતાના કરતા બીજાને વધારે સુખી કેમ માને છે ?
- આપણા ઘરના પગલૂછણીયા કરતા બાજુવાળાના પગલૂછણીયા ઉપર પગ વધારે સારા લૂછાય છે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રી મહાદેવજી... ત્રણેમાંથી પરમ શ્રેષ્ઠ કોણ ?
- મારે તો હમણાં મહાદેવજી સાથે જરા હટી ગઈ છે... મારાથી હમણાં કાંઈ ન બોલાય !
(મોના જે. સોતા, મુંબઈ)

* ગયા 'વેલેન્ટાઈન-ડે'ના દિવસે તમે તમારી વાઈફને શું ભેટ આપી હતી ?
- દિવસે નહિ...
(હકીમ હુસેન સવઈ, મુંબઈ)

* જંગલી પ્રાણીઓ જંગલ છોડીને હવે શહેર તરફ કેમ આવવા માંડયા છે ?
- તમે ક્યાં રહો છો ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* તમારે પત્ની સાથે ઝગડો થાય ખરો ?
- એનો આધાર એ કોની પત્ની છે, એની ઉપર છે.
(રૂપા કોઠારી, જસદણ)

* એસ.ટી. બસમાં સીનિયર સિટિઝનો માટે કન્સેશન કેમ નહિ ?
- સીનિયર સિટિઝનો જાણે છે... મરેલીને શું મારવી ?
(ઈન્દ્રવદન આર. પંડયા, હરસોલ)

* તમારા પત્ની અને ડિમ્પલ કાપડીયા વચ્ચે સૌંદર્યનો તાજ પહેરાવવાનો હોય તો તમે કોને પસંદ કરો ?
- અફ કોર્સ, પત્નીને જ! સની દેવલ ડંડો લઈને ફરી વળે, એવી બીક તો નહિ !
(લતા પટેલ, મહેસાણા)

* તમે જીંદગીથી ધરાઈ જાઓ ત્યારે શું કરો છો ?
- તરસ્યાઓના જવાબો આપું છું.
(પંકજ દફતરી, રાજકોટ)

* જે ઘરમાં પુત્રવધૂ દીકરી બનીને રહે ને સાસુ વહુને દીકરીની જેમ રાખે, એ ઘરમાં પ્રભુ પ્રસન્ન રહે. સુઉં કિયો છો ?
- પ્રભુને ફ્રી-ઑફ-ચાર્જ રાખવાના ને... ?
(જગદિશ ઠક્કર, મુંબઈ)

* વાણીયાઓ વિશે આપનો શું અભિપ્રાય છે ?
- જૈન અને વૈષ્ણવ... બન્ને વાણીયાઓ ગુજરાતની પ્રથમ પાંચ જ્ઞાતિઓમાં બીજા અને ત્રીજા નંબરે આવે !
(આસ્થા ભાવિન કોઠારી, રાજકોટ)

* તમે ફૅસબુક પર કેમ નથી ?
- ચૅકબૂક પરે ય નથી.
(દૂરવેશ યુ. કાસિમ, ગોધરા)

* બુદ્ધિમાન શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત પૈસાથી બુદ્ધિમાન બની શકતો નથી. સાચું ?
- પૈસો આવી ગયા પછી બુદ્ધિની જરૂર જ ક્યાં છે ?
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

મેરો તો જામનગર, દૂસરો ન કોઇ !

$
0
0
''હંભાળીને હરખું નો રાયખું, એમાં જામનગર બગડી બઉ ગીયું. એક જમાનામાં કાઠીયાવાડનું પેરિસ ગણાતું આ શહેર અટાણે હમજો ને...અમદાવાદના ગાંધી રોડ જેવું થઇ ગીયું છે.''

હું તો કેમ જાણે અમદાવાદથી બિમાર જામનગરની ખબર કાઢવા ગયો હોઉ, એમ ત્યાંના એક અદા મને શહેરનો હેલ્થ-રિપોર્ટ આપી રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ ડોહા કે કાકા કે વડિલને બદલે 'અદા' કહેવાની પરંપરા છે. એમને એ ખબર ન હોય કે, તમે તો ત્યાં રહો છો, એટલે ઘર કી મૂર્ગી દાળભાત બરોબર હોય, પણ વર્ષોથી જામનગર છોડીને દૂર વસેલા મારા જેવાઓ માટે તો આજે ય આ નગર 'જામ' ભરેલું છે. જેવું છે, એવું અમારૂં છે. કબ્બુલ કે, બાઝકણી પડોસણો જેવી રીલાયન્સ કે એસ્સાર જેવી રાક્ષસી કંપનીઓ ત્યાં ફિટ થઇ હોવાથી બાળક જેવું આ નગર જરા હેબતાઇ ગયું છે, ચીચોચીચ થઇ ગયું છે....પણ પેલું કહે છે ને, 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી !'

રાજકોટની જેમ આ બધા ય ૧૨ થી ૪ ઘસઘસાટ ઊંઘવાવાળાઓ ! આળસ આખા સૌરાષ્ટ્રને આણામાં આવેલી છે. છતાં ય ૧૨ થી ૪ સજડબંબ બંધના પ્રતાપે સૌરાષ્ટ્રમાં ૧૨ થી ૪ ની વસ્તી ગાયબ હોય ! એ વાત જુદી છે કે, આ સમયમાં સૌરાષ્ટ્ર ઊંઘતું હોવા છતાં ભારે ઉદ્યમી હોય !

આ ખંડહરવાળી વાત એની મૂળ ઇમારતને લાગુ પડતી હશે કે નહિ, નો આઇડીયા...પણ જામનગરને આખુડી લાગુ પડે છે. એક ચક્કર શહેરનું મારો, એમાં મહુડીના મંદિરની બહાર ભૂખ્યા કૂતરાં સુખડીની રાહો જોઇને બેઠા હોય એમ અહીના હજારો મકાનો ખંડહરથી ય બિસ્માર હાલતમાં અરિહંતશરણ થવાની રાહ જોઇ રહ્યા છે. કુતુહલ એટલું જ કે, ત્યાંથી પસાર થતા આપણી વાઇફ જરા મોટેથી બોલે તો ય મકાન ભમ્મ થઇ જશે, એવી બીકો લાગે, છતાં અંદર આખા ફેમિલીના ફેમિલીઓ રહેતા હોય. કોમિક એ વાતનું કે, જામનગરના દરેક મકાનોનું નામ હોય, એમ આવા ખખડધજ મકાનના ય નામ હોય, 'શક્તિ-સદન', 'રાજ ભવન', 'રાંદલ કૃપા', 'પટેલ હવેલી' કે 'નાયરોબી-વિલા'.

આ 'વિલા'વાળા બધા નાયરોબીથી અહી જમા થયેલા. ''અમારે આફ્રિકા ને ઇંગ્લેન્ડમાં વિલાયું બવ હોય, બ્વાના...! તીયાં મોમ્બાસામાં કાઇળાંઓ અમને ધોઇળાં ગણીને લૂંટે ને અમારા ઇંગ્લેન્ડમાં ધોઇળાંવ અમને 'દેસી' ગણીને લૂંટે, બોલો !..ઇ તો આંઇ દેસમાં આઇવા, તંઇ ખબર પડી કે, દેસમાં હઉ અમને પરદેસી ગણીને માન બઉ દિયે...કે આ તો આફ્રિકાવાળા...એમને ઇંગ્લિશ બઉ આવડે...!''

અમારા સાસરાની જેમ ઇસ્ટ આફ્રિકાથી ઘણો તોતિંગ માલ જામનગરમાં ઠલવાણો હતો. વળી પાછી જરાક અમથી કળ વઇળી, એટલે એ લોકો લંડન વીયાં ગયા. આફ્રિકા જન્મારો કાઢી આવેલાઓ અમેરિકામાં સેટ થયા હોય કે ઇગ્લેન્ડમાં.... એમાંનો એકે ય ગુજરાતી યુગાન્ડા, મોમ્બાસા, નકૃરૂ, થીકા, દારે સલામ કે નાયરોબી ભૂલ્યો નથી. આજે પણ એમને ઇંગ્લેન્ડ-અમેરિકા કરતા આફ્રિકા વધુ વહાલું લાગે છે. ગુજરાતીઓ આ જ કારણે જગતભરમાં નંબર- વન છે કે જે દેશનું ખાય, એનું ખોદે તો નહિ, પણ ગૌરવ લે. કેન્યાની ભાષા સ્વાહિલીના માંડ ૮-૧૦ શબ્દો યાદ હોય, પણ ''દેસમાં'' કોઇ ત્યાંનું જૂનું મળી ગયું, એટલે એકબીજાને એ શબ્દો ફખ્તથી સંભળાવે.

ઇસ્ટ આફ્રિકાથી આવેલા ગુજરાતીઓની જેમ, અહીના કચ્છીઓ, જૈનો, ભાટીયાઓ, પટેલો, બ્રાહ્મણો અને લોહાણાઓ 'કી અયોં ?'(એટલે 'કેમ છો ?)'બોલી પૂરતા જ નહિ, દિલના ય સાંગોપાંગ કાચના શીશા જેવા સાફ માણસો છે. આપણે સામું પૂછવા જઇએ કે, ''તમને ભૂજ-ભચાઉને બદલે જામનગર સેટ થાય છે ?''તો કહે, ''અસાકેં. હતે બઉ ફાવેવ્યો આય.'' તરત યાદ આવે કે, આપણને કચ્છી તો આવડતું નથી, એટલે ઘટનાસ્થળે જ અનુવાદ કરી આપે કે, ''અમને અહીયાં બહુ ફાવી ગયું છે...''

કહે છે કે, કોલમ્બસે અમેરિકા શોધ્યું અને નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્રની ધરતી ઉપર પહેલો પગ મૂક્યો, ત્યારે એમને જૈનોનો નવકાર મંત્ર અને મુસલમાનોની આઝાન સંભળાઇ હતી, ત્યારે આ તો જામનગર છે, ભા'આય...! અહી જૈનો અને મુસલમાનોની સંખ્યા લોહાણાઓ જેટલી જ તગડી છે. જામનગરનો અડધો વેપાર લોહાણા અને જૈનોના હાથમાં છે.

હતી એક જમાનામાં બ્રાહ્મણોની બોલબાલા...આજે નથી. જ્ઞાતિએ બ્રાહ્મણ હોય પણ બેવકૂફો હજી 'સામવેદી'અને 'યજુર્વેદી'ની સંકુચિતતામાંથી બહાર નથી આવ્યા, એટલે કચ્છીઓ કે લોહાણાઓની જેમ બ્રાહ્મણો વિકાસ ન કરી શક્યા !

ગામ થોડું કોમિક તો ખરૂં. અડધા જામનગરને 'ળ'અને 'શ'બોલતા આવડતા નથી. દેસી દુકાનોના પાટીયે-પાટીયે 'વારાઓ'કાઢ્યા હોય. વારા એટલે 'વાળા'...વજુભાઇ નહિ....આ તો ઘુઘરાવારા, મેસુબવારા, સરબતવારા....વારવારા....(એટલે વાળવાળા...!) માટલાને આ લોકો 'ગોળી' કહે છે, એટલે ''....ગોરીમાં પાણી ભયરું...?'' એમ પૂછે !

દુકાન કોઇ બી હો, ભીંત પર ભૂલ્યા વગર સ્વર્ગસ્થ પિતાનો ફૂલ ચઢાવેલો ફોટો હોય જ. ચોંકી જઇએ કે, દુકાન ખોલી એમાં ડોહો ગાયબ...? એમાંનો એક પિતો હરામ બરોબર ફોટો પડાવતી વખતે એક વારે ય હસ્યો હોય ! ફોટામાંથી બહાર આવીને એક તમાચો ઝીંકી દેશે, એવી ગ્રાહકને બીક લાગે, એવો કડક ચહેરો રાખ્યો હોય. ગલ્લે બેઠેલા એના દીકરાને પૂછીએ ત્યારે કહે, 'બાપુજી પહેલેથી જ આવા ગંભીર હતા...!'ખુલાસો થાય એ સારૂં નહિ તો પહેલી વાર દુકાને આવનારને એમ લાગે કે, આ ફોટો આમની દુકાનેથી માલ ખરીદનાર સ્વર્ગસ્થ ગ્રાહકનો ફોટો છે...!

સૌરાષ્ટ્ર જાઓ એટલે માનપાન વિશે નવું જાણવા મળે. રસ્તે કોક ઓળખિતું મળે, એટલે આપણા ખભે હાથ મૂકીને સ્માઇલો સાથે કહે, ''જોવો ભા'આય...ગામમાં તમારા હાટું જી કાંય વાતુ થાતી હોય...બાકી આપણને તમારા માટે માન છે...!'' આ વખતે આપણે પોતાની વાઇફને લઇને બજારમાં નીકળ્યા હોઇએ એમાં આપણી નજર ન હોય કે ન બોલાવવો હોય તો'ય ફૂટપાથ ક્રોસ કરીને આવે, ''કાં દવે ભા'આય...બીજું સુઉં ચાલે છે ?'' પછી વાઇફની સામે જોઇને પૂછે, ''આ મારા બેન છે ?'' હેબતાઇ જવાય કારણ કે, આપણે તો હજી પહેલાવાળું ય હરખું ન ચાલતું હોય, ત્યાં આ બીજાનું પૂછે છે. રહી વાત આપણી વાઇફ એની બહેન હોવાના ઘટસ્ફોટની, તો એમાં ત્યાં જ ઊભા ઊભા આપણને ખાટો ઘચરકો આવી જાય કે, ભૂતકાળમાં આપણા સસૂરજી ક્યાં ક્યાં ખેલ ખેલી આવ્યા હશે, એનો ખુલાસો આ ભાઇ મળ્યા ત્યારે થયો ને ? આપણી વાઇફ એની બહેન થતી હોય એટલે કુંભમેળામાં છુટા પડી ગયેલા આ બન્ને ભાઇ-બેન વર્ષો પછી મળતા હોય, ત્યારે આપણે કેવા ઢીલા થઇ જ જઇએ ?

મળનારનો મૂળ હેતુ જો કે એવો હોય કે, ભલે તમારી વાઇફ સાથે રસ્તામાં મળ્યા, પણ મારાથી ડરવાની જરૂર નથી...હું તો એને બહેન જ માનું છું.

અહી રાજકોટ-જામનગરમાં પોતાના નામની પાછળ 'ભાઇ' લગાવવાનો દસ્તુર છે. 'હું કિરીટભા'ય બોલું છું....'કે, જો ને...દવે ભા'આય મોઢું બતાવવા આઇવા'તા !''

તારી ભલી થાય ચમના...તું શેનો તારી જાતે માન ભેગું કરી લે છે ? અમારે તને 'કિરીટીયો'કહેવો કે 'દવલો'કહેવો, એનો આધાર તારા લક્ષણો ઉપર છે. બહાર ક્યાંય સાંભળ્યું, ''હું અમિતાભ ભા'આય બચ્ચન બોલું છું ?'' આ લોકો ડરતા હોય છે કે, હું મારી જાતને માન નહિ આપું, તો લોકો તો સાલા મને પર્સનલી ઓળખે જ છે....!

ભાષા કાઠીયાવાડની એટલે પિચ પડતા વાર લાગે. 'મોઢું બતાવવા' આવવાનો મતલબ, સવારે દાઢી કેવી ચકાચક કરી છે, આંયખુંમા કાયળી મેશો કેવી આંયજી છે ને હું રૂપાળો કેવો લાગું છું, એ બધો માલસામાન બતાવવા નહિ ! આ તો એમ કે, વ્યવહાર પૂરતા અમે તમારા ઘરે આવી ગયા, એટલે મોઢું બતાવી ગયા !

ઇશ્વરને આવા મોંઢા બતાવવા રોજના હજારો લોકો જામનગરના મંદિરોમાં જાય છે. ભગવાનને 'હેલ્લો-હાય'કરીને બહાર ગોઠવાઇ જાવાનું. ઘર કરતા આંઇ ઠંડા પવનું વધારે આવે, એટલે ભગવાન સુવા જાય પછી જ લોકો ઘરે જાય. અહીંના શ્રી હનુમાન મંદિરનો એક વર્લ્ડ-રેકોર્ડ છે. ૧ ઓગસ્ટ, ૧૯૬૪ના દિવસથી અહી નોનસ્ટોપ 'રામધૂન' ચાલે છે. વરસાદ હોય કે રાત્રે ૩ વાગ્યાની કાતિલ ઠંડી, ઓછામાં ઓછા ૪-૫ ભક્તો ઢોલક-હાર્મોનિયમ સાથે 'શ્રીરામ જયરામ જયજય રામ'ની ધૂન ગાતા હોય. આજ સુધી એકે ય દિવસ પડયો નથી. હું ગયા સપ્તાહે ગયો, ત્યારે ૧૭,૮૨૧ દિવસ થયા હતા.

ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે એક ફરક લાગણીનો ઝાઝો. અહીં તમને જમાડયા વગર કોઇ જાવા નો દિયે ! એમ તો આપણે અમદાવાદમાં ય કોઇને ભૂખ્યા જવા ન દઇએ.....પણ એ તો સવારનું કાંઇ વધ્યું-ઘટયું હોય તો જ...!

સિક્સર

ક્રિકેટર શ્રીસંત મોઢું ખોલશે તો ઘણા હણાઇ જશે.
'મરવાની અણી ઉપર છું, છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો, આ પડખું ફર્યો, લે !'

વાંદરૂં કઈડયું

$
0
0
હવે તો... હું તો માણસ છું કે મદારી, એ જ ખબર પડતી નથી. હજી ગયા અઠવાડિયે ઉંદરોથી જાન છોડાવી, ત્યાં અમારા ફ્લેટમાં વાંદરાઓ ય આવવા માંડયા. આ લોકોને લિફ્ટમાં તો આવાનું ન હોય, ફોન કરીને ય ન આવે- કોઈ મનર્સ જ નહિ... સીધા ઝાડ ઉપરથી ઠેકડા મારીને ઘરમાં ઘૂસી આવે. કહે છે કે, આપણા પૂર્વજો કોકને કોક બહાનું કાઢીને આપણા ઘરનું એકાદ ચક્કર મારી જાય છે. મારી વાઇફને તો મારા 'પિયરીયાઓ' સાથે કદી બન્યું નથી અને એ કિચનમાં કે ગુસ્સામાં હોય અને હું એક જરાક અમથી પાછળથી ટપલી મારું ત્યારે ઘણીવાર મને કહી દે, 'સાવ વાંદરા જેવા જ છો !' એ હિસાબે આ લોકો આટલા વર્ષો પછી ઘેર આવતા હોય, તો એને તો ન જ ગમે ને ? હું એને સમજાવું પણ ખરો કે, ત્યાં ઝાડ ઉપર જો... આપણા બન્નેના પૂર્વજો આપણને સાથે મળવા આવ્યા લાગે છે... યાદ છે, તારા ફાધરને તો ઝાડ ઉપર ચઢી જવાનો બહુ શોખ હતો... ? યાદ છે, ડાર્લિંગ... ??

આ ય જો કે મારી ભૂલ કહેવાય. હું એના પિયરીયાઓની યાદ અપાવું તો રાજી થઈને સામે ચાલીને પેલા વાંદરાઓને ઘરમાં બોલાવી લાવવાનું મને કહે. આપણને તો, એ લોકો જીવતા'તા અને અત્યારે ઝાડ ઉપર બેઠેલી પબ્લિક જોઈને, બન્ને વચ્ચે કોઈ ફરક ન લાગે. એકવાર માંડ છૂટયા હોઈએ ને ફરી વાર ભરાવાનું આ પગારમાં ના પોસાય ! મને તો ભૂલ્યા વગરનું યાદ છે કે, સ્મશાનમાં મારી સાસુ પૂરેપૂરી પતી ગઈ, ત્યારે ય હું ને મારા સસરા- બન્ને ફફડતા હતા કે, હાળી આટલામાં ચક્કર મારીને પાછી તો નહિ આવતી રહે ને ? આપણે હાથ ખંખેરીને ઊભા થયા હોઈએ ને સફેદ કપડાંમાં ઘરે પાછા પહોંચીએ ત્યારે સામે જ બેઠી હોય, તો કેવી તોતિંગ હેડકી આવી જાય ? બાકીની આખી જીંદગી સ્મશાન બાજુ ચા-પાણી પીવાય ન જઈએ...! સુઉં કિયો છો ? કોઈ જાય ? મારી સાસુ- લોકોએ જીવનભર મને આમ જ બીવડાવે રાખ્યો છે.

મને ડાઉટ તો પડયો કે, દેખાવ ઉપરથી તો પેલા વાંદરાઓ મારા સાસરીયા જેવા નથી લાગતા, પણ એક વાંદરીને મેં મોનાલીસા જેવું મનોહર સ્માઇલ આપ્યું તો જવાબમાં મારી સામે દાંતીયા કર્યા, ત્યારે પાકી ખાત્રી થઈ ગઈ કે, આ દાંતીયા કરતી વાંદરી મારી સાસુ જ છે. બન્નેના જડબાં સરખા લાગે છે. ગમે તેમ તો ય આપણે નાના... આવા દાંતીયા કરે તો આપણી ઉપર કેવા ખરાબ સંસ્કાર પડે ? છોકરું બી ના જાય... ? કોઈ પંખો ચાલુ કરો.

કહે છે કે, અમદાવાદમાં આજકાલ ચારે બાજુ વાંદરા ફરી વળ્યા છે. બધી સોસાયટીઓમાં ત્રાસ છે. ધાબે ચઢીને ઉપરથી ફૂલના કૂંડા-બૂન્ડા ફેંકે, એ તો સમજ્યા પણ આંબાવાડીની પંચવટી લૅનમાં વાંદરા આવ્યા હતા. એમાંથી એક વાંદરૂ બાલ્કનીમાં બેઠું બેઠું ફ્લેટના કમ્પાઉન્ડમાંથી પસાર થતા ફ્લૅટના જ કોઈ મેમ્બર ઉપર ચરકીને ભાગી ગયું. એ જ વખતે સદરહુ ફ્લેટના મહિલાનું બહાર ડોકું કાઢવું... હસી હસીને વાંકા વળી જઈએ, એવો ઝગડો કઈ લાઈન ઉપર થયો હશે, કંઈ ધારણાઓ બંધાય છે, બોલો ?

નો, ડાઉટ આપણને વાંદરૂં જોવું ગમે, પણ ગમવાની સાથે એના હાથમાં કંઈ બિસ્કીટ- ફિસ્કીટ જેવું આપવા જઈએ તો સાલું લાફો પહેલો મારે ને બિસ્કીટ પછી લે. આ લોકોમાં સંસ્કાર જેવું કાંઈ ન હોય. એટલે સામેના ઝાડ ઉપર એ લોકોનું આખું ગ્રૂપ આવીને બેઠું હતું, તો ય મને બીકો લાગી કે ઘરમાં આવી જશે તો કાઢી નહિ શકું. 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...' પણ આપણા ઘરમાં એવી તોડફોડ કરે અને જે વચમાં આવ્યું, એના ગાલ ઉપર બચકું તોડી લે, એ ના પોસાય !... સાલું વાંદરાથી બચવા વાઇફની પાછળ તો ક્યાં સુધી ભરાઈને ઊભા રહીએ ? યસ, વાંદરાઓ એક એક કરીને આવે તો બતાઈ દઈએ... એક વાર આપણી છટકે તો પછી કોઈના નહિ...!

પ્રારંભ એક નાના બચ્ચાંથી થયો. એ સીધું બાલ્કનીમાં આવીને બેઠું. કેવું સુંદર લાગતું હતું... જાણે આપણું જ સંતાન હોય ! તે વાઇફ વળી એને રમાડવા જરી નજીક ગઈ, એમાં તો શું જાણે એનો મોબાઇલ મારી લીધો હોય એવી ચીસાચીસ ને કૂદાકૂદ કરી મૂકી. હું ન ગયો. આપણને એમ કે, જ્યાં સુધી નાના માણસોથી કામ પતતું હોય ત્યાં સુધી બાસ લોકોએ ન જવું... સુઉં કિયો છો?

પણ આમ પાછો હું વહેમીલો ખરો... રૂમમાં વાઇફ એકલી ગઇ છે, ને સામે વાંદરીને બદલે વાંદરો હોય તો ? આપણે નજર રાખવી સારી, એટલે હું ઘટનાસ્થળે ચીસાચીસ કરતો પહોંચ્યો.

એ સાંભળીને એ બચ્ચાના ફાધર હોય કે મધર (... આપણે એને આખું જોયું ન હોય ને ?) આવ્યા ને હું તો કેમ જાણે એની લાજ લૂંટવા ગયો હોઉં, એમ મારી વાઇફને બદલે નાલાયક મારા ઉપર કૂદ્યો... સાલો ! એને સામો ડાઉટ પડયો હશે. પણ હું તો કદી પરસ્ત્રી સામે જોતો પણ નથી... (બહુ સારી હોય તો જુદી વાત છે !) જેવા સામે તેવા ન થવાય, એવું બાએ મને શીખવ્યું હતું એટલે મેં ન તો સામું ઘુરકીયું કર્યું, ન મારો લેખ વંચાવ્યો કે ન લાફો માર્યો, પણ એણે મને મારી દીધો. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે, જ્યારે જ્યારે ભારત દેશમાં સાધુ અને સંસ્કારી પુરુષો ઉપર અત્યાચાર થશે ત્યારે હું અવતાર લઈશ. પણ ગીતા આપણે વાંચી હોય વાંદરાઓએ કે ગીતાડીના ફાધરે ન પણ વાંચી હોય !

કેમ જાણે એટલો જ સંદેશો આપવા આવ્યા હોય, એમ મને બચકુ ભરીને માં-દીકરો પાછા ઝાડ ઉપર કદી ગયા. ઘરમાં દોડાદોડ થઈ ગઈ, ''બચકું ભર્યું... બચકું ભર્યું.. પપ્પાને વાંદરાએ બચકું ભર્યું''ના નામની રાડારાડ થઈ ગઈ. એ તો વાઇફને પછી ખબર પડી કે, ગાલ ઉપર બચકું 'અસોકે' વાંદરાને નથી ભર્યું... વાંદરાએ અસોકને ભર્યું છે, ત્યારે એને નિરાંત થઈ કે હવે ચિંતા કરવા જેવું નથી... આવું તો થાય ! એ તરત ટીંચર આયોડિન લઈ આવી. એના ઉત્સાહ પરથી એ ખબર ન પડી કે ટીંચર આયોડીન મારે દૂધ સાથે લેવાનું છે કે ગાલ ઉપર લગાવવાનું છે.

પાટો વાઇફે બાંધી આપ્યો હતો. તમને યાદ હોય તો નનામી બાંધતી વખતે એ ક્યાંયથી છૂટી ન જાય એવી ટાઇટમટાઇટ બાંધવામાં આવે છે. એણે એ જ ઉત્સાહથી મારા ગાલ પર પાટો બાંધ્યો હતો એ વાત જુદી છે કે કમબખ્ત દુ:ખાવાને કારણે હું પથારીમાં ઉંધે કાંધ પડયો હતો, ત્યારે એ બોલી, ''અસોક... આ સુઉં શારૂં લાગે છે ? વાંદરીયું ભાળી નથી ને તમે સ્માર્ટ બનવા ગીયા નથ્થી.. ! કોક 'દિ તો હખણા રિયો...!''

અઠવાડિયું આરામ કર્યા પછી ય પાટો તો હતો. પહેલી વાર ઘરની બહાર નીકળ્યો, ત્યાં નીચે ધોબી મારા ગાલના પાટા સામે ટગરટગર જોતો હતો. એને એમ કે, હું પહેરેલે પાટે ઇસ્ત્રી કરાવવા આવ્યો હોઈશ, પણ એણે તો મમતાથી પૂછ્યું, ''શું સાહેબ... તમને વાંદરૂં કઇડયું... ?'' કીડી કયડી હોય ને આટલો મોટો પાટો બાંધીને હાલી નીકળ્યો હોઉં, એવા સવાલે મને આઘાત તો આપ્યો. પણ વાત વધારવી નહોતી એટલે ફક્ત 'હા' કહીને નીકળી ગયો. ઑફિસમાં બધા રાહો જ જોતાં હતા, 'શું દાદુ... તમને વાંદરૂં કઇડયું... ?' સહુએ આ ત્રણે શબ્દો ઉપર જુદો જુદો ભાર મૂકીને પૂછ્યું હતું. એમાં ય એક પાછું જરા વધારે દોઢ ડાહ્યું થતું'તું, એણે પૂછ્યું, ''દાદુ, વાંદરૂં હતું કે વાંદરી ?'' મેં એને સમજાવવાની કોશિષ પણ કરી કે, આપણા દેશમાં જાતીય પરીક્ષણ ગુન્હો છે... ને આપણે શું કામ કોઈની પર્સનલ લાઇફમાં માથું મારવું જોઈએ ? પણ તો ય કોઈ માને ?

''...વાંદરાએ... ગાલ ઉપર જ બચકું કેમ ભર્યું હશે ?'' એવું કટાક્ષમાં ઑફિસરનો કેશિયર બીજા ઑફિસરને પૂછતો હતો. તો એણે ભૂલ સુધારીને કહ્યું, ''વાંદરો સારા ઘરનો હશે... નોર્મલી વાંદરાઓની હાઇટ આપણા કરતા ઓછી, એટલે પાછળના ભાગમાં જ બચકું તોડી લેતા હોય છે. દાદુ નસીબદાર કે ગાલેથી પત્યું.''

મને બચકું ભરવામાં વાંદરૂં લાભ ખાટી ગયું હોય ને પોતે રહી ગયા હોય, એવા અંદાજથી સહુ પૂછતા હતા. પ્રોબ્લેમ એ હતો કે, લોકોને ખબર પડે, એમ એમ આવતા જાય. એ લોકો ખબર કાઢવા આવ્યા છે કે મને કાઢી જવા, એવો ભાવ ચેહરાઓ ઉપરથી તો ન પકડાય. ''બીજીવાર ધ્યાન રાખજો હવે...!'' એવી સલાહો આપનારા ય મળ્યા. પણ વાંદરૂં કેવી રીતે કરડયું, એની પૂછપરછ તો દરેક ખબરકાઢુઓએ રસપૂર્વક કરી. કંટાળો સહુને પહેલેથી છેલ્લે સુધીની આખી સ્ટોરી કહેવામાં આવતો હતો.

એક ખબરકાઢુ માથાનો મળ્યો. ''દાદુ, આ વાંદરૂં-બાંદરૂં તો ઠીક છે.. આપણી પાસે એ વાંદરાનું કોઈ એડ્રેસ-બેડ્રેસ છે ?'' કેમ જાણે હું એ વાંદરાનું વિઝિટિંગ કાર્ડ સાથે લઈને ફરતો હોઉં ! મને એમ કે ઢોર ત્રાસ અંકુશ વિભાગમાંથી આવ્યા હશે, પણ એમણે જુદી ઓફર કરી,

''દાદુ, એ વાંદરો મળે તો લઈ જવો છે. મારી સાસુ ઘેર આઇ છે...!''

સિક્સર

- પ્રાણ
----- !

બૈજુ બાવરા ભાગ- ૨

$
0
0


(ગયા અંકથી ચાલુ)
ખરેખર તો 'બાવરા' ટાઇટલ નૌશાદ કે મુહમ્મદ રફીને આપવા જેવું હતું. 'નૌશાદ બાવરા' કે 'રફી બાવરા'. આ બન્નેએ અલ્લાહ મીંયાની ઇબાદતની જેમ સાનભાન ભૂલીને આ ફિલ્મમાં પોતાનું સંગીત સમર્પિત કર્યુ હતું. અલ્લાહ મિયાંને એટલા માટે યાદ કર્યા કે, આખી ફિલ્મ હિંદુઓના ભગવાન શંકર ઉપર આધારિત હતી. ગીતકાર શકીલ બદાયૂનીની જેમ, આ બન્ને પણ ઇશ્વરની પ્રશસ્તિના ગીતો સર્જવામાં પોતાનો મઝહબ વચમાં ન લાવ્યા. રાગ માલકૌંસ પર આધારિત કરૂણામૂર્તિ ભજન, 'મનતડપત હરિદર્શન કો આજ...' જેવું સુંદર સર્જન કરનાર નૌશાદઅલીએ એમના ટીવી ઇન્ટરવ્યુમાં એટલે સુધી કીધું હતું કે, ''રાગ માલકૌંસ ભગવાન શંકરને સમર્પિત કરવામાં આવ્યો છે.'' 'માલકૌંસ' શબ્દની વ્યૂત્પત્તિ મુજબ, 'માલ' એટલે 'માલા' અને કૌંસ એટલે 'કૌશિક', અર્થાત જે ગળામાં સર્પોની માળા પહેરે છે. તે ભગવાન મહાદેવ. આ રાગ માલકૌંસનો સમકક્ષ કર્ણાટક સંગીતનો રાગ હિન્ડોલમ કહેવાય છે. હિન્દુસ્તાની સંગીતનો રાગ હિંડોલ જુદો પાછો. શિવતાંડવ કરી રહેલા કોપાયમાન મહાદેવજીના ક્રોંધને શાંત કરવા માતા પાર્વતીજીએ આ રાગનું સર્જન કર્યું હતું. માલકૌંસ ભૈરવી થાટનો રાગ ગણાય છે.

વાચકોએ આ રાગમાં અનેક ગીતો સાંભળ્યા છે. ખ્યાલ ન હોય કે, આ માલકૌંસ પર આધારિત ગીત છે : મન તડપત હરિદર્શન કો આજ, આધા હૈ ચન્દ્રમાં રાત આધી, અખીયન સંગ અખીયા લાગી. બલમા માને ના, બૈરી ચૂપ ના રહે, ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા હારા અને આ લખનારનું આજીવન માનીતું, 'જાને બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ, વલ્લાહ કમાલ હૈ, અરે વલ્લાહ કમાલ હૈ...'

હર એક રચના સંગીતની મિસાલ બને, એવી ફિલ્મો ઓછી તો છે, પણ શાસ્ત્રીય સંગીતને સમર્પિત રહીને જ તમામ ગીતો બન્યા હોય અને દેશના કોમન મેનને પણ આવું સંગીત સાંગોપાંગ ગમે, એવું જવલ્લે બને છે. 'બૈજુ બાવરા' એવી જ એક મિસાલ છે. એ જ આધાર પર હવે કસોટી અમદાવાદના રાજા મહેતાની પોળમાં રહી ચૂકેલા કૃષ્ણા શાહની થવાની છે. હોલીવૂડમાં ય સફળ ઇંગ્લિશ ફિલ્મો બનાવીને આ ગુજરાતી વાણીયાએ બ્રૂસ લિ ની ''એન્ટર ધ ડ્રેગન''માં સેકન્ડ હીરો બનતા જ્હોન સેક્સન અને ''ધી સાઉન્ડ ઓફ મ્યુઝિક''ના હીરો રેક્સ હેરિસનને લઇને ધર્મેન્દ્ર-ઝીનત અમાનવાળી ફિલ્મ ''શાલિમાર'' બનાવી હતી. બૈજુનો રોલ કરવા હવે આમિરખાનને તો કોઇ મેહનત નહિ કરવી પડે, પણ જે સંગીત આપશે, એને સીધી હરિફાઇ નૌશાદના અપ્રતિમ ગીતો સાથે કરવી પડશે...પેપર બહુ અઘરું નીકળવાનું છે ભાઇ! મોટી ચિંતા એ થાય છે કે, આ 'બૈજુ બાવરા' ભાગ-૨માં આઇટમ સોંગ કોને અપાશે ?

ફિલ્મની વાર્તા કંઇક આવી હતીઃ
સંગીત સમ્રાટ તાનસેન શહેનશાહ અકબરના દરબારના નવ રત્નો પૈકીના હોવાની રૂઇએ, આખા રાજ્યમાં એના સિવાય કોઇ ગાઇ જ ન શકે, સિવાય કે સ્પર્ધામાં એને હરાવે, એવો કાયદો બનાવડાવ્યો હતો. સ્પર્ધામાં સામેવાળો હારી જાય તો સજા-એ-મૌત ! ગામનો એક ગરીબ ભજનિક ઇશ્વરના ભજનો ગાતો જાય છે, એમાં સિપાહીઓ એની હત્યા એના ૮-૧૦ વર્ષના પુત્રની સામે કરી નાંખે છે. બૈજુ નામનો આ પુત્ર બદલો લેવાની નેમ સાથે મોટો થાય છે. એ સંગીતમાં તો નિપુણ છે. જ, પણ તલવારથી પણ તાનસેનને મારી નાંખવાના સપનાં જુએ છે. નાનપણથી એની સાથે ઉછરેલી મીનાકુમારી સતત એની સાથે છે. દરમ્યાનમાં ડાકુરાણી કુલદીપ કૌર ગામમાં ધાડ પાડે છે, જેને બૈજુ 'ઇન્સાન બનો, કર લો ભલાઇ કા કોઇ કામ' સંભળાવી સંભળાવીને એવી અધમૂઇ કરી નાંખે છે કે, આનું ગીત સાંભળવા કરતા આની સાથે પરણી જવું વધારે કિફાયત પડશે. એમ ધારીને એ બૈજુને પોતાની સાથે લઇ જાય છે. ગામ નહિ લૂટવાની શરતે બૈજુ પોતે આની પાસે લૂટાવા તૈયાર થઇ જાય છે, એમાં ભગ્ન હૃદયે મીના કુમારીને ટેકરીઓ ઉપર ચઢી ચઢીને ''મોહે ભૂલ ગયે સાંવરીયા...'' અને 'બચપન કી મુહબ્બત કો, દિલ સે ન જુદા કરના'નામના બે ગીતો ગાવા પડે છે. પાછો જઇશ તો પેલી ત્રીજું ગીતે ય સંભળાવશે, એવા ડરથી બૈજુ પાછો જવાને બદલે સામે ચાલીને મૌતના મ્હોંમાં-એટલે કે, તાનસેનને મારવા જવા તૈયાર થાય છે. વચમાં એના ગુરૂ સ્વામી હરિદાસ વગર ટયુશને શીખામણ આપે છે કે, બદલા આમ ન લેવાય ! બદલાને બદલે પ્રેમ રાખ. હત્યા બૈજુના ફાધરની થઇ હતી, હરિદાસના નહિ, એટલે આવી શીખામણો આલવામાં એમનું શું જાય છે, એમ વાતને રડી કાઢીને બૈજુ તાનસેનને મારવા જાય છે. પકડાય છે, એ પછી તાનસેન સાથે એની સ્પર્ધા ગોઠવાય છે, એમાં જીતી જાય છે નિર્ણાયક તરીકે મા-બદૌલત શહેનશાહ અકબર હોવાથી ચુકાદો સાવ ફિલ્મફેર એવોડર્સ જેવો નથી આપતો ને તાનસેનને મૌતની સજા આપવા બૈજુને છુટ આપે છે. ત્રણ કલાક સુધી આખી ફિલ્મના ગીતો ગાઇગાઇને બૈજુય ઢીલો થઇ ગયો હતો, એટલે 'હવે આને મારીને શું કરવું ?' એ ન્યાયે માફ કરી દે છે, પણ ફિલ્મ પૂરી થવાની બે મિનીટ પહેલા જ એ મીનાકુમારીને લઇને જમુના નદીમાં ડૂબી મરે છે.

એ જમાનાની મોટા ભાગની ફિલ્મો ટેકનિકલી તો ઘણી નબળી હતી. દિગ્દર્શકોને દ્રષ્યો કે ગીતોના ફિલ્માંકનની ઝાઝી સૂઝ નહોતી, પણ વિજયભાઇએ તો આ બન્ને ક્ષેત્રોમાં મહારત હાંસિલ કરી હતી. દરેક દ્રષ્યે કેમેરા ક્યાં ગોઠવતા, લાઇટીંગ કેટલું રાખવું કે બેકગ્રાઉન્ડમાં શું હોવું કે શું ન હોવું જોઇએ, એની કમાલો સિફતપૂર્વક દર્શાવી છે. વિજય ભટ્ટે આ ફિલ્મ ''બૈજુ બાવરા'' ઉતારી ત્યારે હિંદી ફિલ્મોનું સંગીત મહદ અંશે લોકગીતો, પંજાબી અસરવાળું મહારાષ્ટ્રના ભાવગીતો અને વિશેશતઃ ભજનભક્તિ ઉપર આધારિત હતું. શાસ્ત્રોક્તતા તો અલબત્ત મોટા ભાગના ગીતોમાં હોય પણ રાગો ઉપર જ આધારિત તમામ ગીતો બનાવવા અને સફળ બનાવવા એ નૌશાદઅલીએ સાબિત કરી આપ્યું. નૌશાદને સીધી મદદ ઇન્દૌર ઘરાણાના ઉસ્તાદ આમિરખાન સાહેબની મળી હતી. ગાયન અને સંગીત બન્નેમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના સુપુત્ર ડી.વી.પલુસ્કરે પણ 'આજ ગાવત મન મેરો ઝૂમકે...'ની જે તાનો મારી છે, એમાં આ બન્ને મહાન ગાયકોના ચરણોમાં હિંદુસ્તાનનો સામાન્ય સંગીતપ્રેમી પર સર ઝૂકાવે.

ફિલ્મને સર્વોત્તમ સંગીતથી એટલી હદે સજાવેલું રાખ્યું છે કે, મશહૂર કોમેડીયન સ્વ.રાધાકિશન પાસે ઉસ્તાદ ઘસીટખાનનો જે રોલ કરાવવામાં આવ્યો છે અને ઘસીટખાને પણ જે આલાપ અને તાનો મારી છે, તે ફિલ્મના પરદા પર કોમેડી ચોક્કસ ઊભી કરે, પણ એ ય સંગીતના ગણિત મુજબ સંપૂર્ણ વૈજ્ઞાનિક ગાયકી છે. હિંદી ફિલ્મોમાં શાસ્ત્રીય ગાયકોની હાંસિ ઉડાવવા માટે વધુ પડતી છુટ લેવામાં આવી છે, એનો એક દાખલો ''મધુબન મેં રાધિકા નાચે રે...''માં વચ્ચે હાસ્યનટ મુકરી લોકોને હસાવવા માટે બેતૂકી તાન મારે છે, તે ઉસ્તાદ નિયાઝહુસેનખાં સાહેબે ગાયેલી છે અને પરફેક્ટ તાન છે. ગાયકીમાં મશ્કરી ઉમેરવામાં આવી નથી. પણ હિંદી ફિલ્મવાળાઓએ શાસ્ત્રીય સંગીતકાર-ગાયકોને મજાકનું સાધન બનાવી બુદ્ધિના પ્રદર્શનો જ કર્યા છે અને વિજયભાઇની ઉચ્ચતા જુઓ. સંગીતસમ્રાટ તાનસેનના આદેશથી શહેનશાહ અકબરે આખા શહેરમાં તાનસેન સિવાય અન્ય કોઇને પણ ગાવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.. ગાઇ એ જ શકે, જે તાનસેનને હરાવે. દરમ્યાનમાં નાના બૈજુની નજર સામે એના પિતા (ભગવાનજી)ની હત્યા તાનસેનનો સુબો હાથીસિંઘ (નાદિર) કરે છે, કારણ કે એ ભજનો ગાય છે. વિજયભાઇએ પિતાની લાશ ઉપર ઢળીને રડતા નાના બૈજુ પછી તરત જ એક અદ્ભુત શોટ મૂક્યો છે, સંગીતના એકતારા ઉપર તલવાર મૂકેલી દર્શાવાઇ છે. આ ભગવાનજીને તમે અનેક ફિલ્મોમાં બહુ સામાન્ય રોલમાં જોયો જ હોય. હિંદી ફિલ્મોના એવા અનેક જુનિયર કલાકારો છે, જેને આપણે જોયે તો બહુ ઓળખતા હોઇએ, પણ આ ભગવાનજી છે, આ કેસરી છે, આ નાદિર કે બદ્રીપ્રસાદ છે, એની ખબર ન હોય... આ કોલમ શક્ય હોય ત્યા સુધી એવા ગુમનામ કલાકારોના નામો ય આપવાનો પ્રયત્ન કરે છે. નાનો બૈજુ બનતો રતનકુમાર રાજ કપૂરની ફિલ્મ ''બુટ પોલીશ''માં બેબી નાઝ સાથ બાળકલાકાર હતો ને અન્ય મુસલમાનો પાકિસ્તાન જતા રહેતા હતા. એમ એ પણ જતો રહ્યો. એકાદ અપવાદને બાદ કરતા, અહીંથી ત્યાં ગયેલા તમામ મુસ્લિમ કલાકારોને મુહાઝીરના લેબલ હેઠળ ''મુસલમાન'' હોવા છતાં બહુ અપમાનીત કરવામાં આવતા. ભારત સાથે ગદ્દારી તો કરી, પણ ત્યાંનો આલમ જોઇને ખબર પડી કે, ''સારે જહાં સે અચ્છા, હિંદોસ્તા હમારા...''ના ધોરણે ધોયેલે મૂળે પાછા આવ્યા, છતાં તેહઝીબ આ દેશની છે કે, ''મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ..'' એ મુજબ, હજી સુધી ત્યાથીં પાછા આવેલાઓમાંથી કોઇને ભારતે અપમાનીત નથી કર્યા, દિલીપકુમારનો ભાઇ નાસિરખાન, શેખ મુખ્તાર, સંગીતકાર ગુલામ હૈદર, મીના શોરી અને આ રતનકુમાર પ્રમુખ નામો છે.

વાસંતિનો ઝીણકો રોલ કરતી ક્રિષ્ના કુમારી ૬૦ના દાયકાની સેકન્ડ ગ્રેડ છતાં ભારે સેક્સી લાગતી અભિનેત્રી હતી. મોટી ફિલ્મોમાં ભાગ્યે જ ચમકવાને કારણે એની નોંધ લેવાઇ નથી. પાકિસ્તાનના રાવલપિંડી ખાતે ૩ ઓક્ટોબર, ૧૯૩૪ના રોજ જન્મેલી ક્રિષ્ના કુમારી પંજાબી સીખ્ખ હતી, નામ હતું ''રાજિન્દર કૌર''. 'બૈજુ બાવરા' એની પહેલી ફિલ્મ હતી. એ પછી બહુધા એ ધાર્મિક ફિલ્મોમાં આવવા લાગી. ''નયા રાસ્તા, નૂરે યમન, શંકરાચાર્ય, સૌ કા નોટ, હસિના, ભગવત મહિમા, ચાંદની ચૌક, લાડલા, ધૂપ-છાંવ, હાતિમભાઇ, સજની, હાતિમતાઇ કી બેટી, લાલે યમન, છબિલા, નાગ, પદ્મિની, ઝીમ્બો, દામાદ, જાદુ મહલ અને શાહી રક્કાસા' જેવી ફિલ્મોમાંએ નાનાનાના રોલ કરતી રહી.

તાનસેનના રોલમાં સુરેન્દ્ર ફરી વાર ''મુગલ-એ-આઝમ''માં એ જ રોલમાં ચમક્યો હતો. એ પોતે ય મીઠડો ગાયક હતો. ''રાજા ભરથરી''માં અમીરબાઇ કર્ણાટકી સાથે સુરેન્દ્રએ ગાયેલું 'ભિક્ષા દે દે મૈયા પિંગળા'એ જમાનાના આજે હયાત સંગીત ચાહકોને ખૂબ યાદ છે. તો નૂરજહાં સાથે ફિલ્મ ''અણમોલ ઘડી''નું 'આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ' સ્ટેજ પ્રોગ્રામોમાં લાડપ્યારથી ગવાય છે. અકબર બને છે, બિપીન ગુપ્તા જેના ઘેરા અને ભાવવાહી અવાજને કારણેએ જમાનાની મોટાભાગની ફિલ્મોમાં એ ચમકતા. સરપ્રાઇઝીંગલી, મદ્રાસની કોમેડી ફિલ્મ 'તીન બહુરાનીયા'માં બિપીન ગુપ્તાએ પૃથ્વીરાજ કપૂરને 'આમદની અઠ્ઠન્ની ખર્ચા રૂપૈયા..' ગીતમાં માત્ર પ્લેબેક જ નથી આપ્યું. આખી ફિલ્મમાં પૃથ્વીરાજનો અવાજ બિપીનના અવાજમાં 'ડબ' થયેલો છે. ડાકુરાણી રૂપમતિ બનતી કુલદીપ કૌર એ જમાનાની મશહૂર વેમ્પ હતી. આ સરદારણી એના કાતિલ રૂપ માટે મશહૂર હતી. પાકિસ્તાનના લાહોરમાં એનો કરોડપતિ અને પ્લેબોય પતિ સરદાર મોહિંદરસિંઘ સિધ્ધુ કુલદીપને અમનચમનમાં રાખતો. કુલદીપ આપણા ખલનાયક પ્રાણના પાગલ પ્રેમમાં હતી, એ સાબિત કરવા દેશનાભાગલા પછી પ્રાણ અને કુલદીપને ભારત (મુંબઇ) આવવું પડયું, ત્યારે પ્રાણને ફકત ઇમ્પ્રેસ કરવા કુલદીપ પ્રાણની કારને લાહોરથી ઠેઠ મુંબઇ એકલી ચલાવીને લાવી હતી. ૧૯૬૦માં કુલદીપ કૌરના પગલમાં કાંટો વાગ્યો. કાંટો ઝેરી હતો ને આ હિંમતબાજ સરદારણીએ જાતે જ કાંટો ખેંચી કાઢ્યો, અને પછી દિવસો સુધી ધ્યાન ન આપ્યું એમાં એને ધનૂર થઇ ગયું અને મૃત્યુ પામી. એનો પતિ છેવટ સુધી એને ખૂબ ચાહતો રહ્યો. કોકના રીસેપ્શનમાં સિધ્ધુએ યુગલને કદી જુદા નહિ થવાની સલાહ આપી હતી.

રાધાકિશને કોમેડીને ખલનાયકી સાથે જોડીને અમરપાત્રો સર્જ્યા હતા. ઓલમોસ્ટ દરેક ફિલ્મમાં 'રામરામરામ' નામનો એનો તકીયા કલામ ફેમસ થયો હતો. રાધાકિશન ખૂબ ઊંચા દરજ્જાનો એક્ટર રાજ કપૂરની ફિલ્મ 'પરવરીશ'માં એ રાજ કપૂર અને મેહમૂદના મામાનો રોલ કરે છે. કારણ તો કોઇને ખબર નથી, પણ રાધાકિશને એના બિલ્ડીંગના કોઇ સાતમા-આઠમા માળેથી છલાંગ મારીને આત્મહત્યા કરી હતી. કંજૂસના કિરદાર રાધાકિશન જેટલી અધિકૃતતાથી ભાગ્યે જ અન્ય કોઇએ નિભાવ્યા છે.

''બૈજુ બાવરા''ના અન્ય બે ચરીત્ર અભિનેતાઓ વિશેષ ઉલ્લેખનીય છે. એક, બી.એમ. વ્યાસ. હું તો નાનપણમાં ટારઝન અને ઝીમ્બોની સ્ટન્ટ ફિલ્મો ય અમદાવાદની ઇંગ્લિશ ટોકિઝમાં ખુબ જોતો એટલે ઘાતકી જાદુગર કે બદમાશ મંત્રીના રોલમાં બી.એમ.વ્યાસ જ હોય.ભારતીય ધોરણ પ્રમાણે હાઇટ ઘણી સારી, ચહેરો ક્રૂર અને અવાજની બાદશાહતને કારણે વ્યાસજી થોડી નહિ, અનેક ફિલ્મોમાં આવ્યા. ફિલ્મ ''નવરંગ''ના સુપ્રસિદ્ધ ગીતકાર ભરત વ્યાસના એ નાના ભાઇ થાય. મુંબઇમાં ૯૩ વર્ષની ઉંમરે બી.એમ.વ્યાસ ગુજરી ગયા. હજી હમણાં જ, એટલે કે ૧૦મી માર્ચ, ૨૦૧૩ના રોજ. ચેતન આનંદની ફિલ્મ ''નીચા નગર''થી એમણે શરૂઆત કરી પણ નોંધ લેવાઇ રાજ કપૂરની '૪૯માં ઉતરેલી ફિલ્મ 'બરસાત'થી. એ પછી લોકોનું ધ્યાન ખેંચાયું વ્હી.શાંતારામની ફિલ્મ ''દો આંખે બારહ હાથ,'' જેમાં બે હાથ બી. એમ. વ્યાસના હતા...! ગોવિંદ સરૈયાની ફિલ્મ ''સરસ્વતિચંદ્ર''માં એ હતા અને છેલ્લી ફિલ્મ શાહરૂખ. ખાનની ''ઓહ ડાર્લિંગ... યે હૈ ઇન્ડિયા'' હતી. અને બીજા હતા મનમોહન કૃષ્ણ. ૨૬ ફેબ્રૂઆરી, ૧૯૨૨-માં ગુજરાતના વલસાડમાં જન્મેલા આ પંજાબીએ ૩ નવેમ્બર, ૧૯૯૦માં પ્રાણ છોડયા પહેલા ૨૫૦ હિંદી ફિલ્મોમાં કામ કર્યું હતું. સર્ટેન્લી નોટ એ ગ્રેટ એક્ટર પણ ભલા મુસલમાનનો રોલ એમને એટલો બધો કોઠે પડી ગયો હતો કે નહિ નહિ તો ય ૧૫-૨૦ ફિલ્મોમાં એમણે એ જ રોલ કરે રાખ્યા. ફિલ્મ ''ધૂલ કા ફૂલ''નું મુહમ્મદ રફીએ ગાયેલું. ''તું હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા'' આ મનમોહન કૃષ્ણ ઉપર ફિલ્માયું હતું. જો કે કહ્યું ને...એક્ટર તરીકે બહુ બકવાસ હતો આ માણસ. ચેહરા ઉપર કરૂણ હાવભાવો લાવવા એ ૩૪-૩૫ ખૂણેથી મોઢું મચડે રાખે. ડોકી મોટા ભાગે સીધી રહે જ નહિ. યશ ચોપરાની ફિલ્મ 'નૂરી' મનમોહન કૃષ્ણે દિગ્દર્શિત કરી હતી. પરાણે કરૂણતા ઊભી કરવામાં એ પકડાઇ જતા. મનમોહનની પહેલી ફિલ્મ હતી 'અંધો કી દુનિયા' ('૪૫)...અને જરા ઝીણવટથી વાંચો તો આજના મનમોહનની ફિલ્મનું નામ પણ એ જ છે 'અંધો કી દુનિયા...'! ''બૈજુ બાવરા''નું એક ખાસ હુકમનું પાનું શકીલ બદાયૂની હતા. સાહિર લુધિયાનવીની જેમ શકીલ પણ મારા મનગમતા શાયર. ''બૈજુ''માં તો શકીલે સાદ્યંત કમાલો કરી છે. ફિલ્મનગરીના જાસૂસોની વાત માનીએ તો, નૌશાદે શકીલને બાંધી ન રાખ્યા હોત, તો મજરૂહ સુલતાનપુરી કરતા શકીલનું નામ ઘણું ઊંચું હોત ! જો કે, ''ચાંદ છુપે નહિ બાદલ છાયો''ની ઉક્તિ પ્રમાણે શકીલ બદાયૂનીએ ગુલામ મુહમ્મદ, રવિ, હેમંત કુમાર અને સચિન દેવ બર્મન સાથે પણ કામ કર્યું છે. ''ચૌદહવી કા ચાંદ''નું રફીનું ટાઇટલ સોન્ગ તો ફિલ્મફેર એવોર્ડ જીતી લાવ્યું હતું. આ ફિલ્મ સાથે સંકળાયેલું આજે તો કોઇ હયાત નથી. મીના કુમારી અને ભારત ભૂષણ જેવા કલાકારો, નૌશાદ-શકીલ જેવા સૂર અને શબ્દ સ્વામીઓ કે ફિલ્મ બનાવનારા ભટ્ટ સાહેબો ફિલ્મ બન્યાના આજે ૬૦- વર્ષ પછી તો કોણ હયાત હોય ?

ઍનકાઉન્ટર - 21-07-2013

$
0
0
* તમે પરદેશ તો ગયા છો. તમને પરદેશનું શું ગમે છે?
- મને તો પાકિસ્તાને ય ગમે છે. એકબીજાને જાનથી ખતમ કરી નાંખવા ત્યાંના રાજકારણીઓ બેતાબ છે, પણ વાત ભારતને ખતમ કરી નાંખવાની આવે, ત્યારે મુશર્રફ, ઝરદારી કે નવાઝ શરીફ... આ બધા એક! એમાં એક બીજાનો કોઈ વિરોધ નહિં. અહીં બૌધ્ધગયામાં આતંકી વિસ્ફોટ થયો, એમાં ય નાલાયક દિગ્વિજયસિંહ રાજકારણ ખેલે છે. આખી કોંગ્રેસમાંથી કોઈ પાકિસ્તાન વિરૂધ્ધ બોલી શકે છે?
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા)

* સવાલ પરથી તમને પૂછનારની ઉંમરનો અંદાજ આવી જાય છે ખરો? કે ક્યારેક કાચું પણ કપાય?
- આ કૉલમ વાચકોની ઉંમર જાણવા માટે નથી, હ્યૂમર જાણવા માટે છે.
(અખિલ મહેતા, અમદાવાદ)

* આજકાલ મકાનો વેચાતા-ખરીદાતા તો નથી, છતાં બિલ્ડરો નવા મકાનો બાંધે જ જાય છે!
- બિલ્ડરો જ નહિ, મકાન માલિકો ય ફાંફા મારે છે, ''અમારા ફ્લેટના ૮૦-લાખ આવે છે...'' આવતા હોય તો લેતો કેમ નથી., ભ'ઈ? બધા તોતિંગ તેજીની રાહ જોઈને બેઠા છે...!
(ઈસુબ મનસુરી, મેહસાણા)

* ...સ્વર્ગ અને નર્ક... કલ્પના છે કે હકીકત?
- ત્યાં બેઠું હોય, એને ખબર પડે!
(વિજય રાઠોડ, રાવળાપુરા-આણંદ)

* ભારતીય સંસ્કારસંહિતા મુજબ, પત્નીને કામવાળી ન સમજાય, તો કામવાળીને પત્ની સમજાય ખરી?
- એનો આધાર તમે કયા સ્ટાન્ડર્ડનું જીવન જીવી રહ્યા છો, એના ઉપર છે.
(ભૂપેન્દ્ર ટી. શાહ, વડોદરા)

* અગાઉ, ઘરમાં આવેલી નવી વહુ એના ઝાંઝરના ઝમકારથી ઓળખાતી... હવે જીભથી ઓળખાય છે. હવે આગળ?
- આદર્શ સસુરજીએ સસરીને એટલે કે, પોતાની વાઈફને ઓળખવાની ચિંતા કરવાની હોય, વહુની નહિ!
(મધુકર પી. માંકડ, જામનગર)

* લગ્ન માટે વર-કન્યાને બદલે સાસુ-વહુના જન્માક્ષર મેળવાતા હોય તો?
- પેલી બાજુ, જમાઈ ને એની સાસુના ય મેળવવા પડે!...આપણે લગન કરાવવાના છે કે ધીંગાણા રમવાના છે?
(ધવલ એ. શાહ, વડોદરા)

* ભેંસ આગળ ભાગવત એટલે?
- ડૉ. મનમોહનસિંઘ આગળ દેશના પ્રશ્નો.
(જેનિલ એમ. મલકાણ, ગોધરા)

* બહાર બધા વખાણ કરે ને ઘરમાં કાંઈ ઉપજે નહિ, એવા ગોરધને શું કરવું?
- તે... બહારના લોકો મજાકે ય ના કરે?
(રમેશ દેસાઈ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સાચા-ખોટા જવાબો આપવાનું તમને શું વળતર મળે છે?
- બસ... અદાણી અને અંબાણીની લાઈનમાં આવી ગયો છું... 'અશોક દવાણી...!'
(શિવરાજ સિંહ વાઘેલા)

* દેશના વડાપ્રધાન સરદાર હોય, રાષ્ટ્રપતિ બ્રાહ્મણ હોય, ઉપરાષ્ટ્રપતિ મુસ્લિમ હોય ને સુપરવડાપ્રધાન પરદેશી મહિલા હોય, એ દેશનું શું થશે?
- બચાયે નૌજવાનોં સે...!
(ફખરી બારીયાવાલા, ગોધરા)

* ફાયરબ્રિગેડમાં મહિલાઓને કેમ આગ બૂઝાવવા મોકલાતી નથી?
- આગના સ્થળે એમની મદદમાં બ્યુટીશિયનોને પણ મોકલવી પડે!
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* પુરૂષોનું ધ્યાન સ્ત્રીઓ તરફ રહેવાનું કારણ શું?
- એ પુરૂષો છે.
(ભરત અંજારીયા, રાજકોટ)

* 'અશોક'ના જીવનમાં 'શોક' ન હોય, એ સાચું છે?
- એકલા 'અ'થી તો કેટલું ચલાવું?
(નિશા પરમાર, ગારીયાધાર)

* ૧૫. એક હાથ બંડીના ખિસ્સામાં રાખી ટૂંકા પગલાં ભરતા મનમોહન લાંબા પગલાં ક્યારે ભરશે?
- એક પગ પણ બંડીના ખિસ્સામાં રાખતા થશે ત્યારે!
(હરસુખ જોશી, રાજકોટ)

* તમે હમણાં અમારા થાનગઢ આવી ગયા... કેવું લાગ્યું?
- હું વર્ષોથી આવું છું. ૪૦-વર્ષો પહેલાના મારા મિત્રો મળ્યા નહિ... લાલદાસ દુધરેજીયા, જયકર શાહ, નરેન્દ્ર, કાકુ, વી.કે. ચાવડા અને મારો ભાઈ નિરંજન દવે.
(શાહ મહેન્દ્ર હરખચંદ, થાનગઢ)

* સરકારી કર્મચારીઓને લાંચ આપનારાઓ વિશે શું કહેવું છે?
- કાશ... કે હું સરકારી કર્મચારી હોત...!!!
(અજયસિંહ ઈન્દ્રસિંહ ચંપાવત, હિંમતનગર)

* ભારતમાં આમ આદમીની વૅલ્યુ કેટલી?
- આપણા બન્ને જેટલી!
(ડૉ. કમલેશ મોઢા, મુંબઈ)

* બધાએ ખાલી હાથ જવાનું છે, છતાં પૈસાની પાછળ આટલી દોડધામ?
- તમે માંડી વાળો... અમને દોડધામનો વાંધો નથી!
(આલોક રમેશ તન્ના, મુંબઈ)

* અન્ના હજારેને ફાલતુ અને અમિતાભ બચ્ચનને મહાન ગણીને તમે કેટલા ભેજાંગૅપ છો, એનો પરિચય આપ્યો છે.
- તમારા પૂરતા એ બન્નેના આ ટાઈટલ્સ ઉલટાવી નાંખો. ભૂજવાળા તમારા ઉપર બહુ રાજી થશે.
(નરેન્દ્રસિંહ જાડેજા, ભૂજ)

* એક તરફ કરોડો રૂપિયા મળે ને બીજી તરફ સ્વર્ગમાં જવાની ઑફર મળે, તો તમે કયું પસંદ કરશો?
- હાથમાં કરોડો હોય તો એક આંટો મારી આવવામાં વાંધો નહિ!
(હારૂન ખત્રી, જામખંભાળીયા)

* તમે ભર ચોમાસે પંખો ચાલુ કરવાનું કીધે રાખો છો, તો તમારા બા ખીજાતાં નથી?
- એ તો એસી ચાલુ કરીને બેસે છે.
(મણીલાલ રૂધાણી, રાણાવાવ)

* હાલની દેશની દયાજનક પરિસ્થિતિ માટે વિશેષ જવાબદાર ભ્રષ્ટ રાજકારણીઓ અને એવા જ કહેવાતા સાધુસંતો ઉપર પ્રજા હજી કેમ આંધળો વિશ્વાસ મૂકે છે?
- ચિંતા રાજકારણીઓની ન હોય... એ તો એવા જ હોય. દુઃખ સાધુ-સંતોનું છે, જે પોતાનું મૂલ્ય અને માન ગૂમાવી રહ્યાં છે. આખા દેશમાં એક પણ સંત નથી, જેને માટે પ્રજાને વિશ્વાસ હોય.
(ગિરા પટવારી, અમદાવાદ)

* કોંગ્રેસ અને ભાજપ એકબીજા ઉપર દરેક વાતે દોષારોપણ કરે છે... એમને દેશના પ્રશ્નો દેખાતા નથી?
- બન્ને નાગાં છે. બન્ને એકબીજાને એક ઈંચ પણ વધારે નાગાં કરી શકે એમ નથી. પ્રજાએ આ બિભત્સ દ્રશ્યો જોવા જ પડે એમ છે.
(ડૉ. મીનાક્ષી અ. નાણાવટી, જૂનાગઢ)

મેરો તો જામનગર, દૂસરો ન કોઇ !

$
0
0
''હંભાળીને હરખું નો રાયખું, એમાં જામનગર બગડી બઉ ગીયું. એક જમાનામાં કાઠીયાવાડનું પેરિસ ગણાતું આ શહેર અટાણે હમજો ને...અમદાવાદના ગાંધી રોડ જેવું થઇ ગીયું છે.''

હું તો કેમ જાણે અમદાવાદથી બિમાર જામનગરની ખબર કાઢવા ગયો હોઉ, એમ ત્યાંના એક અદા મને શહેરનો હેલ્થ-રિપોર્ટ આપી રહ્યા હતા. સૌરાષ્ટ્ર બાજુ ડોહા કે કાકા કે વડિલને બદલે 'અદા' કહેવાની પરંપરા છે. એમને એ ખબર ન હોય કે, તમે તો ત્યાં રહો છો, એટલે ઘર કી મૂર્ગી દાળભાત બરોબર હોય, પણ વર્ષોથી જામનગર છોડીને દૂર વસેલા મારા જેવાઓ માટે તો આજે ય આ નગર 'જામ' ભરેલું છે. જેવું છે, એવું અમારૂં છે. કબ્બુલ કે, બાઝકણી પડોસણો જેવી રીલાયન્સ કે એસ્સાર જેવી રાક્ષસી કંપનીઓ ત્યાં ફિટ થઇ હોવાથી બાળક જેવું આ નગર જરા હેબતાઇ ગયું છે, ચીચોચીચ થઇ ગયું છે....પણ પેલું કહે છે ને, 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી !'

રાજકોટની જેમ આ બધા ય ૧૨ થી ૪ ઘસઘસાટ ઊંઘવાવાળાઓ ! આળસ આખા સૌરાષ્ટ્રને આણામાં આવેલી છે. છતાં ય ૧૨ થી ૪ સજડબંબ બંધના પ્રતાપે સૌરાષ્ટ્રમાં ૧૨ થી ૪ ની વસ્તી ગાયબ હોય ! એ વાત જુદી છે કે, આ સમયમાં સૌરાષ્ટ્ર ઊંઘતું હોવા છતાં ભારે ઉદ્યમી હોય !

આ ખંડહરવાળી વાત એની મૂળ ઇમારતને લાગુ પડતી હશે કે નહિ, નો આઇડીયા...પણ જામનગરને આખુડી લાગુ પડે છે. એક ચક્કર શહેરનું મારો, એમાં મહુડીના મંદિરની બહાર ભૂખ્યા કૂતરાં સુખડીની રાહો જોઇને બેઠા હોય એમ અહીના હજારો મકાનો ખંડહરથી ય બિસ્માર હાલતમાં અરિહંતશરણ થવાની રાહ જોઇ રહ્યા છે. કુતુહલ એટલું જ કે, ત્યાંથી પસાર થતા આપણી વાઇફ જરા મોટેથી બોલે તો ય મકાન ભમ્મ થઇ જશે, એવી બીકો લાગે, છતાં અંદર આખા ફેમિલીના ફેમિલીઓ રહેતા હોય. કોમિક એ વાતનું કે, જામનગરના દરેક મકાનોનું નામ હોય, એમ આવા ખખડધજ મકાનના ય નામ હોય, 'શક્તિ-સદન', 'રાજ ભવન', 'રાંદલ કૃપા', 'પટેલ હવેલી' કે 'નાયરોબી-વિલા'.

આ 'વિલા'વાળા બધા નાયરોબીથી અહી જમા થયેલા. ''અમારે આફ્રિકા ને ઇંગ્લેન્ડમાં વિલાયું બવ હોય, બ્વાના...! તીયાં મોમ્બાસામાં કાઇળાંઓ અમને ધોઇળાં ગણીને લૂંટે ને અમારા ઇંગ્લેન્ડમાં ધોઇળાંવ અમને 'દેસી' ગણીને લૂંટે, બોલો !..ઇ તો આંઇ દેસમાં આઇવા, તંઇ ખબર પડી કે, દેસમાં હઉ અમને પરદેસી ગણીને માન બઉ દિયે...કે આ તો આફ્રિકાવાળા...એમને ઇંગ્લિશ બઉ આવડે...!''

અમારા સાસરાની જેમ ઇસ્ટ આફ્રિકાથી ઘણો તોતિંગ માલ જામનગરમાં ઠલવાણો હતો. વળી પાછી જરાક અમથી કળ વઇળી, એટલે એ લોકો લંડન વીયાં ગયા. આફ્રિકા જન્મારો કાઢી આવેલાઓ અમેરિકામાં સેટ થયા હોય કે ઇગ્લેન્ડમાં.... એમાંનો એકે ય ગુજરાતી યુગાન્ડા, મોમ્બાસા, નકૃરૂ, થીકા, દારે સલામ કે નાયરોબી ભૂલ્યો નથી. આજે પણ એમને ઇંગ્લેન્ડ-અમેરિકા કરતા આફ્રિકા વધુ વહાલું લાગે છે. ગુજરાતીઓ આ જ કારણે જગતભરમાં નંબર- વન છે કે જે દેશનું ખાય, એનું ખોદે તો નહિ, પણ ગૌરવ લે. કેન્યાની ભાષા સ્વાહિલીના માંડ ૮-૧૦ શબ્દો યાદ હોય, પણ ''દેસમાં'' કોઇ ત્યાંનું જૂનું મળી ગયું, એટલે એકબીજાને એ શબ્દો ફખ્તથી સંભળાવે.

ઇસ્ટ આફ્રિકાથી આવેલા ગુજરાતીઓની જેમ, અહીના કચ્છીઓ, જૈનો, ભાટીયાઓ, પટેલો, બ્રાહ્મણો અને લોહાણાઓ 'કી અયોં ?'(એટલે 'કેમ છો ?)'બોલી પૂરતા જ નહિ, દિલના ય સાંગોપાંગ કાચના શીશા જેવા સાફ માણસો છે. આપણે સામું પૂછવા જઇએ કે, ''તમને ભૂજ-ભચાઉને બદલે જામનગર સેટ થાય છે ?''તો કહે, ''અસાકેં. હતે બઉ ફાવેવ્યો આય.'' તરત યાદ આવે કે, આપણને કચ્છી તો આવડતું નથી, એટલે ઘટનાસ્થળે જ અનુવાદ કરી આપે કે, ''અમને અહીયાં બહુ ફાવી ગયું છે...''

કહે છે કે, કોલમ્બસે અમેરિકા શોધ્યું અને નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્રની ધરતી ઉપર પહેલો પગ મૂક્યો, ત્યારે એમને જૈનોનો નવકાર મંત્ર અને મુસલમાનોની આઝાન સંભળાઇ હતી, ત્યારે આ તો જામનગર છે, ભા'આય...! અહી જૈનો અને મુસલમાનોની સંખ્યા લોહાણાઓ જેટલી જ તગડી છે. જામનગરનો અડધો વેપાર લોહાણા અને જૈનોના હાથમાં છે.

હતી એક જમાનામાં બ્રાહ્મણોની બોલબાલા...આજે નથી. જ્ઞાતિએ બ્રાહ્મણ હોય પણ બેવકૂફો હજી 'સામવેદી'અને 'યજુર્વેદી'ની સંકુચિતતામાંથી બહાર નથી આવ્યા, એટલે કચ્છીઓ કે લોહાણાઓની જેમ બ્રાહ્મણો વિકાસ ન કરી શક્યા !

ગામ થોડું કોમિક તો ખરૂં. અડધા જામનગરને 'ળ'અને 'શ'બોલતા આવડતા નથી. દેસી દુકાનોના પાટીયે-પાટીયે 'વારાઓ'કાઢ્યા હોય. વારા એટલે 'વાળા'...વજુભાઇ નહિ....આ તો ઘુઘરાવારા, મેસુબવારા, સરબતવારા....વારવારા....(એટલે વાળવાળા...!) માટલાને આ લોકો 'ગોળી' કહે છે, એટલે ''....ગોરીમાં પાણી ભયરું...?'' એમ પૂછે !

દુકાન કોઇ બી હો, ભીંત પર ભૂલ્યા વગર સ્વર્ગસ્થ પિતાનો ફૂલ ચઢાવેલો ફોટો હોય જ. ચોંકી જઇએ કે, દુકાન ખોલી એમાં ડોહો ગાયબ...? એમાંનો એક પિતો હરામ બરોબર ફોટો પડાવતી વખતે એક વારે ય હસ્યો હોય ! ફોટામાંથી બહાર આવીને એક તમાચો ઝીંકી દેશે, એવી ગ્રાહકને બીક લાગે, એવો કડક ચહેરો રાખ્યો હોય. ગલ્લે બેઠેલા એના દીકરાને પૂછીએ ત્યારે કહે, 'બાપુજી પહેલેથી જ આવા ગંભીર હતા...!'ખુલાસો થાય એ સારૂં નહિ તો પહેલી વાર દુકાને આવનારને એમ લાગે કે, આ ફોટો આમની દુકાનેથી માલ ખરીદનાર સ્વર્ગસ્થ ગ્રાહકનો ફોટો છે...!

સૌરાષ્ટ્ર જાઓ એટલે માનપાન વિશે નવું જાણવા મળે. રસ્તે કોક ઓળખિતું મળે, એટલે આપણા ખભે હાથ મૂકીને સ્માઇલો સાથે કહે, ''જોવો ભા'આય...ગામમાં તમારા હાટું જી કાંય વાતુ થાતી હોય...બાકી આપણને તમારા માટે માન છે...!'' આ વખતે આપણે પોતાની વાઇફને લઇને બજારમાં નીકળ્યા હોઇએ એમાં આપણી નજર ન હોય કે ન બોલાવવો હોય તો'ય ફૂટપાથ ક્રોસ કરીને આવે, ''કાં દવે ભા'આય...બીજું સુઉં ચાલે છે ?'' પછી વાઇફની સામે જોઇને પૂછે, ''આ મારા બેન છે ?'' હેબતાઇ જવાય કારણ કે, આપણે તો હજી પહેલાવાળું ય હરખું ન ચાલતું હોય, ત્યાં આ બીજાનું પૂછે છે. રહી વાત આપણી વાઇફ એની બહેન હોવાના ઘટસ્ફોટની, તો એમાં ત્યાં જ ઊભા ઊભા આપણને ખાટો ઘચરકો આવી જાય કે, ભૂતકાળમાં આપણા સસૂરજી ક્યાં ક્યાં ખેલ ખેલી આવ્યા હશે, એનો ખુલાસો આ ભાઇ મળ્યા ત્યારે થયો ને ? આપણી વાઇફ એની બહેન થતી હોય એટલે કુંભમેળામાં છુટા પડી ગયેલા આ બન્ને ભાઇ-બેન વર્ષો પછી મળતા હોય, ત્યારે આપણે કેવા ઢીલા થઇ જ જઇએ ?

મળનારનો મૂળ હેતુ જો કે એવો હોય કે, ભલે તમારી વાઇફ સાથે રસ્તામાં મળ્યા, પણ મારાથી ડરવાની જરૂર નથી...હું તો એને બહેન જ માનું છું.

અહી રાજકોટ-જામનગરમાં પોતાના નામની પાછળ 'ભાઇ' લગાવવાનો દસ્તુર છે. 'હું કિરીટભા'ય બોલું છું....'કે, જો ને...દવે ભા'આય મોઢું બતાવવા આઇવા'તા !''

તારી ભલી થાય ચમના...તું શેનો તારી જાતે માન ભેગું કરી લે છે ? અમારે તને 'કિરીટીયો'કહેવો કે 'દવલો'કહેવો, એનો આધાર તારા લક્ષણો ઉપર છે. બહાર ક્યાંય સાંભળ્યું, ''હું અમિતાભ ભા'આય બચ્ચન બોલું છું ?'' આ લોકો ડરતા હોય છે કે, હું મારી જાતને માન નહિ આપું, તો લોકો તો સાલા મને પર્સનલી ઓળખે જ છે....!

ભાષા કાઠીયાવાડની એટલે પિચ પડતા વાર લાગે. 'મોઢું બતાવવા' આવવાનો મતલબ, સવારે દાઢી કેવી ચકાચક કરી છે, આંયખુંમા કાયળી મેશો કેવી આંયજી છે ને હું રૂપાળો કેવો લાગું છું, એ બધો માલસામાન બતાવવા નહિ ! આ તો એમ કે, વ્યવહાર પૂરતા અમે તમારા ઘરે આવી ગયા, એટલે મોઢું બતાવી ગયા !

ઇશ્વરને આવા મોંઢા બતાવવા રોજના હજારો લોકો જામનગરના મંદિરોમાં જાય છે. ભગવાનને 'હેલ્લો-હાય'કરીને બહાર ગોઠવાઇ જાવાનું. ઘર કરતા આંઇ ઠંડા પવનું વધારે આવે, એટલે ભગવાન સુવા જાય પછી જ લોકો ઘરે જાય. અહીંના શ્રી હનુમાન મંદિરનો એક વર્લ્ડ-રેકોર્ડ છે. ૧ ઓગસ્ટ, ૧૯૬૪ના દિવસથી અહી નોનસ્ટોપ 'રામધૂન' ચાલે છે. વરસાદ હોય કે રાત્રે ૩ વાગ્યાની કાતિલ ઠંડી, ઓછામાં ઓછા ૪-૫ ભક્તો ઢોલક-હાર્મોનિયમ સાથે 'શ્રીરામ જયરામ જયજય રામ'ની ધૂન ગાતા હોય. આજ સુધી એકે ય દિવસ પડયો નથી. હું ગયા સપ્તાહે ગયો, ત્યારે ૧૭,૮૨૧ દિવસ થયા હતા.

ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે એક ફરક લાગણીનો ઝાઝો. અહીં તમને જમાડયા વગર કોઇ જાવા નો દિયે ! એમ તો આપણે અમદાવાદમાં ય કોઇને ભૂખ્યા જવા ન દઇએ.....પણ એ તો સવારનું કાંઇ વધ્યું-ઘટયું હોય તો જ...!

સિક્સર

ક્રિકેટર શ્રીસંત મોઢું ખોલશે તો ઘણા હણાઇ જશે.
'મરવાની અણી ઉપર છું, છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો, આ પડખું ફર્યો, લે !'

'મીર્ચ મસાલા' (૮૭)

$
0
0
ફિલ્મ : 'મીર્ચ મસાલા' (૮૭)
નિર્માતા : રાષ્ટ્રિય ફિલ્મ વિકાસ નિગમ
દિગ્દર્શક : કેતન મહેતા 
સંગીત : રજત ધોળકીયા 
સંગીત માર્ગદર્શન : નારણભાઇ મૂલાણી (મુંબઇ) 
વાર્તા : સ્વ.ચુનીલાલ મડીયા 
રનિંગ ટાઇમ : ૧૪ રીલ્સ-૧૨૮ મિનીટ્સ 
થીયેટર : રૂપાલી (અમદાવાદ) 
કલાકારો : સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, દિપ્તિ નવલ, ઓમ પુરી, સુરેશ ઓબેરોય, બેન્જામિન ગિલાની, રાજ બબ્બર (મહેમાન કલાકાર), પરેશ રાવલ, દીના પાઠક, રત્ના પાઠક-શાહ, સુપ્રિયા પાઠક, મોહન ગોખ્ખલે, રાજુ બારોટ, અદિતી દેસાઇ, દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુરભિ શાહ, સતીશ પંડયા, સ્નેહલ લાખીયા, હરિશ પટેલ, બાબુભાઇ રાણપુરા, રવિ શર્મા, અર્ચિતા, જીજ્ઞા કે. વ્યાસ અને ઇશાની શાહ. 



મિર્ચ મસાલા'જેવી કોઇ ફિલ્મ બને, એ બનાવનારા માટે પડકાર અને જોનારાઓ માટે સદભાગ્ય કહેવાય. કેતન મેહતાએ આપણા જ ગુજરાતી સાહિત્યકાર સ્વ.ચુનીલાલ મડીયાની 'ડાઉન ટુ અર્થ' વાર્તા ઉપરથી આ ફિલ્મ બનાવીને આજે એના નિર્માણના ૨૫ વર્ષો પછી ય દર્શકોના મનમાં એ અસર ઊભી રાખી છે, જે પ્રેક્ષકોને વિશ્વાસ અપાવે કે, ફિલ્મો કેવળ મનોરંજનનું જ માધ્યમ નથી. ફિલ્મ જોતી વખતે અને જોયા પછી આવનારા વર્ષો સુધી ફિલ્મની અસર મનમાંથી જાય નહિ, એવી ફિલ્મો બહુ પાતળી સંખ્યામાં બને છે. કલાને નામે એવી ફિલ્મો ય આપણે ત્યાં (વિદેશી ફિલ્મોના પડછાયામાં) બની છે, જે દર્શકને ફિલ્મ જોતી વખતે મૂંઝવે રાખે. સરકારી પુરસ્કારો તો આવી ફિલ્મોને મળવાના જ છે એટલે અને સરકાર મુંઝાશે ને સમજ નહિ પડે તો પુરસ્કાર આપશે, એ સઘળો જુગાર કલાને નામ પેલી weird ફિલ્મો બનાવનારા રમે જાય છે. કંઇક બાકી રહી જતું હોય તેમ ફિલ્મ સત્યજીત રે કે મૃણાલ સેને બનાવી છે અને મોંઢું બગાડીશું, તો કૉફી-ટેબલ પર આબરૂ જશે, એટલે ગમે કે ન ગમે, આવી ફિલ્મોની ખૂબ ધીમા અવાજે, ઇગ્લિશમાં ક્રિટિક્સની લિંગોમાં આવી ઓફબીટ ફિલ્મોના વખાણ કરતા જાઓ...કૉફી-ટેબલનું બિલ બીજો ચુકવશે. 

શશી કપૂર ફિલ્મ 'કલયુગ' જેવી માસ્ટર પીસ બનાવ્યા પછી તાડુક્યો હતો, 'શેની ઓફબીટ ફિલ્મો ને શેની પેરેલલ સિનેમાઓ...? ફિલ્મો બે જ પ્રકારની હોય...સારી ફિલ્મો ને નબળી ફિલ્મો.' 

કેતન મહેતાએ સારી ફિલ્મ બનાવી છે. ઓફબીટ ફિલ્મોની વાર્તા કહેનારા દિગ્દર્શક બહુધા ફિલ્મની વાર્તા કહેવામાં પ્રેક્ષકો ઉપર પ્રયોગો કરતા હોય છે, જેની ફોર્મ્યુલા મુજબ વાર્તાનો અમુક હિસ્સો પ્રેક્ષકોએ ધારી લેવાનો-ધી એન્ડ તો ખાસ..વ્યક્ત કરતા અવ્યક્ત ઘણું બધુ ભરેલું હોય, એને સાદી ભાષામાં ઓફબીટ ફિલ્મ કહેવાય. 'શોલે' કે 'મધર ઇન્ડિયા'ની ટીકા કરનારા તમને હજી ય મળી રહેશે.. ઓફબીટ ફિલ્મોની ટીકા ન થાય. આપણને સમજ નથી પડતી, એટલું લોકો સમજી ન જાય માટે ઘણું બધું સમજી લેવું પડે છે. પણ કેતન મેહતાએ દાદીમાંની વાર્તાની સરળતાથી 'મિર્ચ મસાલા'ની વાર્તા ફિલ્મની પટ્ટી ઉપર કીધી છે, મૂળ લેખકને સહેજ પણ અન્યાય ન થાય, એનું ધ્યાન રાખીને ! આવી સરળતા ફિલ્મ 'ધી ગોડફાધર'માં જોવા મળી હતી. મારિયો પુઝોની આ જ નામની નવલકથા પરથી બનાવેલી ફિલ્મ પણ મૂળ નવલકથા જેટલી જ અસરકારક હતી. અફ કોર્સ, ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ મારિયો પૂઝોએ જ લખ્યો હતો. 

બ્રિટીશરોના રાજમાં અંગ્રેજ-સરકાર ભારતને કોઇપણ ખૂણેથી લૂંટવા માંગતી હતી. બધા તો ધોળીયા અમલદારો ક્યાંથી લાવવા. એટલે એવી જ નાલાયક પ્રકૃતિ ધરાવતા આપણા ''દેસી'' લોકોને મોટી મોટી પોસ્ટ આપી દેવાઇ હતી, એમાં એક નાનકડા ગામની સુબેદારી કરવા મોકલેલા સુબેદાર (નસીરૂદ્દીન શાહ)ને આતંક અને સ્ત્રીભૂખના જોરે ગામ પર બેફામ હુકુમત ચલાવવાનો અબાધિત પરવાનો મળી જાય છે. ફિલ્મની પ્રોટેગોનિસ્ટ ગામની યુવાન અને સુંદર સોનબાઇ (સ્મિતા પાટિલ) છે, જે તાબે થતી નથી. એના બેકાર પતિ (રાજ બબ્બર- મહેમાન કલાકાર) ને શહેરમાં નોકરી મળી જતા સોનબાઇ એકલી પડી જાય છે, છતાં એની સ્ત્રીશક્તિ એકલી પડતી નથી.. એ જાણવા છતાં કે, ગામની અન્ય સ્ત્રીઓની નિરક્ષરતાનો સઘળો લાભ સુબેદાર, તેના ૪-૫ સિપાહીઓ અને ગામના મળતીયાઓ ઉઠાવે છે, એટલે સુધી કે મુખી (સુરેશ ઓબરોય) પણ સ્ત્રીઓનો શોખિન અને સુબેદારથી ડરનારો ઘરમાં સુશીલ પત્નિ (દિપ્તિ નવલ) હોવા છતાં સુબેદારના ભયની છાયામાં રહે છે. પૂરા ગામમાં શિક્ષિત એક માત્ર માસ્તરજી (બેન્જામિન ગીલાણી) છે, જેના સ્ત્રી-શિક્ષણનો મહિમા અનેકવાર ટીચાવી નાંખે છે. ગામની અન્ય સ્ત્રીઓ મસાલાના એક નાનકડા કારખાનામાં પેટીયું કમાય છે, જેમાં સોનબાઇ પણ ખરી. એની સાથે કામ કરતા સ્વ.દીના પાઠક, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક ઉપરાંત આપણા અમદાવાદના જ સ્થાનિક કલાકારો અદિતી દેસાઇ, દિપ્તિ બ્રહ્મભટ્ટ, નાનકડી ઇશાની શાહ (હાસ્યલેખક તારક મેહતાની સુપુત્રી) ઉપરાંત અન્ય સાથીઓ છે. સુબેદાર યેન કેન પ્રકારેણ સોનબાઇને પામવામાટે એની પાછળ ઘોડેસવાર સિપાહીઓ મોકલે છે. સોનબાઇ ગભરાઇને કારખાનામાં આશરો લે છે. અલ્લાહની રહેમતોમાં દ્રઢ વિશ્વાસ રાખતા નમાઝી બુઝુર્ગ અબુ મીયા (ઓમ પુરી) એ ઠાની લીધી છે કે, પોતાના જીવના ભોગે ય એ આવા અત્યાચારનો ભોગ કોઇ અબળાને નહિ બનવા દે. એ હવેલી જેવા વિશાળ કારખાનાનો જીવના ભોગે ય એ આવા અત્યાચારનો ભોગ કોઇ અબળાને નહિ બનવા દે. વિશાળ કારખાનાનો તોતિંગ છતાં તૂટી શકે એવો દરવાજો બંધ કરી દે છે. સિપાહીઓ બહાર ઊભા ઊભા અબુ મીયાંને ધમકીઓ આપતા રહે છે. કમનસીબે સોનબાઇનું રક્ષણ કરવાને બદલે કે સ્ત્રીશક્તિને બુલંદ બનાવવાને બદલે સોનબાઇની સાથેની સ્ત્રીઓ એને સુબેદારને શરણે જવાનો ફોર્સ કરતી રહે છે. અબુ મીયાંને સહારે સોનબાઇ અડગ રહે છે. ધૂધવાયેલો સુબેદાર દરવાજો તોડીને અંદર આવે છે, એ વખતે તાજી તાજી પ્રગટ થઇ ગયેલી સ્ત્રી જાગૃતિ અને શક્તિનો પરચો એને મળી જાય છે. સોનબાઇ સુબેદાર ખત્મ કરી નાંખે છે.

આવી પ્રેરણાત્મક વાર્તા પરથી બનેલી આ ફિલ્મ એ જમાનામાં આવી હતી, જ્યારે 'રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ'આવી સારી ફિલ્મો બનાવવાના મોટા મૂડમાં હતી. એ જોનારો એક અલાયદો વર્ગ હતો. એ વર્ગ તો હજી હશે, પણ આવી ફિલ્મો નથી. અલબત્ત, નસીરૂદ્દીન શાહને મોડે મોડે આવી આર્ટ ફિલ્મો માટે નફરત થઇ ગઇ. પૈસામાં ઊંચા ગજાનું સમાધાન કરવાનું હોય ને છતાં ટિકીટબારી ઉપર તો ફિલ્મ ચાલે નહિ. પોતાની સાથેના સહુ કલાકારો જેટમાં ઊડતા હોય ને આર્ટ ફિલ્મોને વફાદાર કલાકારો ફિયાટને ય રાહદારીઓ પાસે ધક્કા મારી મારીને ચલાવતા હોય. અલબત્ત, અહી તો બાવાના બે ય બગડયા. નસીર કન્વેન્શનલ હીરો તરીકે તો ઇસ્ટ આફ્રિકાની ફિલ્મોમાં ય ચાલે એવો નથી. આર્ટ ફિલ્મોથી કંટાળીને એ અર્ચના પૂરણસિંઘ જેમાં હીરોઇન હતી તે 'જલવા' જેવી ફાલતુ ફિલ્મમાં કામ કરવા ગયો અને ભારે પછડાયો. સની દેવલ અને ચન્કી પાન્ડે સાથે 'ત્રિદેવ' ('ઓયે..ઓયે..ઓયે ઓ.વા..)' જેવી કમર્શિયલ ફિલ્મો કરી પણ એ બધામાં તો એ સહેજ પણ ન ચાલ્યો. હવે આજકાલ એ 'અ વેન્સ ડે', 'ઇશ્કીયા' કે 'ખુદા કે લિયે' જેવી ફિલ્મોમાં કામ કરે છે, એ કમર્શિયલ અને ફિલ્મોના મિશ્રણ જેવી છે. એમાં પાછો એને 'એક્ટર' પુરવાર થવાનો ફરી મોકો મળી રહ્યો છે. નસીરૂદ્દીન શાહે કેટકેટલી ફિલ્મોમાં બેનમૂન અભિનય આપ્યો છે, એની સરખામણીમાં ફાલતું ફિલ્મો એણે જવલ્લે જ લીધી છે. ફિલ્મ ભલે પાકિસ્તાનની રહી ને ભલે નસીરે ત્યાંની ફિલ્મમાં કામ કર્યું...આ ફિલ્મ બાકાયદા જોવા જેવી છે. નસીરનો રોલ એની એક્ટિંગ-એબિલિટીને વધુ પુરવાર કરે એટલો મોટો નથી, પણ નિર્ણાયક છે. ફિલ્મ તમને ગમશે. 

સાદી ભાષામાં એની ઘણી ફિલ્મોની જેમ 'મીર્ચ મસાલા'માં પણ નસીરે વિલનનો અને આર્ટ ફિલ્મોની જબાનમાં કહી એ તો 'એન્ટી હીરો'નો કિરદાર નિભાવ્યો છે. પોલાદી અવાજના માલિક નસીરનો બીજો USP એના હાવભાવ છે, જે અત્યારના હીરોલોગ માટે બજારમાં વેચવા કાઢો તો કોઇ ખરીદાર નહિ મળે. શો-કેસમાંથી ગ્રાહકો-આમાં આપણું કામ નહિ, કહીને પાછા વળી જશે. તો બીજી તરફ સ્મિતા પાટીલ આમ તો મૂળભૂત અભિનેત્રી હતી જ નહિ. એ તો મુંબઇ દૂરદર્શન પર ન્યુસરીડર હતી. પ્રોબ્લેમ રાજ બબ્બર સાથેના એના લગ્નજીવનનો હતો કે બીજો, એની ઝાઝી ખબર કોઇને નથી, પણ ખુબ વહેલી ગૂજરી ગઇ.

ફિલ્મી બેકગ્રાઉન્ડ કે ધનિક પરિવારમાંથી આવતી ન હોવાથી સાવ આપણા જેવી જ હતી. ફિલ્મી નખરા નહિ. આ ફિલ્મમાં એની સાથે કામ કર્યાની સુખદ પળો વાગોળતા અમદાવાદના અદિતી દેસાઇ કહે છે, 'ફિલ્મનો છેલ્લો જ શોટ બાકી હતો ને સ્મિતાને તરત જ ફ્લાઇટ પકડીને મુંબઇ પહોચવાનું હતું. કોઇ મોટા બેનરની ફિલ્મના શૂટિંગ માટે ! ફિલ્મ જોઇ હશે, એમને છેલ્લું દ્રષ્ય સ્મરણમાં હશે કે, બધી બહેનો એકજુટ થઇને સુબેદારની આંખોમાં મરચાની ભૂકી નાંખે છે, એ દેખતો બંધ થઇ જાય છે. અને સ્ત્રીશક્તિનો અડીખમ પરચો બતાવવા સ્મિતા યોગ્ય ક્ષણની રાહ જોઇને હાથમાં દાતરડાં સાથે શૂન્યમનસ્ક ઊભી છે. હવે પછી શું થવાનું છે (કે શું થવું જોઇએ !)'એનો અણસાર સ્મિતાએ કેવળ હાવભાવથી આપવાનો હતો, તે કેમે કરીને બંધબેસતો નહોતો. એક પછી એક રીટેક થવા માંડયા ને એની ઉતાવળને ધ્યાનમાં લઇને એ દ્રષ્ય, 'જેવું હોય એવું'ના ધોરણે ઓકે કરવામાં ન આવ્યું. સ્મિતાએ જ કીધું, 'જ્યાં સુધી શોટ પરફ્કેટ નહિ આવે, ત્યા સુધી મારે જવાનો સવાલ જ ઊભો થતો નથી.' 

અમદાવાદના જે કલાકારોએ આ ફિલ્મમાં કામ કર્યું છે, એ લોકોના રોલની લંબાઇ તો ઠીક છે, મહત્તાનો વિચાર કરવા જઇએ તો ય નારાજ થઇ જવાય એવું છે. ગુજરાતમાં આ સહુ મોટા ગજાના સ્ટેજ કલાકારો છે. ફક્ત હિંદી ફિલ્મોમાં ઓળખાય પણ નહિ, એવા દૂરના દ્રષ્યોમાં ઊભા રહેવાનું મળે, એટલે પોતાની ગરિમાનો ય વિચાર નહિ કરવાનો ? વિખ્યાત હોલીવૂડની ફિલ્મ Mackenna's Gold દિલીપ કુમારે ઠૂકરાવી એટલે ઓમર શરીફને રોલ મળ્યો. ઓફરો તો દેવ આનંદને ય હતી, પણ અહી શહેનશાહના કિરદાર કરતા હો ને ઇંગ્લિશ ફિલ્મમાં પાછળ ભાલો પકડીને ઊભા રાખી દીધા હોય, એવું ન ચલાવી લેવાય.

પણ આમાના કેટલાક કલાકારોને મળ્યો ત્યારે સરસ મજાની સ્પષ્ટતા થઇ. અહી સવાલ રોલની લંબાઇ કે મહત્તાનો નહતો. ગુજરાતની એક મહાન નવલકથાને રાષ્ટ્રીય સ્તરે હિંદી ફિલ્મદેહ મળે છે, એ આ તમામ કલાકારો માટે પોતાના ગૌરવ કરતા ય મોટી વાત હતી. વળી નસીર, સ્મિતા, ઓમ પુરી કે દિપ્તિ નવલ સરીખા કલાકારો સાથે કામ કરવાની તક મળે છે, તો આવી તક જવા ન દેવાય. શક્ય છે, અમદાવાદના આ કલાકારોને ખાસ તો આ લેવલના કલાકારોને બદલે શાહરૂખો કે સલમાનો સાથે આવું અને આટલું કામ કરવા મળ્યું હોત તો ન સ્વીકારત. અને ત્રીજું મહત્વનું કારણ ફિલ્મનો દિગ્દર્શક કેતન મેહતા ફક્ત ગુજરાતી જ નહિ, આમાંના ઘણાની સાથે ફિલ્મ ઇન્સ્ટીટયૂટમાં ભણી ચૂકેલો, એટલે દોસ્તીદાવે પણ સાથે કામ કરવાની લજ્જત અનોખી ઉપડે. નહિ તો આજે એ વાતને ૨૫-૨૫ વર્ષો પછી પણ અમદાવાદના રાજુ બારોટ, અદિતી દેસાઇ, દિપ્તિ બ્રહ્મભટ્ટ, સતિષ પંડયા, સુરભિ પટેલ, સ્નેહલ લાખીયા, જીજ્ઞા કે. વ્યાસ અને અર્ચિતા સ્ટેજ પરના મહત્વના નામો ગણાય છે. ખાસ તો સહદિગ્દર્શક તરીકે આ ફિલ્મમાં સેવા આપનાર કાબિલ સાહિત્ય અને નાટયકાર પરેશ નાયક આજે પણ આ ફિલ્મ માટે ગૌરવ અનુભવે છે. ફિલ્મની વેશભૂષા અમદાવાદના જ મીરાં અને આશિષ લાખીયાએ સંભાળી હતી. ''તારી આંખનો અફીણી..''ને અમર કરનાર સ્વર્ગસ્થ ગાયક-સંગતીકાર દિલીપ ધોળકીયાના પુત્ર રજત ધોળકીયાએ આ ફિલ્મનું સંગીત આપ્યું હતું. ખાસ મેદાન મારી જાય છે, શ્રી બાબુભાઇ રાણપુરા જેમણે ફિલ્મમાં અભિનય અને કંઠ બન્ને દ્વારા ફિલ્મને ઉચકાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. 

એ સમજો ને...'૮૦નો એક અલગ દાયકો આ NFDC વાળાઓનો હતો. એ જ અરસામાં આવી સુંદર ફિલ્મો 'ધારાવી', 'સૂરજ કા આંઠવા ઘોડા', 'પાર્ટી' અને 'જાને ભી દો યારો' જેવી અસરકારક ફિલ્મો બની હતી. જોવાની લહેર એ વાતની છે કે, આ કોલમ નિયમિત વાંચનારાઓ માટે હવે મુંબઇના શ્રી.નારાયણભાઇ મૂલાણીનું નામ નવું નથી. ફિલ્મના ટાઇટલ્સમાં સંગીત સલાહકારમાં એમને સ્પેશિયલ દરજ્જો આપવામાં આવ્યો છે. એક કારણ એ પણ ખરૂં કે, ફિલ્મમાં નસીર પગ લાંબા કરીને '૩૦ની સાલની હિંદી ફિલ્મોની જે રેકોડર્સ આપણા દેશી ગ્રામોફોન પર સાંભળે છે, તે રેકોડર્સ મૂલાણી સાહેબના ખજાનામાંથી અવતરી છે. તેઓ સ્વચ્છ ૭૮ RPM રેકોડર્સના રાષ્ટ્રવ્યાપી સંગ્રાહક હોવાને નાતે ફિલ્મમાં શુધ્ધ રેકોર્ડિંગવાળા કજ્જનબાઇનું 'ફુકત કોયલીયા..' અને રાજકુમારીના બે ગીતો ''કાહે મારી નજરીયા...'' અને ''વો ગયે નહિ હમે મિલકે..'' પણ આજના અદ્યતન રેકોર્ડીંગની બરોબરીમાં ય વધુ મીઠડાં લાગે છે. 

આપણે ગુજરાતીઓ છીએ એટલે સહેજે ય કુતુહલ થાય કે, જે લોકેશનમાં આવી સુંદર ફોટોગ્રાફીવાળી ફિલ્મ ઉતરી છે, એ ગામ ક્યું હશે ? તો રાજકોટ જતા વચમાં બા'મણબોરનું ટોલનાકું આવે છે, ત્યાં જ બાજુમાં આ નાની મોલડી નામના ગામે આખી ફિલ્મ ઉતરી છે. 

ફિલ્મમાં બતાયેલી હવેલી ગામનો દરબારગઢ છે. થોડું ઘણું શુટિંગ બાજુના ડોસલીગૂના ગામે પણ થયું છે.

ઍનકાઉન્ટર 02-06-2013

$
0
0
* કૂતરૂં કાયમ સ્કૂટરની પાછળ જ કેમ લઘુશંકા કરે છે?
- કૂતરૂં અથવા સ્કૂટર, બેમાંથી એક વેચી મારો... જવાબ મળી જશે!
(મનોજ સી. શાહ, અમદાવાદ)

* ટેસ્ટ મૅચોમાં સમય અને પૈસાનો બગાડ થાય છે. એને બદલે વન-ડે કે ટી-૨૦ જેવી મૅચો રમાડવી જોઈએ. સુઉં કિયો છો ?
- ટીવી પર બળાત્કાર, ભ્રષ્ટાચાર, હલકટ રાજકારણીઓના સમાચારો કે બેવકૂફીભરી ટીવી સીરિયલો જોવા કરતા મને તો ક્રિકેટ વધારે સંતોષ આપે છે.
(રમાકાંત વી. પટેલ, વડોદરા)

* બાળકો મોટા થઈને ફિલ્મી હીરો બનવાના સપનાં જુએ છે, એને માટે કોણ જવાબદાર ?
- બાળકો એમના વડિલો જેવા બેવકૂફો નથી. અરે, હીરો-બીરો થશે તો ચાર પૈસા કમાશે, નામ થશે.
(જગદિશ વાળા, સુરેન્દ્રનગર)

* શું 'ઍનકાઉન્ટર' શબ્દોનું શસ્ત્ર છે ?
- હા, પણ એ શસ્ત્રોની હેરાફેરી કરવાથી આર્થર રોડ જેલમાં જવું પડતું નથી!
(મયૂરી કિશોર પટેલ, રાજકોટ)

* વિશ્વના અંત વખતે એકલા તમે જીવિત રહી જાઓ તો શું કરો ?
- આખા વિશ્વમાં તમે એક માત્ર મારા હિતેચ્છુ નીકળ્યા !
(કુતુબ ખાન, તળાજા)

* પહેલા તો ચોર રાત્રે જ આવતા... હવે દિવસે પણ કેમ આવે છે ?
- પહેલા પોલીસ રાત્રે જ ઊંઘતી હતી...
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* પતિને તુંકારે બોલાવવાથી પ્રેમ વધે કે ઘટે?
- એની ખબર નથી, પણ પત્નીને 'આપ' કહીને સંબોધવાથી કોકવાર મારામારીઓ થઈ જાય... હઓ!
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* તન, મન અને ધનથી વધુ સુખી કોણ? નેતાઓ કે સાધુબાવાઓ?
- તમે આમ મને લલચાવો નહિ... !
(મનુ પોપટ, જામનગર)

* ફિલ્મ ઍવોર્ડ્સ ફંકશનોમાં ઑડિયન્સમાં બેઠેલા મોટા કલાકારો ય અર્થ વગરનું કેમ હસે રાખતા હોય છે?
- એ જાણે છે કે, આપણે સ્ટેજ પર જવાનું આવશે, ત્યારે આ લોકો ય હસશે!
(લલિત ઓઝા, જૂનાગઢ)

* તમને જગતનું ક્યું શહેર સર્વોત્તમ લાગે છે?
- ગયા સપ્તાહે હું ૪-દિવસ જામનગર રહી આવ્યો... ! કોઈ સવાલ જ નથી, જામનગર મારા માટે આજે ય સૌરાષ્ટ્રનું પેરિસ છે.
(શ્વેતા દીર્ઘાયુ અમીન, વડોદરા)

* જામનગરના એક અખબારમાં આપનો ફોટો જોયો. ફોટામાં તો આપ કોઈ પોલીસ અધિકારી જેવા લાગો છો !
- તમે વખાણો છો કે વખોડો છો ?
(શશિકાન્ત મશરૂ, જામનગર)

* પ્રાચીન ઋષિમુનીઓ ક્રોધિત થાય ત્યારે શ્રાપ કેમ આપતા હતા ?
- એ જમાનામાં ક્રોધિત થઈને કોઈને 'ઍનકાઉન્ટર' વાંચવા નહોતું અપાતું !
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)

* શરીરના ઘા તો રૂઝાઈ જાય છે, પણ લિસોટા કેમ રહી જાય છે ?
- લિસોટા ઉપર ગાયનું છાણ લગાડો. બે દિવસમાં સારૂં થઈ જશે.
(શા. ગોવિંદલાલ બી., પૂણે- મહારાષ્ટ્ર)

* મને ઘણા પૂછે છે, 'શું કરો છો ?' તો મારે શું જવાબ આપવો ?
- કહી દેવું, હું એકલો પડયા પછી ઘણું બધું કરી શકું છું... !
(દિનેશ જોશી, દહીંસર)

* દુશ્મનોને તમે કેવી રીતે ટૅકલ કરો છો ?
- દુશમનોને માફ કરી એમની સાથે સામેથી સંબંધો રાખવામાં હું ઘણું પસ્તાયો છું. દુશ્મન કદી દોસ્ત બનવાનો નથી. હવે હું ય શીખ્યો છું કે, દુશ્મનોને માફ તો કદી ન કરાય !
(પલ્લવી ત્રિવેદી, સુરત)

* તમારા જીવનમાં બનેલી સુખદ અને દુઃખદ ઘટનાઓ કઈ ?
- વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે સૌથી સુખદ ઘટના અને હમણાં સાસણ ગીરમાં બરોબર સિંહોની સામે મારૂં વૉલેટ (પાકીટ) પડી ગયું ને સહુએ પૂછ્યું, ''પાકીટમાં કેટલા હતા ?'' ને મારે સાચું બોલવું પડયું કે, ''ખાલી હતું... !'' એ દુઃખદ ઘટના.
(રમેશ સુતરીયા 'ટ્રોવા'-મુંબઈ)

* કહેવાય છે કે, સફળ હાસ્યલેખકની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ એ ઘરની નહિ... બહારની! આપના કૅસમાં શું છે?
- બહારવાળી અંદર આવી ગઈ... ને હવે જાય એમ નથી... !
(ઓ.વી. સાગર, રાજકોટ)

* બાળકનું નામકરણ કરવાનો અધિકાર એકલા ફોઈબાને જ કેમ?
- બાપની બહેન તરીકે એ ફોઈ બધું જાણતી હોય છે કે, ભઈલો ક્યાં-ક્યાં ચક્કરો મારી આવ્યો છે... એ નામો રીપિટ ન થાય માટે !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* જગતમાંથી ગયેલાઓ પાછા કેમ નથી આવતા ?
- મને તો મોટા ભાગનાઓ પાછા આવેલા જ લાગે છે !... ત્યાં ય કોઈએ ન સંઘર્યા !
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

* ભારતમાં પાછી દૂધની નદીઓ ક્યારે વહેતી થશે ?
- હવે આમાં તો ગાયોએ સુધરવું પડે... !
(કલ્પેશ વાડોલિયા/ચિન્મય વસાવડા, રાજકોટ)

* રાહુલ બાબા ૪૫- વર્ષે ય કુંવારા છે, તો એની બા ખીજાતી નહિ હોય ?
- પૈણી નાંખે તો ઘણાની બાઓ ખીજાય એમ છે !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* ૪૦-ની ઉંમર પછી લગ્ન થાય એ નસીબદાર કે બદનસીબ ?
- કૌચાપાક ખાવો ન પડે તો નસીબદાર !
(મીનાક્ષી નાણાવટી, રાજકોટ)

* કૂંવારાઑ કરતા પરણેલાઓ વધુ ખુશ કેમ દેખાય છે ?
- દેખાય જ છે ને... ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

* શું જાડા માણસોની બુદ્ધિ જાડી હોય છે, એ વાત સાચી ?
- તમે મને અત્યંત બુદ્ધિમાન કહી રહ્યા છો, બેન !
(રમાગૌરી ભટ્ટ, ધોળકા)

* જૂઠ બોલે કૌવા કાટે... તો સચ બોલે તો ?
- વાઈફ કાટે.
(ધવલ સોની, ગોધરા)

આ લેખ ફિક્સ થયેલો છે

$
0
0
આપણે ઘરમાં ફૅમિલી-મૅમ્બર્સ સાથે બે ઘડી ગમ્મત ખાતર તીનપત્તી રમવા બેઠા હોઇએ અને પોલીસ આવી જાય તો, પછીની દસમી મિનિટે આખું ફૅમિલી બહાર ઊભેલી બ્લ્યૂ રંગની લોખંડની જાળીવાળી પોલીસવૅનમાં બારીની બહાર જોયે રાખતું બેઠું હોય...! પોલીસ બધાને પકડીને લઇ જાય. સોફા પર બેઠી બેઠી માળા ફેરવતી આપણી બા ય પોલીસવૅનમાં બેઠી હોય. પોલીસો અચાનક આવી જાય, એટલે આપણને એમ કે, ઘડીક હવાફેર ખાતર આપણી સાથે પત્તાં રમવા આવ્યા લાગે છે, પણ એ તો આપણને પકડવા આવ્યા હોય છે. ભારતીય સંસ્કૃતિ તો કહે છે, ''મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ....હોઓઓઓ''.... એટલે ભાવુક બનીને એમના સ્વાગતમાં ગળગળા થઇ જઇએ ને એ લોકો સામા ભાવુક બનવાને બદલે આપણને દબડાવે, ''ચલો, પોલીસ સ્ટેશન...!'' આજકાલ સાલા માણસોના કાંઇ ભરોસા છે ? એક જ મિનિટમાં આપણી છાપ તો જુગારીઓની થઇ ગઇ ને ?... આપણે ગૂન્હેગાર થઇ ગયા...!

ક્રૂરતા ય કેવી ? વૅનમાં બેઠા પછી આ લોકો અંદર પત્તાં રમવા દેતા નથી...! બાપાનું રાજ છે....??? આપણે તો, જેને ઘેર પત્તાંની બેઠક હોય, એ લોકો ચા-નાસ્તા ય કરાવે, આદુ નાંખેલું લિંબુનું શરબત પીવડાવે, એસી ચાલુ રાખે, ને સગવડ હોય તો સારા ઘરના માણસો હવે તો બિયર પણ પીવડાવે છે. પોલીસવૅનમાં એવું કાંઇ આપતા નથી. પોલીસોમાં એવા વિવેક-વિનયો ન હોય.

તો ભલું હો જો, શહેરની ટીવી-ચૅનલોવાળાનું કે, પોલીસવૅનમાં બેસતા આપણું લાઇવ-ટૅલીકાસ્ટ કરતા નથી. આજુબાજુવાળા ભેગા થઇ ગયા હોય ને ભીડની વચ્ચેથી આપણને હાથ બાંધીને લઇ જતા હોય ત્યારે ટીવી-કૅમેરા સામે સ્માઇલો આપવાના હોય છે. બધા ગૂન્હેગારો આપતા હોય છે. મને તો જો કે, મોંઢા ઉપર કપડું ઢાંકીને પોલીસવૅનમાં બેસવાનો જરા ય અનુભવ નથી. કહે છે કે, એવા કપડે તો ફોટા ય સારા નથી આવતા ! આપણા જેવાને તો ખોટા અભિમાનો હોય નહિ, એટલે કાલ ઉઠીને આપણાં મોંઢા ઉપર કપડું પોલીસે ઢાંક્યું હોય તો ય, ખસેડીને ટીવીવાળાઓ સામે સ્માઇલ આપીએ.

કહે છે કે, પોલીસવાળા ડયૂટી પર સ્માઈલો નથી આપતા. આ લોકોની લાઈફોમાં સ્માઈલો જેવું હોતું ય નથી. એમનાથી ઉપરના ઑફિસરોને સલામ મારવાની હોય, ગુન્હેગારોને મારતા મારતા કાંઇ સ્માઈલો ના અલાય. લાંચ જીવનભર ઓછી જ પડે, એટલે જંગી હોય તો ય એ સ્વીકારતી વખતે કાંઇ હસી પડવાનું ન હોય...ને આ બાજુ ઘેર પહોંચ્યા પછી તો વાઈફો ય મહિલા પોલીસ જેવી લાગતી હોય, એટલે એની સામે શું વાવટા હસે ?

કહે છે કે, વૅનમાં બેઠા પછી બાજુમાં બેઠેલા પોલીસ પાસે બીડી માંગવાની હોય છે. આ લોકો પાસે બીજું કશું હોય બી નહિ ! ભલે આપણે બીડી પીતા ન હોઇએ, પણ માંગવી સારી...બીડી એની પાસે હશે તો આપશે, પણ ના હોય તો આપણાથી એને ના કહેવાય કે, ''જાઓ જમાદાર....સામેની દુકાનેથી બે ઝૂડી સંભાજી બીડી લઈ આવો.'' સંબંધો આમ વધે. હાથ આપણે લંબાવવો પડે. ભલે બીડી માટેનો હોય !

વાઇફ પહેલેથી મને કહેતી હતી કે, પોલીસમાં ઓળખાણો રાખો. સંઘર્યો સાપ પણ કામમાં આવે.

મેં પ્રયત્નો તો કર્યા હતા કે, એકાદો પોલીસવાળો ઓળખતો હોય તો કોક 'દિ કામમાં આવે....આઇ મીન, આમ ક્યાંયથી બૉતલ-ફોતલ ના મળતી હોય તો આ લોકો લાઇ આલે...! આ તો એક વાત થાય છે !

તો ય બાજુમાં બેઠેલી વાઇફે મને કોણી મારતા આગળ વધવાનો ઇશારો કર્યો. થૅન્ક ગૉડ, 'આગળ વધવાનો' ઈશારો પોલીસવાળો નહતો સમજ્યો. મેં બીજી બાજુ બેઠેલા જમાદારને સ્માઈલ આપ્યું. મને એ ખબર કે, પોલીસવાળા પાસેથી કશું લેવાય નહિ...અપાય ખરૂં ! જોયું તો ખબર પડી કે, એ તો જન્મ્યો ત્યારે ય નહોતો હસ્યો. પણ આપણો સ્વભાવ કે, કોઇ સંબંધ રાખવા ન માંગતું હોય તો ય આપણે રાખવા. આની સાથે ક્યાં જન્મજન્માંતરના સંબંધો રાખવા છે !

''કઇ બાજુના....?'' મેં પૂછ્યું.

જવાબમાં હું તો જાણે કોઇ ગૂન્હેગાર હોઉં, એવા મોંઢે મને કહે, ''ગાયકવાડની હવેલી પોલીસ સ્ટેશનના....!''

તારી ભલી થાય ચમના...હું તારા ગામનું પૂછું છું ને તું મને તારા કામનું બતાવે છે ? તારી બાએ તને આવા સંસ્કારો આલ્યા છે ? તો ય...આપણે ખોટું નહિ લગાડવાનું. વાઇફના ફાધર ગૂજરી જતા પહેલા કહેતા ગયા હતા કે, પોલીસવાળા સામે કદી સાચું ન બોલવું ને વાઇફ સામે કદી ખોટું ન બોલવું. એમને બન્ને ક્ષેત્રોનો બહોળો અનુભવ ! એ સોનેરી સલાહ ધ્યાનમાં રાખીને જમાદારે મને પૂછ્યું, ''તમે કઇ બાજુના....?'' એટલે મેં કીધું, ''અમે મુખ્ય મંત્રી બાજુના...!''

એમાં એ ચમક્યો. બીજો સવાલ જ ન પૂછ્યો. પણ હવે આટલા નજીક આવી જ ગયા છીએ, પછી સંબંધ કાંઇ અધૂરો મૂકાય છે ? મેં પૂછ્યું, ''મુઝે યહાં કીસ લિયે લાયા ગયા હૈ...?''

એ ચમક્યો, પણ એને બધી ખબર ન હોય કે, હિંદી ફિલ્મોનો હીરો પહેલીવાર પકડાય, ત્યારે આ જ સવાલ પૂછતો હોય છે. અમારે હીરાલોકોને પોલીસવૅનમાં બેસાડ્યા છતાં ય પૂછવું તો પડે કે, ''મુઝે યહાં ક્યું લાયા ગયા હૈ...મૈં બેકસૂર હું...છોડ દો મુઝે...છોડ દો મુઝે...''

આ સ્થાનિક પ્રવાસમાં મારી સાથે આખું ફૅમિલી બેઠું હોવા છતાં ગાડીમાં મારૂં કોઇ માન નહોતું. હું તો પત્તા રમતાં પકડાયો છું કે, ખિસ્સા કાતરતા, એના ભેદની જમાદારને ખબર લાગતી નહોતી. મને પૂછ્યું, ''કેટલા વરસોથી આ ધંધામાં છો ?''

''ધંધો...? યૂ મીન...ક્યાં ધંધાની વાત કરો છો ?'' હું નર્વસ થવા માંડયો હતો.

''ક્યા, તે વળી આ જુગારખાનાના....!''

મેં ઢીલા થઇને કહી દીધું, ''જુઓ જમાદાર....પત્તા અમારો ખાનદાની ધંધો નથી. અમે તો વર્ષે-બે વર્ષે એકાદવાર ઘરના ને ઘરના જ સભ્યો રૂપિયે પૉઇન્ટથી સાદી તીનપત્તી રમીએ છીએ...બે ઘડી ગમ્મત, યૂ નો...! આ ફલૅટ અમે તીનપત્તીની કમાણીમાંથી નથી લીધો. હમલોગ મેહનતકશ ઈન્સાન હૈં....(અમુક વખતે હિંદીમાં બોલીએ તો જરા 'પો' પડે !)

''એ બધું તો કસ્ટડીમાં ચાર-પાંચ ડંડા પડશે, એટલે ખબર પડશે...!'' મને એની આવી વાત ન ગમી. આમાં તો છોકરૂં બી જાય ! .....'પી' થઇ જાય !

એ મારો નાનો ભાઈ હોય, એવા વાત્સલ્યથી એના ખભે હાથ મૂકીને મેં પૂછ્યું, ''શું પત્તા રમવા ગૂન્હો છે ? કાયદો તો ગૂન્હો ગણે છે, પણ ગૂન્હાની સમજ શું છે ? સાદી સમજ મુજબ, તમારા કોઇ કૃત્યથી કોઇને નુકસાન પહોંચ્યું હોય, એ બેશક ગૂન્હો કહેવાય. હું ઘેર બેઠો દારૂ પીતો હોઉં, (ભલે પરમિટ વગર....!) તો મેં કોઇને ક્યું નુકસાન પહોંચાડયું કહેવાય ? કમ ઑન....ઘરની બહાર નીકળીને લવારા કે બદતમીઝી કરૂં, તો ચોક્કસ ગૂન્હો કહેવાય. પણ પત્તાં મારા પૈસાથી રમું છું, આજુબાજુવાળાઓને, દેશને, મારા ફૅમિલીને કે મારી જાતને પણ કોઇ નુકસાન પહોંચાડતો નથી. તો ગૂન્હો ક્યા આધારે બન્યો ? મોડી રાત સુધી મારા ઘરમાં મોટા મ્યુઝિકે ડાન્સ-પાર્ટી ચલાવું તો બેશક પડોસીઓ હેરાન થાય ને એ ગૂન્હો બને છે, પણ પત્તાં રમવામાં ક્યું નુકસાન સમાજને થયું ?....અને અમે અહીં ઘરમાં બે ઘડી રમવા બેઠા ને રામ જાણે અમે કાંઇ કેટલાય ખૂનો કરી નાંખ્યા હોય, એમ તું અમને પકડવા આવ્યો ?''

એ મારા પ્રવચન દરમ્યાન મૂંઝાવા માંડયો. મારાથી કોઇ મૂંઝાય, એ મને બહુ ગમે. એ જરીક ઢીલો પડવા માંડયો, પછી હું તાનમાં આવી ગયો. હવે મારા અવાજમાં પ્રભાવ આવવા માંડયો હતો. મેં કીધું,

''પત્તાં રમવામાં ગૂન્હો ગણાતો હોય તો ક્લબોમાં રમી રમાય છે, એ નકરો જુગાર છે, છતાં ત્યાં કેમ કોઇ ગૂન્હો બનતો નથી ? એ લોકો એમ કહે છે કે, 'રમી' એ a game of skill છે અને તીનપત્તી a game of chance છે, માટે જુગાર બને છે. 'સ્કીલ'વાળી ગૅઇમમાં બુધ્ધિ વાપરવી પડે છે, જ્યારે 'ચાન્સ'વાળી તીનપત્તીમાં બુધ્ધિ-ફૂધ્ધિ તો કેમ જાણે વાપરવી જ નહિ પડતી હોય...! 'રમી'માં 'ચાન્સ'ની જરૂર નહિ પડતી હોય ? માત્ર બુધ્ધિ જ વાપરવાની હોય તો દેશના સૌથી વધુ બુધ્ધિમાન પુરવાર થયેલા અંબાણી કે અદાણીઓ એમના રોજના ધંધા-ફંધા પડતા મૂકીને રમીઓ રમવા ન બેસી જાય ? આ બધી લમણાફોડમાં શું કામ પડે ?'' જમાદારના હાવભાવ પરથી એવું લાગતું હતું કે, એ મારાથી નકરો બોર થઇ રહ્યો છે અને કંટાળીને રસ્તામાં જ ઉતારી દેશે, પણ એવું ન બન્યું એટલે મારામાં વધુ હિંમત આવી.

(ગતાંકથી ચાલુ) ''જુઓ ભાઇ, જે કાંઇ તમારૂં નામ હોય...પણ ગૂન્હાની કાયદાકીય સમજ પણ એવી તો હશે ને કે, જે કૃત્યથી અન્યને નુકસાન પહોંચે, તે સજાને પાત્ર થાય. તો પછી IPL ની ક્રિકેટ ટુર્નામૅન્ટમાં ફિક્સિંગ થાય કે ન થાય એનાથી આખા દેશમાં કોને નુકસાન થાય છે ? ટીવી પર મૅચો જોનારાઓને ક્યાં ખબર છે કે, ફલાણી મૅચ ફિક્સ થયેલી છે કે સ્પૉટ ફિક્સિંગ થયેલ છે ? ક્રિસ ગૅઇલના ૧૭૫-રનની રમત જોતી વખતે જે આનંદ આ ગૅઇમે આપ્યો છે, એ દિલ્હીના બળાત્કારની રાબેતા મુજબની ઘટનાઓ આપે છે ? ખિસ્સામાં હાથ રાખીને ફેરફૂદરડીઓ ફરે રાખતા મનમોહન કે અડવાણીઓ કેટલા ફિક્સિંગમાં સંડોવાયા છે, એ પુરવાર થાય તો મને ને તમને બધાને ભરચક નુકસાન થાય છે, પણ આઇપીઍલમાં અબજોના ફિક્સિંગ થાય તેમાં આપણે તો ક્રિકેટ જોનારાઓ છીએ, સટ્ટો રમનારાઓ નહિ, તો પછી આપણને શું નુકસાન થયું ? ભલે ને, મૅચ ફિક્સ થયેલી છે !''

એણે કશીક બૂમ ડ્રાયવરને મારી. પોલીસવૅન ઊભી રહી ગઇ. અમે ચમક્યા. મને એમ કે, ગાડી ઊભી રાખીને મને મારશે, એને બદલે હાથ એણે જોડયા, ''મને કહે, ''ભૂદેવ....આપ ઘરે પધારો....આપ જ્ઞાની છો. અમારી મોટી ભૂલ કે આપની ધરપકડ કરી...ભૂલચૂક લેવીદેવી.''

સિક્સર

- સાધુઓની સેક્સ-લીલાઓ ઉઘાડી પડયા પછી, ભક્તો આવતા ઓછા નહીં થાય ?
- જંગી સંખ્યામાં ભક્તો વધશે. એમને ય લાલચ રહે કે, વધ્યો-ઘટયો ''પ્રસાદ'' આપણને ય મળશે.

શું... ફાધર ખરેખર ગયા... ?

$
0
0
''શું... ફાધર ખરેખર ગયા... ? મારા તો માનવામાં જ નથી આવતું...!''

આ આપણો કૉમન સવાલ અને કૉમન આઘાત છે. જેના ફાધર- મધર ગયા હોય, એને ઘેર જઈને હુતુતુતુની ખો આલવાની હોય, એમ પાટે અડીને આ જ સવાલ એવા જ ચઢેલા શ્વાસે પૂછીએ છીએ, 'ફાધર... ખરેખર ગયા ?'

એક ખારી હિચકી આવી જાય આ સવાલનો જવાબ આપણે આપવાનો હોય તો ! દુનિયામાં આજ સુધી બધા ખરેખર જ જતા હોય છે, કોઈ હપ્તે- હપ્તે, રોકાઈ રોકાઈને કે જસ્ટ, બે ઘડી ગમ્મત ખાતર જતું નથી. આમાં તો ઇચ્છા ન હોય તો ય 'ખરેખર' જ જવું પડે છે. રીહર્સલો કરીને ઉપર જવાનું હોતું નથી અથવા તો ગયા ન હોઈએ તો ય બે આંખની શરમ રાખવા શોકાકુલ ખબરકાઢુઓને કહી દેવાતું નથી, ''આમ તો ફાધર ડીસેમ્બરમાં જવાના હતા, પણ પછી તમને ખરખરો કરવા આવવાનો ટાઇમ ન હોય, એટલે મેં'કુ... આયા છો તો ફાધરને પતાઈને જ જાઓ. બીજો ધક્કો નહિ.''

એમનો બીજો આઘાત, મરનારને ચિતા ઉપરથી બેઠો કરી નાંખે એવો આંચકાજનક છે કે, એમના તો હજી માનવામાં જ નથી આવતું ! કેમ જાણે આપણે એમને ફૅમિલી સાથે ઉલ્લુ બનાવવા ફાધરના ખોટા સમાચાર મોકલાવ્યા હોય ! હજી હમણાં જ ફાધર હરિશરણ થયા હોય, એટલે એમનું 'ડેથ-સર્ટિફિકેટ' આપણી પાસે ન હોય... બાજુવાળા કોકનું મંગાવીને બતાઈએ, તો એમના માનવામાં આવે !

તારી ભલી થાય ચમના... ફાધર તો બેઘડી આડા પડયા'તા ને અમે એમના બંધ નાકમાં બબ્બે ચમચા ઘી એમને એમ નથી રેડયું. ભૂલમાં ય ઊભા ન થઈ જાય, એટલે સફેદ ધોતિયામાં સૂથળી વડે એમને એમ આવા ટાઇટ નથી બાંધ્યા... ને છતાં ય તું પૂછશ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...?'' અમારે તો હજી બા ય જવાના બાકી છે... તારા માનવામાં આવે, એ માટે અમારે અને બાએ પણ જતા જતા શું કરવું એ કહેતો જજે, જેથી બીજા રાઉન્ડમાં તું આવે, ત્યારે આવું બોલે નહિ, ''અમારા તો હજી માનવામાં આવતું નથી...!'' હવે બહુ થયું ભ'ઇ... કોઈ પંખો ચાલુ કરો !

પણ પૂછનારમાં અક્કલ હોતી નથી. અક્કલ તો હશે, પણ આવડત અને અનુભવ હોતા નથી. બેસણામાં તો સમજ્યા કે, આપણે કાંઈ બોલવા કરવાનું હોતું નથી. સફેદ લેંઘો- ઝભ્ભો પહેરીને દુઃખે નહિ, ત્યાં સુધી પલાંઠો વાળીને બધાની વચ્ચે મોંઢું ઢીલું કરી મૅક્સિમમ ત્રણેક મિનિટ બેસવાનું હોય છે. એ વખતે મોબાઇલ નહિ ફેંદવાનો, મસાલો નહિ ખાવાનો કે, પેલા વિભાગમાં બેઠેલી મહિલાઓ તરફ છાનુમાનું જો જો નહિ કરવાનું ! ઊભા થતી વખતે એવું જ ઢીલું મોઢું રાખીને ચુપચાપ જતું રહેવાનું. જતા જતા, સ્વર્ગસ્થના ફોટા નીચે બેઠેલાને કહેવાનું નહિ કે, ''ચાલો ત્યારે ફરી મળીએ છીએ પાછા... બાય !''

વાંદરા, ફરી મળવાની લુખ્ખી બેસણામાં ન અલાય... ફોટા નીચે બેઠેલાને હૃદય રોગનો હુમલો આવી જાય !

નોર્મલી, કોકના બેસણામાં કે ૧૩મા સુધીમાં ઘેર ખરખરો કરવાનો જેને રોજનો અનુભવ હોય, એ લોકોને આવું બધું ફાવે. અનુભવને આધારે 'ફાધર ખરેખર ગયા ?' વાળો મામલો તો આ લોકો ચપટીમાં પતાઈ નાંખે છે, કે બીજો કોઈ કેસ હોય તો બોલો ! આપણે ત્યાં બેસણે બેસણે ઉપસ્થિત રહેતા બારમાસી શોકાકૂલોનો એક વર્ગ છે. એમને આવું બધું આવડે. ત્યાં ગયા પછી પલાંઠી કેવી રીતે વાળવી, ધોળા કપડાંઓમાંથી કોના ખભે હાથ મૂકવો, કોને, 'બહુ ખોટું થયું...' કહેવું ને કોને જરા ધીરજ રાખવાનું કહેવું, એ બધું એમને આવડે.

સાલી, આમાં ધીરજો શેની અને કોના માટે રાખવાની હોય ? ડોહા તો પત્યા.. જરા ધીરજ રાખો... ડોસી હાથવ્હેંતમાં જ છે ! એવી ધીરજો રાખવાની ?

બેસણું પતી ગયા પછી ૧૩ દિવસ સુધી તો શોક વ્યક્ત કરવા ઑફિશીયલી જઈ શકાય છે. પણ ત્યાં ગયા પછી હવા આપણી ટાઇટ થઈ જાય છે કે, બોલવું શું ? બેસવું કઈ પલાંઠીથી ! શું આવા કરુણ સંજોગોમાં એક પગ બીજા પગની ઉપર ચઢાવીને બેસી શકાય ? આજે તો માનવામાં નહિ આવે, પણ ૫૦'ની પહેલાના જમાનામાં આવી રીતે બેસવા ગયા હોઈએ ત્યારે બન્ને પગના પંજા ઉપર બેસીને બંને હાથ લમણે ટેકવીને બેસો, તો જ જેનો ડોહો ગયો છે, એને રાહત રહે કે, આને ય મારા ફાધરના જવાનો ઝટકો લાગ્યો છે. ભલે, હવે એ પદ્ધતિથી બેસવાનો જમાનો નથી, પણ શોક વ્યક્ત કરવા ઘરે જાઓ ત્યારે તીનપત્તી રમવા બેઠા હો, એવા ટેસથી બેસાતું નથી... 'લાઓ ત્યારે...કોઈ ડ્રિન્ક્સ- બ્રિન્ક્સ બનાઓ, યાર... આપણામાં સોડા નહિ !'

પણ આપણા જેવાને આવો શોક વ્યક્ત કરવા જવામાં સોલ્લિડ તકલીફ પડે છે. ઘણીવાર તો બફાઈ પણ જાય છે ને પૂછી બેસીએ છીએ, 'ગયા એ તમારા મધર હતા કે ફાધર ?'

મેં તો અનુભવના આધારે એ પણ નોંધ્યું છે કે, કરૂણ સમાચાર સાંભળીને આપણે તરત મરનારના ઘરે પહોંચીએ. આઘાત આપણને ય ખૂબ લાગ્યો હોય, પણ ત્યાં ગયા પછી આપણી નોટ છપાઈ જાય છે. ઘરમાં કોઈ ઉકલી ગયું છે, એનો એ લોકોને તો એવો કોઈ ઝાટકો લાગ્યો હોતો નથી. એમને માટે આ તો જાણે રોજનું થયું ! એ લોકો કરતા આપણા મોંઢા વધારે ઢીલા હોય ને સાચા ઢીલા હોય ! મરનાર સાથે આપણી લાગણી, સંબંધ અને અનુભવો યાદ કરીને 'આવો સરસ માણસ મરવો નહતો જોઈતો...!' એવી વેદના આપણને ત્યાં ગયા પછી કે પહેલા થતી હોય, એ પાછા આવીને આઘાતમાં ફેરવાઈ જાય. ઘરમાં બધા તદ્દન સ્વાભાવિકતાથી હરતા-ફરતા હોય... હજી ૧૨ કલાકે ય ના થયા હોય છતાં ! એક વાસ્તવિક હકીકત કહું કે, આવા એક ઘરે હું ને પત્ની ગયા ને ઘરના બધા ''રાજી થઈ ગયા''. હિંદુઓમાં આવા દુઃખદ પ્રસંગે કોઈને 'આવો' કે જતી વખતે 'આવજો' કહેવાતું નથી. ઇવન પાણી પણ ન મંગાય કે ન પીવડાવાય. આની પાછળ લૉજીક કે સાયન્સ- ફાયન્સ કાંઈ ન હોય, પણ મૃત્યુની એક અદબ હોય છે. સદ્ગતના જવાથી અમને બન્નેને ભારે સદમો પહોંચ્યો હતો, પણ એ લોકો બહુ સાહજિક હતા... એટલું જ નહિ, મરનારના દીકરાની વહુએ તો ફર્માઇશ પણ કરી કે, 'આહ.. દાદુ આવ્યા છે તો થોડું હસાવશે... તમારા લેખો તો કાયમ વાંચીએ છીએ...!'

એ સમજી શકાય કે, ઘરના લોકો રડે તો જ શોક થયો એવું નથી. વળી ખૂબ લાંબી બીમારી પછી ડોસી માંડ ઉકલી હોય, તો એમાં શોક કરવા જેવું ન હોય... આપણામાં ઘેર ઘેર બોલાતું વાક્ય છે, 'આમ તો છૂટી ગયા બિચારા... !'

પણ મારી પત્નીએ તો સાચ્ચે જ જેને ગહેરો આઘાત લાગ્યો હતો ને જે ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી, એ મરનારની દીકરીને અજાણતામાં હસાવી દીધી હતી. પત્ની પેલીને સાંત્વન આપતા આપતા બરડા ઉપર હાથ ફેરવતી હતી, એમાં પેલીને મજા પડવા માંડી. આને એમ કે હું દિલાસો દઈ રહી છું પણ પેલીને ગલીપચી થતી હતી... સાલો આખો માહૌલ ફરી ગયો. પેલીએ હસવાનું શરુ કર્યું ને... બસ !

સિક્સર
ભારતવાસીઓને સલાહ : લાંચ લેવાનું બંધ કરો. આપણી કોંગ્રેસને ધંધામાં હરિફાઇ નથી ગમતી !

દિલ્લગી (૪૯)

$
0
0
ફિલ્મ : 'દિલ્લગી' ('૪૯)
નિર્માતા-દિગ્દર્શક : એ.આર.કારદાર
સંગીત : નૌશાદઅલી
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૩-રીલ્સ
થીયેટર : ? (અમદાવાદ)
કલાકારો : સુરૈયા, શ્યામ, શામકુમાર, અમીરબાનો, આગા મેહરાજ,ગુલામ હસન, બેબી શ્યામા, ગુલઝાર, ચંદાબાઇ અને અમર.





ગીતો
૧. મુરલીવાલે મુરલી બજા, સુન સુન મુરલી કો નાચે જીયા.....સુરૈયા
૨. લે કે દિલ, ચુપકે સે ક્યા મજબૂર હૈ.... સુરૈયા
૩. મેરી પ્યારી પતંગ, ચલી બાદલ કે સંગ..... ઉમા દેવી-શમશાદ
૪. દુનિયા ક્યા જાને મેરા અફસાના, ક્યું ગાયે દિલ ઉલ્ફત કા તરાના....સુરૈયા
૫. તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, નહિ દિલ કા લગાના કોઇ.....સુરૈયા-શ્યામ
૬. તેરા ખયાલ દિલ સે ભૂલાયા ન જાયેગા......સુરૈયા
૭. ચાર દિન કી ચાંદની, ફિર અંધેરી રાત હૈ.....સુરૈયા
૮. નિરાલા મુહબ્બત કા દસ્તુર દેખા, વફા કરનેવાલો કો મજબૂર દેખા....સુરૈયા
૯. જાલીમ જમાના મુઝ કો તુમ સે છુડા રહા હૈ.....સુરૈયા-શ્યામ
૧૦. તેરે કૂચે મેં અરમાનો કી દુનિયા લે કે આયા હૂં.... મુહમ્મદ રફી
૧૧. ઇસ દુનિયા મેં અય દિલવાલો, દિલ કા લગાના ખેલ નહિ....મુહમ્મદ રફી

ઇંગ્લિશમાં વાંચતા એટલું જ આવડે કે, ફિલ્મ શરૂ થતા પહેલા સેન્સર સર્ટિફિકેટ બતાવે, એના જમણા ખૂણામાં નીચે ૧૬, ૧૭ કે જેટલી લંબાઇની ફિલ્મ હોય, એટલા રીલ્સ લખ્યા હોય. એ સર્ટિફિકેટ દર્શાવાતા જ સિનેમામાં બેઠેલા ઇંગ્લિશ જાણનારાઓ એક સાથે મોટેથી વાંચે, ''સતરાઆઆઆ....હ.''આમ બોલવાથી બાજુવાળા ઉપર છાપ સારી પડતી કે, આને ઇંગ્લિશ આવડે છે, હો. ! એમાં ય, સમજ એવી કે, જેટલા રીલ્સ વધારે હોય, એટલા પૈસા વસૂલ ! 'સંગમ'કે 'મુગલ-એ-આઝમ'જેવી ફિલ્મો ૨૦-૨૨ રીલ્સની બની હતી, એમાં પબ્લિક ખુશ ! 'બો'ત પૈસા ખર્ચેલા હે, ભાઇ...ઉન્નીસ ભાગ કી હૈ...!''

એ હિસાબે '૪૯-ની સાલમાં આ ફિલ્મ 'દિલ્લગી'ના માત્ર ૧૩- જ રીલ્સ વાંચીને પ્રજાના પૈસા પડી ગયા હશે ! ઘણાને આજે ૬૪-વર્ષ પહેલાની આ ફિલ્મ જોયા પછી એના ૧૩ રીલ્સ ૧૩૦૦ જેટલા લાગ્યા. ફિલ્મ અબ્દુર રશિદ કારદારે બનાવી હોય, એટલે જાણતા તો સહુ હોય કે, ફિલ્મમાં કોઇ ઢંગધડા ના હોય ! તદ્દન ફાલતુ ફિલ્મો બનાવવા ઉપર એમનો જંગી હાથ બેસી ગયો હતો. તમે માની ન શકો, એવી વાહિયાત ફિલ્મો કારદાર બનાવી શકતા, એ આંચકો નથી, પણ એવી ફિલ્મો ય ટિકીટબારી ઉપર છલકાઇ ઉઠતી, એનો આંચકો છે...

....અને એ છલકાવાનું કારણ કારદાર કે એમની ફિલ્મો...? માય ફૂટ...! અમારા ખાડીયાની લિંગોમાં કહીએ તો કારદારના નામના કોઇ ચણા ય ના આલે...!' બસ, એક કામ કારદારે ઘણું ઊંચા ગજાંનું કર્યું હતું...એકાદ-બે અપવાદોને બાદ કરતા પોતે બનાવેલી તમામ ફિલ્મોનું સંગીત ધી ગ્રેટ નૌશાદ સા'બને સોંપવાનું કામ ! અને નૌશાદ અને શંકર-જયકિશનને બાદ કરતા બીજું કોઇ ગ્રેટ હતું પણ કોણ ? અફ કોર્સ, કોઇ નહિ ! આ બન્નેને બાદ કરતાં બાકીના મારા-તમારા તમામ ફેવરિટ સંગીતકારો આ બન્નેની તોલે નહિ આવે. (આ બન્નેનો વધારાનો એક આભાર તો એટલે ય માનવાનો કે, બન્ને માટે લતા-રફી પહેલા ખોળાના હતા. લતા-રફીના સર્વોત્તમ ગીતો આ બન્ને જોડીએ આપ્યા છે. નૌશાદે આ ફિલ્મ 'દિલ્લગી'માં કમાલો કરી છે સુરૈયા પાસે નયનછલક ગીતો ગવડાવીને. સુરૈયા છવાઇ ગઇ હતી. 'દિલ્લગી'ની હીરોઇન કે ગાયિકા-બન્ને મેદાનોમાં. અને રફી સાહેબના ચાહકોને બે મસ્તધુરા કેવા ગીતો નૌશાદે બનાવી નાંખ્યા હતા ! કોઇ તો ગાઇ જુઓ જરા...મને ફાવે એવા નથી !!!

''દિલ્લગી''નામની આ પહેલી ફિલ્મ 'દિલ્લગી'૧૯૪૯માં આવી. એ પહેલા ૧૯૪૨માં ય આપણા એક ગુજરાતી બળવંત ભટ્ટે 'દિલ્લગી'બનાવી હતી. જેની હીરોઇન હતી હંસા વાડકર. આ હંસા એટલે વ્હી.શાંતારામની એક સમયની પ્રેમિકા. શાંતારામને ખુલ્લા પાડવા હંસા વાડકરે આત્મકથા લખી અને અમોલ પાલેકર-સ્મિતા પાટીલ અભિનીત ફિલ્મ 'ભૂમિકા'બની. '૪૨-વાળી 'દિલ્લગી'નો હીરો કુમાર હતો, જે 'મુગલ-એ-આઝમ'માં ફાંસીએ ચઢતા સલીમ માટે રફીના સ્વરમાં 'અય મુહબ્બત ઝીંદાબાદ' ગાય છે. આ ફિલ્મમાં આગા પણ હતો. ત્રીજી ફિલ્મ 'દિલ્લગી' માલા સિન્હા અને સંજય ખાનની આવી. લક્ષ્મી-પ્યારેના મધુર સંગીતમાં આ 'દિલ્લગી' જ્હોની વોકરે પોતે પ્રોડયુસ કરી હતી. લતા-મૂકેશનું એક ગીત મૂકેશના ચાહકોને યાદ હશે, 'હમ જી લેંગે બીન તુમ્હારે, તુમ ફિર યે કભી ન કહેના, તુમ મેરી જીંદગી હો..'

ચોથી 'દિલ્લગી'ધર્મેન્દ્ર-હેમા માલિનીની હતી, જેમાં લતાનું ખૂબ્બ મીઠું ગીત હતું, 'મૈં કૌન સા ગીત સુનાઉ ક્યા ગાઉ...'છવાઇ-ઉવાઉ કરતી અને છવાઇ જશે એવી મીઠી લાગતી બંગાળની એક હીરોઇન ' મીઠુ મુકર્જી' આ ફિલ્મમાં આવ્યા પછી ખોવાઇ ગઇ. પાંચમી 'દિલ્લગી' ધર્મેન્દ્રએ પોતાના છોકરાઓને ઊંચે લાવવા બનાવી હતી- ઉર્મિલા માતોંડકરને લઇને... ધરમો તો કારદાર કરતા ય વધુ ફાલતુ ફિલ્મો બનાવી શકે છે, એ આપણે ક્યાં નથી જાણતા ? સુરત-વડોદરાના ફિલ્મી ચાહક શ્રી ભરત દવે માર્કેટમાં કોઇ પણ જૂની ફિલ્મ આવે, એટલે ગમે એટલા પૈસા ખર્ચીને એ ડીવીડી લઇ આવે જ. બહુ મોટું કલેકશન છે એમની પાસે. મને એમણે આ ચારે ય 'દિલ્લગી'ની ભેગી બહાર પડેલી ડીવીડી મોકલી. હવે આપણી આજની 'દિલ્લગી'ની વાત કરવી જ હોય તો હું તૈયાર છું. નાનકડા ગામમાં સુરૈયા એના વિધૂર પિતા અને મામુ સાથે રહે છે. કામકાજ કાંઇ નહિ કરતા રખડુ દિયર (શ્યામ)ને એની નાલાયક ભાભી (અમીરબાનુ) કાઢી મૂકે છે. રસ્તામાં સૂરૈયા મળી જતા, બન્ને પ્રેમમાં પડે છે. સુરૈયાનો મામુ (અમર) વિલન હોવાથી સંબંધ તોડવા આમાદા બને છે, ને હીરો શ્યામને બદલે વિલન શામ (કુમાર) સાથે જબરદસ્તી પરણાવી દે છે, જેથી રોજ રાત્રે એકલી પડે ત્યારે સુરૈયા કરૂણ ગીતો ગાઇ શકે. પતિનું ઘર છોડીને ભાગી ગયેલી સુરૈયા પ્રેમી શ્યામને મળવા જાય છે, એ ત્યાં મરેલો પડેલો હોય છે, એ જોઇને લેવા-દેવા વગરની એ ય ગૂજરી જાય છે. સુરૈયા જમાલ શેખ (૧૫ જૂન, ૧૯૨૯- ૩૧ જાન્યુ. ૨૦૦૪)મતલબ, સુરૈયા લતા મંગેશકર કરતા એક્ઝેક્ટ ૧૦૫ દિવસ મોટી. લતા ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૯. હાલમાં મુંબઇનાં ફોર્ટ વિસ્તારમાં ન્યૂ ગર્લ્સ સ્કૂલ તરીકે ઓળખાતી ને એ જમાનાની ન્યૂ પેટીટ હાઇસ્કૂલમાં સૂરૈયા ભણી હતી. ઉર્દુ ઉપરાંત એ ફાંફડું ગુજરાતી અને ઇંગ્લિશ બોલતી હતી. એણે તો પર્શીયન ભાષાનું ઇસ્લામનું ધાર્મિક શિક્ષણ પણ લીધું હતું.

ઓલ ઇન્ડિયા રેડિયો પરથી પ્રસારિત થયેલા બાળકાર્યક્રમમાં નૌશાદે સુરૈયાને પહેલી વાર સાંભળી અને બોલાવી લીધી. (બહુ ઓછાને ખબર હશે કે, દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કુમાર પણ ''બાલ-કલાકારો'' જ હતા...એ ત્રણે ય ના શરીર ઉપર રીંછ જેટલા 'બાલ' હતા, માટે !) ફિલ્મ 'શારદા'માં એને પહેલું ગીત આપ્યું. નૌશાદ અલીએ સુરૈયા પાસે ૫૧- ગીતો ગવડાવ્યા હતા. પહેલા નંબરે સંગીતકારો હુસ્નલાલ-ભગતરામ હતા.

દેવ આનંદ સાથે સુરૈયાની સાત ફિલ્મો આવી- વિદ્યા ('૪૮), જીત ('૪૯), શાયર ('૪૯) અફસર ('૫૦), નીલી ('૫૦), દો સિતારે ('૫૧) અને સનમ ('૫૧).

દેવ આનંદે પોતે કબુલ્યા મુજબ, એ બન્ને પ્રેમમાં પડયા ત્યારે સુરૈયા અનેકગણી મોટી સ્ટાર હતી. દેવ આનંદને માંડ કોઇ ઓળખતું હતું. બસ. દેવ આનંદના સંસ્કાર, શિક્ષણ અને મેનર્સને કારણે એ પ્રેમમાં પડી. રેડીયો સીલોનના પૂર્વ ઉદ્ઘોષક ગોપાલ શર્માને આપેલા અંગત ઇન્ટરવ્યૂમાં સુરૈયાએ દેવ સાથે લગ્ન નહિ થવાના કારણમાં દિલીપ કુમારનાં કાવતરાં હતા, એવું બિનધાસ્ત જણાવ્યું હતું. મુસલમાન યુવતી (અને એ ય સુરૈયા જેવી નામવર હસ્તિ !) એક હિંદુને પરણે એ તો કેમ ચલાવી લેવાય ? દિલીપે કે.આસીફ, મેહબૂબખાન, કારદાર અને નૌશાદને ઉશ્કેર્યા... ખૂબ ઉશ્કેર્યા. પણ એક માત્ર નૌશાદને બાદ કરતા આ ટુકડીને હર કોઇ દેવ આનંદની વિરૂધ્ધ થઇ ગયું. સુરૈયાએ અક્ષરસઃ દિલીપ માટે આટલું કહ્યું હતું. Dev was a decent man... Dilip wasn't! જો કે, દેવ અને સુરૈયાની ગુપ્ત મુલાકાતોને છાની રાખવામાં કામિની કૌશલ અને દુર્ગા ખોટે, પોતાના માટે બહુ મોટા જોખમો લઇને પણ પેલા બન્નેને મળવાના સ્થળોની ગોઠવણો કરી આપતા હતા. અલબત્ત, સંઘ કાશીએ ન પહોચ્યો. પેલી ટોળકીએ છેવટે ઇસ્લામના નામ પર સુરૈયાની નાનીને ખૂબ ઉશ્કેરી, એમાં બન્નેના લગ્ન કરાવી આપવાની વાત તો દૂર રહી, નાનીએ તો, દેવ આનંદે સુરૈયાને એ જમાનામાં રૂ. ૩,૦૦૦/-માં ખરીદેલી ડાયમન્ડ વીંટી દરિયામાં ફેંકી દીધી.... દેવ આનંદ ઉચકાયો નહિ હોય...! ફિલ્મનો હીરો શ્યામ પણ સુરૈયાની જેમ પાકિસ્તાનમાં જન્મ્યો હતો. એનું અસલ નામ, 'સુંદર શ્યામ ચઢ્ઢા'. દેખાવડો તો ખૂબ હતો પણ દેખાવમાં એ આપણા વિલન સજ્જન જેવો દેખાતો. હિંદી ફિલ્મોની આદર પાત્ર ડાન્સર-એક્ટ્રેસ હેલનની જે પહેલી ફિલ્મ હતી, એ આ શ્યામની છેલ્લી ફિલ્મ બની, 'શબિસ્તાન', (જે અમદાવાદની અશોક ટોકીઝમાં આવ્યું હતું) આ જ ફિલ્મના શૂટિંગ દરમ્યાન શ્યામ ઘોડા ઉપરથી પડી ગયા પછી ઘોડાએ પાછલા પગે નિઃસહાય શ્યામને લાતો મારીમારીને મારી નાંખ્યો. (કહે છે કે એ સમયે હિંદી ફિલ્મોની પરણેલી ઘણી હીરોઇનો એ ઘોડાને બ્લેકમાં ય ખરીદવા તૈયાર હતી !) જો કે, હવા એવી પણ ચાલી હતી કે, શ્યામના મૃત્યુને આ રીતે એક્સીડેન્ટમાં ખપાવીને મોટી રમત રમાઇ હતી. એના જ કોઇ હરિફે 'મોતી'નામના સફેદ ઘોડાને પુષ્કળ પ્રમાણમાં દારૂ પીવડાવ્યો હતો. એમાં શ્યામ બેસતા જ ઘોડો કાબુ બહારનો થઇ ગયો હતો.

શ્યામ એક મુસલમાન યુવતી મુમતાઝ કુરેશીને પરણ્યો હતો. હાલના પાકિસ્તાનની ટીવી-ચેનલો ઉપર ધૂમ મચાવતી એન્કર સાયરા કાઝમી આ શ્યામની સુપુત્રી થાય. જે રાહત કાઝમીને પરણી છે. શ્યામે હિંદુ ધર્મ છોડયો ન હતો, પણ એના અવસાન પછી એની પત્ની મુમતાઝ કુરેશી અન્સારી નામના એક પાકિસ્તાનીને પરણી, એટલે સંતાનો મુસલમાન થયા. અલબત્ત, મુમતાઝ કુરેશી એ પછી લંડનમાં સેટલ તો થઇ, પણ ત્યાં કોકની સાથે લફરૂં કર્યું, એમાં કોઇએ લંડનના ભરબજારમાં એની ગોળી મારીને હત્યા કરી નાંખી. શ્યામ પોતે સ્ત્રીઓનો ભારે શોખિન હતો. એના આડસંબંધો ભારતથી માંડીને પાકિસ્તાન સુધી વિસ્તર્યા હતા. શ્યામ સ્ત્રીઓનો શોખિન હોવાનું ગળે ઉતરે એવું બીજું કારણ બે વિશ્વવિખ્યાત લેખકો સઆદત હસન મન્ટો અને કૃષ્ણચંદર શ્યામના ખૂબ નજીકના દોસ્તો હતા, એ નહિ હોય ?? મન્ટો અને શ્યામ તો એક જ રૂમમાં ભાડે રહેતા હતા. મન્ટોની ઘણી વાર્તા કેવળ શ્યામને ધ્યાનમાં રાખીને લખાઇ હતી. આ બન્ને લેખકો ય પૂરા લફરેબાજ હતા! શ્યામ ખૂબ હેન્ડસમ હીરો હતો, પણ ફિલ્મ 'જ્હોની મેરા નામ'માં પૈસા ભી જાયેગા, ઔર સોના ભી જાયેગા'ની દાદાગીરી પછી ફાયર પ્લેસ પાસે દેવ આનંદના હાથે માર ખાતો વિલન 'શ્યામકુમાર' પાછો જુદો. આ શ્યામકુમારે જ આ ફિલ્મનું 'તુ મેરા ચાંદ મૈં તેરી ચાંદની'સુરૈયા સાથે ગાયું હતું.બિયરના પીપડાં જેવી પહોળી છાતી ધરાવતા શામકુમારનું સાચું નામ 'સઇદ ગુલ હમીદ'હતું. ફિરોઝખાને મુમતાઝવાળી ફિલ્મ 'અપરાધ'માં આ શ્યામકુમારને કંઇક કરી બતાવવાનો ચાન્સ આપ્યો હતો અને શામકુમારે ફિરોઝનો વિશ્વાસ તોડયો નહતો. ફિલ્મ 'દિલ્લગી'નો આપણા માટેનો ઉત્તમ હિસ્સો ફક્ત નૌશાદના મધુર ગીતોનો કહેવાય, એમાં ય સુરૈયા તો હતી જ એમની લાડકી, એટલે અથવા તો એમની હરએક ફિલ્મમાં ઉત્તમ સંગીત આપવાની જ દાનતને કારણે 'દિલ્લગી'ના તમામ ગીતો મુલ્ક મશહૂર થયા હતા. અલબત્ત, એક જમાનામાં મુહમ્મદ રફી એમના મોટા ભાઇ હમીદ રફી સાથે નૌશાદને મળવા, નૌશાદના પિતાની ચિઠ્ઠી લઇને આવ્યા, એ પછી નૌશાદે રફીને ચાન્સ આપ્યો, એવું નૌશાદ ફૌજી ભાઇયો કા જયમાલા કાર્યક્રમમાં કહીને, રફીના આ ફિલ્મના બહુ ઓછા જાણિતા છતાં રફીના ચાહકોને પાગલ-પાગલ કરી મૂકે એવા બે ગીતો, 'ઇસ દુનિયા મેં અય દિલવાલો, દિલ કા લગાના ખેલ નહિ...'અને 'તેરે કૂચે મેં અરમાનો કી દુનિયા લે કે આયા હૂં...'સંભળાવ્યા હતા. આમ તો સગપણમાં મજરૂહ સુલતાનપુરી નૌશાદના વેવાઇ થાય, પણ નૌશાદને શબ્દની સમજ ખરી, એટલે ગીતકાર તરીકે કોને લેવાય, એના કરતા કોને ન લેવાય, એની પાક્કી સમજ. પરિણામે શરૂઆતમાં ફિલ્મ 'અંદાઝ'માં એકવાર ભૂલ કર્યા પછી એની એ જ ભૂલ દાયકાઓ પછી વૈજ્યંતિમાલા-રાજેન્દ્ર કુમારની ફિલ્મ 'સાથી'માં દોહરાવીને મજરૂહ પાસે ગીતો લખાવ્યા. પણ શબ્દના અસલી મોરને પારખવાની નૌશાદમાં અક્કલ હતી, એટલે જીવનભર-શક્ય હોય ત્યાં સુધી એમણે પોતાની ઓલમોસ્ટ બધી ફિલ્મોના ગીતો શકીલ બદાયૂની પાસે લખાવ્યા. અલબત્ત, આખી ફિલ્મોના શુટિંગ માંડ કોઇ દસ-બાર દિવસમાં...સોરી, રાતમાં પતી ગયું હશે. એ સમયે દિવસની શિફ્ટમાં કામ કરનારો કોઇ કલાકાર નહિ મળ્યો હોય, એટલે ફિલ્મમાં જરૂરત હોય કે ન હોય કારદારે આખી ફિલ્મ રાતના દ્રષ્યોવાળી જ બનાવી છે ને એમાં ય, એક વાર કેમેરા શરૂ થયો, એટલે હીરો-હીરોઇન થાકે ત્યારે જ શોટ પૂરો થયેલો સમજવાનો. 'તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની, હોઓઓઓ...'બસ કોઇ ૩-૪ સળંગ શોટમાં પૂરૂં થયું છે.

એ ખબર ન પડી કે, આ દિલોજાન ગીત બે ભાગમાં છે, તો શ્યામની સાથે બીજા ભાગમાં કઇ ગાયિકાએ ગાયું છે, તેની કદાચ કોઇને ખબર નથી !

ઍનકાઉન્ટર 28-07-2013

$
0
0
* સરદાર પટેલનો સ્વર્ગવાસ થયો ત્યારે બચેલી મિલકતમાં રૂ. ૭૦૦/-, એક પૅન અને પહેરવાનું જાકીટ હતા.આજના નેતા માટે આવું કહી શકાય ?
- સરદારની આ બધી ચીજો આ નેતાઓના ઘરમાંથી નીકળે !
(વિજય રમણભાઈ પટેલ, અમદાવાદ)

* ટીવીમાં જાહેરાત હતી, 'ફિર સુબહ હોગી', આજ રાત નૌ બજે.'
- વચમાં જાહેરખબરોને કારણે રાત્રે ૯ વાગે શરૂ થયેલી ફિલ્મ સવારે ૯ સુધીમાં પૂરી થતી હોય છે.
(ભૈરવી અંજારીયા, રાજકોટ)

* વેચેલો માલ પાછો લેવામાં આવશે નહિ. આ પ્રથા લગ્નમાં કેમ નહિ ?
- કન્યાના પિતાના ઘેર મોટા ગોડાઉનની સગવડ ન હોય માટે !
(ભારતી કાચા, મોરબી)

* હું જેને ચાહતો હતો, એને મેળવીને જ જંપ્યો. આપનું કેવું છે ?
- હું તમારા જેટલો બદનસીબ નથી.
(મહેશ નારણભાઈ, અમદાવાદ)

* ઘણી હીરોઈનો પરિણિત હીરોને જ કેમ પરણે છે ?
- ઍપ્રેન્ટીસ કરતા અનુભવી મૂરતીયો સારો.
(શમીમ ઉસ્માની, મુંબઈ)

* તમારો મનપસંદ પોશાક ક્યો ? જીન્સ પહેરો છો ?
- હા. જીન્સની ઉપરે ય કાંઈક પહેરવું પડે !
(જયેશ અંતાણી, ભાવનગર)

* શાહરૂખ ખાન અમિતાભ બચ્ચનની તોલે આવી શકે ?
- સવાલ પૂછવામાં તમારે અમિતાભનું નામ પહેલા મૂકવું જોઈએ.
(રશ્મિ સુખિયાણી, અમદાવાદ)

* ગાંધીજી જીવિત હોત તો શું બોલતા હોત ?
- 'હે રામ'.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* ધર્મના ઠેકેદારો અને રાજકારણીઓ પ્રજાને લૂંટે છે. કોઈ ઉપાય ?
- થોડા વખતમાં હું સાધુ બની જવાનો છું, આખિર... મુઝે ભી સબ કુછ ચાહિયે, જે મને નેતાઓ આપશે.
(યુસુફ માકડા, દામનગર)

* પંખા ચાલુ હોવા છતાં વધારે ગરમી 'બુધવારનું બપોરે' જ લાગવાનું કોઈ કારણ ?
- હા, હમણાં મને ય બહુ ગરમી ચઢી ગઈ છે...!
(મયંક સુથાર, નાની નરોલી. જી. સુરત)

* જર, જમીન ને જોરૂ-ની કહેવતમાં જમાઈને પણ જોડી દેવા ન જોઈએ ?
- તમે જોડો. અમે તો અમારા જમાઈથી ખુશ છીએ.
(પ્રફુલ્લ હરિયાણી, તાલાલા-ગીર)

* સાસરામાં બે દહાડા સ્વર્ગ જેવું લાગે... પછી ?
- સ્વર્ગવાસી જેવું.
(રમેશ વી. મોદી, ઈટાદરા- ગાંધીનગર)

* નિઃસ્વાર્થ સેવામાં જ સ્વાર્થ સમાયેલો છે... સાચું ?
- હોઓ..વે !
(હેમાંગ પ્રફુલ્લચંદ્ર વ્યાસ, પેટલાદ)

* મારા ગોરધન ધૂમ્રપાન બહુ કરે છે. કેમ સમજાવું ?
- એને દારૂ ઉપર ચડાવી દો. કાચી સેકંડમાં સીધા થઈ જશે... હઓ!
(સુમન વડુકૂળ, રાજકોટ)

* રાજેશ ખન્નાના ગયા પછી તમને શાંતિ હશે ને ?
- ના. અમારી કામવાળીનું નામ તો 'ગોદાવરી' છે !
(નૂતન એમ. ભટ્ટ, સુરત)

* માં-બાપની ભાવનાઓ ન સમજતા સંતાનો સાથે કેવો વ્યવહાર કરવો ?
- રાહુલ-સોનિયા જેવો.
(મણીસિંહ દરબાર, સુરત)

* ગુજરાતમાં હજી સુધી મહિલા મુખ્યમંત્રી કેમ નહિ ?
- અગાઉના ઘણાં મુખ્યમંત્રીઓ મહિલા જેવા હતા !
(ઝુબૈદા પૂનાવાલા, કડી)

* ભારતની વર્તમાન સ્થિતિ જોતા કલામનું 'વિઝન-૨૦૨૦' સફળ થશે ખરૂં ?
- કલામ કોણ હતું. એની ખબર પડે તો કદાચ થાય !
(સરોજ બી. સલાડ, કુકરાસ-વેરાવળ)

* કોની ભક્તિ કરવી વધુ ઈચ્છનીય ? માં-બાપ, ગુરૂ કે પરમેશ્વર ?
- પોતાને ઓળખી શકાય તો બીજાની ભક્તિ કરવાની જરૂર નહિ પડે !
(શીતલ શાહ, પાલનપુર)

* હાર્ટ-ઍટેક પુરૂષો કરતા સ્ત્રીઓને કેમ ઓછા આવે છે ?
- સ્ત્રીઓને બ્રેઈન-ઍટેક વધુ આવે !
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* સુખી દાંપત્ય જીવન કોને કહેવાય ?
- આવું પૂછવાની જરૂર ન પડે, એને !
(ઈશ્વર બી. પરમાર, અમદાવાદ)

* ધર્મ ધંધો કરે એ સારૂં કે ધંધામાં ધર્મ હોય એ સારૂં ?
- કોઈકે પાકે પાયે કરી નાંખ્યું લાગે છે તમારૂં...! હેં ને...??
(દિનેશ જોશી, દહીંસર)

* 'ઍનકાઉન્ટર' માટે તમને સરકાર તરફથી કોઈ ઍવોર્ડ કેમ નથી મળ્યો ?
- એ લોકો 'ઍનકાઉન્ટર'ને ધાર્મિક કૉલમ ગણે છે.
(રજાહુસેન બચુભાઈ, મહુવા)

* મારા હમણાં જ લગ્ન થયા છે. આપની સલાહ લેવી છે. મારે વહુઘેલો ગોરધન થવું કે માવડીયો ?
- તમને શું ફરક પડે છે હવે ? બન્ને અવસ્થામાં તમારે તો કોઈ બુદ્ધિ વાપરવાની નથી !
(યોગેન્દ્ર જોશી, અમદાવાદ)

* ગુજરાતના 'નંબર વન' હાસ્યલેખક હોવાનું કેવું ગૌરવ અનુભવો છો ?
- ગૂડ જૉક.
(નિશી જે. પટેલ, મુંબઈ)

મેહમાં જો હમારા હોતા હૈ...

$
0
0
આવું કંઇ થાય. એટલે અમારી ગુપચુપ મીટિંગ કિચનમાં ભરાય. મેહમાનને ખબર ન પડે એમ કોઇ ને કોઇ બહાનું કાઢીને બધા કિચનમાં આવવા માંડે. આમાં 'આવું કંઇ' એટલે બીજું કંઇ નહિ, પણ મેહમાનો ઊભા થવાનું નામ લેતા ન હોય ને અમે રાહો જોઇજોઇને અધમૂવા થઇ ગયા હોઇએ કે, હવે આ ઊભા થાય તો સારૂં. એટલે એમને કેવી રીતે કાઢવા, એના પ્લાનો કરવા અમે કિચનમાં આવી જઇએ. આજના કૅસમાં તો, મેહમાનોનો બીજો લૉટ તરત આવવાનો હતો. બંને પાર્ટીને પાછી ભેગી કરાય એમ નહોતું. આ ઊભા થાય તો ખબર પડે કે શું કરવું !

અમારૂં ફૅમિલી ટૅન્શનમાં. આ લોકોને ઊભા કરવા કેવી રીતે ? એવું નથી કે, આવ્યા હોય એ ગમ્યું ન હોય....બધું ય ગમ્યું હોય, પણ એ લોકોએ પણ સમજીને ઊભા તો થવું જોઇએ ને ? ઘણાં લૉકલ મેહમાનો એવી રીતે બેઠા હોય છે કે, મૂંઝાઇ આપણે જઇએ કે, ઊભા એમને થવાનું છે કે આપણે ?

વાઇફ ગુસ્સાવાળી તો ખરી. હવે તો મારા સિવાય પણ ગુસ્સો કરતી થઇ છે, બોલો ! આ પબ્લિક ઊભી થતી નહોતી અને એમના પાળીયા અમારા ડ્રૉઇંગરૂમમાં બનાવવાના હોય, એવી ખીજાઇ.

'અશોક.....હવે હું અકળાણી છું, બરોબરની અકળાણી છું... આપણે બીજા કોઇ ધંધાધાપા હોય કે નંઇ...? આ લોકું તો ઊભા જ નથી થાતાં, લે !' (અમારા સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વાક્યો 'લે' થી પૂરા થતા હોય, 'ઓલી પૂર્ણિમા તો પરેશીયા હારે ભાગી ગઇ...લે!' ગુજરાત બાજુના લોકો આમાં કાંઇ ન સમજે કે, એ બોલી રહે પછી કંઇક 'લેવાની' ઑફર કરે છે, એ શું લેવાનું હશે ?)

મૉમની અકળામણ સાંભળીને અમારો સુપુત્ર બોલ્યો, 'મૉમ, બીજી વાર આ લોકોને બોલાવવાના જ નહિ...યૂ નો...ધે આર ન્યુસન્સ..'

''બટા, ઈ લોકો કોઇના બી સન્સ હોય... ઈ એમના ફાધરૂંને જોવાનું... ન્યૂ હોય કે ઑલ્ડ સન્સું હોય, ભલે રિયા પણ આ અઢ્ઢી કલાકથી આપણા ઘરમાં ગુડાણા છે, તી ઊભા થાસે કે નંઇ...?'

મારા ડ્રૉઇંગ રૂમમાં બેઠેલી પબ્લિકમાં, ફરસુભ'ઇ બેઠી દડીના ગોળમટોળ શખ્સ હતા. વિકાસ દસે દિશાઓથી થવો જોઇતો હતો ને એમ જ થયું. જેમ કે, સબ્જીની ગ્રેવીમાં આંગળી વડે ઊભેલું ટમેટું દબાવો ને સપાટી એક થઇ જાય એમ ફરસુભ'ઇનો ખભો અને માથું એકબીજામાં સમાઇ ગયા હતા, એટલે આકાર અર્ધગોળ થતો હતો. શરીરના પેલી બાજુના જીલ્લામાં પણ આ જ પ્રમાણભાન જળવાયું હતું. ફરસુભ'ઇના દાંતમાં સિસમનું વૅલ્ડિંગ કરાવ્યું હશે એટલે એ બોલે ત્યારે હવાનો સિસકારો પહેલા નીકળતો અને અવાજ પછી ! કેટલીક પુરાતન ઈમારતો પૂર્ણપણે જમીનદોસ્ત થઇ ગયા પછી, તેના કેટલાક અવશેષો આઇધર બહાર આવું-આવું કરે ઑર...જમીનમાં અંદર જઉં-જઉં કરતા દેખાય, એમ એક જમાનામાં ફરસુભ'ઇએ કદાચ મૂછો રાખી હશે, પણ આજે ત્યાં ૮-૧૦ કીડીઓ ચોંટી હોય, એટલો જ માલ બચ્યો હતો. આનાથી એટલું તો સાબિત થાય કે, આ માણસ અભિમાની નહિ હોય....વાતવાતમાં મૂછ મરડવાનો સવાલ જ ઊભો થતો નથી ને ! બે-ચાર કીડીઓમાં શું મસળે ? આ તો એક વાત થાય છે !

ફરસુભ'ઇની વાઇફ - ચારૂલતા - એમનાથી નહિ નહિ તો ય દસેક ઈંચ ઊંચી હશે. જો કે....ફરસુભ'ઇ જે હાઈટ વાપરતા હતા, એ જોયા પછી તો સાયકલમાં હવા ભરવાનો પંપે ય લાંબો લાગે ! ચારૂલતા લાંબી ચોક્કસ હતી પણ દરેકને પોતાની વાઇફ કરતા એ વધારે સુંદર લાગે એવી હતી. સાલું, આનું નક્કી થયું, ત્યારે આપણે ક્યાં હતા, એવા અફસોસો રોજ રાત્રે સુતા પહેલા, સુતા પછી અને ગમ્મે તે પ્રવૃત્તિ વખતે થાય ! આવો પ્રોજૅક્ટ હસ્તગત કરી લેવા બદલ, અઢી ફૂટીયા ફરસુને હજી દસે દિશાઓથી દસ-બાર ઈંચ દબાવી દબાવીને ગચ્ચું બનાવી દેવાના ઝનૂનો ઉપડે. (અત્યાર સુધીના લેખમાં જ્યાં જ્યાં 'ફરસુભ'ઇ' લખાયું છે, ત્યાં ફકત 'ફરસુડો' વાંચવું : સૂચના પૂરી)

આ લોકો ઊભા થાય તો નિરાંત, એ બધી અસંસ્કારી વાતો ઘરમાં મારા સિવાય બધા કરતા હતા, હું નહિ. મારે તો, બોલવા પૂરતું જ હૈસો-હૈસો કરવાનું....બધાની ભેળા ભેળા ધક્કો મારવામાં જોર આપણે નહિ વાપરવું ! આ તો વળી માં-બાપના સંસ્કારો સારા એટલે લત્તી (....અમારામાં આવું કોઇ નજીક આવે એટલે એનું નામ અડધું કે પછી આવું થઇ જાય.. 'લત્તુ' અથવા 'લત્તી'...આખું 'ચારૂલતા' તો એની બા બોલે, આપણાથી ના બોલાય... બોલીએ તો પાછળ 'બહેન' લગાડવું પડે !) ઊર્ફે ચારૂલતા કાયમ માટે જાય જ નહિ...ભલે ફરસુડો ભંગારમાં કાઢવો પડે, એવી નાનીનાની સપનીઓ જોવાનું શરૂ કરી દીધેલું, જેથી રાત્રે એટલો ટાઇમ બચે.

પણ એમ કાંઇ ચંદ્ર દરેક તારાને મળે ખરો ? વાઇફ જાણતી'તી કે, આ લોકોને જેટલા વહેલા ઊભા કરો, એટલું એનું મંગળસુત્ર સુરક્ષિત છે. હવે તો એ લત્તુ સામે ય કંઇક ને કંઇક છણકા કરે રાખતી હતી. લત્તુ સામે વાઈફે જોવાનું બંધ કરી દીધું હતું. આ બાજુ, લત્તીમાં ય વિવેક-વિનય નહોતો કે, મારી વાઈફ એની સામે ન જુએ તો લત્તુ, આપણી સામે જુએ. આપણે તક મળે કે તરત જ છાનુંમાનું એની સામે જોઇ લઇએ, એમ એ ન જુએ. એકલા આપણે જોયે રાખતા હોઇએ, એ કોઇ જુએ તો આપણું કેટલું ખરાબ લાગે ?... કોઇ પંખો ચાલુ કરો !!

પ્રામાણિકતાથી કહું તો લત્તી-લોકો જાય, એ મને નહોતું ગમતું. ફરસુડો ભલે આપણું ઘર કે આ દુનિયા છોડીને જતો રહે, એમાં આપણો કોઇ વિરોધ નહિ. એવું હોય તો એક આંટો એના બેસણામાં મારી આવવાનો. પણ એ લઠ્ઠો લત્તુથી થોડો ય આઘો થતો નહતો. ચોંટેલો ને ચોંટેલો જ રહે. આવા ગોરધનો એસ.ટી. બસના મુસાફરો જેવા હોય છે....પોતાને બેસવાની જગ્યા મળી ગઈ, એટલે થોડા ખસીને બીજાને ય બેસવા દઇએ, એવી ડીસન્સી જ નહિ ! બીજા માટે થોડી જગ્યા તો કરી આલવી જોઇએ કે નહિ ? સુઉં કિયો છો ?

લત્તુ સાથે એકલો ફરસુડો જ નહતો.... ઘરમાં વધેલી-ઘટેલી જેટલી પબ્લિક હતી, એ બધાને લઇને આયો' તો...... કોઇ ૩-૪ છોકરાઓ અને ડ્રાયવર જેવો લાગતો ચારૂલતાનો ભાઇ અને એની હાવ ગૉન્ડા જેવી વાઇફ ! અમે તો મકાન લીધું છે કે નિશાળ બંધાવી છે, એની ય ખબર પડતી નહોતી.

આમ તો કહે છે કે, ૫-૬ રસ્તાઓ હોય છે, મેહમાનોને તગેડી મૂકવાના પણ એ તો આપણાથી થાય એવા ન હોય કાંઇ. લીમડાનો ધૂપ એ લોકો બેઠા હોય ત્યાં કરવાનો પણ એ લોકો ધૂપ મચ્છર ભગાડવાનો સમજે તો ઉપરથી સલાહ આપે, 'આટલા ધૂપોમાં કાંય નો થાય...બીજો કરો તમતમારે...!'

બીજો સરળ ઉપાય છે, એ લોકોના દેખતા અવારનવાર આપણા દરવાજા સામે જો જો કરવાનું, એટલે પૂછે તો કહેવાય,

'અમારે એક બીજા ગૅસ્ટ પણ આવવાના છે...!' પણ,

'વાહ...ચાલો, અમારે ય નવી ઓળખાણ થશે !' એવું ફરસુ બોલ્યો.

ઘરમાં અચાનક કોઇએ માંદા પડી જવાનો ઉપાય પણ ગોંડલ-ધોરાજી બાજુ વપરાય છે. મારી ૬૦-વર્ષની વાઈફે આઈડીયો દોડાવીને સુપરહિટ નાટક કર્યું-પેટમાં દુઃખાવાનું. 'વૉય માં રે....મરી ગઇ રે.... એવા જુદાજુદા અવાજોમાં એ રાડું નાંખવા માંડી.

'ભારે થઇ...' ચારૂલતા બોલી, 'ડૉક્ટરને બોલાવવાની કાંઇ જરૂર નથી. દુઃખાવો અચાનક ઉપડયો છે, એટલે ભાભીને ખાટું ખાવાનું મન થયું લાગે છે. કોઇ કાચી કેરીના કટકા ખવડાવો....હમણાં સારૂં થઇ જશે !'

તારી ભલી થાય ચમની...૬૦-વરસના બા ને પ્રેગ્નન્ટ બનાવતા તને શરમ નથી આવતી ? હવે તો મને ય આવે.... આ તો એક વાત થાય છે.

રાત્રીના સાડા દસ થયા છે. હું મારા આખા ફૅમિલી સાથે નીચે ધોબીની એક ઓરડીની બહાર ઢીંચણો ઉપર હાથ ભરાવીને બેઠો છું. ઉપરથી ફરસુભાઇ અને ચારૂલતા કોઇ રસોઇ બનાવતા હોય, એવી સુગંધો આવે છે.

મારે ઉપર પાછા જવું કે, આખા ફૅમિલી સાથે ધોબીની દુકાનમાં નોકરીએ જોડાઇ જવું, એ નક્કી કરવાનું છે.

સિક્સર

ઈશ્વરની કૃપા. આ કૉલમમાં ડાયાબીટીસનો નુસખો છપાયા પછી પોતાને ડાયાબીટીસ સંપૂર્ણ મટી ગયાના ફોન આવવા માંડયા છે. નથી મટયો, એમણે ભૂલો કરી હતી.

પણ એક ફોન વિચિત્ર આવ્યો. 'સાહેબ ડાયાબીટીસ તો મટી ગયો...આ દાઢના દુઃખાવાનું કાંઇ કરી આલો ને !'

'શોર' ('૭૨)

$
0
0
ફિલ્મ : 'શોર' ('૭૨)
નિર્માતા-દિગ્દર્શક : મનોજ કુમાર
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર : સંતોષ આનંદ
રનિંગ ટાઈમ : ૧૬૦-મિનિટ્સ-૧૭ રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)
કલાકારો : નંદા, મનોજ કુમાર, જયા ભાદુરી, પ્રેમનાથ, કામિની-કૌશલ, મનોરમા, મનમોહન, કુલજીત, રાજ મેહરા, નાના પળશીકર, કૃષ્ણ ધવન, મીના ટી., શેફાલી, લીના, અસરાની, વી.ગોપાલ, રામમોહન, સિકંદર ખન્ના, રણવીર રાજ, માસ્ટર સત્યજીત અને મેહમાન ભૂમિકામાં : મદન પુરી.


Part I

Part II


Part III

ગીતો
૧. એક પ્યાર કા નગમા હૈ, મૌજોં કી રવાની હૈ.... લતા-મૂકેશ
૨. જીવન ચલને કા નામ... મહેન્દ્ર કપૂર, મન્ના ડે, શ્યામા ચિત્તાર
૩. જરા સા, ઉસકો છુઆ, તો ઉસને મચા દિયા શોર... લતા મંગેશકર
૪. બન કે દુલ્હનીયા આજ ચલી હું મૈં સાજન કે દ્વારે... લતા મંગેશકર
૫. પાની રે પાની તેરા રંગ કૈસા, જીસમેં મિલા દો લગે... લતા-મૂકેશ

એક નબળા અને કંટાળાજનક ઍક્ટર તરીકે મનોજકુમાર દેશભરના ફિલ્મરસિકોની મશ્કરીઓનો જેટલો ભોગ બન્યો છે, એનાથી બમણા ફોર્સમાં એણે ફિલ્મ 'શોર' બનાવીને બધું સાટું વાળી દીધું છે. આ ફિલ્મ જુઓ તો એ સારો દિગ્દર્શક જ નહિ, ઘણો સારો ઍક્ટર પણ લાગે. (સારા ઍક્ટર બનવાની એક ભૂલ ભારત ભૂષણ ફિલ્મ 'બૈજુ બાવરા'માં કરી ચૂક્યો છે.) મનોજની આ ફિલ્મ 'શોર'ને એક ફિલ્મ કહેવા કરતા, હાથમાં રમાડવા લીધેલુ કોઈનું અતિ રૂપકડું છતાં બિમાર બાળક કહી શકાય. એ બાળકથી અંજાઈ તો જઈએ પણ એની બિમારીનો કોઈ ઉપાય ઈશ્વર પાસે ય ન હોય, ત્યારે આપણી લાચારી ઉપર રડવું આવી જાય! 'શોર' આવું સુંદર છતાં રોવડાવી દે, એવું બાળક છે.

સરસ વાર્તા હતી 'શોર'ની. શંકર (મનોજ કુમાર)ની પહેલી પત્ની નંદા એના પુત્ર દીપક (માસ્ટર સત્યજીત)ને બચાવવા જતા પોતાનો જીવ ગૂમાવી દે છે, એના શૉકમાં દીપક મૂંગો થઈ જાય છે. ફૅક્ટરીમાં કામ કરતો શંકર દીપકના ઑપરેશન માટે પૈસા ભેગા કરવા જીવસટોસટના કામો કરે છે એ પૈસા ભેગા કરે છે. દીકરાનું ઑપરેશન સફળ થાય છે, પણ ડૉક્ટર દીપકને તરત મળવાની ના પાડે છે. એક દિવસ જવા દેવાનું કહે છે. ઑપરેશનની સફળતાની ખુશાલીમાં એક દિવસ પસાર કરવો અઘરો બની જાય છે, એટલે ટાઈમ પાસ કરવા શંકર ફૅક્ટરીએ જાય છે. ત્યાં ઍક્સીડેન્ટ થતા બચી તો જાય છે, પણ એ પર્મેનૅન્ટ બહેરો બની જાય છે. જેનો અવાજ સાંભળવા એ ઝઝૂમ્યો, એ અવાજ સાંભળી શકવાનો નથી, એવી કરૂણાંતિકામાં આ અદ્ભુત ફિલ્મ પૂરી થાય છે. મનોજ કુમાર (જન્મ તા. ૨૪ જુલાઈ, ૧૯૩૭ - પાકિસ્તાનના ઍબોટાબાદ ખાતે એ દસનાણી ગોસ્વામી બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યો હતો. સાચું નામ 'હરિકિશન ગીરી ગોસ્વામી') એક્ટર તરીકે ઘણો ફાલતુ પણ પ્રારંભની એણે પોતે બનાવેલી ફિલ્મો 'શહીદ', 'ઉપકાર', 'રોટી, કપડાં ઔર મકાન' અને 'શોર' સુધી તો બેશક એ ઉત્કૃષ્ટ દિગ્દર્શક રહ્યો. એનો ઈન્કાર જ થઈ શકે એમ નથી. પણ એ પછી 'મિસ્ટર ભારત' કહેવડાવવાનો એને સોટો ચઢી ગયો અને 'કલયુગ ઔર રામાયણ', 'ક્લાર્ક', 'પૅઈન્ટર બાબુ', 'સંતોષ' અને 'ક્રાન્તિ' જેવી વાહિયાત ફિલ્મો બનાવીને, ઘણી મેહનતે એક ફાલતુ ઍક્ટર-દિગ્દર્શક તરીકે ગૂમાવેલી નામના પાછી મેળવી બતાવી.

પણ 'શોર' બેશક ક્લાસિક કહી દેવાય એવી સ્વચ્છ અને સુંદર ફિલ્મ હતી. નવાઈ નહિ, ઝાટકા લાગે કે, આવો અસરકારક દિગ્દર્શક, આટલો હૅન્ડસમ હીરો અને (ફિલ્મ 'શોર'માં) પોતાના કિરદારને વરેલો આવો સરસ માણસ આડા રવાડે કેમ ચઢી ગયો?

મનોજ ઍક્ટર તરીકે બેહૂદો હતો અને દિલીપ કુમારની છાયામાંથી બહાર જ ન નીકળ્યો. ખુદ દિલીપ કુમારના મૅનરિઝમ્સ પણ સ્વીકારી શકાય એટલા સાહજીક નહોતા, ત્યાં આ એના ચેલાએ એ જ ગુરૂથી ય બિહામણા ચાળા કૅન્વાસ પર કરી નાંખ્યા. દિલીપ ગાલ પર આંગળા મૂકીને સંવાદો બોલતો, એમાં આ ભ'ઈ ય ઉપડયા. આણે તો અડધો ચેહરો હથેળીથી ઢાંકવા માંડયો. તારી ભલી થાય ચમના... ગૅરેજના દરવાજે આવું શટર પાડી દેવાની સ્ટાઈલમાં ખુદ દિલીપે ય સારો નહોતો લાગતો ત્યાં તું કઈ કમાણી ઉપર ઉપડયો'તો?

મનોજ કુમારની બીજી ય એક મૅનરિઝમ હતી, હીરોઈનને હાથ પણ નહિ લગાવવાની! હવે યાદ કરો, એની કોઇ પણ ફિલ્મની હીરોઇનને અડતા તમે એને જોયો હોય તો ઉઠાવો ધનૂષ-બાણ ને થઈ જાઓ ભાયડા! ભલભલું કામુક દ્રષ્ય હોય, ઉપરથી બનાવટી વરસાદ પડતો હોય, સામે અડધું શરીર ભીનું બતાવતી આખી ઝીનત અમાન શરીરને આડાઅવળા વળાંકો આપીને ''હાય હાય યે મજબૂરી, યે મૌસમ ઔર યે દૂરી...'' જેવું સૅક્સી ગીત ગાતી હોય ને તું એને અડવા ય નો જાય? પણ ઇ ભડનો દીકરો ઓલીને નો અડે તી નો જ અડે...! ભા'ઈ, તું નો અઈડો એમાં સિનેમા જોવા આવેલા પ્રેક્ષકો ગુસ્સે થઈ જતા કે, તને નો ફાવે એવું હોય તો અમને કામ સોંપ...! પણ તું જાળવ્યો જા જરા, ભા'આય...!

અલબત્ત, મોંઢા ઉપર હાથ વડે શટર પાડી દેવાની મનોજની મિમિક્રી શાહરૂખે કરી, એમાં ગુસ્સે થઈને મનોજે અદાલતના દરવાજા બતાવી દીધા... હકીકતમાં અદાલતમાં કૅસ ઠોકવા માટે તો દિલીપ કુમારે છાતી કાઢવા જેવી હતી કે, ફિલ્મે ફિલ્મે મનોજે મોંઢા ઉપર હાથ ઘુમાવી ઘુમાવીને દિલીપની મશ્કરી કરી છે.

મનોજને તમે ધર્મેન્દ્રની આજુબાજુમાં ય નહિ જુઓ. આશ્ચર્ય એ વાતનું ગણી લો કે, ફિલ્મોમાં આવતા પહેલાં બન્ને પોતાને પહેલી ફિલ્મમાં કામ કરવા મળે, એના માટે મુંબઇમાં દરદર ભટકતા હતા. ગામ છોડીને મુંબઈ હીરો બનવા આવનારાઓ માટે મુંબઈમાં એક મૌસીની લૉજ પ્રખ્યાત હતી. એ જમાનાના અનેક ફિલ્મસ્ટારો સ્ટાર બન્યા પહેલા આ જ લૉજમાં ઉતરતા. મનોજ-ધરમ વચ્ચે દોસ્તી એટલી નિકટની હતી કે, આખો દિવસ મુંબઇમાં કામ માટે રખડીને સાંજે લૉજમાં પાછા આવે ત્યારે બન્નેને એકબીજાની ચિંતા કે, આણે હજી કાંઇ ખાધું નહિ હોય, એટલે પોતાને જે કાંઈ મળ્યું હોય, એ એકબીજા માટે બચાવે. બન્ને ફક્ત એક ફિલ્મ 'શાદી' (હીરોઈન સાયરાબાનુ)માં પહેલી અને છેલ્લીવાર સાથે આવ્યા હતા.

કલ્પના કરો, વખત કેવો આવ્યો... કે વખત જતા બન્ને મોટા સ્ટાર્સ બની ગયા, પણ વચમાં કોણ જાણે શું બન્યું કે, બન્ને વચ્ચે કાયમી અબોલા થઈ ગયા, તે આજ સુધી ઉખડયા નથી.

મનોજ કુમાર માટે જે થોડીઘણી લોકકથાઓ ચાલે છે, એમાંની એક ચોંકાવનારી છે. ફિલ્મે ફિલ્મે પોતાને 'મિસ્ટર ભારત' કહેવડાવનાર મનોજે દેશભક્ત હોવાની હવા ઊભી કરી હતી. પણ રાષ્ટ્રને લગતા કોઈ પણ ફંક્શનમાં મનોજ પોતાના તરફથી દેશ માટે કોઈ લાખ-બે લાખનું દાન જાહેર કરી દે. ટીવી કે છાપાઓમાં એને જોઈતી પબ્લિસિટી મળી જાય? બસ, પછી આયોજકો એ પૈસા લેવા મનોજને ઘેર જાય ત્યારે મનોજના નાટકો ચાલુ થાય. યા તો પોતે આવી કોઇ જાહેરાત કરી જ નથી, ને કાં તો બે લાખની જાહેરાતની સામે રૂ. ૫૦૦/- જેટલી કે જેવી રકમ પકડાવી દે.

મનોજની પત્ની શશી ગોસ્વામીનું મનોજ ઉપર પહેલેથી આધિપત્ય રહ્યું છે. (કદાચ... એ જ કારણે મનોજ હીરોઇનોને અડતો નહોતો...?) પણ પેલી 'ક્લર્ક' અને 'પૅન્ટરબાબુ' જેવી ફિલ્મોની નિષ્ફળતાથી ડઘાઈને મનોજ પૂરજોશ દારૂના રવાડે ચઢી ગયો. રાત-દિવસ દારૂ, દારૂ ને દારૂ! એ છોડવવા પત્ની શશીએ ઘણી મિન્નતો કરી... કોઇ ફાયદો નહિ! છેવટે ધમકીરૂપે શશીએ પોતે દારૂ પીવાની ચીમકી આપી જોઇ. મનોજને તો ભાવતું'તું એ વૈદ્યે કીધું. બન્ને નિયમિત સાથે બેસીને દારૂ ઢીંચવા માંડયા. અંજામ એ આવ્યો કે, શશી એટલી હદે ઢીંચવા માંડી કે, પીધેલા મનોજને ય ચિંતા થઈ, કહે છે કે, મનોજ હવે શશી પાસે દારૂ છોડાવવા મિન્નતો કરે છે ને એ બાજુ કોઈ ફરક પડતો નથી.

નંદા (૮ જાન્યુઆરી, ૧૯૩૯) મહારાષ્ટ્રીયન હતી. નામ હતું, નંદા વિનાયકરાવ કર્ણાટકી. એ પણ ફિલ્મો ઉતારતા અને જાતે ઉતરતા ય ખરા. લતા મંગેશકરને પહેલો ચાન્સ આ વિનાયકરાવે આપ્યો હતો. વ્હી. શાંતારામના એ ભાઈ થાય-સગા ભાઈ કે દૂરના એની મને ખબર નથી, કારણ કે શાંતારામની અટક 'વાનકુદ્રે' હતી અને વિનુભ'ઈની 'કર્ણાટકી'. નંદાનો સગો ભાઈ જયપ્રકાશ આ કર્ણાટકી અટક વાપરે છે. એ પાછો એક જમાનાની ડાન્સર જયશ્રી ટીને પરણ્યો છે. આ 'ટી' એટલે 'તલપડે', નંદા ફિલ્મી પરદા પર કેવી ગ્રૅસિયસ અને પવિત્રતાની મૂર્તિ લાગતી? અંગત જીવનમાં ય એવી જ મૂર્તિ હતી. શશી કપૂર એને ખૂબ ગમતો. શશીને પણ નંદી તાઉમ્ર ગમી છે, પણ લફડે-બફડેવાલી કોઈ બાત નહિ, ભાઈ! 'જબ જબ ફૂલ ખીલે'ના કાશ્મિરમાં શૂટિંગ દરમ્યાન એક હૅન્ડસમ આર્મીના મરાઠી લેફ્ટનન્ટ (હવે નવી ફૅશન મુજબ ઉચ્ચાર 'લ્યૂટૅનન્ટ' બોલાય છે.) શૂટિંગના બહાને નંદાને જોવા આવતો. નંદાને પણ એ ગમતો હતો. પેલો સંસ્કારી ઘરનો હતો, એટલે કોઈ ફિલ્મી-સ્ટાઇલ-બાઇલ વગર ફિલ્મના દિગ્દર્શક સૂરજ પ્રકાશ દ્વારા વિધિસરના લગ્નનું માંગુ નાંખ્યું. નંદાએ વિનયપૂર્વક પ્રસ્તાવ ઠૂકરાવી દીધો. એની આજ સુધીની સર્વોત્તમ દોસ્ત વહિદા રહેમાને ખૂબ સમજાવી ત્યારે 'અમર, અકબર, ઍન્થની'વાળા સ્વ. મનમોહન દેસાઈ સાથે લગ્ન કરવા સહમત થઈ. બન્નેની ઑફિશિયલ સગાઈ પણ થઈ. ઘરમાં શુધ્ધ ગુજરાતી બોલતા મનમોહન દેસાઈ ખુશ તો બહુ હતા, નંદા સાથેના વિવાહથી, પણ ગીરગાંવ ખાતે એમના મકાનની ટૅરેસ પરની રૅલિંગ તૂટી જતા છેક નીચે જમીન પર પટકાઈને ગૂજરી ગયા. ઘણાના મતે આ એક આત્મહત્યાનો કૅસ હતો. પણ ત્યાર પછી કે ત્યાર પહેલા નંદા પૂર્ણપણે પવિત્ર સ્ત્રી રહી છે.

નંદા મેહમાન કલાકાર તરીકે છે, પણ મનોજે ખૂબ આદરપૂર્વક એને રજુ કરી છે. એ તો આ રોલ નહોતી કરવાની અને એ હા ન પાડે તો આ રોલ નૂતનને મળવાનો હતો, પણ નંદાએ મનોજની વિનંતી સ્વીકારી લીધી, એ રૂડું થયું. એવું પ્રેમનાથનું થયું. હમણાં ગૂજરી ગયેલા આપણા સહુના મનભાવન ચરીત્ર અભિનેતા સ્વ. પ્રાણને આ ફિલ્મના પઠાણનો રોલ ઑફર કર્યો હતો, પણ એ જ દિવસોમાં પ્રાણ અમિતાભવાળી ફિલ્મ 'ઝંજીર'માં શેરખાનનો રોલ કરી રહ્યા હતા. બન્નેના રોલ એકસરખાં હોવાથી પ્રાણે વિનયપૂર્વક 'શોર' મચાવવાની ના પાડી દીધી હતી. ખૂબ દારૂ પી પીને નાની ઉંમરે ગૂજરી ગયેલો, આ ફિલ્મનો વિલન મનમોહન ગુજરાતી હતો. એનો દીકરો નીતિન મનમોહન ફિલ્મો બનાવે છે.

ભારતની પબ્લિકને સારી ફિલ્મ જોતા આવડે છે, એની સાબિતી 'શોર'ની ટીકીટબારી ઉપરની ગંજાવર સફળતા, ઈન ફૅક્ટ, આખી ફિલ્મને આસમાની બુલંદીઓ ઉપર લઈ જવા માટે લક્ષ્મીકાંત-પ્યારેલાલનું મધુરૂં સંગીત કાફી હતું ને એમાં ય, લતા-મૂકેશનું 'એક પ્યાર કા નગ્મા હૈ, મૌજોં કી રવાની હૈ' લક્ષ્મી-પ્યારેનું મૅગ્નમ ઑપસ ગીત કહેવાશે. લતાના બે ગીતો 'જરા સા ઉસકો છુઆ તો...' અને 'શેહનાઈ બજે ના બજે...' બહુ ઊંચી ઔલાદના ગીતો છે. રામ જાણે કેમ, પબ્લિકની સ્મૃતિમાંથી જલ્દી નીકળી ગયા!

પેલું ઇંગ્લિશમાં કહે છે ને કે, 'ઇંગ્લૅન્ડ'સ લૉસ ઇઝ રોમ્સ ગૅઇન'... એવું કંઇ હતું... એ મુજબ, વર્ષોથી મનોજકુમાર કલ્યાણજી-આણંદજીને વફાદાર રહ્યો, પણ આ બન્નેની આદત મુજબ, નબળું સંગીત પહેલા આપી દેવાનું ને પછી જીંદગી બચી હોય તો સારા સંગીતની વાતો કરવાની. મનોજે એ બન્નેને કાઢી લક્ષ્મીકાંત-પ્યારેલાલને લીધા ને એ બન્નેએ એક પછી એક ફિલ્મોમાં આદત મુજબ ડંકો વગાડી દીધો.

અહીં આ બન્ને સંગીતકારો પૂરબહારમાં ખીલ્યા છે અને મનોજે દિગ્દર્શકની બાહોશી બતાવીને એક પણ ગીત, વાર્તાને સુસંગત ન હોય, એમ મૂક્યું નથી. ફિલ્મમાં તમને એની નિહાયત જરૂરત લાગે. પ્રમાણમાં નબળા લાગે એ બે ગીતો 'જીવન ચલને કા નામ' અને 'પાની રે પાની તેરા રંગ કૈસા' ફિલ્મમાં યથાર્થ લાગે છે. બહુ ઓછાને ખબર હશે કે, સુમન કલ્યાણપુરની એક બહેન પણ ગાયિકા છે, શ્યામા ચિતાર, જેણે 'પાની રે પાની...'માં મૂકેશને સાથ આપ્યો છે.

પબ્લિકની સ્મૃતિમાંથી તો એ ય નીકળી ગયું હશે કે, કેટલાક સાયકલ સ્ટન્ટમૅન સળંગ ૫-૭ દિવસ સુધી સાયકલ પરથી ઉતર્યા વગર કોઈ એક સ્થળે મંડપ બાંધીને સાયકલ ચલાવે જતા. નહાવા-ધોવાનું પણ સાયકલ ઉપર જ! આ ૫-૭ દિવસમાં એક પણ વખત જમીન પર પગ નહિ મુકવાનો. એ જમાનામાં અમદાવાદમાં આવા ખેલો કરનારા બહુ જોવા મળતા. દીકરાના ઑપરેશન માટે મનોજ કુમાર પણ આ ફિલ્મમાં આવી સાયકલ ચલાવે છે.

મનોજ દિગ્દર્શક તરીકે સારો હતો, એમાં એક કારણ એના 'ટૅકિંગ'નું પણ હતું. આ ફિલ્મના 'પાની રે પાની તેરા રંગ કૈસા...' ગીતમાં મનોજે એની આખી કરિયરનો સુંદર નિચોડ કૅમેરાથી પણ આપી દીધો છે. કૅમેરા તો નરીમાન ઈરાનીએ ચલાવ્યો છે, પણ ટૅકિંગ મનોજનું હોય. ટૅકિંગ એટલે ફિલ્મનું કોઈપણ દ્રશ્ય કેમેરાના કયા ઍન્ગલથી કેવી રીતે જુદી જુદી કે અનોખી રીતે ઝડપવું, જેની માસ્ટરી રાજ કપુર, વ્હી. શાંતારામ, વિજય આનંદ અને રાજ ખોસલામાં ભારોભાર હતી. મનોજનું ટૅકિંગ પણ અદ્ભુત! યસ, ક્યારેક એ અવળચંડાઈ પર ચઢી જતો. જેમ કે 'એક પ્યાર કા નગ્મા હૈ..'ના ટૅકિંગમાં રીફ્લૅક્શન-ટૅકનિકનો એણે અતિરેક કર્યો છે. ઉપરના અડધા સ્ક્રીન પર દ્રશ્ય દેખાય, એનું ઊલટું અડધા સ્ક્રીનની નીચે દેખાતું રહે. આવી ટૅકનિકો જાદુનગરીવાળી ફિલ્મોમાં 'કૅમેરાના જાદુગર' કહેવાતા આપણા ગુજરાતી કૅમેરામૅન બાબુભાઈ મિસ્ત્રીએ બહુ વાપરી છે, મનોજે નવું કાંઈ નથી આપ્યું.આ લખનાર ઉપર થોડો ય વિશ્વાસ હોય અને વેદનાભરી ફિલ્મો ગમતી હોય તો તાબડતોબ આ ફિલ્મની ડીવીડી મંગાવી લો.

(નોંધ : આ લેખ તા.૨૨ જુલાઇ ૨૦૧૩ના રોજ લખાયો, એ જ દિવસે મનોજકુમારને ગંભીર બિમારી માટે મુંબઇની 'કોકીલાબેન હોસ્પિટલમાં' દાખલ કરવામાં આવ્યા છે.)

Article 1

$
0
0
* નેતાને પૂછ્યું, 'દેશ કા હાલ કૈસા હૈ ?' તો નેતાએ કહ્યું, 'દેશ કા તો પતા નહિ....હમારા હાલ બઢીયા હૈ...' આપ ક્યા બોલતે હો, અશોકજી ?
- આટલો પ્રામાણિક નેતા ઍટ લીસ્ટ....આપણા દેશમાં તો ન હોય !
(અવતારસિંઘ જાસલ, અમદાવાદ)

* 'અશોક' અને 'અશોકા' વચ્ચે કેટલો ફરક ?
'આ......' ટલો મોટો !
(તસ્નીમ હકીમુદ્દીન વ્હોરા, ઉમરેઠ)

* જેલના સુપ્રીન્ટેન્ડૅન્ટ પોતાની જ જૅલમાં જાય....એ કેવું ?
- ઘર કે બુધ્ધુ ઘર કો આયે !
(મુનિરા એફ. બારીયાવાલા, ગોધરા)

* ભાજપ-કૉંગ્રેસ દરેક વાતે દોષના ટોપલા એકબીજા ઉપર કેમ નાંખે છે ?
- સમજવાનું આપણે છે. બેમાંથી એકે ય દેશનું ભલું કરી શકે એમ નથી.
(પ્રિન્સ બારોટ, અંકેવાળીયા-લીમડી)

* મચ્છર મારવાની આટઆટલી દવાઑ છતાં મચ્છરો જતા કેમ નથી ?
- કૉંગ્રેસ વિશે તમારી જાણકારી ઊંડી છે.
(દેવેન્દ્ર શાહ, વડોદરા)

* લગ્ન વખતે ચઢાવામા કન્યાની ડોકમાં સોનાનો હાર અને વરની ડોકમાં સોનાની ચૅઇન....આવો ભેદ કેમ ?
- વરને ય સોનાનો હાર પહેરાવો તો બે બહેનો લગ્ન કરતી હોય, એવું લાગે!.
(નવનીત પરમાર, રાજકોટ)

* ભારતીય રાજકારણ ગાંધી-પરિવારમાંથી ક્યારે મુક્ત થશે ?
- 'મકાન એવી જગ્યાએ એમણે રાખ્યું છે પોતાનું, ગમે તે રસ્તે જાઓ, એમનું રસ્તામાં ઘર આવે.' (રુસ્વા મઝલૂમી)
(કેશવ કક્કડ, અમદાવાદ)

* પાર્ટી કે સ્ટેજ પર પોતાની પત્નીને બીજાની સાથે ડાન્સ કરતી જોઇને એ હીરોઇનના ગોરધનને શું થતું હશે ?
- એના ય થોકબંધ પૈસા મળે છે ને ....? ભલે આગળ વધતી.
(મોહિની ચંદ્રકેશ મહેતા, વડોદરા)

* પ્રેમ આંધળો કેમ હોય છે ?
- મને એવું કશું દેખાતું નથી !
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

* એક જંગલી દીપડાએ ૨૦-૨૫ ઘેટાઓને પતાવી દીધા, એનો ફોટો આપના અખબારમાં છપાયો, પણ આપ તો દર સપ્તાહે ૨૫-૨૫ નિર્દોષોનું 'ઍનકાઉન્ટર' કરો છો, છતાં આપનો ફોટો કેમ નહિ ?
- મારા ફોટા દીપડાં જેવા સારા નથી આવતા !
(શશીકાંત મશરૂ, જામનગર)

* કોંગ્રેસને વધુ મજબુત બનાવવા માટે મહામંત્રીપદે પ્રિયંકા અને પ્રમુખ તરીકે રોબર્ટ વાડ્રાને મૂકાય તો ?
- ફૂટપાથ પર ખેલ બતાવતા મદારીઓ વાંદરા-વાંદરીને ઝભલાં પહેરાવે છે, તેથી કાંઇ એની આવકમાં વધારો થતો નથી !
(વિમલ ધોળકીયા, અમદાવાદ)

* સવારે ઉઠતાવ્હેંત તમે કોનું મોંઢું જુઓ છો.....પત્નીનું કે ડિમ્પલ કાપડીયાનું ?
- સંસારના તમામ ચેહરાઓ કરતા મને સૌથી વધુ અરીસો પસંદ છે... જય હો !
(સુમન વડૂકૂળ રાજકોટ)

* વરઘોડા જેવા પ્રસંગોએ નાચતા નાચતા રૂપીયાની નોટૉ ઉડાડનાર સાબિત શું કરવા માંગે છે ?
- એ જ કે... એક જમાનામાં આ બધા પૈસા મેં આવા પ્રસંગે નોટો વીણી વીણીને ભેગા કર્યા હતા !
(કપિલ જે. સોતા, મુંબઈ)

* શું તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો ?
- હું તો વાઇડ-ઍન્ગલ નજરના પ્રેમમાં માનું છું.
(દીપ્તિ એ. રાવળ, બોટાદ)

* ટાલ પુરૂષને માથે જ કેમ ? સ્ત્રીને કેમ નહિ ?
- કહે છે કે, શરીરના જે અંગનો વધારે ઉપયોગ થતો હોય, ત્યાં ઘસારો તો પહોંચવાનો !
સાંભળ્યું છે કે, મગજ માથામાં આવ્યું છે!
(એચ.કે. કાત્રોડીયા, રાજકોટ)

* ધર્મ મોટો કે વિજ્ઞાન ?
- દેશ.
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* પવિત્ર પુરૂષોત્તમ માસમાં અમારે ત્યાં 'કથામૃત' રાખ્યું છે. આપ ઉદઘાટન કરવા આવશો ?
- હું ધ્યાનમાં બેઠો હોઉં, એવી એક પ્રતિમા બનાવડાવી લો. હું સર્વવ્યાપી છું.
(ડૉ. પ્રવીણગીરી ગોસ્વામી, પોરબંદર)

* પિયર ગયેલી પત્ની એના ગોરધનને રોજ ફોન કેમ કરતી હશે ?
- ગોરધનને જ કરે, એ જરૂરી છે !
(ઉમર કોલસાવાલા, મુંબઈ)

* શ્રેષ્ઠ સુખ સ્વર્ગનું ગણાય છે, છતાં માનવીને એનું પ્રલોભન કેમ થતું નથી ?
- ત્યાંની ટીકીટ બહુ મોંઘી પડે છે !
(વિમલ સવજીયાણી, જામજોધપુર)

* લોકો જીંદગી વધારવા માંગે છે, સુધારવા નહિ. એવું કેમ ?
- કેટલાક બગાડવા પણ માંગતા હોય છે... બીજાની !
(રમેશ 'ટ્રોવા' સુતરીયા, મુંબઈ)

* 'બહોત લમ્બા, બહોત બેવકૂફ'....એ વાત સાચી છે ?
- મને સીધી રીતે બેવકૂફ કહી દો ને, બેન !
(રમાગૌરી ભટ્ટ, ધોળકા)

* દરેક હાસ્યલેખક પાછળ એક દર્દ છુપાયેલું હોય છે. તમને શેનું દર્દ છે ?
- મગજનું!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* મનુષ્યના વ્યકિતત્વના પાસાં વિરોધાભાસી કેમ હોય છે ?
- કઇ ગાય કે કયા પાડાનું વ્યક્તિત્વ તમે વિરોધાભાસ વગરનું જોયું ?
(અરવિંદ દેશપાંડે, વિજાપુર)

* શું શ્રેષ્ઠ પુરૂષોનું નિર્માણ અકાળે મૃત્યુ પામવા માટે જ થયું છે ?
- ચિંતા ન કરો. મને કાંઇ નથી થયું.
(નિરંજન વૈષ્ણવ, જૂનાગઢ)

* અશોકવાટીકામાં સીતાજીને રાખ્યા હતા. તમારી વાટીકામાં કોને રાખ્યા છ?
- હનુમાનજીને.
(ડૉ. બી.પી. પરમાર, રામોલ-પેટલાદ)

* મને કૅટરીના કૈફ યાદ આવે છે. શું કરવું ?
- તાર તો બંધ થઇ ગયા... તમે ટપાલે ય બંધ કરાવશો !
(ચતુર પોસ્ટમૅન, અંકલેશ્વર)

મૈં ગાઉં તુમ સો જાઓ...

$
0
0
હિંદુસ્તાનમાં રીવૉલ્વર રાખવાની મનાઇ છે, કારણ કે સવા સો કરોડની વસ્તીમાં દોઢ સો કરોડ લતા મંગેશકરો અને દોઢ સો કરોડ મુહમ્મદ રફીઓ છે. મૂકેશ અને કિશોરો તો નહિ નહિ તો ય આઠ સો કરોડ હશે.

એ બધાને આપણે વારાફરતી ભડાકે ન દઇએ, માટે રીવૉલ્વર રાખવાની સરકારે છુટ નથી આલી....બોલો, જય અંબે.

પ્રસ્તુત આંકડો વાચકોને બોગસ લાગી શકે છે, પણ બોગસ છે નહિ. જે દોઢ સો કરોડ લતા-રફીઓ છે, એ બધા પાછા મૂકેશ-કિશોર કે આશા ભોંસલેઓમાં ય ઍન્ટ્રી તો મારવાના ! એ રફીનું ગીત ગાવા જતો હોય ને અટકાવીને તમે કિશોરના ગીતની ફર્માઇશ કરો, તો એ ના નહિ પાડે...પેટીનો માલ કાઢતો હોય, એમ હાજર સ્ટૉકમાં કિશોરનું સંભળાવી દે. આનો અવાજ સાંભળતી વખતે ખૂન્નસ સાથે એ વિચાર આવે કે, જો છેલ્લા શ્વાસો વખતે કિશોરે આને સાંભળ્યો હોત તો કિશોર કેવો રિબાઇ રિબાઇને મર્યા હોત ! લતાએ ગાવાનું છોડી કેમ દીધું અને પેલા બધા મરી કેમ ગયા, એનો સાચો જવાબ આ દોઢ સો કરોડ લતા-રફીઓમાં છે. આ લોકો જે રીતે લતા-મૂકેશના ગીતો 'હંભળાવે' છે, એ સાલી ગાળો કરતા ય વધુ બિભત્સ લાગે છે. રીવૉલ્વર રાખવાની છુટ મળે તો હું નથી માનતો કોઇ પોતાની વાઇફોના કપાળમાં ભડાકા કરે, પણ આ લોકોની છાતીમાં ઠોકાય એટલી ગોળીઓ ઠોકીને શાતા અનુભવે.....બોલો જય જીનેન્દ્ર.

આમ પાછી તમારી પાસે ચૉઇસ રહે છે કે, મન, કાન અને શરીર બાળવું, એના કરતા આવા રફી-કિશોરને સાંભળવા જ નહિં. એટલે સ્ટેજ પ્રોગ્રામોમાં જવાનું જ નહિ. પણ આપણા જ ઘરે મહેમાનો જામ્યા હોય ને વાત તોફાનમસ્તી ઉપર પહોંચી હોય ત્યારે કેટલાંકને ગાવાની સનક ઉપડે છે. ઑડિયન્સ મળ્યું છે કે મળશે, એની લ્હાયમાં ને લ્હાયમાં આ ગાયકો બડી બેરહેમીથી આપણી ઉપર ફરી વળે છે. સાલા સંસ્કાર આપણાં ખરાબ કે, કોઇ ગાય એટલે સૌજન્ય ખાતર બી સાવ ખોટીના પેટની તાળીઓ પાડવી પડે ને બે-ત્રણ વખત, ''બહુ સરસ....બહુ સરસ...'' બોલવું પડે, એમાં પેલો વધારે ઉપડે. 'આજે તો મરૂં કે મારૂં ?'ના ધોરણે...મદારી સૂંડલામાંથી સાપ કાઢતો હોય, એમ આવડો આ ગળામાંથી બીજું એક ગીત કાઢે, ''બહારોં ફૂલ બરસાઓ, મેરા મેહબૂબ આયા હૈ...હોઓઓઓ.''

ઉર્દૂમાં ભલે પ્રેમિકા માટે ય 'મેહબૂબ આયો' વપરાતું હોય, પણ આપણને તો ગાનાર ભાઈની ચાલચલગત ઉપર સવાલો થવા માંડે કે, આ પુરૂષ થઇને મેહબૂબો રાખવા માંડયો છે ? એમાં ય મૂળ ગીતને જે રીતે આ પેશ કરતો હોય, ત્યારે એના મોંઢાં સામે તમારે તાકી તાકીને જોયો રાખવું પડે, નહિ તો જલ્દી સમજ ન પડે કે, 'ગીત તો સંભળાય છે, પણ શરીરના ક્યા ભાગમાંથી આ ગાઇ રહ્યો છે ?' એ નક્કી કરવા ચાલુ ગીત દરમ્યાન જોવા મળે એટલા બધા અંગો ઉપર નજર ફેરવવી પડે કે, ''આવો ધ્વનિ આ કાઢે છે ક્યાંથી ?'' બોલો જય જલારામ.

ઍક્ચ્યૂઅલી, એ વખતે એના ગળામાં કેવળ મુહમ્મદ રફી નહિ, મહેન્દ્ર કપૂર, હેમંત ચૌહાણ, સાબરી બ્રધર્સ, મહેશ કનોડીયા અને દમયંતિ બરડાઇ...બધા ભેગા થયા હોય...ટૂંકમાં રફી સિવાય આ તમામે ભેગા થઇને 'બહારોં ફૂલ બરસાઓ' ગાયું હોય, એવી ફીલિંગ અપાવી શકે....

મરી ત્યાં રહીએ કે, આ હજી પત્યો ન હોય ત્યાં એની બાજુમાં બેઠેલો ગળું ખંખેરવા માંડયો હોય ! શ્રધ્ધા બધાને વધવા માંડી હોય કે, 'આને ચાન્સ મળ્યો છે, તો આપણને ય મળશે,' એટલે હાલમાં ગાઈ રહેલા રફી ઉપર કોઇનું ધ્યાન ન હોય ને ગાતો ગાતો આ રફી એવું સમજતો હોય કે, લોકો કેવા સ્તબ્ધ થઇને મને સાંભળે છે ? આપણે સ્તબ્ધ-બબ્ધ કાંઇ ન થયા હોઇએ, ડઘાઈ ગયા હોઇએ. ગીતના શબ્દો બદલાય એમ એ હાથના હાવભાવ બતાવવા માંડે. આસમાનની વાત હોય તો હાથ આકાશ તરફ લઇ જાય, શબ્દો આંસુ છલકવાના આવે ત્યારે આનું મોંઢું રડું-રડું થવા માંડે. આકાશ ઉપર જ હોય ને જમીન નીચે હોય, એની આપણને ખબર ન હોય, એનું ય ગાતા ગાતા એ ધ્યાન રાખે છે. સંગીતની સમજ, તે આનું નામ ! તારી ભલી થાય, ચમના....હજી થોડું વધારે ગાઈશ તો આ લોકો 'સ્તબ્ધ' નહિ, 'સ્વર્ગસ્થ' થઇ જશે....બોલો, ખુદા ખૈર કરે !

મેહફીલનો મજો મૂળ ગાયકની બાજુમાં બેઠેલા નવોદિત ગાયકને જોઇને આવવા લાગે છે. પેલાએ તલત મેહમૂદનું ગીત ઉપાડયું હોય, એમાં આને કોઇ રસ ન હોય. એ પોતાના શબ્દો યાદ કરવામાં ભરાયો હોય. ચેહરો ટૅન્સ જોવા મળશે. સ્વગત ગાતો હોય એમ મનમાં શબ્દો યાદ કરીને ગાવાનું ચાલુ કરી દીધું હોય. આપણાં સુધી એ ધ્વનિ હમણાં ન પહોંચે...ક્રાંતિ એટલી ગતિથી કદી ન આવે. બાજુવાળા મન્ના ડે ના પતાવાની એ રાહ જોતો હોય. તાળીઓ બધા રાબેતા મુજબની પાડે એમ આણે ય પાડવી પડે, પણ એની તાળીઓ 'માં જયઆદ્યાશક્તિની' આરતી વખતે પડાતી તાળીઓ જેવી હોય. એને એટલી ખબર હોય કે, હવે વારો આપણો છે ! બોલો, જય મહાદેવ.

મેહમાનોની મેહફીલમાં ગાવા-બાવાની ખૂબી એ છે કે, કોઇ તરત હા ન પાડે. આપણે તો જાણે ઘેર આવેલી લતા મંગેશકરને રીક્વૅસ્ટ કરતા હોઇએ અને આવા ફાલતુ ઑડિયન્સમાં શું ગાવું, એવા ઝટકા મારીને બહુ મોટું મન હોય એમ આપણને કહે, ''તમે ગાઓ ને...તમે તો સારૂં ગાઓ છો...!'' કોઇ પંખો ચાલુ કરો, ભ'ઇ!

સાલું, આવું કહે એમાં આપણે ભરાઇ જઇએ ને સદીઓ જૂની આપણી શંકા દૂર થતી લાગે, ''....એમ...? આપણે સારૂં ગાઇએ છીએ ? ને આપણને જ ખબર નહોતી ? પહેલા કીધું હોત તો ભૂકાં કાઢી નાંખત કે નહિ ?'' પણ ગીત ગાવા માટે માન મંગાવવામાં આપણે એ બધાના ફાધર થતા હોઇએ ને ખૂબ વિવેકી ચેહરે સ્માઇલ સાથે નમ્ર બનીને, ''ના ના...મને તો ગાતા જ ક્યાં આવડે છે....!'' (ડર એ હોય કે, સાલાઓ બધા 'હા' પાડી ન દે ! તાળીઓના ગડગડાટો સાથે આપણી નિખાલસતા બધા સ્વીકારી .. ન લે ને આપણે માંડી વાળવાનો વખત ન આવે ! એવી ભૂલ એ લોકો ન કરે,એટલે બાકીનું નિવેદન સહેજ હળવું બનાવીને કહીએ, 'ભ'ઇ....ગાતો'તો એક જમાનામાં....ને લોકો કહેતા પણ હતા કે, આપનો અવાજ બિલકુલ મૂકેશને મળતો આવે છે...પણ વર્ષો થઇ ગયા એ વાતને તો....!'

પબ્લિક સમસમી ગઇ હોય આપણી વાત સાંભળીને એટલે ફરી વાર રીક્વૅસ્ટ ન કરે, એટલે હવે તો કોઇની ય ફર્માઇશ વગર સીધેસીધું ઉપાડી જ લેવું પડે, ''ઓ જાનેવાલે હો સકે તો લૌટ કે આના....હોઓઓઓ'' હવે બોલો, જય ભીમ !

કરૂણા છેલ્લે બચ્યો હોય એની આવે. મૂઢમાર ખાઇખાઇને બધા એવા સૂઝી ગયા હોય કે, છેલ્લે બચેલાને ગાવા ન દે. અકળાઇને હાથ-બાથ કોઇ ન જોડે, પણ એકબીજાની સામે જોયા વગર ઊભા જ થવા માંડે....

કારણ કે, બધાની નજર પડી ગઇ હોય કે, અગાઉ બબ્બે-તત્તણ ગીતો ફટકારી ચૂકેલા રફી-લતાઓ કોઇના ય આગ્રહ વગર બીજી ઇનિંગ્સની તૈયારી કરી રહ્યા છે...જય ઝૂલેલાલ.

સિક્સર

- બિશનસિંઘ બેદી કોણ છે ?
- જી. એ ક્રિકેટનો દિગ્વિજયસિંઘ છે !

અમિતાભ... અમિતાભ... અમિતાભ બચ્ચનની 'ઝંજીર'

$
0
0
ફિલ્મ : 'ઝંજીર' ('૭૩)
નિર્માતા-દિગ્દર્શક : પ્રકાશ મેહરા
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતો : ગુલશન બાવરા
વાર્તા : સલીમ-જાવેદ
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ : ૧૪૬ મિનીટ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકરો : અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, પ્રાણ, અજીત, બિંદુ, ઈફ્તેખાર, ઓમપ્રકાશ, કેષ્ટો મુકર્જી, રણધીર, એમ.રાજન, પૂર્ણિમા, નંદિતા ઠાકૂર, સત્યેન કપ્પૂ, આશાલતા વાબગાંવકર, યુનુસ પરવેઝ, રામ સેઠી, ગુલશન બાવરા, સંજના, અમૃત પાલ, ભૂષણ તિવારી, જાવેદ ખાન, રણવીર રાજ, કૃષ્ણ ધવન, ડી. કે. સપ્રૂ, રામમોહન, મૅકમોહન અને ગોગા કપૂર.

ગીતો
૧. ચક્કુ છુરીયાં તેજ કરા લો - આશા ભોંસલે
૨. બના કે ક્યું બિગાડા નસીબા - લતા મંગેશકર
૩. યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી - મન્ના ડે
૪. દિલજલોં કા દિલ જલા કે - આશા ભોંસલે
૫. દીવાનેં હૈં દીવાનોં કો ના ઘર ચાહિયે - લતા-રફી
(ગીત નં. ૪ પ્રકાશ મેહરાએ લખ્યું હતું)




''બસ અનવર... બહોત હો ચૂકા... અબ નહિ સહા જતા...!''

મુંબઈ સેન્ટ્રલ પર અલ્હાબાદ જતી ટ્રેનના કોચ પાસે ઊભેલા અમિતાભ બચ્ચન માટે કોમેડીયન મેહમુદના સગા ભાઈ અને ફિલ્મ 'બૉમ્બે ટુ ગોવા'માં જે બસનો ડ્રાયવર બને છે તે અનવરઅલી ટ્રાય પૂરો કરતો હતો કે અમિત રોકાઈ જાય ને પોતાના વિચાર બદલે. થોડી ધીરજ રાખવાનો મામલો હતો. એકાદ સારી ફિલ્મ મળી જશે તો આ માણસમાં સુપર સ્ટાર બનવાની હૈસિયત અને કાબેલિયત તો છે જ! ઘેરથી નીકળતા પહેલા મેહમુદે પણ સમજાવ્યો હતો બચ્ચનને કે, અલ્હાબાદ પાછો ન જા. ક્યાંથી માને બચ્ચન? 'સાત હિંદુસ્તાની', 'પ્યાર કી કહાની', 'બંસી-બિરજુ'ને એવી બીજી ૩-૪ ફ્લોપ ફિલ્મોને કારણે બચ્ચન બાબુને પોતાને ય ફિલ્મોમાંથી રસ ઊડી ગયો હતો અને બોરીયા-બિસ્તરા લઈને સાચા અર્થમાં મુંબઈ સેન્ટ્રલ પર અલ્હાબાદ પોતાને 'ગાંવ'જવા ટ્રેનની રાહ જોઈને ઊભો હતા. દોસ્તો એટલા માટે કે, ડૉ. હરિવંશરાય 'બચ્ચન'જેવા મહાન સાહિત્યકારનો આ સુપુત્ર આમ તો એની (સીખ્ખ... સરદારજી) મમ્મી તેજી બચ્ચનની ખાસ સખી સ્વ. ઈંદિરા ગાંધીની ખ્વાજા એહમદ અબ્બાસ ઉપર લખેલી ભલામણ ચિઠ્ઠી લઈને મુંબઈ આવ્યો હતો ને એ જ ગ્રાઉન્ડ ઉપર એને 'સાત હિંદુસ્તાની'મળી હતી.

પણ બધે તો એકની એક ચિઠ્ઠી ચાલે નહિ ને? મુંબઈમાં ઘર નહોતું કે કોઈ ઓળખતું નહોતું એટલે 'સાત હિંદુસ્તાની'પૈકીનો બીજો હિંદુસ્તાની મેહમુદનો આ ભાઈ અનવરઅલી હતો, એણે બચ્ચનને પોતાને ઘેર રહેવા સમજાવ્યો અને જ ત્યાં રહેતો હતો.

અચાનક ફિલ્મો જેવું જ રેલ્વે સ્ટેશન પર હકીકતમાં થયું. બચ્ચનનો કોઈ દોસ્ત હાંફળો-ફાંફળો થતો દોડતો આવ્યો. બચ્ચનને તાબડતોબ પ્રકાશ મેહરાએે એમની ફિલ્મ 'ઝંજીર'માટે મળવા બોલાવ્યો હતો...!

... બસ, મુંબઈ રેલ્વે સ્ટેશન પર જ ભારતના સર્વોચ્ચ સુપર સ્ટારનો જન્મ થઈ ગયો...! હવે ફિલ્મ 'ઝંજીર'નો હીરો અમિતાભ બચ્ચન હતો.

નસીબ પણ કેવા કેવા ખેલ રચાવે છે, એ તો જુઓ...!

દેવ આનંદને એ વાતે વાંકુ પડયું કે, ફિલ્મ 'ઝંજીર'ના હીરોનો રોલ સારો છે, પણ હીરોને એકે ય ગીત જ ગાવાનું નથી, એટલે એણે ના પાડી. દિલીપ કુમારને આ ફિલ્મનો નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મેહરા થોડા નાના ગજાંનો લાગ્યો. ધર્મેન્દ્ર પાસે શૂટિંગ માટે સમય ન નીકળ્યો. જીતેન્દ્ર પાસે ય તારીખો નહોતી. છેવટે કોઈ નહિ ને નવિન નિશ્ચલને ય બોલાવી જોયો તો, એ પોલીસના રોલમાં પોતે નહિ જામે, એવું બહાનું કાઢીને આવ્યો જ નહિ... અને આપણો 'જાની...'રાજકુમારે તો બહુ વિચિત્ર જવાબ આપીને પ્રકાશ મેહરાને પાછા કાઢ્યા હતા, 'જાની... હમેં આપકી શકલ પસંદ નહિ, તો આપ કે સાથ ફિલ્મ કૈસે કરેંગે...?'

પણ હિંદુસ્તાનના આજ સુધીના સર્વોત્તમ ઍક્ટરનો જન્મ આ બધાની 'નાઓ'ઉપર થવાનો હતો... ફિલ્મ બનાવવામાંથી જ રસ ઊડી ગયેલો હોવાથી પ્રકાશ મેહરાને હવે આ ફિલ્મ બને-ના-બને... કોઈ રસ રહ્યો નહતો, છતાં સ્ક્રીપ્ટ સારી હતી, એટલે ન છુટકે નવાસવા અને અત્યાર સુધીની બધી ફિલ્મોમાં ભોપાળું કરી ચૂકેલા અમિતાભ નામના બચ્ચનને લેવામાં આવ્યો. બચ્ચનને સાવ મામૂલી રકમ લઈને હીરો બનવાનું મંજુર હતું... અલ્હાબાદ કૅન્સલ, મુંબઈ ઈન!

અમિતાભ બચ્ચન હિંદી ફિલ્મોમાં આવ્યો, તે ભારતમાં બનેલી કોઈપણ ક્ષેત્રની ખૂબ મોટી ઘટના છે... માત્ર ફિલ્મો પૂરતી નહિ. સમજદારો એને સદીના એક મહામાનવના રૂપમાં જુએ છે. 'કૌન બનેગા કરોડપતિ'બીજાઓએ પણ કરી બતાવ્યું ને બધા હાસ્યાસ્પદ સાબિત થયા. સ્ત્રીઓને સાચું સન્માન તો આ માણસ (ફિલ્મોનો હોવા છતાં) આપી શકે છે, એ તમે આ ટીવી - સીરિયલમાં ય જોયું હશે.

વર્ષો પહેલા પામેલા બૉર્ડેસ નામની અત્યંત ખૂબસુરત મૂળ ભારતીય, પણ ઈંગ્લૅન્ડના એક સંસદ સભ્ય કૉલિન મોયનિહાન સાથે (૧૯૮૯) સૅક્સ કૌભાંડમાં જોરશોરથી પબ્લિસિટી મેળવી ગયેલી પામેલા કૉલ-ગર્લ હતી ને કાયમ ઈંગ્લૅન્ડમાં રહેલી આ છોકરી હવે ગોવામાં અંજુના બીચ પર આવેલા 'હાઈડઅવે'રૉ-હાઉસીસમાં રહે છે અને યોગના કલાસ ચલાવે છે.

આ પામેલા થોડા વર્ષો પહેલા ઈંગ્લૅન્ડથી એક ફૅશન મૅગેઝીનના ફોટોગ્રાફર તરીકે છુપીછુપી આવી હતી અને મુંબઈની એક ફાઈવ-સ્ટાર હૉટેલમાં ઉતરી હતી. મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખબર પડી, એમ આપણા અનેક હીરો એનો સંપર્ક કરવા (શેને માટે, એની તમને ખબર નથી પડતી?) વલખાં મારવા માંડયાં ને ખુદ પામેલાના શબ્દોમાં કહીએ તો, દરેક હીરો એની સાથે સુવા માંગતો હતો... એક માત્ર મિસ્ટર બચ્ચને એને કોઈ મહત્વ આપ્યું નહોતું. એ ઈન્ટરવ્યૂ અને ફોટો-સૅશન કરવા તો અમિતાભનો જ આવી હતી અને શૂટિંગ પણ બચ્ચનના 'પ્રતિક્ષા'બંગલામાં રાખ્યું હતું. પામેલા કહે છે, 'મિસ્ટર બચ્ચનને મેં 'હેલ્લો'કહીને બોલાવ્યા, એનો ઔપચારિક જવાબ આપ્યા સિવાય મારી સામું ય જોયું નથી. એમનું કામ પત્યું, એટલે સીધા ઉપર પોતાના રૂમમાં જતા રહ્યા. આ માણસની ડીસન્સી જુઓ, સંયમ જુઓ ને પોતાના નામ પ્રત્યેનો આદર જુઓ. જે સ્ત્રીની પાછળ મુંબઈના કરોડપતિઓ અને ફિલ્મી હીરો આદુ ખાઈને પડયા હોય, એને એ કોઈ મહત્વ આપતો નથી. બિઝનૅસ પૂરતો જ મતલબ.

પણ નામ થયા પહેલા બચ્ચને પણ એ જ નામ બનાવવા ઘણી ગોઠવણો કરી હતી. જે મળતી, એ ફિલ્મોમાં કોઈ પણ ભોગે હિટ થવા માટે અમિતાભ બચ્ચને પણ ઓછા કાવાદાવાઓ નહોતા કર્યા. મનોજ કુમારે એના ઑફિશિયલ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એની ફિલ્મ 'રોટી, કપડાં ઔર મકાન'માં પ્રીમિયર વખતે અમિતાભનો ભાઈ અજીતાભ મનોજકુમારના ઘેર ગયો હતો અને પ્રીમિયર શોની ઘણી ટીકીટો માંગી હતી. મનોજ કહે છે,'મને નવાઈ લાગતી કે સિનેમાના હૉલમાં જ્યારે અમિતાભ સ્ક્રીન પર આવે ત્યારે હૉલના ચોક્કસ ખૂણામાંથી તાળીઓ અને ચીચીયારીઓ જંગી પ્રમાણમાં સંભળાતી. એ ખૂણાની જ ટિકીટો મેં અજીતાભને આપી હતી. પોતે આમ પ્રજામાં કેટલો લોકપ્રિય છે, તે સાબિત કરવાનો આ છીછરો પણ મહત્વનો આઈડિયો હતો...!'

આ અસલી 'ઝંજીર'બની હતી..... હશે કોઈ એકાદ કરોડમાં, પણ સુપરહિટ ગઈ એટલે બધું મળીને રૂ. ૬ કરોડ કમાઈ લાવી. આજે એ જ 'ઝંજીર'ની રીમૅક બની રહી છે ને પ્રકાશ મેહરાનો છોકરો જ બનાવે છે, ત્યારે એકલી પ્રિયંકા ચોપરાને જયા ભાદુરી એટલે કે ચક્કુ-છુરીયાંવાળો રોલ કરવાના પૂરા રૂ.  ૯ કરોડ મળ્યા છે, જે આજની કોઈપણ હીરોઈનને મળતી રકમ કરતા ઘણી મોટી છે.

'ઝંજીર'ફક્ત બચ્ચન માટે જ નહિ, એની સાથે સંકળાયેલા કે સહેજ પણ નહિ સંકળાયેલા અનેક લોકો માટે બહુ કામની ફિલ્મ બની ગઈ. એવું નહોતું કે, હિંદી ફિલ્મોનો પહેલો 'ઍન્ગ્રી યંગ મૅન'આ ફિલ્મથી આવ્યો. એની પહેલા આ જ બચ્ચનને ઋષિકેષ મુકર્જીએ એમની ફિલ્મ 'નમકહરામ', 'બેમિસાલ'કે 'આનંદ'માં ઍન્ગ્રી યંગમૅન જ બનાવ્યો હતો. અરે, બહુ દૂર જાઓ તો પોતાની ફિલ્મો 'પ્યાસા'કે 'કાગઝ કે ફૂલ'નો હીરો ગુરુદત્ત પણ ઍન્ગ્રી જ હતો ને?

જયા ભાદુરી સાથે તો આ જ ફિલ્મથી પ્રેમના પુષ્પો ખીલી ઉઠયા હતા, એટલે એને ય 'ઝંજીર'ફળી. (બચ્ચનને કદાચ 'નડી'કહેવાય... કર્ટસી, બહેન રેખા!!!)

આ ફિલ્મમાં ધરમપાલ તેજાનો રોલ કરનાર અજીત રાતોરાત ખલનાયકોનો સુપર સ્ટાર બની ગયો. એના નામે મોના ડાર્લિંગવાળી હજારો જૉક્સ બજારમાં ફરતી થઈ. સંવાદ બોલવાની એની આગવી સ્ટાઈલ હતી. 'ઝંજીર'માં બહારથી ફોન કરીને બચ્ચન કહે છે, 'તેજા, મૈં (જેલ સે) બાહર આ ગયા હૂં...!'જવાબમાં અજીત ઠંડે કલેજે કહે છે, 'કહો તો ફિર અંદર કરવા દૂં...?'માર્કેટ જામતું ગયું એમ અમિતાભના કાયમી વફાદરો પ્રાણ, ઓમપ્રકાશ, સત્યેન કપ્પૂ, મૅકમોહનને એ પછી અમિતાભની આવનારી લગભગ બધી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. અજીતનું મૂળ નામ 'હમીદઅલી ખાન'હતું. 'નાસ્તિક', 'બડા ભાઈ', 'ઢોલક', 'ઓપેરા હાઉસ', 'ટાવર હાઉસ', 'બર્મા રોડ', 'મરિન ડ્રાઈવ'જેવી ફિલ્મોમાં એ હીરો હતો. મુકેશનું 'મુફ્ત હુએ બદનામ, કિસી કે હાય દિલ કો લગા કે'ફિલ્મ 'બારાત'માં એના મોંઢે પડદા ઉપર ગવાયું હતું. ખુદ પ્રકાશ મેહરા પણ 'ઝંજીર'પહેલા સામાન્ય દિગ્દર્શક કહેવાતો. પણ આની સફળતા પછી એનામાં ય અનેક ક્વૉલિટીઓ ફૂટી નીકળી અને અમિતાભ બચ્ચનની શ્રેષ્ઠ પાંચ ફિલ્મોમાં જેને મૂકી શકાય, એ 'શરાબી'પણ પ્રકાશે જ બનાવી હતી.

'ઝંજીર'ની વાર્તા સલિમ-જાવેદે વિદેશી ફિલ્મોમાંથી ઉઠાવેલી હતી. એ બધી ફિલ્મોમાં એવું જ કરતા, એવું બન્નેએ કબુલ્યું છે. અહીં, નાનપણમાં પોતાના માં-બાપનું ખૂન કરતા અજીતને નાનો બચ્ચન જોઈ જાય છે અને મોટા થતા સુધીમાં બદલે કી આગમાં એ ભભૂકતો રહે છે અને છેવટે બદલો લઈને રહે છે. વાર્તામાં નવું અથવા પહેલી વાર કહેવાયેલું કશું નહોતું, પણ ફિલ્મની માવજત ઊંચા ગજાંની હતી. ખાસ કરીને, સદાબહાર પ્રાણસાહેબે આ ફિલ્મમાં અફઘાનિસ્તાનના પઠાણ 'શેરખાન'નો રોલ જીવિત કરી બતાવ્યો હતો. પ્રાણ સાહેબ તો ૯૦ પ્લસની ઉંમરે પહોંચ્યા છે, પણ ફિલ્મોમાં ભાગ્યે જ કોઈ સાથે સંબંધ રાખે છે, સિવાય મિસ્ટર બચ્ચન, જેણે પ્રાણસાહેબની બાયોગ્રાફીનું વિમોચન પણ કર્યું હતું.

'ઝંજીર'ના આજે અન્ય ભૂલાઇ ગયેલા ચેહરાઓમાં એમ. રાજન (ફિલ્મમાં એના પિતાનો રોલ કરે છે)'ધર્મેન્દ્ર-માલાસિન્હાવાળી ફિલ્મ 'જબ યાદ કીસિ કી આતી હૈ'માં સૅકન્ડ હીરો બને છે. બચ્ચનની માં બનતી પૂર્ણમાં મુસલમાન હતી અને આજના જાણિતા હીરો ઇમરાન હાશમીની દાદી થાય. જેની વાર્તા ઉપરથી રાજેશ ખન્નાની 'કટી પતંગ'બની હતી તે શંકર-જયકિશનની મૂળ ફિલ્મ 'પૂજા'માં એ હીરોઇન હતી- ભારત ભૂષણની સામે. રફી સાહેબનું ગીત, ''ચલ ચલ રે મુસાફિર ચલ, તૂ ઇસ દુનિયા સે ચલ'આ ફિલ્મનું હતું. પૂર્ણિમાની અન્ય ફિલ્મો 'પરબત', 'બાગી-સિપાહી', 'બાદલ''ઐરત' (બધી શંકર- જયકિશનની) 'સગાઇ', 'ગૌના', 'રાજધાન', 'સલોની', 'મહમાન', 'શગૂફા', 'માલકીન', 'જોગન'અને 'સંસ્કાર'હતી. એની સૌથી પહેલી ફિલ્મ 'રાધેશ્યામ'ગુજરાતીમાં હતી અને પહેલી હિંદી ફિલ્મ 'નિર્મલ'હતી. સ્નેહલ ભાટકરે રફી-મૂકેશનું અલભ્ય ગીત 'બાત તો કુછ ભી નહિ', દિલ હૈ કિ ભર આયા હૈ'પૂર્ણિમાની ફિલ્મ 'ઠેસ'નું હતું... મૂળ લખનૌની પૂર્ણિમા તા.૩ માર્ચ, ૧૯૩૨ના રોજ જન્મી હતી.

ફિલ્મ '૭૩માં બની હતી અને એ જમાનામાં ગાડીઓ ફિયાટ કે ઍમ્બેસેડર સિવાય ભાગ્યે જ જોવા મળતી. યાદ રહ્યું હોય તો પેલી બટકી સ્ટાન્ડર્ડ હૅરલ્ડ નવી નવી આવી ત્યારે આકર્ષણ બની હતી, પણ ઠબ્બુ કાર નીકળી. 'ઝંજીર'માં ય આ ત્રણ ગાડીઓ વધુ જોવા મળે છે.

વિધિની વિચિત્રતા જુઓ. સંગીતની દુનિયામાં ભાગ્યે જ ઉજળું નામ બને એવું સંગીત કલ્યાણજી-આણંદજી આપતા. અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારની તો કેટલી બધી ફિલ્મો એમને મળતી, છતાં એકે ય ફિલ્મના સંગીતમાં કોઈ ઠેકાણું હતું? આમ બધી રીતે હિટ પુરવાર થયેલી ફિલ્મ 'ઝંજીર'નું એક માત્ર નબળું પાસું એનું સંગીત હતું. મન્ના ડેનું 'યારી હૈ ઈમાન મેરા યાર મેરી જીંદગી...'પણ સાંભળ્યા મુજબ, કોઈ અરબી ધૂનની સીધી ઉઠાંતરી હતી. એક તો લતા મંગેશકર સાથે વર્ષોથી ઝગડી ચૂક્યા હતા ને એમાં ય મુહમ્મદ રફી સાથે ય વાર્તા પૂરી થઈ ગઈ.

ખય્યામની જેમ એમનો આગ્રહ હતો કે, 'કલ્યાણજી-આણંદજી નાઈટ'માં રફી સાહેબ ગાવા આવે. એ ત્રણે સંગીતકારોને રફી સાહેબનો સીધો જવાબ હતો કે, 'આપના સંગીતમાં મારા એવા કોઈ હિટ ગીતો નથી કે સ્ટેજ પર ગાઉં ને પબ્લિક બહુ ખુશ થાય...!'

મેં પૂરા ૪૦ વર્ષ પછી આ ફિલ્મ જોઈને આજે ય કોઈ નવી સુંદર ફિલ્મ જોતો હોઉં, એટલી ગમી.
Viewing all 894 articles
Browse latest View live


Latest Images

<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>